Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવાને ખરેખર સત્ય પ્રયત્ન આદરવામાં આવે તે અંતે પૂર્ણ સત્ય સુખને ભેગી તે બની શકે છે. આત્મશ્રદ્ધા અને આત્મબલથી અંતરમાં ઉતરી આત્મસુખને અનુભવ કરે, એજ શ્રેષ્ઠ કર્તવ્ય છે. સર્વ પ્રકારનાં દુનિયામાં શાસ્ત્ર છે. તેને ભણતાં ગણતાં પાર આવી શકતું નથી, અને દુનિયાનાં શાસ્ત્રના પ્રેફેસર થવાથી કર્મને નાશ થત નથી, તેમ સત્યનિત્ય શાંતિ પણ મળતી નથી, અધ્યાત્મ શાસ્ત્રની ગ્યતા મેળવી તેને અભ્યાસ કરવાથી સત્યશાંતિ મળે છે. અનેક મહાત્માઓએ અધ્યાત્મજ્ઞાનથી સત્યશાંતિ મેળવી છે. આ પંચમ કાળમાં પંચવિષને સંગ છતાં પણ અધ્યાત્મ જ્ઞાની સંત પુરૂષ અધ્યાત્મજ્ઞાનથી સત્ય શાન્તિ પ્રાપ્ત કરે છે. આત્મશક્તિ ઉપર વિશ્વાસ રાખી સત્યસુખ મેળવવા પ્રયન કરે, જે જે અંશે પ્રયત્ન કરશે તે તે અશે તમે મેક્ષના સન્મુખ થઈ શકશે, મેક્ષનાં સુખ આભામાં જ છે, આત્મમાંજ અનંતસુખ ભર્યું છે, પંચ પરમેષ્ટિરૂપ પણ આત્મા જ છે. વસ્તુતઃ આતમા અનામી છે. પણ અનેક નામથી તેને ઓળખવામાં આવે છે, જે જે આકૃતિ દેખાય છે, તે સર્વ પુગલના સ્કંધ છે. આત્મા તે યુગલના સ્કધથી ન્યારે છે, અરૂપી છે, પિતાના સ્વરૂપે સ્થિર છે. ત્રણ કાલમાં પિતાના સ્વરૂપને ત્યાગ કરતા નથી, જે કે વ્યવહારનયથી કર્મ સહિત આત્માને જન્મ જરા ને મરણ છે. તે પણ વસ્તુતઃ નિશ્ચયનયથી જોતાં આત્મા જન્મ જરા મૃત્યુ સહીત છે. આત્મામાં અનંત ધર્મ સત્તામાં રહેલા છે. એવો આત્મા કમવરણથી પોતાની શક્તિને લાભ લઈ શકતા નથી. પણ લાભાંતરાય કર્મને નાશ થવાથી અનંતગુણપર્યાયને લાભ આત્માને પ્રાપ્ત થાય છે. તેમજ દાનાંતરાય કમને નાશ થવાથી અનંતદાનગુણને લાભ પોતે આત્મા પ્રાપ્ત કરે છે, ગાંતરાય અને ઉપભેગાંતરાય કર્મને નાશ થવાથી આત્મા સ્વાભાવિક અનંત ભંગ તથા ઉપભેગને પ્રાપ્ત કરે છે. તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105