Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 98
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વવાનો પ્રયત્ન કરે. કલેશથી દૂર રહે તે ઉપર દષ્ટાંત –એક સ્થળે સાસુ વહુની લડાઈ નિરંતર ચાલ્યા કરતી હતી. એક બીજા ઉપર બેજ એ ગાળે વરસાદ વરસાવતી હતી. તેવામાં વહુને કેઈ સાધુ–સંત મળી ગયા, તેમના આગળ તે વહુએ પોતાની સઘળી દુખદ સ્થિતિનું વર્ણન કર્યું, અને સાસુ જેથી વશ થાય તે કોઈ ઈલમ કરી આપવાને કહ્યું. તે સંત સમયના જાણકાર હતા. તેમણે એક કાગળના નાના ટુકડા ઉપર કાર લખે, અને જ્યારે તારી સાસુ તારી સાથે બોલે તે વખતે આ ચીઠી તારા ઍમા મુકી દેજ, પણ મેં ઉઘાડીશ નહિ, ઉઘાડીશ તે મને ત્રને પ્રભાવ જતું રહેશે. જ્યારે કોઈ કારણસર સાસુએ મિજાજ છે અને ગાળો ભાંડવા લાગી, તે વખત વહુએ મેંમાં મંત્રાશર મુકી દીધે, અને મેં નહિ ઉઘાડવાના પ્રતિબંધથી ગાળોને પ્રત્યુતર આપે નહિ. પડેશ આવી સાસુને ઠપકો આપે. કારણકે વહુ તે એક અક્ષર પણ બોલતી નહતી. અને સાસુને તે પાડેશણે વહુની માફી મંગાવરાવી. મંત્રનું ફળ મળ્યું; પણ આમાં સાર એ છે કે જીભને વશ કરે. ઘણા અનર્થ જીભ વશ નહિ હોવાથી નીપજે છે, સત્યવાનું વચન સદા ફળે છે, તેમ જે ચોગ્ય થશે તે મહાત્માઓ ગુરૂઓ મળશે. પણ જેનું હૃદયરૂપ મંદીર કપટ, દ્રષ, કૅધ, માન, માયા, તૃષ્ણા આદિ વિષયથી ભરેલું છે, ત્યાં પરમાત્મા પધારતા નથી. તમારું હદય નિર્મળ કરો, અને પરમાત્મા સ્વયમેવ પ્રાપ્ત થશે, તમારે પોતાને પુરૂષાર્થ કરવાને છે, કહ્યું છે કે આપસમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ. મહાવીર સ્વામીએ દયામાર્ગ પ્રવર્તાવ્યું, તે સ્વસામર્થ્યથીજ એમ જરૂર માનજે. તમને પુણ્યમાર્ગમાં સંચરતાં શાસારૂ શરમ આવે છે. તમને કઈ ભક્ત કહે ત્યારે શાસારૂ શરમાઓ છે, તમારાં ધનભાગ્યવિના તમને ભકત કેણ કહે! દુનિયાં દેરંગી છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105