________________
૧૧
રહે એટલા માટે તેને કાચના માળખાથી ઢાંકવામાં આવી છે. અમે રાણીખેત આવ્યાં ત્યાં સુધી તાડીત આવવાની અને તાડીખેત ગાંધીજીના સ્મરણ સાથે આ રીતે જોડાયેલ હોવાની કોઈ કલ્પના નહતી. ગાંધીજીના આ રીતે દર્શન કરતાં ભારતને છેલ્લાં પચાસ વરસનો ઈતિહાસ દક્ષિણ આફ્રિકાથી આવીને ગાંધીજીએ ભારતમાં નિર્માણ કરવા માંડેલી સર્વમુખી કાંતિ, ૧૯૨૯ના એ સવિનય સત્યાગ્રહની ૩૦-૩૨ની લડતનાં મંડાણ થયાં તે પહેલાંના દિવસો, પછી અનેક ઘટનાઓ, ગાંધીજીની લોકોત્તર જીવનપ્રતિભા–આ બધું સ્મરણપટ ઉપર એકાએક ઊપસી આવ્યું. નોઆખલીની યાત્રા, ગાંધીજીનો એકલવિહાર, દેશમાં ઉભી થયેલી અરાજકતા, કોમવાદના ખપરમાં ગાંધીજીના જીવનની અપાયેલી આહુતિ–આ બધાં દશ્યો આંખ સામે તરવરવા લાગ્યાં અને કોઈ ન સમજી શકાય એવું સંવેદન આખા ચિત્તતંત્રને હલાવી રહ્યું.
ગાંધીજી જે નાના સરખા બંગલામાં રહેલા તેમાં અમે દાખલ થયાં. રામદત્તાએ અહીં ગાંધીજી કેવી રીતે આવ્યા, તેમની સાથે તેમણે બે દિવસ કેવી રીતે ગાળ્યા, આસપાસની જનતાએ તેમને કેવો આદર કર્યો, ગાંધીજીએ એ બે દિવસ દરમિયાન અહીં શું શું કર્યું વગેરે વાતો યાદ કરીને અમને કહી અને છેવટે તેમણે જણાવ્યું કે “અમારું મોટું સદ્ભાગ્ય છે કે, જેવી રીતે રામચંદ્રજી વનમાં ગયા તો ભરતજી પણ પાછળ એ વનમાં ગયા, તેવી રીતે મહાત્માજી અહીં આવ્યા તો તમારી જેવા મોટા માણસોનાં પગલાં, ગાંધીજીના નિમિત્તે, અમારી આ વેરાન ભૂમિ ઉપર થયા કરે છે. આપણા દેશની હવે જે કાયાપલટ થવા માંડી છે તે પણ તે મહાત્માને જ પ્રતાપ છે. એ મહાત્માની કૃપાથી જ અમારા જેવાનું જીવતર જીવવા જેવું બન્યું છે. આમ કહેતાં કહેતાં તેમનું મન ભરાઈ આવ્યું. અહીંથી અમે ગાંધીજીની પ્રતિમાનાં દર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org