________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાની સંસારસમુદ્રને તરી મોક્ષનગરીમાં પહોંચે છે. જ્યાંસુધી જીવ મિથ્યાત્વના માર્ગમાં વર્તે છે ત્યાં સુધી તેનામાં રાગદ્વેષની જ્વાળા વર્તે છે. અને તેથી આત્મા સત્યશાંતિને પામી શકતું નથી. આત્મામાં શુદ્ધ ચેતનાપણું જાગતાં કર્મદશાની ભિન્નતા ભાસે છે. ચેતનને અનુભવ થવાથી સત્યસ્વરૂપ જાણવામાં બ્રાન્તિ થતી નથી. આત્મામાં શુદ્ધ જ્ઞાનની કળાને ઉઘાત થતા સહજ સ્વરૂપ ભાસે છે. અને પશ્ચાત્ જડ પદાર્થો ઉપર અહેમમત્વભાવ થતું નથી. આત્મસન્મુખ ચેતના થતાં વર્તમાનકાળે કર્મને બંધ થત નથી અને ભૂતકાળનાં બાંધેલાં કર્મ ખરે છે. અને આ ગામિકાળે કર્મબંધ થતું નથી. પશ્ચાત્ આત્મા સકલકર્મક્ષયથી મુક્તિપદ પામે છે. | વેદાંતીઓ સર્વજીવને એક આત્મારૂપ બ્રહ્મ માની એકાંતે સંગ્રહનયની સત્તાને અનુસરે છે. એકાંતપણાથી વ્યવહારનયના અભાવે મિથ્યાત્વપણું પ્રાપ્ત થાય છે, ને સાંખ્યવાદીઓ પ્રકૃતિના ભેદ માને છે અને પચ્ચીશમે પુરૂષ માને છે. સાંખ્યવાદી કહે છે કે,--
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते ॥१॥
પ્રકૃતિનાં કૃત્યને અહંકારમાં વિમૂઢ થએલ આત્મા પિતાનાં માની ભૂલે છે. પ્રકૃતિનાં કૃત્યમાંથી અહેપણું છૂટી જવું તેજ મેક્ષ છે. આ વાદી વ્યવહારનયને એકાંતે અનુસરે છે. જો તે બાકીના નથી આત્માનું સ્વરૂપ વિચારે તે સમ્યગજ્ઞાન પામી અથાભકેટીમાં પ્રવેશ કરી - ભાની પરમાત્મસ્થિતિ પ્રાપ્ત કરે છે. બદ્ધવાદી આ માને એકાંતે રૂજુસૂત્રનય અંગીકાર કરી ક્ષણિક માને છે. પણ જે દ્રવ્યાર્થિકનયથી આત્મદ્રવ્યની નિત્યતા સ્વીકારે તે સમ્ય. તત્વથી આત્માની ઉચ્ચસ્થિતિને પ્રાપ્ત કરી શકે છે.
For Private And Personal Use Only