Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 200
________________ હવે મૂળ વાત પર પેલા ત્રણસો તેલાની અધૂરી શુભકામના સ્વયં હાજર થઈ ગઈ. અને પછી ‘તેલા’ કહો કે ચોલા, પંચોલા થયા જ કરે. ઈડર જેવા તીર્થમાં એકાંત સ્થળે સામાયિક વગર બેસાય નહિ. હવે ગણતરી છૂટી ગઈ. અનુષ્ઠાન સહજ સાધ્ય બન્યું. પ્રારંભમાં ઓધે સમજ વગર પરંતુ ભાવપૂર્વક કરેલા અનુષ્ઠાનની આજે ફલશ્રુતિ એ થઈ કે અંતર અવાજ કહે છે કે, “સમક્તિ વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ' આ ચારિત્ર શબ્દ સામાયિક પોષક છે. ઘણા પ્રકારે સામાયિક સમજાયા પછી આજ તો સ્વસ્ફુરણાઓની સરવણી ફૂટયા કરે છે. અનેકવિધ અંતઃચેતનાની પ્રસન્નતા પ્રગટતી રહે છે. એ સામાયિક-ધર્મ-યોગનો મહિમા કથનથી પર છે. સામાયિક એટલે સાવધ પાપવ્યાપરનો સાધકને માટે મર્યાદિત ત્યાગ. આ અભિગમ જીવનમાં રસાતો ગયો. એનું પુણ્ય આવતા જનમમાં શું હશે તે કેવળી ગમ્ય છે. પણ આ જન્મમાં એવા પાપવ્યાપારથી ઘણી મુક્તિ મળી છે. એવી કોઈ જરૂરિયાત, બાહ્ય પ્રવૃત્તિ, કોઈ અપેક્ષાઓ, જનઉત્કર્ષને કારણે પણ બાહ્ય આડંબરો બધું જ જાણે વિરમી ગયું છે. બસ એક જ લગની સામાયિક યોગમાં રહેવું. પછી શ્રુત હો, વિધિથી હો, કે સમ્યક્ત્વથી હો. મુક્તિ દ્વારને ટકોરો એ સામાયિક યોગની ફળશ્રુતિ છે. સત્સંગી-સ્નેહીઓ પૂછે છે. આવું જીવન મંગલ કેવી રીતે પ્રગટ થાય ? દેવગુરુ અનુગ્રહ. નવકારમંત્ર, ભક્તિ, સામાયિકનું અને શાસ્ત્ર અધ્યયન, અધ્યાપન વિગેરેનું આ સાક્ષાત પરિણામ છે. અરે ! આ સામાયિક જ્યારે કેવળ ક્રિયારૂપ હતું ત્યારે તેણે શુભભાવની/અભ્યાસની ભૂમિકા આપી. જ્યારે તેમાં નિષ્ઠા કેળવાઈ તે અનુષ્ઠાન બન્યું ત્યારે તેણે પરહિતની ભાવના આપી. એ સામાયિક જ્યારે જીવનનું અંગ બન્યું ત્યારે તેણે યત્કિંચિત સ્વરૂપનું શુદ્ધ દર્શનશ્રદ્ધા આપ્યાં. સંવેગ અને નિર્વેદની શક્તિ પ્રદાન કરી, અને સામાયિકની પરિણામરૂપ ભૂમિકા બંધાઈ ત્યારે વિશ્વના ચૈતન્ય સાથે અહોભાવ રચાતો ગયો. ‘સૌ સુખી થાઓ સૌ સુખી થાઓ.’ જો કે હજી ઘણી ૧૯૭

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236