Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 265
________________ ૨૩૮ લીધું. મહાત્માજી આ બાજુ વર્ષોથી કામ કરતા હતા. તેઓ તેમ જ ગોરખભાઈ આ પહાડી પ્રદેશનો, આ બાજુ વસતી પ્રજાના જીવનનો ઠીક ઠીક અનુભવ ધરાવતા હતા. આ અનુભવમાંથી તારવી તારવીને તે બંને મિત્રોએ અમને કેટલીક વાતો સંભળાવી. અહીં પહાડમાં વસો આદમી નીચેના સપાટ પ્રદેશ ઉપર જાય તે બન્ને પ્રદેશના ભિન્ન સ્વરૂપ અંગે તેનું સંવેદન કેવું હોય છે તેને નીચેના તેમના એક અનુભવ ઉપરથી મહાત્મા રાયજીએ ખ્યાલ આપ્યો. તેમણે જણાવ્યું કે, “હું કાનપુર કે દિલ્લીના ગાંધી આશ્રમમાં હતે. એ દરમિયાન એક પહાડી આદમી કંઈ કામસર આવ્યો અને અમારી સાથે બે-ત્રણ દિવસ રહ્યો; પણ શહેરી રસ્તાઓ અને ગલીગૂંચીથી ખૂબ કંટાળી ગયો. તેણે જણાવ્યું કે શહેરની ગલીગૂંચીથી હું તો ત્રાસી ગયો છું. જે કંઈ ઠેકાણે જવું હોય તે એટલું બધું લાંબું લાગે અને કેમે કરીને દેખાય જ નહિ. પહાડમાં તો જ્યાં જવું હોય તે સામે દેખાય –ભલેને ત્રણ-ચાર માઈલ દૂર હોય, અને જલદીથી પહોંચી જવાય !” પહાડીની દૃષ્ટિએ આ સંવેદન તદ્દન સાચું અને સ્વાભાવિક હતું. આમ અમારે વાર્તાલાપ ચાલી રહ્યો હતો એ દરમિયાન હિપતે આડેનાં સી આવરણે ખસી ગયાં હતાં અને ૨૧૦ માઈલની આખી રેઈજ-શિખરમાળ ભારે સ્પષ્ટ અને ચાર દિવસ પહેલાં જોવામાં આવી હતી તેથી પણ વધારે ચોખ્ખી દેખાવા લાગી; કારણ કે સવારના વખતમાં સૂર્ય એક ખૂણે પાછળના ભાગમાંથી આવતા હેઈને સૂર્યને સીધો તડકો આ શિખરમાળ ઉપર પડત નહોતો; જ્યારે અત્યારે પશ્ચિમ આકાશમાં નીચે ઊતરી રહેલા સૂર્યને તડકે સી હિમપર્વત ઉપર પડતું હતું અને તેને લીધે એ પ્રદેશો રૂના પોલ જેવા, સ્ફટિક જેવા ચક્યકિત લાગતા હતા. સૂર્ય જેમ નીચે ઊતરતો ગયો તેમ સૂર્યપ્રકાશ પીળાશ ધારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332