Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 319
________________ ૨૨ આપણે જરૂર કહી શકીએ. અહીં વસતા આ માનવસમાજને જોતાં હિમાલયનાં દર્શને પેદા કરેલો આનંદઅતિરેક હળ બની જતો. હતો અને અમારું ચિત્ત કદી કદી ઊંડી ઉદ્વિગ્નતા અનુભવતું હતું. હિમાલયને આકાશમહિમા - આપણું વિશ્વ પાંચ તત્ત્વનું બનેલું છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ- જ્યાં જાઓ અને જુઓ ત્યાં, આપણને આ પાંચે * તત્ત્વનાં દર્શન થાય છે. પણ કમનસીબે આપણે પૃથ્વી અને અપનેજળ અને સ્થળને-જેટલાં ઓળખીએ છીએ તેટલા પ્રમાણમાં તેજ, વાયુ અને આકાશને આપણે ઓળખતા નથી અને તેથી સભાનતાપૂર્વક તે તવોને આપણે માણતા નથી. હિમાલયમાં વિચરતાં આ પાંચે તો તેના વિરાટતર રૂપે અમારી સામે પ્રત્યક્ષ થતાં હોય એમ મને લાગ્યા કરતું હતું. પૃથ્વી અને પાણી વિષે તે આગળ ઘણી વાર કહેવાયું છે. તેજની લીલાને પણ અવારનવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંની હવામાં કોઈ જુદી જ તાજગી ભરી છે; એ તે જે માણે તે જાણે. અને અહીંના આકાશની નીલિમાનું વર્ણન શી રીતે કરવું એ સમજાતું નથી. આ પહાડી પ્રદેશમાં ફરતાં ફરતાં નીચેના સપાટ પ્રદેશમાં જેવી રીતે ક્ષિતિજ-રેખાને સતત ચુંબન કરતું આકાશ દેખાય છે, તેવું અહીં તે બને જ નહિ; કારણ કે અહીં જ્યાં જુઓ ત્યાં ક્ષિતિજ-રેખા પર્વતેથી અવરાયેલી જ હોય છે. અહીં તો પર્વતની ઊંચી-નીચી-વળાંકભરી રેખાઓનો આકાશ નીચેનો ભાગ પર્વતમાળાથી અવરાયેલો હોય અને તેમાં પણ પર્વતે. વૃક્ષોથી ઢંકાયેલા હોય, ત્યારે આકાશ સ્વાભાવિક રીતે સવિશેષ નીલવર્ણ–ઘેરું ભૂરું, શનિના (નીલમના) ચમકતા ભૂરા રંગનું–બની જાય છે. આવું આકાશ નિહાળ્યા કરવામાં કોઈ જુદો જ આનંદ આવે છે. જેવી રીતે ઊંડે દરિયો એકદમ ભૂરો દેખાય છે, તેવી જ રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332