Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 312
________________ ૨૮૫ અને નમણું છે કે તેને બંગલે તે કહી શકાય જ નહિ–ધાર્મિકતા અને રસિકતા ઉભયનો સુન્દર સમન્વય રજૂ કરતું જીવન ગાળે છે. અને દરેક પિતાપિતાની પ્રવૃત્તિમાં મશગૂલ રહે છે. આ લામાદંપતીને આમ ટૂંકસરખો પરિચય સાધીને સાંજને વખતે, જ્યારે વાદળના ગડગડાટ શમી ગયા હતા, સૂર્ય આથમી ગયો હતો અને સાયંસંધ્યા ખીલી રહી હતી ત્યારે, અમે આલ્મોરા પાછા ફર્યા. બજારમાંથી પ્રવાસ માટે જરૂરી એવી મીઠાઈ, ફરસાણ, ફળો વગેરે ખરીદ્યું અને અમારા નિવાસસ્થાને આવી પહોંચ્યાં. બીજે દિવસે સવારે રામકૃષ્ણ ધામમાં રહેતાં જેમની સાથે નવો પરિચય-સંબંધ થયો હતો તે સૌકેઈની રજા લઈને અમે બસ સ્ટેશને આવ્યાં અને કાગોદામ લઈ જતો બસમાં આસનરૂઢ થયાં. આમેરાથી ગરમ પાણીના સ્થળ સુધીને આ અમારા માટે નવો જ રસ્તો હતો. શરૂઆતમાં એકસરખું ઉતરાણ આવે છે. તે પૂરું થયું એટલે કેસી નદી આવી. તેનો પુલ ઓળંગીને કેસીના કિનારે કિનારે અમારી બસ આગળ ચાલી. આ આખો રસ્તો બહુ થોડા સમયથી શરૂ થયો છે અને માર્ગમાં ખેરના કરીને એક ગામ આવે છે, ત્યાં સુધી One way route-કાં તે કેવળ જવાને અથવા તે કેવળ આવવાને–એ પ્રકારનો રસ્તો છે. એનું કારણ એ છે કે રસ્તાની સડક કાગી છે અને પ્રમાણમાં ઓછી પહોળી છે. આત્મારાથી ખેરના પહોંચતાં લગભગ બે-અઢી કલાક લાગે છે અને ત્યાં જતી-આવતી બધી બસ અમુક સમયે ભેગી થાય છે. આરા તરફની બસો આવી જાય એટલે આત્મારા જવાનો માર્ગ ખુલે થાય છે અને ભોવાલીથી આવેલી બસો આભેરા તરફ વિદાય થાય છે. આ ક્રમ નક્કી કરેલા સમયપત્રકપ્રમાણે ચાલ્યા કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332