________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
રિત થયા હતા. તે સમયે નીકળતાં “સંવાદ પ્રભાકર” અને “સાધુરંજન” નામના પત્રોમાં તે પોતાના લેખ તથા કવિતાઓ મોકલતા; અને તેમાં તે પ્રકટ થતાં. તેમને પત્રના સંપાદક બનવાની ઘણીજ અભિલાષા હતી, પરંતુ સરકારી હોદ્દો અનાયાસે પ્રાપ્ત થયો એટલે તેને અસ્વીકાર કરે એ યોગ્ય લાગ્યું નહિ. આ પ્રમાણે કેવળ વીસ વર્ષની કાચી ઉંમરમાં જ બંકિમચંદ્ર કર્મક્ષેત્રમાં દાખલ થયા. સરકારી કામમાં નિરંતર જોડાઈ રહેવા છતાં પણ તેમને વિદ્યાવ્યાસંગ તે દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો હતો. સરકારી કામકાજમાંથી તેમને જે કાંઈ અવકાશ મળતે તેમાં તે સાહિત્યસેવા કરતા. જ્યારે તે અંગ્રેજી સ્કૂલમાં ભણતા હતા ત્યારે પણ કોલેજના અભ્યાસ સાથે સાથે તેમણે મુગ્ધાવબોધવ્યાકરણ તથા કેટલાક કાવ્યગ્રંથોને અભ્યાસ કરેલ હતો. - બંકિમની કિશોરાવસ્થા બહુ સુખમાં ગઈ હતી. સવારે, બપોરે, સાંજે રાત્રે, બધો વખત તે પુસ્તકો વાંચવામાં જ મગ્ન રહેતા. તેમણે ભરયુવાવસ્થામાં તેમના એક સહાધ્યાયીને કહ્યું હતું કે “મને પુસ્તકો વાંચવાથી જે આનંદ મળે છે તે આ જગતમાં બીજા કેઈપણ કામથી નથી મળત.” એ પછી જુવાનીના અંતિમ ભાગમાં, બહેરામપુરમાં રહેતી વખતે, એક વાર બંકિમે મુનસફ નફર. બાબને કહ્યું હતું કે “મને પુસ્તક લખવામાં જેટલે આનંદ મળે છે, તેટલે બીજા કેઈ પણ કામથી નથી મળતો”
તેમનો પહેલો વિવાહ અગિયાર વર્ષની ઉંમરે થયો હતો, પરંતુ પાંચ છ વર્ષ પછી તેમનાં પહેલાંનાં પત્નીને સ્વર્ગવાસ થે હતા. બહુજ તપાસ કર્યા પછી એકવીશ વર્ષની ઉંમરે તેમણે પિતાને બીજે વિવાહ એક રૂપલાવણ્યવાળી વિદુષી કન્યાની સાથે કર્યો હતો. તેના પર તેમને ઘણે પ્રેમ હતો; અને તેને પિતાને “નીતિગુરુ” તથા ધર્મગુરુ માનતા. એ પત્નીથી તેમને પિતાનું ચારિત્ર્ય ખીલવવામાં તથા ઉચ્ચ કર્તવ્યો બજાવવામાં સહાય મળી હતી; અને ત્યારથી તે સ્ત્રી જાતિના ભક્ત બન્યા હતા. તેમનાં પુસ્તકોમાં એ વાત સ્પષ્ટ જોઈ શકાય છે. એક સ્થળે તેમણે લખ્યું છે કે, “સ્ત્રીઓ એ સાક્ષાત ક્ષમા, દયા અને સ્નેહની દેવી મૂતિઓ છે. ” - બંકિમે અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ દેશપ્રસિદ્ધ શિક્ષક ઈશાનચંદ્ર બંદોપાધ્યાય પાસે હગલી કાલેજમાં કર્યો હતો અને સંસ્કૃતનું શિક્ષણ કાઈ ભટપલ્લીનિવાસી પંડિત પાસેથી લીધું હતું. સન ૧૮૫૩ થી ચાર વર્ષ સુધી તેમની પાસે બંકિમ બાબુ વ્યાકરણ અને સાહિત્ય શીખ્યા હતા, તથા એટલાજ સમયમાં દશ વર્ષને અભ્યાસ સમાપ્ત કર્યો હતે.
બરિમે સોળ વર્ષની ઉંમર પછી કવિતા લખવાનું છેડી દીધું હતું. ત્યાર બાદ અભિળ્યું છે કે કવિવર ઈશ્વરચંદ્ર ગુપ્ત (જેમના પ્રભાકર પત્રમાં ઘણે ભાગે બંકિમચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com