Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 315
________________ ૨૮૮ આંજી નાખે એવો ઉષ્ણ તડકો સ્ટેશન બહારના ભાગમાં જાણે કે આગ વરસાવી રહ્યો હોય એમ લાગતું હતું. લૂ વાઈ રહી હતી. જાણે કે પૃથ્વી એ તળિયું દેય અને તેને ઢાંકી દેતા આકાશને. ઘુમ્મટ એ તેનું ઢાંકણ હાય-એમ એક પ્રકારની પ્રજ્વલિત ભટ્ટીમાં સમસ્ત જીવસૃષ્ટિ પુરાઈ ગઈ હોય એવો કાંઈક અનુભવ થઈ રહ્યો હતે. શરીરના, આમ બાહ્ય દૃષ્ટિએ, ચાલુ અકળામણ હોવા છતાં ગ્રીષ્મ ઋતુનાં આ ટુકતમ સ્વરૂપનું દર્શન એક વિશિષ્ટ અનુભવ તરીકે અન્તરમનમાં વિસ્મયપૂર્ણ અને તેથી જ આનંદમિતિ સંવેદન પેદા કરતું હતું. મુખ્ય ઋતુઓ ત્રણ શિયાળો, ઉનાળો અને ચોમાસું દરેક ઋતુ સૌમ્ય રૂપે શરૂ થાય છે અને પરાકોટિની ઉગ્રતા પ્રકટાવી વિસર્જિત થાય છે. અને ઋતુ ઋતુના સૌમ્ય આવિર્ભાવમાં જે સૌન્દર્યનું દર્શન થાય છે તે તેના રુદ્ર આવિર્ભાવમાં અનેરી ભવ્યતાનું દર્શન પણ રહેલું હોય છે– એ દષ્ટિએ તેને સમજવા, આવકારવા અને અપનાવવા આપણું મન તૈયાર હોય તે. ટાઢ સોને મીઠી લાગે છે, પણ કડકડતી ટાઢને રોમાંચ કોઈ જુદા જ પ્રકારનો છે. વરસાદ કોને ન ગમે ? પણ કોઈ દિવસ જ્યારે જળબંબાકાર બની જાય છે, ત્યારે આપણા દિલમાં કોઈ જુદા પ્રકારની ઝણઝણાટી પેદા થાય છે. અને જે રવૃષ્ટિ જેવાને આપણે આંખ ટેવાયેલી હોઈને તે વિષે આપણું મન કઈ નવીનતાનું સંવેદન અનુભવતું બંધ થઈ ગયું હોય છે, તે જ સૃષ્ટિ જાણે કે રૂપાન્તર પામી ગઈ હોય એમ. અવનવી નવીનતાનું સંવેદન આપણા દિલમાં પેદા કરે છે. આવા વિશિષ્ટ ભાવથી ગ્રીષ્મ ઋતુ પ્રત્યે આપણા મનને અભિગમ કેળવીએ તે પ્રસન્નતા ડગુમગુ થઈ જાય, ગ્રી મની પ્રખરતાનું દર્શન વિસ્મયસ્તબ્ધતાનું મધુર સંવેદન પેદા કરે, તેની આતાપના શરીર તેમ જ મનમાં આકુળવ્યાકુળતા પણ સાથે સાથે પિદા કરે–આ. વિલક્ષણ અનુભવ આપણને થયા વિના ન જ રહે. આવી આનંદ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332