Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 292
________________ ૨૬૫ ઘટના જોડાયેલી છે. અહીંના ગાઢાં દેવદારનાં જંગલે, આમતેમ વળાંક લેતા અને વિચરતા નાના જળપ્રવાહ, આસપાસ ગગનચુંબી પર્વતશિખરે, આવું આ સ્થળ કામદહન અને જ્ઞાનલેચનના ઉદ્ઘાટનની કલ્પના માટે ભારે સમુચિત લાગે છે. આ ખ્યાલ સાથે અહીં ફરતાં કવિ કાલિદાસચિત કુમારસંભવની અનેક પંક્તિઓ યાદ આવતી હતી અને ચિત્ત કલ્પનાના ચકડોળે ચડતું હતું. અહીં અમારામાંનાં જેમને બ્રહ્મકુંડમાં સ્નાન કરવું હતું તેમણે સ્નાન કર્યું અને જ્યોતિલિંગની પૂજા પણ કરી. અહીં આવીને એક પંડયાને બટાટાનું શાક અને પૂરી તૈયાર કરવા કહેલ, તે વડે સુધા -શાન્ત કરી. થોડો આરામ કર્યો અને સાડા અગિયાર-બાર વાગ્યા લગભગ અહીંથી મુકામ ઉઠાવ્યો. અહીંથી અમારે બે માઈલ દૂર આવેલ આરતોલા ગામે પહોંચવાનું હતું અને ત્યાંથી પનવનૌલા થઈને અમને આરા પહોંચાડતી બસ પકડવાની હતી. જાગેશ્વરથી આરતોલા સુધી પાકી સડક છે. શ્રાવણી પૂર્ણિમા, કાર્તકી પૂર્ણિમા, શિવરાત્રિ એવા પર્વ દિવસોમાં અહીં હજારે યાત્રાળુઓ આવે છે. અને તે માટે તે દિવસો આસપાસ આમેરાથી નાગેશ્વર સુધીની બસ સર્વિસ ચાલુ કરવામાં આવે છે. બાકીના દિવસોમાં કી તે પનવનૌલાથી કેડીના રસ્તે અથવા તે આરતેલાથી પાકા રસ્તે અહીં આવી શકાય છે. મધ્યાહનને સમય હતો. આ પ્રદેશ ખીણમાં આવેલ હોઈને જરા પણ ઠંડક હતી નહિ. બાજુએ દેવદારનાં ઘેરાં વન હોવા છતાં પહોળી સડક ઉપર એ ગગનસ્પશી વૃક્ષોને ભાગ્યે જ છાંયે પડતા હતા. એટલે આ દોઢ માઈલ પસાર કરતાં અમને સારા પ્રમાણમાં ગરમી અને થાક લાગ્યાં. આખે રસ્તે નીચે બાજુએ એક નદી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332