Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

View full book text
Previous | Next

Page 189
________________ રાખવી. દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવા પ્રયત્નશીલ બનવું. જિનવચન ઉપર દૃઢ શ્રદ્ધા રાખવી. આ બધા ગુણોની પ્રાપ્તિ થતાં સાધકમાં સમ્યક્ત્વ સામાયિકનું પ્રગટીકરણ થાય છે અને સમ્યક્ત્વ સામાયિક પૂર્વ પ્રાપ્ત હોય તો વધુ નિર્મલ બને છે. શ્રુત સામાયિક એ સમ્યક્ત્વ સામાયિકનો સહચારી છે, સમ્યક્ત્વ સામાયિકની પ્રાપ્તિ થતાં શ્રુત સામાયિક સ્વયમેવ પ્રાપ્ત થઈ જાય છે. આ બન્ને સામાયિક પરસ્પર સહચારી છે, સહાયક છે. સમ્યક્ત્વ સામાયિકની પ્રાપ્તિએ કાંઈ આસાન વાત નથી. ‘હું દેહ નહીં પણ આત્મા છું.' આ ભેદજ્ઞાનની આડે દીવાલની જેમ અડીખમ ઊભા રહેવું તીવ્ર દર્શનમોહનીયકર્મ હટે નહીં-તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટે નહીં, ત્યાં સુધી જીવને સમ્યક્ત્વની પૂર્વભૂમિકાનો સ્પર્શ પણ થઈ શકતો નથી. શ્રુતજ્ઞાનનો એકાગ્ર ઉપયોગ એ શ્રુત સામાયિક છે. સભ્યશ્રદ્ધામાં એકાગ્ર ઉપયોગ એ સમ્યક્ત્વ સામાયિક છે. દેશવિરતિના પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ દેશિવરતિ સામાયિક છે. સર્વવિરતિના પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ સર્વવિરતિ સામાયિક છે. આ બધાનું તાત્પર્ય એ જ છે કે, સમતા પરિણામ એ ઉપયોગયુક્ત હોય તો જ સામાયિક કહેવાય, અને ઉપયોગ એ સમતા પરિણામયુક્ત હોય તો જ વિશુદ્ધ ઉપયોગ કહેવાય છે. આ રીતે ઉપયોગ એ સામાયિકમય છે, અને સામાયિક એ ઉપયોગમય છે. બન્ને પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે; એક ક્ષણ પૂરતા પણ તે એકબીજાથી છૂટા રહી શકતા નથી. છતાં વિવક્ષાભેદથી તેમનું સ્વરૂપ ભિન્ન-ભિન્ન રીતે બતાવવામાં આવ્યું છે. પરમાર્થથી તે બન્ને આત્મ-પરિણામરૂપ હોવાથી એક જ છે, ઉપયોગમય આત્મા સામાયિક છે. ૧૮૬

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236