________________
“શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિને ટુક પરિચય
સ્થાનકવાસી સમાજની આ એકની એક સંસ્થા છે કે જેણે અત્યાર સુધીમાં તેર છપાવી બહાર પાડી દીધા છે સાત સૂરો છપાય છે અને બીજા કેટલાક છાપવા માટે તૈયાર થઈ ચૂક્યા છે
આ પ્રમાણે આ મ સ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ટુક પરિચય આ પત્રિકામા આપેલ છે તે વાચી જઈ સર્વ સ્થા જેન ભાઈબહેનેએ આ સંસ્થાને યથાશકિત મદદ કરી તેના કાર્યને હજુ વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે
ખાલી ઘડે વાગે ઘણે એમ સ્થા કેન્ફરન્સ જેમ બેટા બણગા ફુકનારી સસ્થાની કઈ કિંમત નથી, ત્યારે નક્કર કામ કરનારી આ શાઓઢાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાની દરેક સ્થાનકવાસી જૈનની અનિવાર્ય ફરજ છે
અને આ સર્વ સૂત્રે તૈયાર કરનાર પૂજ્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજને સ્થાનકવાસી સમાજ ઉપર ઘણે મહાન ઉપકાર છે વૃદ્ધ હોવા છતા તેઓશ્રી જે મહેનત લઈ સૂત્ર તેયાર કરાવે છે તેવું કામ હજુ સુધી બીજા કૈઈએ કર્યું નથી અને બીજુ કંઈ કરી શકશે કે નહિ તે પણ શકાભર્યું છે પૂજ્ય મુનિશ્રીના આ મહાન્ ઉપકારને કિંચિત બદલે સમાજે આ શાસ્ત્રોદ્ધાર સમિતિને બની શકતી સહાય કરીને વાળવાને છે સ્થાનક્વાસી સમાજ જ્ઞાનની કદર કરવામાં પાછો હઠ તેમ નથી એવી અમે આશા રાખીએ છીએ
“જૈન સિદ્ધાન” પત્ર ઓકટેમ્બર ૧૯૫૭