________________
તો આ ગુણની
અને કાગ
જોઈને પુત્રવતુ ભાવ કરજે તો ગાંઠ નહિ બંધાય. અન્યના દોષને કાઢવાની પીડા અને શ્રમ ત્યજીને તું તારા હૃદયને પ્રેમથી ભરી દે, અને તેને જ કાર્ય કરવા દે, પછી તને સફળતા જ મળશે. પ્રવાસે જવા ઘરની બહાર નીકળવું પડે છે. પ્રેમ-મૈત્રીની યાત્રામાં પરમાંથી અંદરમાં જવાનું છે. આત્મા વગરનું શરીર શબ કહેવાય ગંધાવા માંડે, એ જ પ્રમાણે ગુણ વગરનું જીવન પણ શબવત્-પશુવત્ કહેવાય. વાસનાઓથી ગંધાય પરંતુ સંસારીપણામાં દેહનો અધ્યાસ જીવને શરીરના ધર્મથી સભાન રાખે છે, કે દેહ મારો છે. જો જીવન આત્માને આધારે હોય તો આત્માનું અહિત થાય ત્યાં જીવ તરત જ સાવધાન થાય. જો જીવનમાં ગુણની કિંમત નથી, તો તને ગુણવાનોની કિંમત ક્યાંથી થશે? પછી તુ અરિહંત અને સિદ્ધના ગુણ સુધી ક્યાંથી પહોંચશે? કાંટાળો માર્ગ છોડીને ભાઈ સરળ માર્ગ ગ્રહણ કર, તે ગુણગ્રાહકતાથી સંભવ છે. રાગી પર રાગ કેટલો જલદી થાય છે. કોઈને સૂચવવું પડતું નથી. વીતરાગી પર રાગ કરવાનું કેમ વિચારવું પડે છે?
ઉત્તમ મનુષ્ય દેહ, સુખેથી ખાવા-પીવાનું પુણ્ય, પુણ્યયોગે ધર્મનો યોગ, આવું સુખ મળવા પાછળ અન્યનું લેણું આપણે માથે પડયું છે. બીજાનું આપણી પાસે જમા પડયું છે. આ જનમના આવા શુભયોગમાં નહિ ચૂકવીએ તો ક્યારે ચૂકવીશું? દેવાદાર થઈને જવું તે સજ્જનતા છે શું? વળી જતાં શું લઈ જવાનો? તારો જ પુણ્ય પાપના સંસ્કારોને?
• તું મરણથી બચવા ગમે તેવા જોષ જોવડાવે. • રોગ મુક્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. ૦ ધન પ્રાપ્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે.
• સંતાન પ્રાપ્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. પણ તે તો સર્વ તારા પૂર્વસંચિત કર્મ પર આધારિત છે. એટલે એટલું વિચારી રાખજે કે જન્મ જોષ જોયા વગર જ લેવો પડે છે. આ નિરાધાર-અશરણ જીવનનો શૂનકાર ધર્મ વડે જ પૂરાય છે. ધર્મ જ રક્ષણ આપે છે.
ભૂતકાળમાં બહારના હુમલાથી બચવા રાજાઓ કિલ્લાઓ ચણતા હતા. હવે બોમ્બ પડવા માંડ્યા, એટલે ભોંયરા બનાવવા માંડયા પણ
૪૨