________________
થતી નિંદા પ્રત્યે જેવો તિરસ્કાર હોય તેવોજ એની થતી પ્રશંસા પ્રત્યે સદ્ભાવ હોય. પોતે એની પ્રશંસા કરે અને બીજાઓને પણ યથાશક્તિ એની પ્રશંસામાં જોડે.
૪:- જેના પ્રત્યે બહુમાન હોય તેની જો કોઇપણ પ્રકારના પાપોદયથી દુર્દશા થાય તો એ દુર્દશા જોઇને તેનું અંતર બળીને ખાખ થઇ જાય. એનું જો ચાલે તેમ હોય તો એ એની દુર્દશાને નિવાર્યા વિના રહે નહિ. જેના પ્રત્યે બહુમાન તેની દુર્દશાને ઠંડે કલેજે જોઇ શકવા જોગી હૈયાની સ્થિતિ સંભવી શકતી જ નથી. ત્યાં વળી એની દુર્દશામાં રાજીપો થાય, એવી દુર્દશામાં અજાણતા પણ નિમિત્ત રૂપ બની જવાય એવું તો બને જ શાનું ? જો સંયોગવશ ખ્યાલફેરથી અજાણતા પણ એવી ભૂલ થઇ ગઇ હોય તો એ ભૂલ એને સદાને માટે સાલ્યા વિના રહે નહિ.
4:- જેના પ્રત્યે બહુમાન હોય તેની દુર્દશામાં જેમ અત્યંત દુઃખિત થઇ જાય તેમ તેના અભ્યુદયમાં અત્યંત હર્ષિત થઇ જાય. અભ્યુદય પેલાનો થાય અને હૈયું આનું નાચી ઉઠે. અભ્યુદય એની મેળે થાય તો પણ જે અત્યંત રાજી થાય તે અભ્યુદય થાય એવો શક્ય પ્રયત્ન કર્યા વિના રહે ખરો ?
જ્ઞાનોપકરણોનો વિનય - જ્ઞાનોપકરણોનો વિનય પણ જ્ઞાની અને જ્ઞાનના અર્થી માટે આવશ્યક જ છે. સૂત્રાદિક ગ્રંથોને લખવા-લખાવવા, તે ગ્રંથોને શોધી-શોધાવીને શુધ્ધ બનાવવા, તે ગ્રંથોના રક્ષણની વ્યવસ્થા કરવી, તે ગ્રંથોને સુગંધી દ્રવ્યોથી સારા રાખવા એ વગેરે જેમ જ્ઞાનોપકરણોનો વિનય ગણાય છે તેમ પાટી-સાપડો-કાગળ-પેન્શીલ-શાહી-શાહીનું ઉપકરણ એ વગેરેની બરાબર જાળવણી કરવી એ પણ જ્ઞાનોપકરણોનો વિનય ગણાય છે. જ્ઞાનના સાધનોનું સંરક્ષણ કરવું-તેની સંવૃધ્ધિ કરવી તેનો ખપી જીવોમાં પ્રચાર કરવો એ વગેરે પણ જ્ઞાનોપકરણોનો વિનય ગણાય છે.
(૧૩) વિનય બહુમાનની ચર્તુભંગી
બહુમાન એટલે અંતરની પ્રીતિ-હૃદયનો ભક્તિભાવ વિશેષ-અંતરંગ પ્રમ-હાર્દિક સ્નેહ. (૧) એમાં વિનય પણ છે અને બહુમાન પણ છે. (૨) એકમાં બહુમાન છે પણ વિનય નથી. (૩) એકમાં વિનય છે પણ બહુમાન નથી. (૪) એકમાં બહુમાન પણ નથી અને વિનય પણ નથી. આ ચર્તુભંગીમાં વિનય-બહુમાન ઉભય હોય તે સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. એથી ઉતરતો પ્રકાર બહુમાન છે પણ વિનય નથી. બહુમાન નથી અને વિનય છે એની તો કાંઇ ખાસ કિંમત જ નથી. જ્યારે વિનય ને બહુમાન બેય નથી એ તો સર્વથા નકામો જ છે.
વિનય એ છે શારીરિક ક્રિયા વિશેષ જ્યારે બહુમાન એ છે આંતરિક ભાવ વિશેષ. વિનય સ્વાર્થ માટે પણ હોય જ્યારે બહુમાન પરમાર્થથી થાય છે.
આ પ્રકૃતિની અભિમુખતાની સ્થિરતાથી જીવને જે નિર્જરા થઇ રહેલી છે. પુણ્યાનુબંધિ પુણ્ય બંધાઇ રહેલું છે તે ઉદયમાં આવતા અપુનર્બંધકપણાના પરિણામને પામે છે. આ પરિણામના યોગે જીવના અંતરમાં જે અનુભૂતિ થાય છે તે જણાવે છે કે અનાદિકાળથી આ જીવ જે સુખ જોઇએ છે તે સુખ મેળવવા માટે પર-પદાર્થોમાં ાંા મારતો હતો-મહેનત કરતો હતો તે એને ખબર પડી કે દુઃખના લેશ વિનાનું પરિપૂર્ણ અને આવ્યા પછી નાશ ન પામે એવું સુખ આ પદાર્થોમાં નથી જ તે તો મારી પાસે મારા આત્મામાં જ રહેલું છે અને આ સુખ એજ ખરેખરૂં સુખ છે એમ તેને લાગે છે. આથી અત્યાર સુધી અનુકૂળ પદાર્થોના સુખને માટે ગમે ત્યારે ગમે તે વખતે ગમે તેવા પાપ કરવાનો વખત
Page 15 of 197