________________
૧૫
પણ તેઓ છકાયનાં પિયર (સમાજનાં માબા૫) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણું ઉપયોગી થઈ શકે.”
તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છપાવવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે.
આ પુસ્તકોનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતો જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જૈનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી.
અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું; તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવસાયટીમાં રહેતા વોરા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુદ્રાવાલાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે, તે બદલ તેઓશ્રીને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ ? તે સવાલ હતું. અને મદ્રાસવાળા શ્રી ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની " સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી દંડીસ્વામિ, શ્રી માટલિયા વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપ્યો છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. - સાધુસંત, સાધ્વીઓ, સેવકે અને જનતા આ પુસ્તકોનો અભ્યાસ કરી સ્વાર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. ૨૪-૪-૧૨ સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com