Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 295
________________ ૨૬૮ - નક્કી કરીને છૂટાં પડયાં. રામકૃષ્ણ ધામ પહોંચ્યાં અને નાહી-ધોઈને સ્વસ્થ બન્યાં. રાત્રે આરામ કર્યો અને સવારે તાજાં થઈ ગયાં. ” બીજે દિવસે શાન્તિભાઈ મળવા આવ્યા. તેમની સાથે દેશની - આજની પરિસ્થિતિ, સરકારી તંત્રને સડો, આગેવાનોને મૂઢ અને વિકળ બનાવતી સત્તાભૂખ, ગાંધીજીને આપણે સાવ ભૂલી ગયા હોઈએ એ આપણે પ્રજાને નિકૃષ્ટ જીવનવ્યવહાર–આવી અનેક બાબતે વિષે, જાણે કે એકમેકને લાંબા વખતથી ઓળખતા ન હેઈએ એવી નિકટતાથી, અમે વાતો કરી અને કોઈ સુહૃદને મળ્યા જેટલો આનંદ અનુભવ્યો. - આ શાન્તિભાઈ મૂળ સૌરાષ્ટ્ર-રાજકોટના રહેવાસી છે. ૧૯૨૧માં અસક્યોગના આન્દોલનથી પ્રભાવિત બનીને તેમણે અભ્યાસ છોડી દીધો હતો અને સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. એ વખતે તેમની ઉમર ૧૭ વર્ષની હતી. આશ્રમમાં ત્રણ વર્ષ વ્યતીત કર્યા બાદ તેમને ગાંધીજીએ બારડોલીના સ્વરાજ્ય આશ્રમમાં મોકલ્યા હતા. ત્યાંથી વળી ભાવનગર પાસે આવેલા મઢડા ખાતે શ્રી શિવજી દેવશીએ શરૂ કરેલી ઉદ્યોગશાળામાં ગાંધીજીની આજ્ઞાથી તેઓ એક કાર્યકર તરીકે જોડાયા હતા અને ત્રણ વર્ષ સુધી કામ કર્યું હતું. ૧૯૨૮માં ગાંધીજીએ હિમાલયમાં આત્મારા ખાતે રચનાત્મક કાર્યની જમાવટ કરવા માટે જવાને તેમને આદેશ આપ્યો. અહીં તેમણે એક વર્ષ પસાર કર્યું , એવામાં ૧૯૨૯ની સાલમાં જૂન માસમાં ગાંધીજી આમેરા આવ્યા, ત્યાંથી રાણીખેત, તારીખેત અને કૌસાની ગયા અને ત્યાં ૧૦ દિવસ રહીને અનાસક્તિ યોગ લખ્યો અને ત્યાંથી બાગેશ્વર ગયા–આ બધે કાર્યક્રમ શાન્તિભાઈ મારફત ગોઠવાયો હતો અને એ દિવસોમાં તેઓ બાપુજી સાથે જ સતત - ફરતા હતા અને ઠેકઠેકાણે બાપુજીના રહેવા-ખાવા વગેરેને બધે -પ્રબંધ તેમણે જ કર્યો હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332