________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
પ્રાપ્ત કર્યું, શ્રી ભરતરાજાએ તથા આષાઢાભૂતિ આચાર્ય પરમાત્મભાવનાથી અલપકાલમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, આદયિક ભાવમાં તન્મય દષ્ટિવાળા જીવ પરમાત્મભાવના ભાવી શકતા નથી, દયિકભાવથી પિતાના આત્માને જે ભળે ભિન્ન જાણે-ખે છે એવા અધ્યાત્મજ્ઞાનિયેજ પરમાત્મભાવનામાં પિતાનું જીવન ગાળે છે. એક શ્લોકને ૧૦૮ એકસો આઠ વાર ગોખીને તન્મયચિત કરવામાં આવે છે તે સદાકાળ તેની યાદી આવે છે. તેમજ જે વસ્તુને પ્રિય ગણી તેનું મનન કરવામાં આવે છે તે તે સ્વમામાં પણ યાદી આવે છે, ત્યારે આત્મામાં પરમાત્માની ભાવના કરીએ તે પરમાત્મરૂપે આત્મા પ્રકાશે તેમાં કંઈ આશ્ચર્ય નથી–
आतम सो परमातमा, परमातम सो सिद्धा बीचकी दुग्धा मिट गइ, प्रगट भइ मुजरूद्ध. ॥ १ ॥
એક કરોડાધિપતિ હોય પણ તે પિતાને અનેક સંયોગોમાં દુઃખી દેખે તે શું તેને કરોડ રૂપિયાથી જરા માત્ર પણ સુખ મળવાનું. ના કદી નહીં, કરેડ રૂપિયા છતાં પણ અંતરની ભાવનામાં દુઃખ ધારવાથી દુઃખીજ પ્રાણી થાય છે. તેમજ કરોડ રૂપૈયા પિતાની પાસે ન હોય તેપણ સંતોષ ભાવનાથી મનુષ્ય સુખી થાય છે. ચારખંડને બાદશાહ (શહેનશાહ) હેય પણ અંતરમાં અસંતોષની ભાવનાથી દુઃખી જ હોય છે. તેમજ પાસે ફક્ત એક બે વસ્ત્ર હોય અને એક પાત્ર હોય એને અધ્યાત્મજ્ઞાની પરમાત્મ ભાવનાથી સંતોષી બની ઈન્દ્ર કરતાં પણ અનંતગુણ અધિક સુખને ભેગી બને છે. સર્વ પ્રકારની ઉપાધિ રહિત થએલ આત્મા પરમાત્માની હૃદયમાં ભાવના ભાવી સત્તામાં રહેલી અનંતલક્ષ્મીને પ્રકાશ કરે છે. આવું ઉત્તમ શુદ્ધ ભાવનાનું બળ હદયમાં વિચારી સદાકાળ શુદ્ધાભભાવનામાં મસ્ત રહેવું. જે પુરૂષે શુદ્ધાત્મભાવના ભાવે
For Private And Personal Use Only