Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 281
________________ ૨૫૪ જ જેના જીવનનું એકાન્ત લક્ષ્ય હેય–આવી એક વિભૂતિનું તેમનામાં અમને દર્શન થયું. તેમને જે બતાવવું હતું તે પૂરું થયું એટલે તેમના નિવાસસ્થાન તરફ અમે વળ્યાં. બીજી મંડળી ત્યાંથી વિદાય થઈ તેમના કહેવાથી અમે તેમની સાથે આગળ ચાલ્યાં અને બંગલા સામેની ખુલ્લી જગ્યામાં બેઠાં. મરતોલા આભરા આવ્યા બાદ અહીંથી જુદી જુદી દિશાએ પંદરવિશ માઈલ દૂર આવેલા મિરલા–જાગેશ્વર તથા બીનસર જવાનું અમે વિચારી રહ્યાં હતાં. મીરતોલા-જાગેશ્વર તરફ જવા માટે બસને વ્યવહાર ગોઠવાયેલો હતો. બીનસર જવા માટે સડક તો હતી, પણ ત્યાં બસને વ્યવહાર ચાલુ થયો નહોતો. ત્યાં જવા માટે કોઈની ખાનગી મોટર કે પગાડી મેળવવાની જરૂર હતી. બીનસર સંબંધે આવી ગોઠવણને હજુ સુધી પત્તો નહોતો લાગ્યો, એ દરમિયાન અમે મરતલા-જાગેશ્વર બાજુ જઈ આવવાનું નક્કી કર્યું. ત્યાં જવા માટે આભેરાથી લગભગ સત્તર-અઢાર માઈલ દૂર આવેલા પનવનૌલા ગામમાં રાત રહેવું પડે તેમ હતું. આ માટે જૂન ભાસની પાંચમી તારીખે અમે બપોરના બે-અઢી વાગ્યે ઊપડતી બસમાં નીકળ્યાં. આભોરાને વટાવ્યું. આગળ ચાલતાં થોડું નીચાણ આવ્યું અને પછી એકસરખા ચઢાણના માર્ગ ઉપર બસ આગળ ને આગળ ચાલતી રહી. દૂર દૂર ઊંચાણમાં પર્વતને ખૂણે દેખાય અને ત્યાં સુધી સર્પાકાર વહી જતી સડક પછી વળાંક લે અને આગળ જતાં દૂર દૂર વળી પાછો ઊંચે પર્વતને બીજો ખૂણે દેખાય અને પાછી બસ તે ખૂણાને વટાવીને આગળ ચાલે.. આભેરાને ડુંગર અને તેની આસપાસના ડુંગરાઓ મોટા ભાગે ઝાડપાન વિનાના, સૂકા અને જેને પગથિયા ખેતી–terrace farm Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332