Page #1
--------------------------------------------------------------------------
________________
ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ
*
***
શ્રk * **
*
ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
સાધન ગ્રંથમાળા: ગ્રંથાંક ૩૭ શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન
ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ
સંપાદિકા: કુ. શાલેંટે કાઉઝે, પીએચ.ડી.
(ક. સુભદ્રાદેવી) ભારતીય સાહિત્યવિશારદા
ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: રસિકલાલ છોટાલાલ પરીખ, અધ્યક્ષ, શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ
પ્રથમ સંસ્કરણ પ્રત ૫૦૦
વિ. સં. ૨૦૦૭ ઈ. સ. ૧૯પ૧
કી. ત્રણ રૂપિયા
મુદ્રક: બચુભાઈ પ. રાવત. કુમાર પ્રિન્ટરી. ૧૪૫૪ રાયપુર, અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનની પ્રવૃત્તિનાં
મુખ્ય બે અંગ છે: એક અધ્યાપન અને બીજુ અધ્યયનસંશોધન. આ બીજા અંગનાં પરિણામ પ્રકટ કરવા ગ્ય થતાં લેખો દ્વારા કે નાનામોટા ગ્રંથ દ્વારા પ્રકટ કરવાની યેજના રાખવામાં આવી છે. આ પેજનામાં મુંબઈ સરકારે ૧૯૯ત્ના માર્ચમાં મંજૂર કરેલી યોજનાને પણ સમાવેશ થાય છે. એમાં સૂચવાયેલા વિષયમાં “ભાષા અને સાહિત્ય” મથાળા નીચે જૂની ગુજરાતીના શિષ્ટ ગ્રંથનું સંપાદન કરાવવાની સૂચના પણ છે એ અન્વયે આ “વણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ” નામને સંગ્રહગ્રંથ પ્રસ્તાવન-ટીકા-ટિપ્પણાદિકથી પરિસ્કૃત કરી જૂની ગુજરાતી ભાષા તેમજ જૈન સાહિત્યનાં અભ્યાસ અને સંશોધક ડે. કુ. શાઊંટે કાઉઝ ઉર્ફે શ્રીમતી સુભદ્રાદેવીએ સંપાદિત કરી આપે છે તે પ્રસિદ્ધ કરવામાં આવે છે. શ્રીમતી ડૉ. કાઉઝેના આ સંપાદન-કાર્ય માટે વિદ્યાભવન એમનું આભારી છે. ગુજરાત વિદ્યાસભા,
રસિકલાલ છે. પરીખ
અધ્યક્ષ તા. ૭-૭-'૫૧
જે. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન
અમદાવાદ
(
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
%
આમુખ • • • • • •
. . ૫-૯ પ્રસ્તાવના . . . . . . . . ૧૦-૨૬
૧ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ છંદ . . • • ૧૧ ૨ ત્રણસો પાંસઠ પાર્શ્વનામમાળા . . . . ૨૩ ૩ વૃદ્ધચૈત્યવદન . . .
. . ૨૫ આ ગ્રન્થમાં ઉલિખિત સાહિત્યની સૂચિ . . . ૨૭-૩૦ સંતોની સૂચિ . . . . . . . ૩૧-૩૨ (૧) મૂલ ગ્ર
૧-૨૬ ૧ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ છંદ . . . . ૩ ૨ ત્રણસો પાંસઠ પાર્શ્વનામમાળા . . . . ૨૦
૩ વૃદ્ધચૈત્યવન્દન . . . . . . ૨૫ (૨) ટિપ્પણું
૨૭-૪૦ ૧ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ . .
. . ૨૭ ૨ ત્રણસો પાંસઠ પાર્વિનામમાળા . . . ૩૯
૩ વૃદ્ધચત્યવન્દન . . . . . . ૪૦ (૩) પાઠાન્તરોની સૂચિ
૪૧-૪૮ ૧ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ છંદ . . . ૪૧ ૨ ત્રણસો પાંસઠ પાર્શ્વનામમાળા . . . . ૪૭
૩ વૃદ્ધચૈત્યવન્દન . . . . . . ૪૮ (૪) સ્થાને અને બિબોની સૂચિ . . . ૪૯-૮૦
Page #6
--------------------------------------------------------------------------
________________
આમુખ સન ૧૯૨૬ના એપ્રિલ મહિનામાં શિવપુરીના અમારા સંસ્કૃત મહાCL વિદ્યાલયમાં એક જર્મન કુમારીએ પ્રવેશ કર્યો. કોણ જાણતું હતું કે આ બહેન સાત વર્ષ સુધી અમારા આશ્રમમાં રહી જૈન આગમ, યોગશાસ્ત્ર, જૈન ન્યાય, જૂની નવી ગુજરાતી તેમજ હિન્દી ભાષાનો અભ્યાસ કરી ભારતીય સાહિત્યવિશારદા” બનશે ? કોણ જાણતું હતું કે આ કુમારી બહેન “ભારતીય સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિનાં ઉપાસિકા બનશે? કેણુ જાણતું હતું કે જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવા સાથે જૈન ધર્મના આચાર વિચારો અને નિયમોનું પણ પાલન કરશે? કોણ જાણતું હતું કે ગ્વાલિયર રાજ્યના શિક્ષણ વિભાગનાં “ડિપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ’ બની શિક્ષિકા નિરીક્ષિકા અને પરીક્ષિકા થઇ આખા રાજ્યની છોકરીઓનું જીવનઘડતર કરવામાં એક ઊંચા શિલ્પકાર તરીકે પોતાનું જીવન વ્યતીત કરશે? અને કોણ જાણતું હતું કે જર્મનીમાં ઉત્પન્ન થવા છતાં ગુજરાતી ભાષા અને સાહિત્યને ઊંડો અભ્યાસ કરી ગુજરાતી જૂના સાહિત્યના ઉદ્ધારમાં પોતાના જ્ઞાનને કીમતી ફાળો આપશે?
સ્વ. ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરીશ્વરજી મહારાજની ઉદાર ભાવનાના પરિણામે યુરોપ અને અમેરિકાના જે જે સંસ્કૃતજ્ઞ વિદ્વાન–જેવા કે, જર્મનીના બર, યાકેબી, હર્ટલ, અલ્લડોર્ક, ગ્લાઝનપ, યમન, બ્રીંગ અને હુલ્સ; ઈટાલીના બેલોની ફીલીપી અને સીરી; ફ્રાન્સના સિલ્વન લેવી અને ગેરીને; અમેરિકાનાં કુમારી જેન્સન, અને બ્રાઉન, ઇંગ્લેન્ડના એજન, એફ. ડબલ્યુ. ટોમસ, સર ગ્રિયર્સન, સર સ્ટાઈન, બર્નેટ અને હોને લે તેના સ્ટેનકાનો અને પેન્ટીયે; રૂસના સર્વાચ્છી વગેરેએ ભારતીય સાહિત્ય અને ખાસ કરીને જૈન સાહિત્યના અભ્યાસમાં જે વિકાસ સાવ્યો છે, ગુરુદેવની સહાયતા પ્રાપ્ત કરી છે, અને જેઓ મુદેવ પ્રત્યે ગુરુબુદ્ધિ ધરાવે છે, તેઓમાં ડે, શાલેંટે કાઉનું નામ પણ ઉમેરવું જોઈએ, એટલું જ નહિ પરંતુ હવે તો તેઓ બાવીસ વીસ વર્ષથી ભારતનાં નિવાસી બની ઉપર કહેવામાં આવ્યું છે તેમ, ભારતીય સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને જન સાહિત્ય, તેમજ જૂની અને નવી ગુજરાતીનાં પરમ ઉપાસિકા બન્યાં છે. એટલે તેઓનું નામ ઉપરના બધા વિદ્વાનોમાં સૌથી મોખરે લઈએ તો તે અસ્થાને નહિ ગણાય. લગભગ સાત વર્ષ સુધી આ કુમારિકા બહેને શિવપુરીના અમારા સંસ્કૃત મહાવિદ્યા
Page #7
--------------------------------------------------------------------------
________________
લયમાં અભ્યાસ કરી સન ૧૯૩૨માં ગ્વાલિયર રાજ્યના શિક્ષણ વિભાગમાં નેકરી સ્વીકારી હતી. આજે તેઓ આખા ગ્વાલિયરની સમસ્ત સરકારી કન્યાશાળાઓનાં ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ જેવો મોટો હોદ્દો ભોગવી રહ્યાં છે. તેમની સાહિત્યસેવામાં “નાસકેતરી કથાનું સંપાદન, ‘અઘટકુમાર કથા' અને “અંબડ ચરિત્ર' એ બે સંસ્કૃત ગ્રન્થોનો અનુવાદ, જૈિન નીતિ; ભારતીય તત્વજ્ઞાન અને અંતિમ અહંતનો વારસ આ ત્રણ મદ્રાસમાં આપેલાં ભાપણ, મારા આશ્રમમાં, “મુંડકોપનિષદ અને જૈનધર્મ, “ભારતીય ભાષાઓમાં અગ્નિનું સ્થાન, કલ્પસૂત્રમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, યુનાની તત્ત્વજ્ઞાનમાં પુનર્જન્મ અને શાકાહારી (પાયથેગોરસ), પુત્ર જન્મની ખુશાલી-કલ્પસૂત્રને અનુસારે, “જૈનના ઉત્સવની વિશેષતા”, “મારા ગુર’, ‘આર્ય ભારતીય તથા ઈરાની ભાષાઓને ઇતિહાસ’, ‘જૈન સાહિત્ય અને મહાકાલમંદિર, વિક્રમાદિત્ય અને સિદ્ધસેન દિવાકર કેટલાંક અજ્ઞાત પ્રાચીન જૈન સ્તોત્રો, જંગલમાં મંગલ' ઇત્યાદિ વિષય ઉપર અંગ્રેજી ગુજરાતી અને હિન્દીમાં લખેલા શોધખોળપૂર્ણ સંખ્યાબંધ નિબંધ વગેરે મુખ્ય છે. આ બધું જોનાર કોઈપણ વિદ્વાન કહી શકે કે જર્મનીમાં જન્મવા છતાં, આ કુમારી બહેનનો જન્મ ભારતની ભાષાઓ, ભારતના સાહિત્ય અને શ્રમણ સંસ્કૃતિ માટે જ થયો હતો.
પ્રસ્તુત પુસ્તક, કે જેના સંબન્ધી આમુખરૂપે મને બે બેલ લખવાનો અવસર મળે છે, તે બહેન શાર્લોટે કાઉ, કે જેઓને જાણનારા અને ઓળખનારા “સુભદ્રાદેવી'ના નામે જ જાણે છે અને ઓળખે છે, તે, તેમના હાથે સંપાદન થઈ રહ્યું છે.
દેશ સમાજ કે કોઈપણ ધર્મના ઇતિહાસના આલેખનમાં પ્રત્યેની પ્રશસ્તિઓ, નાના મોટા શિલાલેખો, ઐતિહાસિક રાસાઓ, તામ્રપત્રો અને દાનપત્ર, સિકકાઓ, ધાતુની મૂર્તિઓ ઉપરના લેખો તેમજ તીર્થમાળાઓ વગેરે સાધનો મુખ્ય છે. નિષ્પક્ષપાતી ઇતિહાસપ્રેમી સાક્ષરોએ હવે તો એ ડંકાની ચેટ ઉપર જાહેર કર્યું છે કે ગુજરાતી ભાષાના જ નહિ ભારતવર્ષના ઇતિહાસને ઉપયોગી થઈ શકે એવાં પ્રાચીન સાધનનું સંરક્ષણ જેટલું જૈનોએ કર્યું છે, બીજા શબ્દોમાં કહીએ તો, એવાં સાધનો જેટલાં જૈનેનાં સંરક્ષણમાંથી પ્રાપ્ત થાય છે, તેટલાં બીજાં ક્યાંયથી પણ નથી પ્રાપ્ત થતાં અને તે સાધનોના સંરક્ષણને સર્વ યશ પ્રાચીન સમયને જૈન સાધુઓને ફાળે જાય છે.
સમયના પરિવર્તનની સાથે ધાર્મિક મતાગ્રહો, સામ્પ્રદાયિક ભાવનાઓ,
Page #8
--------------------------------------------------------------------------
________________
અને મારા-તારાપણાની સંકુચિતતાઓ હવે તે ઓસરતી જાય છે. અને તેનું જ એ પરિણામ છે કે આજ યુરોપ કે અમેરિકા, ગુજરાત કે સૌરાષ્ટ્ર, અંગ કે બંગ, પંજાબ કે સિન્ધ–નો કેઈ પણ સાચો ઇતિહાસ નિપક્ષપાતથી સત્યતાનો સ્વીકાર કર્યા સિવાય રહી શકતો નથી.
ઇતિહાસનાં સાધનોમાં તીર્થમાળાઓને પણ મેં ઉપર એક સાધન તરીકે બતાવી છે. અત્યારનાં યાન્નિક સાધનો જે વખતે નહીં હતાં, તે વખતે પણ દૂર દૂરનાં તીર્થોની યાત્રા કરવા માટે મેટા મોટા સંઘ નીકળતા-- જેમાં–સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ રહેતાં. વિદ્વાન સાધુઓ ગામ ગામની હકીકતો મેળવતા, મન્દિર અને મૂર્તિઓની સંખ્યા લખતા, તે તે દેશોના રીત-રિવાજો, ખાન-પાન, રહેણી, કરણી, તેમજ પ્રચલિત લોકોક્તિઓ વગેરેની પણ ન કરતા અને તે ઉપરથી પદ્યમાં તીર્થમાળાઓની રચના કરતા. આવી તીર્થમાળાઓ તે વખતના પ્રામાણિક ઇતિહાસને પૂરો પાડવામાં વધારે સાધનભૂત બને છે.
આવી તીર્થમાળાઓને એક સંગ્રહ સ્વ. ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરિજી મહારાજે સંવત ૧૯૭૮માં સંપાદન કર્યો હતો અને તે શ્રી યશોવિજય જેનગ્રન્થમાળા મારફત પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ઘણાં વર્ષો પછી આજે તેના અનુસન્ધાન રૂપે પ્રસ્તુત ગ્રંથ તૈયાર થયો છે અને તે પણ એક જર્મન વિદુષી કુમારિકાએ સંપાદિત કરેલો.
આ પુસ્તકમાં બહેન સુભદ્રાદેવીએ ત્રણ મૂળ ગ્રન્થોનું સંપાદન કર્યું છે: ૧-ભાનુમેરુના શિષ્ય શ્રી નયસુન્દર મહાકવિકૃત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ ર–શ્રી પ્રેમવિજયજી કૃત ૩૬૫ પાર્શ્વનામમાળા ૩-શ્રીખેમાકૃત વૃહત્યવન્દન.
સામાન્ય રીતે આ ત્રણે કૃતિઓ ઉપલક દૃષ્ટિએ જેનારને સાધારણ લાગે; પરન્તુ સાહિત્યની દષ્ટિએ, પ્રાચીનતાની દષ્ટિએ, ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ કૃતિઓ કેટલી ઉપયોગી છે અને ભાષાસાહિત્યના ઇતિહાસકારોને તેમજ તત્કાલીન પાર્શ્વનાથનાં મન્દિરોની માહિતી મેળવવા ઇચ્છનારાઓ માટે કેટલી મહત્ત્વની છે, એ બહેન સુભદ્રાદેવીએ સંપાદનકળાની આદર્શ પદ્ધતિપૂર્વક કરેલા આ સંપાદનકાર્ય ઉપરથી સહેજે સમજી શકાશે. ઘણી વખત ઘણી વસ્તુઓને મામૂલી સમજીને આપણે ફેંકી દઈએ છીએ અથવા તેના પ્રત્યે બિલકુલ ઉપેક્ષા કરીએ છીએ. ઉજૈનના એરિયરલ ઈન્સ્ટિટ્યૂટના કયુરેટરના હોદ્દા ઉપર બહેન સુભદ્રાદેવીના
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્થાનમાં બીજો કોઈ કયુરેટર હોત તે સંભવ છે કે આ કૃતિઓની પણ તે જ દશા થાત. પરંતુ બહેન સુભદ્રાદેવીને જૂની ગુજરાતી પ્રત્યેને અભ્યાસપ્રેમ અને ગમે તેવી વસ્તુમાંથી પણ ઉચું તત્ત્વ શોધવાની તેમજ તેના વાસ્તવિક મહત્ત્વને ગ્રહણ કરવાની શક્તિ અને બુદ્ધિનું પરિણામ છે કે લોકદષ્ટિમાં સામાન્ય ગણાતી આ કૃતિઓ સાહિત્યકાર અને ઇતિહાસકારને અત્યંત ઉપયોગી થવાના સ્વરૂપમાં આપણું સામે આવીને ઉપસ્થિત થાય છે. અને તેટલા માટે કેવળ જૈનસંધ જ નહિ, ભારતના ઈતિહાસકારો અને સંશોધકો, ડૉ. કાઉ ઉ બહેન સુભદ્રાદેવીના ઋણી રહેશે.
નાની કે મોટી કોઈપણ કૃતિનું સંપાદન કરવામાં કેવો આદર્શ રાખવો જોઈએ, તે સંબંધી સંપાદિકા બહેને પોતાની પ્રસ્તાવનાના પ્રારંભમાં કહ્યું છે તે બરાબર છે કે-“પ્રાચીન ગ્રન્થોને અર્ધ-જીર્ણ હાલતમાં સંખ્યાબબ્ધ બહાર પાડવાને બદલે એકાદ ગ્રન્થ પણ કાળજીપૂર્વક અને આધુનિક વાચક તેના અર્થ અને મહત્ત્વ ગ્રહણ કરી શકે તેવી રીતે સંપાદિત કરવો એ મારો આદર્શ આ વિષયના રસિકોને અનુકૂળ લાગે અને વિદ્વદ્દવર્ગમાં વધુ પ્રમાણમાં લક્ષ્યભૂત બને તે મારી હાર્દિક ઇચ્છા છે, કારણ કે જે ગુજરાતી સાહિત્યને સત્ય ઇતિહાસ લખવો હોય, તે પ્રાચીન ગ્રન્થનું આવા પ્રકારનું સંપાદન, તેનો કષ્ટયુક્ત, પરતુ સીધો માર્ગ છે.”
કૃતિઓની ભાષા ગુજરાતી હોવા છતાં, તેની વિભક્તિઓ અને કેટલાક શબ્દો વગેરેમાં ઘણું મિશ્રણ થયેલું દેખાય છે.
આ ખુલાસે સંપાદિકા બહેને પિતાની પ્રસ્તાવનામાં કર્યો છે; છતાં વધારે સ્પષ્ટીકરણ રૂપે વિચારીએ તો પ્રાય: પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી કવિતાઓમાં આવું ઘણે ભાગે જોવામાં આવે છે. અને તેનું કારણ એ લાગે છે કે, જન સાધુઓ પાદભ્રમણકારા દેશવિદેશમાં વિચરનારા હોય છે. પરિણામે તેમની ભાષાઓમાં બધી ભાષાઓની અસર થઈ જાય છે. અત્યારે પણ એક પ્રાતને છોડી બીજા પ્રાતમાં વિચરનારા સાધુઓની ભાષામાં આવું મિશ્રણ પ્રાયઃ અવશ્ય દેખાય છે. એ સિવાય સંભવ છે કે કવિઓ કવિતાની ખૂબીમાં વધારો કરવા માટે પણ કદાચ તેવાં બીજી ભાષાનાં શબ્દો અને વિભક્તિઓ મૂકતા હેય. એવું પણ બને છે કે કવિ મારવાડી હાય અને ગુજરાતમાં ઘણે ભાગે રહ્યા હોય, આથી ગુજરાતી કવિતા લખવા જતાં પોતાની માતૃભાષા મારવાડી હોવાને કારણે વિભકિતના પ્રયોગ મારવાડીના પણ કરી નાખે.
કૃતિઓના કર્તા સંબંધી ઉપયોગી અતિહાસિક વસ્તુઓ જેવી કે
Page #10
--------------------------------------------------------------------------
________________
કવિનો સમય, ફલપરંપરા, કવિની રચનાઓ, કવિતાની ભાષા, તેના છંદો વગેરે ઉપર સંપાદિક બહેને પોતાની પ્રસ્તાવનામાં બારીકાઈપૂર્વક પ્રકાશ પાળ્યો છે, એટલે તે સંબંધી વિશેષ લખવાની જરૂર અહીં નથી.
વળી સંપાદિકા બહેને પોતાના સંપાદનકાર્યમાં કેવળ મૂળ ગ્રન્થો કે પ્રસ્તાવના લખીને જ સંતોષ નથી માન્યો, કિન્તુ દરેક કૃતિ ઉપર ટિપણી, પાઠાન્તરોની સૂચિ, સ્થાન અને બિઓની સૂચિ, ગ્રન્થમાં ઉલિખિત સાહિત્યની સૂચિ અને સંતોની સૂચિ આપીને, વિદ્વાનોને માટે આ ગ્રન્થની ઉપયોગિતામાં ઘણો જ વધારો કરી આપ્યો છે. તેમની પ્રરતાવના પણ ઘણી જ વિદ્વત્તાપૂર્ણ, એક સાચા સંશોધકને શોભે તેવી લખાઈ છે.
ફરીથી કહેવું અનુચિત નહીં ગણાય કે બહેન સુભદ્રાદેવીના આ સંપાદને જૈનસંઘ તેમજ સાહિત્યકારો અને ઇતિહાસકારોને ખરેખર જ અણ બનાવ્યા છે.
પ્રાન્ત– બહેન સુભદ્રાદેવી દીર્ધાયુષ્ય અને નીરોગી રહી આવી રીતે સાહિત્ય અને શ્રમણ સંસ્કૃતિની સેવા કરવામાં વધારે ને વધારે સમર્થ બને એવી શાસનદેવ પ્રત્યે પ્રાથના કરું છું. શિવપુરી (ગ્વાલિયર) કાર્તિક વદિ ૮, ૨૦૦૪ • ધર્મ સં. ૨)
વિદ્યાવિજય
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના વપુરી (ગ્વાલિયર)માં સ્વ. શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજય- ધર્મસૂરીશ્વરજી મહારાજના સમાધિમન્દિરની શીતલ છાયામાં આવેલી શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ નામની સંસ્થામાં વર્ષો સુધી રહી ઉક્ત જગપૂજ્ય મહાત્માના વિદ્વાન અને પ્રભાવશાળી સાધુ શિષ્યમંડેલ, આચાર્ય શ્રીવિજયેન્દ્રસૂરિજી, સ્વ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી, મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી, મુનિરાજ શ્રીન્યાયવિજયજી અને મુનિરાજ શ્રી જયન્તવિજયજી, દ્વારા મારા જેવી એક વિદેશી બાઈએ જે કંઈ જ્ઞાન મેળવ્યું છે તે માટે હું તે સંસ્થાની અને જ્ઞાન આપનાર ગુરુઓની સદા ઋણી છું.
- પૂજ્યપાદ મુનિ શ્રીવિદ્યાવિજયજી મહારાજ પાસે મેં ખાસ જૂની અને નવી ગુજરાતીના રાસસાહિત્યનો જે અભ્યાસ કર્યો તેના પરિણામે હું ઉજજેનસ્થ શ્રી સિધિયા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટમાં રહેલા આવા સાહિત્યના સંગ્રહની વ્યવસ્થા કરવા સમર્થ થઈ; તે પ્રસંગે થોડાઘણા એવા ગ્રંથો હાથ આવ્યા કે જે મહત્ત્વના હોવા છતાં હજુ સુધી અપ્રકાશિત અથવા તદ્દન અજ્ઞાત છે. આવો એક ગ્રન્થ શ્રી ભાનુમેરુશિષ્ય શ્રી સુન્દર મહાકવિ દ્વારા વિરચિત “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' નામની મનોહર અને ઉચ્ચતમ કોટિની કૃતિ છે. આ કૃતિનું નામ સ્વ. શ્રી મો. દ. દેસાઈના સુપ્રસિદ્ધ “જૈન ગુર્જર કવિઓ'ના પહેલા ભાગમાં અને પ્રાચીન તીર્થસ્થાનોના વિશેષજ્ઞ પૂજ્યપાદ મુનિ શ્રી જયન્તવિજયજી મહારાજના “શ્રી શંખેશ્વર મહાતીર્થ નામના પુસ્તકમાં આવેલા શંખેશ્વર સાહિત્યમાં ઊંલ્લિખિત નહિ હોવાથી આ કૃતિ બહાર પાડવાની ઇચ્છા થઈ. આ ઇચ્છાના પરિણામે તે કૃતિ બે બીજી અપ્રકાશિત કૃતિઓ સાથે નિગ્નલિખિત ક્રમથી આ ગ્રન્થમાં પ્રકાશિત કરવામાં આવી છે –
(૧) શ્રીન સુન્દરકૃત “શંખેશ્વર પાશ્વનાથ છંદ' (૨) શ્રી પ્રેમવિજયકૃત “ત્રણસો પાંસઠ પાર્શ્વનામમાળા' (૩) શ્રીખેમાકૃત ‘વૃદ્ધચૈત્યવન્દન
આ કૃતિઓ, તેના કર્તા તથા તેના મહત્ત્વ ઉપર કંઈક પ્રકાશ પાડવાની યથાશક્તિ કે શિશ કરવામાં આવી છે. તેમાં કેટલાંક કઠણ પદ્યોનો અર્થ બેસાડવાના અથવા તે વધારે સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી એક ટિપણી પણ સાથે આપવામાં આવી છે. ત્રણે ગ્રંથોમાં સ્થાનોના અને ખાસ કરીને પાશ્વ
૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
નાથ-બિબનાં જે ઘણાંખરાં નામો આપેલ છે તેની અકારાદિ ક્રમમાં ગોઠવેલી એક “સૂચી' પણ આપવામાં આવી છે. તેમાંનાં જે નામો અપ્રસિદ્ધ લાગ્યાં અથવા ઓછી પ્રસિદ્ધિમાં આવ્યાં હોય તે સંબન્ધીના પ્રાચીન ગ્રન્થોના ઉલ્લેખો અથવા તેના અસ્તિત્વ સંબધીના અનુમાનરૂપ ટિપ્પણીઓ આવ
કતા અને શક્તિને અનુસાર તે સૂચીમાં આપવામાં આવેલ છે કે જેથી જનતીર્થોના ઈતિહાસ સંબન્ધીની શોધખોળને માટે સાધનભૂત બને.
પ્રાચીન ગ્રન્થોને અર્ધ-જીર્ણ હાલતમાં સંખ્યાબંધ બહાર પાડવાને બદલે એકાદ ગ્રન્થને કાળજીપૂર્વક અને આધુનિક વાચક તેના અર્થ અને મહત્ત્વ ગ્રહણ કરી શકે તેવી રીતે સંપાદિત કરો એ મારો આદર્શ આ વિષયના રસિકોને અનુકૂળ લાગે અને વિદ્વગમાં વધુ પ્રમાણમાં લક્ષ્યભૂત બને તે મારી હાર્દિક ઈચ્છા છે, કારણ કે જે ગુજરાતી સાહિત્યનો સત્ય ઇતિહાસ લખવો હોય તે પ્રાચીન ગ્રંથનું આવા પ્રકારનું સંપાદન તેને કષ્ટયુક્ત, પરતુ સીધે માર્ગ છે. આટલું કથન કર્યા પછી હું હવે પ્રસ્તુત કૃતિઓના પરિચયમાં ઊતરું છું.
૧. “શ્રી રખેશ્વર પાર્શ્વનાથ છંદ મહાકવિ શ્રી નયસુન્દરની સરસ ગુજરાતી કૃતિઓ તરફ સૌથી પહેલાં વિધર સ્વ. શ્રી મો. દ. દેસાઈએ સાહિત્યરસિકનું લક્ષ્ય ખેંચ્યું હતું. તેઓએ
આ કવિના કેટલાક રાસ “શ્રી આનન્દકાવ્ય મહોદધિનાં મૌક્તિક ૩ અને ૬ માં સંપાદિત કર્યા અને તેની ભૂમિકાઓમાં કવિ અને તેમની કૃતિઓ સંબધી કંઈક વિવેચન કર્યું હતું. તે સંબધી સુધારા વધારા સ્વ. દેસાઈએ આ કવિની પાછળથી મળી આવેલ કૃતિઓને આધારે પોતાના જૈન ગુર્જર કવિઓ' ભાગ ૧ અને ૩ માં અને જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં પ્રસંગોપાત્ત આપેલા છે. એટલે કવિ અને તેમની વિગત પ્રસિદ્ધ હેવાથી હું અહીં ફક્ત તે સંબધીની કેટલીક અગત્યની વાતે પ્રસ્તુત કરીશ.
કવિકુલપરંપરા વૃદ્ધ તપાગચ્છની ૫૭મી પાટ પર “કૃષ્ણ સરસ્વતી’ શ્રીલબ્ધિસાગરસૂરિ થયા હતા કે જેઓ એક પ્રસિદ્ધ ગ્રંથકર્તા હતા અને જેમના સં. ૧૫૫૯થી ૧૫૬૫ સુધીના પ્રતિમાલેખો ઉપલબ્ધ છે. એમના પધર ૧. શેઠ દેવચન્દ લાલભાઈ જે પુસ્તકોદ્ધાર ફંડ તરફથી પ્રકાશિત ૨. ભાગ ૧ પૃ. ૨૫૪ આદિ ભાગ ૩ પૃ. ૭૪૮ આદિ ૩. સન ૧૯૨૬ ૪. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૨, પૃ. ૭૪૧ આદિ અને ભાગ ૩, પૃ. ૨૨૯૬ આદિ.
Page #13
--------------------------------------------------------------------------
________________
પ૮ મા આચાર્ય શ્રી ધનરત્નસૂરિ થયા કે જેમના સં. ૧૫૭૦ થી ૧૫૯૧ સુધીના પ્રતિમાલેખો મળ્યા છે. આ ધનરત્નસૂરિના ત્રણ શિષ્યો પ્રસિદ્ધિમાં આવ્યા છે. પહેલા શિષ્ય શ્રીઅમરરત્નસૂરિ પ૯ મા ગચ્છપતિ થયા. એમને માત્ર એક જ સં. ૧૬ ૦૪ને પ્રતિમાલેખ મલ્યો છે. તેમના શિષ્ય શ્રીદેવરત્નસૂરિ ૬ ૦મી પાટ પર થયા. શ્રીધનરત્નસૂરિના બીજા શિષ્ય શ્રીતેજ રત્નસૂરિ હતા કે જેમને શ્રીઅમરરત્નસૂરિએ આચાર્યપદવી આપી હતી અને જેઓ એક બીજી શાખાના ૬૮ મા અધિપતિ ગણાય છે. શ્રીનયસુન્દરની પ્રશસ્તિઓ પ્રમાણે શ્રીધનરત્નસૂરિના ત્રીજા શિષ્ય શ્રીભાવનું મેચગણિ હતા. એમને બે શિષ્યો હતા જેમાંના એક શિષ્ય આપણા કવિ નયસુન્દરના જામેય મોટા ગુરભાઈ શ્રીમાણિક્યરન અને બીજા શ્રીન સુન્દર પોતે જ હતા.
કવિ નયસુન્દરને કેટલા શિષ્યો હતા તે જ્ઞાત નથી. માત્ર એક સાવી શ્રીમતી હેમશ્રીજી પિતાના સં. ૧૬૪૪માં વિરચિત “કનકાવતી આખ્યાન'માં ભાનુમેરુ-શિષ્ય શ્રી સુન્દર વાચકને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે. ૧ આ બધી વિગત પ્રમાણે કવિની ગુરુપરમ્પ નિશ્વલિખિત છે –
૫૭ લબ્ધિસાગરસૂરિ ૫૮ ધનરત્નસૂરિ
૫૯ અમરરત્નસૂરિ [૬૦] તેજરત્ન સરિ
ભાનુમેગાણિ ! ૬ ૦ દેવરત્નસૂરિ [૬૧] દેવસુન્દરસૂરિ !
માણિક રત્ન નયસુંદર ૬૧ જયરત્નસૂરિ [૬૨] વિજયસુન્દરસૂરિ (?)
હેમશ્રીજી ૬ર ભુવનકીર્તિસૂરિ
- કવિની કૃતિઓ શ્રી સુન્દરની અત્યાર સુધી ૧૧ ગુજરાતી અને એ સંસ્કૃત કૃતિઓ ઉપલબ્ધ થઈ છે. તેમાંની આઠ કૃતિઓનો રચના સમયે તેની પ્રશસ્તિઓ દ્વારા જ્ઞાત છે. તે વિ. સં. ૧૬૩૭, ૧૬૩૮, ૧૬ ૪૦,૧૬૪૬, ૧૬૫૬, ૧૬૬ ૫, ૧૬૬૯ ૧. જે. ગુ. ક. ૧ પૃ. ૨૮૬ અને આ. કા. મ. ૬ પૃ. ૧૪ (ભૂમિકા) ૨. જુએ. જે. ગુ. ક. ૨ પૃ. ૭૪૨
Page #14
--------------------------------------------------------------------------
________________
અને ૧૬૮૧નો સમય છે. આ કૃતિઓમાંની ૧૬૪૬ સુધીની ૪ કૃતિષામાં દેવરત્નસૂરિને યાતા દેવરત્નસૂરિ અને તેજરત્નસૂરિને ગચ્છનાયક તરીકે એળખાવવામાં આવ્યા છે. સંવત ૧૬૪૬થી ૧૬૫૬ દરમિયાનની કોઇપણ કૃતિ જણાતી નથી. સં. ૧૬૫૬ થી લઇને પાછળની ચાર કૃતિએ માંર શ્રી દેવસુન્દરસૂરિ અને શ્રીવિજયસુન્દરસૂરિનાં નામે આજ ક્રમમાં એવી રીતે આપવામાં આવ્યાં છે કે જેથી એમ લાગે છે કે વિજયસુન્દરસૂરિ તે વખતના ગચ્છનાયક અને શ્રીદેવસુન્દરસૂરિના પટ્ટધર હોવા જોઇએ. વળી આ છેલ્લી ૪ કૃતિઓમાંની એ કૃતિઓમાં બન્ને નામેા શ્રીતેજરત્નસૂરિ અને શ્રી દેવરત્નસૂરિનાં નામેાની સાથે તેએની પાછળ જ આવ્યાં છે કે જેથી એ અનુમાન થાય છે કે શ્રીદેવસુન્દરસૂરિ અને શ્રીવિજયસુન્દરસૂરિ ઉપર્યુક્ત એ ગચ્છપતિએ પૈકી એક સૂરિની પરમ્પરાના હાવા જોઇએ.
સ્વ. દેશાઇએ આપેલી પટ્ટાવલી પ્રમાણે શ્રીદેવરત્નની પાટ પર ૬૧ મા આચાર્ય શ્રીજયરત્ન, ૬૨મા જીવનકીર્તિ અને ૬૭મા રત્નકીર્તિસૂરિ થયા. તેથી એવું અનુમાન થાય છે કે દેવસુન્દરસૂરિ તેજરત્નસૂરિના પટ્ટધર અને વિજયસુન્દરસૂરિ તેજરત્નસૂરિના પ્રશિષ્ય હોય અને કે શ્રીદેવરત્નસૂરિના સ્વર્ગવાસ પછી આપણા કવિએ તેમની શાખા સાથે વધુ સંબન્ધ નહીં રાખતાં શ્રીતેજરત્નસૂરિની શાખાના પ્રતિનિધિની આજ્ઞાને માન્ય રાખી હાય. ‘‘શીલશિક્ષારાસ’માં તેઓ સાફ સાફ કહે છે કેઃ
ધ્રુવસુન્દરસૂરિ પાટિ પ્રધાન રે, સૂરિવર વિજયસુન્દર વિજયમાન કિ
-તાસ આદેસ લહી કરી હૃદય થિર રાખિવા રચ્યુ એ રાસ કિ”
66
એટલે તેમણે આ રાસ શ્રીવિજયસુન્દરસૂરિને આદેશ લઇને રચ્યા છે, અને વળી “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ”માં તે જાણે વિશેષ ભક્તિભાવથી પેાતાના નામ સાથે આ સૂરિનું નામ ગ્રથિત કરીને (પદ્ય વિષય નથ સુન્તર''), સકલ સંઘનું તેમની આજ્ઞામાં હોવાનું ક્ષેષરૂપમાં કહે (પદ્ય ૧૨૮:‘વલી સર્વે વિજયસુન્દર બિરૂદ સકલ સંઘ તુહ પય ચરણ’”). “આત્મ
૧. ‘રૂપચંદ કુંવરરાસ' ‘શત્રુ’જય ઉદ્દાર રાસ,’’ ‘પ્રભાવતી રાસ’” ને ‘‘સુરસુંદરી
રાસ.”
૨. શંખેશ્વર પાર્શ્વનાથ છંદ, નલદમયન્તી ચરિત્ર,’” ‘શીલશિક્ષા રાસ,’’ ‘યશોધર
ચાપા.”
૩. “નલ ક્રમયન્તી ચરિત્ર’’ અને ‘યશેાધર ચેાપાઇ.’
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રતિબોધ માં પણ (કે જે કૃતિનો સમયનિર્દેશ નથી) કવિ આ સૂરિને ખાસ વાંદે છે (પદ્ય ૭૮:“શ્રી વિજયસુન્દર સૂરિ પટ્ટધર વંદૂ આણંદ પૂરિ''). - હવે ઉપર્યુક્ત સમયનિર્દેશ-યુકત કૃતિઓ પર વધુ દષ્ટિપાત કરીએ તે એમ પણ દેખાય છે કે કાલક્રમથી પહેલી કૃતિઓમાં કવિ પોતાની જાતને માત્ર ‘નયસુંદર તરીકે અને પાછળની (સં.૧૬ ૬૫ પછીની) કૃતિઓમાં “નયસુન્દર વાચક” યા “ઉવજઝાય” તરીકે ઓળખાવે છે. તેમજ સં. ૧૬૩૮ પછીની કૃતિઓમાં પિતાના ગુને પ્રાય: “ભાનુમેરુગણિ” તરીકે ઉલિખિત કરે છે.
આવી બાબતો પરથી સમયનિર્દેશ-રહિત કૃતિઓને પણ લગભગનો રચનામમય કંઈક અંશે નિર્ણત થઈ શકે છે. દાખલા તરીકે “શાન્તિનાથ
સ્તવનમાં માત્ર ધનરત્નસૂરિનું નામ આચાર્ય તરીકે આવવાથી અને ભાનુમે ફક્ત “મુનિ' તરીકે ઉલિખિત હોવાથી તથા સાથે સાથે કવિનું નામ પણ પદવીરહિત હોવાથી આ કવિતા શ્રીન સુન્દરની સૌથી પહેલી કૃતિ હોવાનું સંભવે છે.
આવી રીતે “ગિરનાર ઉદ્ધાર રાસ'માં દેવરત્નસૂરિનો ઉલ્લેખ અને વૃત્તળપુર્વાચી-વાળામાં દેવરત્નસુરિ અને તેજરત્નસૂરિનો ઉલ્લેખ હોવાથી અને કવિનું નામ પદવી-રહિત હોવાથી તે કૃતિઓ પણ પૂર્વકાલની, અને “આત્મપ્રતિબોધ” તથા “યશોધર ચોપાઈ” માં વિજયસુન્દરસૂરિને ઉલ્લેખ હોવાથી અને કવિનું નામ પદવીયુક્ત હોવાથી આ બન્ને કૃતિઓ પાછળના વખતની હોવી જોઈએ. અર્થાત “યશોધર ચોપાઈ"માન સમયસંકેત (“વસુધા વસુ પુનિ [‘મુનિ' આ પાઠ ઠીક નથી રસ એક”)ને અર્થ સં. ૧૬૮૧ હેવો જોઈએ એમાં સજોહ નથી.
૧. જે. ગુ. ક. ૩, પૃ. ૭૫૪ પધ હ૮ ૨. જુઓ “શ્રી ભાનુમેરુની ‘ચન્દનબાલા સજઝાય” આ શીર્ષકને મારે નિબન્ધ જેના સત્ય પ્રકાશ”માં (વર્ષ ૨, પૃ. ૧૬૧)
૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
-
કૃતિ | સંવત ગ૭પતિ | ગુરુની | કવિની
ચિના :
२४
-
I
તેજ રત્ન દેવરત્ન
આવી રીતે શ્રી સુન્દરની કૃતિઓની સૂચી નિગ્નલિખિત પ્રમાણે હોવાનો સંભવ છે :
મહાકવિ શ્રીન સુન્દરની કૃતિઓ પદવી ! પદવી
ક્યાંથી પ્રસિદ્ધ શાન્તનાથ 1 2 ધનરત્ન | મુનિ | ૪
જ. ગુ ક. ૩ પૃ.૭પપ તવન
આ ઉલિખિત રૂપચન્દકુંવર તેજરત્ન
આ. કે. ભ. દ. રાસ દેવરત્ન
પ્રકાશિત શત્રુંજયને ૧૬૩૮ દેવરત્ન
ગણિ ઉદ્ધારાસ
જિ.ગુ. ક. ૩પૃ. ૭૫૩ ગિરનાર
દેવરત્ન |
ગણિ | * જ. સા. સં. ઈ. પેરા ઉદ્ધાર રાસ
07 ઉલિખિત
જિ.ગુ.ક. ૧ પૃ. ૨૫૮ પ્રભાવતી
|પૃ.૭૫૧,.કા.મ. રાસર
૬ પૃ. ૬ ઉલિખિત તજ રત્ન
આ. કા. મ. ૩ રાસ દેવરત્ન
પ્રકાશિત बृहत्तपोगणगुर्वाः। તેજન
જિ. ગુ.ક. ૨ પૃ.૭૩૧ ૭. વીસ્વાધ્યાય | ? દેવર
પૃ. ૨૨૯૦; ઉદ્ધત (સંત).
જિ.ગુ. ક.૩ પૃ. ૭૫૫ નાથ છંદ
ઉલિખિત - નલ દમયન્તી ૧૬૬ પવિજયસુન્દર) ગણિ
આ. કા. મ. ૬ વાચક
પ્રકાશિત
આ. કા. ભ. ૬ પૃ. ૬; શીલશિક્ષા વિજયસુન્દરા ગણિ
વાચક છે. ગુ.ક. ૧. પૃ.૨ ૬ ૭
ઉલ્લખત
જે. ગુ. ક.૩ પૃ. ૭૫૪ ૧| આત્મપ્રતિબધી ? વિજયસુન્દર, ગણિક વાચક |
લિખિત
જિ.ગુ.ક.૩ પૃ.૭૪૮ ૧૨ યશોધર પાઈ ૧૬૮૧વિજયસુન્દર, ગણિ ઉવજઝાય"
- ઉલિખિત सारस्वत व्याकरण
जिनरत्नकोश ॐ रूपरत्नमाला
9. ૪૩૪ ન. : ( 1)
उल्लिखित
સુરસુંદરી
શંખેશ્વર પાશ્વ ૬૫૬ વિજયસુન્દરી
I
T
રાસ
૧. “શત્રુજય ઉધાર રામ'ની એક સં. ૧૭૪૬માં લખેલી પ્રત ઉજજૈન સિધિયા એરિ
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રતાનો પરિચય આ ગ્રન્થમાં પહેલી વાર પ્રકાશિત “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ” ગ્વાલિયર સરકારના ઉજજૈન સ્થિત “શ્રી સિધિયા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ'ની ત્રણ પ્રતમાં ઉપલબ્ધ છે કે જેનો ઉલ્લેખ મેં “કંઈક શંખેશ્વર સાહિત્ય” આ મથાળાના મારા એક નિબન્ધમાં કર્યો છે. પ્રસ્તુત પ્રતોની વિગત આ છે :
(૧) પ્રત “અ” (નં. ૫૦ ૮): દેશી કાગળનાં ૪”x૧૦’નાં ૮ પત્રો છે. દરેક પત્ર પર સાધારણ દેવનાગરીની ૩૯ અક્ષરની ૧૪ પંક્તિઓ કાળી શાહીથી લખેલી છે. બન્ને બાજુઓની કિનારી પર લાલ શાહીની બને લીટીઓ ખચેલી છે. પ્રસ્તુત કાવ્ય પત્ર –૭ પર અને તેની પછી શ્રી શાંતિ કુશલ-કૃત ગોડી પાર્શ્વનાથ સ્તવન લખેલું છે. આરંભમાં “બાળત્તિ નમઃ | થ પાર્શ્વનાથની ૨ ઇંદ્ર ત્રિદ્યતે” અને પહેલી કવિતાના અંતમાં નિગ્નલિખિત લહિયા-પ્રશસ્તિ લખેલી છે: “ત શ્રીવવધછનિર્વધ શ્રીસંવર पाश्वनाथ प्रबंद संपूर्णम् । लषितं रिष गंगाराम संवत १८३३ सा बर्ष मती चेत વધી ર યુદ્ગા”
વેત હરિતાલથી કરેલા સુધારાઓથી આ વાતની ખબર પડે છે કે વાલિયરી લિપિના ઈ-કારો અને ઉ–કારે પાછળથી કાઢી નાખવામાં અને તેની જગ્યાએ એ-કાર અને એ-કારના અક્ષરો બતાવવામાં આવ્યા છે. મૂળ અખંડિત છે.
(૨) પ્રત “બ” (નં. ૫૭) : દેશી કાગળનાં ૪૪૯”નાં ૧૧ પત્રો છે. દરેક પત્ર પર જૈન દેવનાગરીની ૧૧ પંક્તિઓ લખેલી છે. શાહી કાળી છે. પદ્યોના આંકડા, છેદો અને દેશીઓનાં નામો વગેરે લાલ ખડીથી રંગત છે. કોઈ કઈ અક્ષરો પડિમાત્રાવાળા, બાકીના સાધારણ શૈલીન છે. નાના (એક લીટીમાં ૪૫) અને મોટા (એક લીટીમાં ૨૭) અક્ષરના ફકરાઓ વારા ફરતી લખેલા છે. આરંભમાં “ભલે મીડું” અને તે પછી “ નમી માર્ચે” તથા અંતમાં નિગ્નલિખિત પુષ્પિકા લખેલી છે : “તિ श्रीसंघस्वर पार्श्वनाथमंत्रस्य सगर्भित छंद संपूर्ण लिषतं चेल्ला मोजी चतरभज लपीकृतं श्रीप्रतापदूर्गे संबति १८४४ रा मृगसर वद ७ सोमे समाप्तिપેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ છે. (.૭૦૨૬).—૨. “પ્રભાવતી રાસ”ની એક પ્રત સિંધિયા એ. ઈ. માં પણ છે. (ન. ૬૪૦).—૩. “સુરસુન્દરી રાસ”ની એક સં. ૧૬૫૬માં લખેલી પ્રત સિધિયા એ. ઈ. માં પણ છે. નં. ૫૦૭).-૪. સ્વ. દેશાઇએ આપેલા ઉદ્ધારણમાં “ગુણ” આ પાઠ છે કે જે ઘણે ભાગે આમ સુધારવાનો છે.–૫. ધનરત્ન સૂરિનું નામ આપેલું હોવાથી કર્તા કવિનય સુન્દર જ સંભવે છે. ૬. જે. સપ્ર. ૧૯૪૫ ડિસેંબર પૃ.૭૩.
૧૬
Page #18
--------------------------------------------------------------------------
________________
Heતુ શ્રીરતુ શસ્ત્રાગાર' | પહેલું અને છેલ્લે પૃષ્ઠ ખાલી છે. લહિયા પ્રશસ્તિની નીચે ૧૫ શ્રી-કારોનો એક ત્રિકોણ બનાવ્યો છે. અક્ષર સ્વચ્છ છે. એક બે જગ્યાએ અક્ષરે આંગળીથી ભૂંસાડવામાં અને શાહીથી સુધારવામાં આવેલ છે. મૂળ અખંડિત છે.
(૩) પ્રત “સ” (ન. ૭૦૩૫): દેશી કાગળનાં ”x૧૦” ૨ પત્રો છે કે જેના દરેક પૃષ્ઠ પર જૈન દેવનાગરીના કર અક્ષરવાળી ૧૪ પંક્તિઓ કાળી શાહીથી લખેલ છે. પડિમાવ્યા નથી. પદ્યના આંકડાઓ વગેરે લાલ ખડીથી રગિત છે. લિપિ સુંદર અને સ્વચ્છ છે. પરંતુ પ્રત ખંડિત છે. પત્ર બીજું અને ત્રીજું માત્ર ઉપલબ્ધ છે કે જેમાં કવિતાનાં પવો ૨૫ થી ૫૮ સુધી રહેલાં છે. કેટલોક સુધારો બહુ પ્રાચીન પીળી હરિતાલથી કરવામાં આવ્યો છે. આ પ્રત વધારે પ્રાચીન લાગે છે.
(૪) પ્રત “ડ'ઉપલખિત પ્રતો ઉપરાન્ત આપણી કવિતાની એક પ્રત પ્રવર્તક શ્રી કાતિવિજયજી પાસેના ભંડાર નરસિંહજીની પિળ-વડોદરામાં (નં. ૯૨૨) હેવાનું સ્વ. શ્રી કે. દ. દેસાઈ જણાવે છે તે પ્રતમાં કવિતાનું નામ “શખેશ્વર પાર્શ્વનાથ સ્તવન' આપવામાં આવ્યું છે. આ પ્રતને માટે ‘નવી' આ વિશેષણ વાપર્યું હોવાથી મેં તે જોવાની કોશિશ કરી નથી.
ઉજૈનવાળી ત્રણે પ્રતોમાં “સ' સૌથી વધારે પ્રાચીન અને બની આધારભૂત દેખાય છે. છતાં તે અતિખંડિત હોવાથી પ્રસ્તુત કવિતાને પ્રત એના આધાર પર સંપાદિત કરવી પડી. માત્ર તેમાં બગડેલા પાઠોને બદલે પ્રત “બ” અથવા “સ' નાં પાઠાતરો અથવા તે સ્વતંત્ર સુધારો સ્વીકૃત કરવામાં આવ્યું છે. નહીં રવીકૃત કરેલા પાઠેની સૂચી આગળ આપવામાં આપશે.
ભાષા પાર્શ્વનાથ છંદનાં પહેલાં છ પદ્ય સંસ્કૃતિમાં અને બાકીનાં ૧૨૫ પદ્ય ગુજરાતીમાં વિરચિત છે. સંસ્કૃત પદ્યની રચનાથી તથા ગુજરાતી પદ્યામાં આવેલા તત્સમો, વિશેષત: તત્વજ્ઞાન અને હઠાગને લગતા પારિભાષિક શબ્દોના ઉપયોગથી કવિની વિદ્વત્તા સાબિત થાય છે.
કેટલાક ફકરાઓ આ વિશેષતાથી વાચકનું ધ્યાન ખેંચે છે કે તેમાં ગુજરાતી ભાષાને સંરકૃત ભાષાને આકાર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છેજેમ કે –
જગદીમાં સંખેસર પામું પ્રકટ પ્રમાણે પૂરે આસ
અથવા
૧. જે. ગુ. કા. ભાગ ૩, પૃ. ૭પપ.
૧
)
Page #19
--------------------------------------------------------------------------
________________
“અવિનાશ ઈશ જય જગદીશ પરબ્રહ્મશ પરમેશ' ઇત્યાદિ. આ વિશેષતા ખાસ શ્રીધર, કવિની કૃતિઓમાં પણ ઉપલબ્ધ થાય છે. તે કૃતિઓની એ વિશેષતા તરફ વાચકોનું લક્ષ્ય બચતાં શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી તેને ચારણું સાહિત્યની લક્ષણભૂત બતાવે છે કે જે સાહિત્યના પ્રાચીન નમૂના તરીકે તેઓ શ્રીધરની કવિતાઓને સાબિત કરવાનો પ્રયાસ કરે છે. આ વાતમાં શ્રીન સુન્દરજીએ શ્રીધર કવિનું યાતે ચારણોનું જ અનુકરણ કર્યું હોય તે બનવા જોગ છે. . !
આ સાથે આપણું, કાવ્યની ભાષાની એ બીજી વિશેષતા પણ સારી રીતે મળી આવે છે કે તેમાં શ્રીધરની ભાષા, પ્રાચીન ડિગલ ભાષા તથા આધુનિક ચારણી સાહિત્યની ભાષાની જેમ શબ્દના વચલા વ્યંજનોને ઘણી વાર બેવડા કરવામાં આવે છે. ક્યાંસુધી લહિયાઓએ આ વિશેષતાને ભૂંસાવી નાખી હશે તે કહેવું કઠણ છે.
વળી સિવવાસી'–“અવિનાસી' (૧૯૫૩), “મહાદ વાસ–ગુણરાસ” (૫૫૮) જેવા અનુપ્રાસ બતાવી આપે છે કે એક ઉચ્ચ કોટીના સંસ્કૃત વિદ્વાન હોવા છતાં આપણા કવિ કોઈવાર સંસ્કૃત શબ્દોનું લેકપ્રચલિત (‘અશુદ્ધ’) ઉચ્ચારણ કદાચિત જાણી જોઈને પસંદ કરતા હોય.
- આ કાવ્યની ગુજરાતી ભાષામાં વિભક્તિ સંબધી જે કંઇ મિશ્રણ દેખાય છે તે તે સમયના લેખકોને માટે સાધારણ વાત છે; દા. ત. તૂ તણા, વાડિયુ, કડીચું, દિવેચુ, નડુલાઈચુ, આબુચી, કરહા તકે, અહિચ્છત્ર, બીકાનેર, હમીરક, સાગવાટ, કલીકટકો, સાયકે, નાગોરસ, દેવાસુ, ગુલવાડીઉસે. આનું મિશ્રણ જેર, ખુદા, ખાસ, દૂઉ, ગુહુર.” જેવા ઉર્દૂ ભાષાના શબ્દોનાકે ઉપયોગ દ્વારા પણ જણાય છે.
તે ઉપરાંત એવા ઘણા શબ્દપ્રયોગો પણ મળે છે કે જે પ્રાચીનતાને સૂચવે છે, જેમકે તૂસે, તૂઠી, મીણી, પ્રીણી, વન્નિસુ, રાસલ, દાહ, નમાસિક સઈરી, નરય, સયલ, પરમત્ય, સુક્યત્વે, ચક્ક, પતિ, પહાવી. તે સિવાય ચેપડ (રોટલી), ઝોટા (બદમાશો જેવા કેટલાક વિરલ શબ્દ પણ ધ્યાન ખેંચે છે. ૧. “આપણા કવિઓ', ગુજરાત વર્નાકયુલર સેસાયટી, અમદાવાદ, ખંડ ૧, પૃ. ૩૦૨ ૨. “આપણું કવિઓ' ૧, પૃ. ૩૦૦; જે. ગુ. ક. ૩ . ૨૧૧૦ પ્રમાણે કવિ શ્રીધર
વ્યાસને સમય સં. ૧૪૫૪ની આસપાસનો છે. ૩. શ્રી આ. કા. મ. દ. પૃ. ૩૫ (ભૂમિકા) ૪. એ. પૃ. ૨૧
૧૮
Page #20
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા
પ્રસ્તુત કવિતા નિશ્નલિખિત છંદ્યામાં વિરચિત છે:
(૧) પદ્ય
9-19
(2)
(3)
'
૯-૧૩
૧૪
૧૫-૧૮
૧૯
૨૦-૪૧
૪૨
૪૩-૪૪
૪૯
૫૦-૫૧
૫૨-૫૩
૧૪-૫૭
મ
૫૯-૮૧
૪૨
૮૩-૧૨૭ ૧૨૮-૧૬૨
ષટ્પદ
આવી રીતે જે ૧૦ ભિન્નભિન્ન છંદોના ઉપયાગ કરવામાં આવ્યા છે તેમાં પ્રમાણિકા છંદ, મેાતીદામ (સંસ્કૃત મૌયિામ, પ્રાકૃત માત્તિઅદામ) છંદ, અને ભુજંગપ્રયાત છંદ આ ત્રણે છંદો ‘વૃત્તો’ અર્થાત્ ‘અક્ષરમેળ છંદો’ છે, જ્યારે બાકીના છ છંદે ‘તિ’ અર્થાત્ ‘માત્રામેળ છંદો’માં અન્તર્ગત છે. તેમાં વળી મડયલ, અડયલ, ત્રિભંગી અને સારસી આ ચાર છંદો ‘સમતિ’, અને આર્યા, પૂર્વછાયુ તથા ષટ્પદી આ ત્રણુ છંદો ‘વિષમ જાતિ’માં આવી જાય છે.
અડયલ છંદ' શ્રીહેમચન્દ્રસૂરિના ‘ઇન્વોડનુશાસન'માં વર્ણવેલા ‘ડ્ડિા અંત્’ સાથે મેળ ખાય છે. ત્યાં યમક-યુક્ત વનજ્જ ઇંદ્દ (૬+૪+૪+ર =૧૬ માત્રા)ને અને પવન ઇન્દ્ર (૬+૪+૪+૩=૧૭ માત્રા)ને ‘ઢિાજીંત્’ આ નામ આપવામાં આવે છે. ભલે તેમાંના યમા એ પાદાના કે ચારે પાદાના સરખા હોય છે.
૧. ૫. ૩૭ પૃ. ૧૧ ‘અ’ તથા વૃત્તિ પૃ. ક૭ ‘અ’.
૧૯
(૪)
(૫)
($)
(60)
(<)
(૯)
(૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭) (૧૮)
99
29
99
99
""
""
""
""
19
99
,,
,,
29
19
23
""
:
સંસ્કૃત આ હા પૂર્વછાયુ
:
રૂપક મડયલ પૂર્વછાયુ રૂપક અડયલ
પૂર્વછાયુ
રૂપક પ્રમાણિકા
પૂર્વછાયુ
રૂપક મેાતીદામ
પૂર્વછાયુ
રૂપક પ્રમાણિકા પૂર્વછાયુ રૂપક ત્રિભંગી
પૂર્વછાયુ રૂપક સારસી
પૂર્વછાયુ મ રૂપક ભુજંગપ્રયાત
Page #21
--------------------------------------------------------------------------
________________
તેમજ આ કાવ્યમાંનો મડયલ ઇદ જી-રોડનુશાસનમાંના “દરા છત્ર સાથે મળે છે કે જે ત્યાં ચારે પાદોના સરખા ચમકવાળા હા-છ સ્વરૂપે બતાવવામાં આવે છે, અને જેના નમૂના તરીકે તપાગચ્છ પ્રતિક્રમણ સૂત્રમાં અંતર્ગત અનિતાતિતવનના -ઇન્ટ’ (અથવા “રીવય૪૨) નામથી અંકિત અપભ્રંશ પદ્યો પ્રસિદ્ધ છે. અર્થાત હેમચન્દ્રસૂરિના મતને અનુસાર “ત્રિા-છદ્ર' ઉપર્યુક્ત “જિ-જી’ના એક અવાન્તર ભેદનું નામ માત્ર છે. પ્રસ્તુત કવિતામાં “અડલ” અને “ડિયલ’ બને છેદેના અંતિમ અનુપ્રાસો ઘણે ભાગે ચારે પાદોમાં જ સરખા છે.
આધુનિક ગુજરાતીનો “અરિત્ન” છંદ એક અનુપ્રાસ યુક્ત ૧૬ અક્ષરોનો છંદ છે કે જેમાંના અંતિમ બે અક્ષરો (દલપત પિંગળને અનુસાર) લઘુ જ છે. આ “અરિલ્લ’ છંદ અને અપભ્રંશના અસલી “અડિલા' છંદની વચમાંનું અનુસંધાન પ્રસ્તુત કવિતાનું “આડયલ’ ઠીક ઠીક કરી આપે છે. માત્ર સમસ્ત પ્રાચીન રાસસાહિત્યની જેમ આ કવિતાની પ્રતોમાં પણ દીધું અને હવ અક્ષરોનો લિપિમાં ગોટાળા હોવાથી ગાતી વખતે વારંવાર ગુરુને લઘુ અને લઘુને ગુરુ છંદ પ્રમાણે સુધારવાની આવશ્યકતા છે તે કંઈ નવી વાત નથી.
સારસી છેદ “હરિગીતનું નામાન્તર છે આ વાત પ્રસિદ્ધ છે.
પૂર્વછાયું શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘આપણા કવિઓ' નામના ગ્રંથ પ્રમાણે દેહરો જ છે! પરંતુ પ્રસ્તુત કવિતામાંના “પૂર્વછાયુ' નામથી અંકિત પઘોમાં એ વિશેષતા છે કે નિયમિત રીતે હરેક ‘પૂર્વછાયુંના પહેલા ૨-૪ અક્ષરો તેના આગલા પદ્યના છેલ્લા અક્ષરોની પુનરાવૃત્તિ છે અને હરેક ‘પૂર્વછાયું’ના છેલ્લા ૨-૪ અક્ષરોની પુનરાવૃત્તિ તેના પાછલા પદ્યના પહેલા અક્ષરો દ્વારા થાય છે. જેમ કે
તે લક્ષ કોટ સદૃ મિલી સે નામ, એક તું વલી. અનંત સિદ્ધ સંકરે સે પાસ શ્રી સંખેસર ૫૧
પૂછાયે સખેસરપુર પાસજી પ્રગટીલે પરમ દયાલા સેવકને સંપતિ કરણ ભય ભાવક હર કાલા પર કાલ અનાદિ અનંત તુ રહ્યો સદા સિવવાસી, રૂપ ન રેષ ન રાયજ એક અવિનાસી ૫૩
ત્રિભળી છંદ અવિનાશ ઈશં જય જગદીશ પર બ્રહ્મ પરમેશ
અસુર સુરેશ સૂરીશ્વરેશ નારી નરેશ નાગેશ' આદિ ૧. વૃત્તિ પૃ. ૩૭ “બ”.
૨. ભાગ ૧, પૃ. ૩૦૨.
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી સુન્દરજીના પૂર્વછાયું’ નામનાં પોની આ વિશેષતા “પૂર્વછાયું' નામની ઉત્પત્તિ ઉપર સરસ પ્રકાશ પાડે છે, કારણ કે તેમાં થતી અક્ષરોની પુનરાવૃત્તિ ખરેખર “પૂર્વ'ની અર્થાત્ પૂર્વ પદ્યની એક જાતની છાયા સમાન છે. પ્રાચીન સમયમાં આવી પુનરાવૃત્તિ આ છેદને માટે લક્ષણભૂત જ ગણાતી હોય એવું અનુમાન આ ઉપરથી થઈ શકે છે. તે ક્યાંસુધી વાજબી છે તેનો પત્તો માત્ર આ જાતનું વધુ સાહિત્ય પ્રકાશિત થયા પછી લગાવી શકાય.
ખાસ કરીને આ જાતની પુનરાવૃત્તિ સૌરાષ્ટ્રના આધુનિક બારોટોની કવિતાઓમાં પણ દેખાય છે. એટલે આ વાત પણ ઉપલ્લિખિત ભાષાવિશેષતાઓની માફક શ્રી નયનસુન્દરજીના આ કાવ્યને ચારણ સાહિત્ય સાથે જોડી આપે તેમ કહી શકાય.
પ્રસ્તુત કવિતામાં વાપરેલા બાકીના છ એટલા બધા પ્રચલિત છે કે તે સંબધી વધારે કહેવાની આવશ્યક્તા દેખાતી નથી.
‘પૂર્વછાયુનાં પ, આરંભનું માર્ચત અને અન્તનું પલ્પદ પદ્ય છોડીને દરેક છંદના નામ સાથે લાગેલું “રૂપક” શબ્દ અવશ્ય ધ્યાન ખેંચે છે. તેના પ્રચલિત અર્થો “રૂપકાલંકાર યા 'રૂપક તાલ' ઇત્યાદિ અહીંયાં બેસતા નથી. પરંતુ ઉપર્યુલિખિત ચારણ કવિ શ્રીધરની કૃતિ “સપ્તશતી કિવા ઈશ્વરી છંદ' (“શાસ્ત્રીપાઠ છંદ)માં આ શબ્દ જે અર્થમાં વાપરેલો છે તે યાદ આવે છે. શ્રી. કેશવરામ શાસ્ત્રીની વ્યાખ્યા પ્રમાણે ત્યાં “૧૬ જુદાજુદા છંદના ઝૂમખાને ૧ રૂપક' કહેવાય છે. શાસ્ત્રીજીએ કરેલા વિવરણથી જ્ઞાત થાય છે કે આવા “રૂપકમાં જે ઈદે વપરાયેલા છે તેમાંના દરેક છંદનું એક એક પદ્ય બન્યું છે. પ્રાચીન કવિતાના આરંભિક અને અંતિમ ટુકડાને છેડીને અને “રૂપક' સંજ્ઞાથી યુક્ત ટુકડાઓને આગલ પાછળના પૂર્વછાયુ વાળા ટુકડાઓને ગણીને ભિન્ન છે દેના બરાબર ૧૬ ટુકડા થાય છે. ફરક આખલો છે કે તે ૧૬ ટુકડા એકસરખાં નહીં પણ નાના મોટા છે. વ્યવહારમાં “રૂપક' “રૂપિયા’ શબ્દનો સંબધ ૧૬ સંખ્યા (૧૬ આના) સાથે હોય છે. એટલે સંભવ છે કે (કદાચિત કોઈ પ્રાચીન રૂઢિને અનુસાર) આપણું કવિ, કંઈક અંશથી શ્રીધર કવિની માફક, ભિન્નભિન્ન દેના ૧૬ ટુકડાના કાવ્યને અને તેની અન્તર્ગત થતા છંદોને આવી રીતે સૂચવવા ચાહતા હશે. આવી જાતનું વધુ સાહિત્ય પ્રકાશમાં આવશે ત્યારે જ આ વાતને પૂરો નિર્ણય થઈ શકશે. ૧. ભાગ ૧, પૃ. ૩૦૨; જે. ગુ. ક. ૩ પૃ. ૨૧૦૯.–
૨૧
Page #23
--------------------------------------------------------------------------
________________
મોતીદામ (પદ્ય ૪૩-૪૮), ત્રિભંગી (પદ્ય ૫૪-૫૭) અને ભુજંગપ્રયાત છંદ (પદ્ય ૮૭-૧૨૭)ને માટે જે દેશીઓ આપવામાં આવેલ છે તે સ્વ. દેસાઈની દેશીઓની સૂચીમાં મળતી નથી."
સારાશ
શંખેશ્વર પાર્શ્વનાથ છંદનો સારાંશ નિગ્નલિખિત છે – પદ્ય ૧૭: સંસ્કૃતમાં શંખેશ્વર પાર્શ્વનાથની પ્રશંસા અને પ્રાર્થના ૮: ગુજરાતીમાં એમની સ્તુતિ ૯ ૧૩: સરસ્વતીની સ્તુતિ ૧૪-૧૮: પાર્શ્વનાથનો મહિમા
૧-૫૧: પાર્વનાથનાં તીર્થસ્થાનોની અને બિબોની નામાવલી. આ નામાવલીમાં ઘણાંખરાં વિચ્છેદ થયેલાં તીર્થો અને પ્રાચીન બિબોનાં નામ છે. દિલગીરી એ છે કે “કેસરિઓ' નિરંજન' (૨૨), “વેલું' (૨૪), પુરંદરો', ‘કલાધરો' (૨૬), “ભીભંજન” (૨૭), “ભલેસ’ (૩૨), “અશોક', “આસાફલી',
ખુડાવલી', (૩૮), ભાયણ’, ‘ચોઢણ' (૩૯), જોધપુરો” (૪૦) જેવા કેટલાક શબ્દો કેવળ વર્ણનાત્મક વિશેષણે છે કે તે બિબોનાં વ્યક્તિવાચક વિશેષ નામે છે એને નિર્ણય કરવો પુરાવાના અભાવે કઠણ છે. લહિયા પિોતે પણ તે સંબધી શકમાં પડવા લાગે છે, કારણ કે ત્રણે પ્રતોમાં તીર્થો અને બિબોનાં વિશેષ નામોની ગણત્રી કરવા માટે તેની પછવાડે લખેલા આંકડાઓમાં ફરક છે; એટલે આ ન્યૂનતા અમારા સંશોધનમાં ક્ષતવ્ય ગણાશે.
૫-૬ ૦ પાશ્વનાથના ગુણોનું વર્ણન.
૬૧-૮૧ પ્રભુની ભક્તિના પ્રભાવથી મહાભયનાં કારણે (દરિદ્રતા, કુષ્ઠરોગ, સમુદ્ર તોફાન, અગ્નિ, સાપ, લુટારા, ઘાતક દુશ્મનો, વાઘ, હાથી, યુદ્ધ, તાવ, બંધન, દુષ્ટ રહે, વાંઝપણું, ડાકણ, ઝેર, ચક્ષરે વગેરે) દૂર થાય છે અને સુખશાતિ, વિદ્વત્તા, કવિત્વશક્તિ આદિ ઇષ્ટ ફલ પ્રાપ્ત થાય છે.
- ૮૨-૮ પાશ્વનાથના જીવનચરિત્રમાંની કેટલીક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન છે.
- ૮૮-૯૪ ભગવાનના જીવનમાં ક્રયોગ તથા પ્રાણાયામ સહિત હઠયોગની યુક્તિયુક્ત યોજના.
. . ૯૫-૧૦૭ ભગવાનના જીવનમાં વિવેક અને “મેહ'ના મહાયુદ્ધની, શ્રી જયશેખરસૂરિ વિરચિત “પ્રવધવિતામળિ૨ અને તેના આ જ કવિકૃત ગુજરાતી સાર ત્રિભુવનદીપકપ્રબન્ધને અનુસાર, રૂપકાકારે, કલ્પના. ૧. જે. ગુ. ક.૩ પૃ. ૧૮૩૩ આદિ. ૨. જુઓ આ ગ્રન્થનું ભાષાન્તર, “શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર સં૧૯૬૫. ૩. જુએ મૂલઝન્ય, ૫. લાલચન્દ્ર ભ. દ્વારા સંપાદિત, શ્રી જૈનધર્માલ્યુદય ગ્રન્થમાલા, સં. ૧૯૭૭.
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૦૮-૧૨૧ પાર્વ “ભગવાનનાં ૧૦૮ નામ.
૧૨-૧૨૭ પાક મન્ત (વિશેઘત: “મટે–દે-મત્ર’ અને ‘વિણ-િમત્ર)નું મહત્ત.
૧૨૮-૧૩૨ પ્રશસ્તિ –તેમાં આવેલા કવિના ગુરુશ્રી ભાનુમેરુ અને તે વખતના ગચ્છપતિ શ્રી વિજયસુન્દરસૂરિનાં નામોના ઉલ્લેખોનું વિવેચન ઉપર કરવામાં આવ્યું છે. પદ્ય ૧૩૦ પ્રમાણે કવિએ આ કૃતિને મંગળવાર આસો વદિ ૯ સં. ૧૬૫૬ના દિવસે પુષ્ય નક્ષત્રમાં પૂર્ણ કીધી છે. પદ્ય ૧૩૦ અને ૧૩૧માં કવિ પિતાની કૃતિને “છંદ' તરીકે ઓળખાવે છે, તેથી આ જ નામ કાયમ રાખવામાં આવ્યું છે (યદ્યપિ “એ” અને “ડ” સંજ્ઞક પ્રતોની પુષિકામાં પ્રબંધ” અને “સ્તવન” આ શબ્દો આપવામાં આવેલ છે અને સ્વ.દેસાઇએ આ કવિતાને ‘શંખેશ્વર સ્તવન’ના નામથી ઓળખાવી છે).૧
ગ્રંથનું મહત્વ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ વિશેષતઃ તેમાં ભરપૂર ભરેલા પ્રભુભક્તિરસથી, તેની ચારણ કવિતાનું સ્મરણ કરાવનાર પ્રોઢ ભાષાથી અને તેના પ્રાકૃતિક રાગ અને તાલ વડે વિશિષ્ટ મનોહર કવિત્વશૈલીથી આકર્ષક ગણાશે. તત્ત્વજ્ઞાનના વિશેષજ્ઞ વાચક તેમાં જગ્યાએ જગ્યાએ પ્રકટ થતી આ વિષય સંબધી કવિની ગંભીર વિદ્વત્તા તથા હઠયોગ વગેરે ગહન સિદ્ધાન્તોને મનોહર અને સુબોધ રીતે તીર્થકરના જીવનચરિતમાં ઉતારવાના તેમના કૌશલ્યની પ્રશંસા કરશે. ઇતિહાસવેત્તા તેમાંની પ્રાચીન તીર્થસ્થાનોની નામાવલીથી આકર્ષિત થશે; અને વળી ભાષાશાસ્ત્રના અભ્યાસી ‘સેલહથે’, ‘તલાર વગેરે પ્રાચીન શબ્દોના તથા ચો,-ચી, –કે,–કી–સે–રો જેવા પ્રત્યયોને તેમાં થતા પ્રયોગને પિતાનાવિધ્યને માટે અમૂલ્ય ગણશે. એટલે અનેક અપેક્ષાથી આકર્ષક આ કૃતિ અહીં પ્રકાશમાં લાવવામાં આવી છે તે અસ્થાને નહીં ગણાશે.
૨. ત્રણસો પાંસઠ પાર્શ્વ-નામમાળા
કવિ અને તેમની કૃતિઓ ત્રણિસિ પાંસઠ પાસ-નામમાળા' (અર્થાત “ત્રણસો પાંસઠ પાનામ-માળા') નામની કવિતા તેની અંતિમ પ્રશસ્તિને અનુસાર તપાગચ્છના વિજયસેનસૂરિશિષ્ય શ્રીવિમલહર્ષ વાચકના શિષ્ય અને શ્રીરનહર્ષના ગુભાઈ શ્રી પ્રેમવિજયજી દ્વારા સં. ૧૬૫૫માં ખંભાતના અકબરપુર નામના પરામાં વિરચિત છે. શ્રી વિજયસેનસૂરિ અકબર બાદશાહના પ્રતિબોધક શ્રીહીરવિજયસૂરિના શિષ્ય અને તપાગચ્છના ૫૯ મા આચાર્ય હતા. ૧. જે. ગુ. ક. ૩ પૃ. ૭પપ.
Page #25
--------------------------------------------------------------------------
________________
એમનું અને શ્રીવિમલહનું નામ મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી દ્વારા અકબર અને હીરવિજયસૂરિના ઇતિહાસના વિષયમાં કરેલી રોધખોળથી પ્રસિદ્ધ છે.૧
શ્રી પ્રેમવિજયજી પોતે એક ગુજરાતી કવિ તરીકે નામાંક્તિ છે. તેમની કૃતિઓ નિઋલિખિત છે –
(૧) ઉપયુલિખિત “પાર્શ્વનામમાળા' સં. ૧૬૫૫ (૨) “તીર્થમાળા', સં. ૧૬૫૯ (૩) “આત્મશિક્ષાભાવના', સં. ૧૬૬ર (૪) “શત્રુંજયસ્તવના આદિનાથવિનતિ' (૫) ધનવિજયપન્યાસ રાસ (૬) “વસ્તુપાલ તેજપાલ રાસ', સં. ૧૬૭૭ (૭) “સીતા સતી સજઝાય
આ સાત કૃતિઓમાંની છેલ્લી ૬ કૃતિઓ જૈન ગુર્જર કવિઓ'માં ઉલિખિત છે, જ્યારે કે પહેલી કૃતિ હજુ સુધી અપ્રસિદ્ધ છે. માત્ર જૈન સત્ય પ્રકાશમાં પ્રકાશિત “કંઈક શખેશ્વર સાહિત્ય આ શીર્ષકના મારા એક નિબંધમાં તેનું નામ સુચિત કરવામાં આવ્યું હતું.
પ્રત અહીં આ કવિતાને ઉજજૈનના શ્રી સિંધિયા ઓરિયંટલ ઇન્સ્ટિટયૂટની પ્રત નં. ૬૩૯ના આધાર પર પહેલી વાર પ્રકાશિત કરવામાં આવે છે. ઉક્ત પ્રત ૯”x૪”ના મોટા કાગળનાં ૬ પત્રોની છે. દરેક પત્રના મધ્ય ભાગમાં એક ચોરસ આકારનું સ્થાન શન્ય રાખવામાં આવ્યું છે. જેના કેન્દ્રમાં (બન્ને કિનારીઓ પર જેમ) એક વર્તુલાકાર લાલ રંગથી ભરવામાં આવ્યું છે. દરેક પૃષ્ઠ પર સાધારણ દેવનાગરીના ૨૫ અક્ષરોની ૧૦ લીટીઓ કાળી શાહીથી લખેલ છે. આરંભમાં ‘ભલે મીંડુ' અને અંતમાં નિન્નલિખિત પુપિકા લખેલ છે–તિ 2 િgif િવાસ નિનની માત્રાત્રીની સંપૂર્ણ: શ્રી’. આ પ્રત વધારે પ્રાચીન દેખાતી નથી અને અશુદ્ધ પણ છે. પરંતુ પ્રસ્તુત ગ્રંથની આ એક જ પ્રત ઉપલબ્ધ થઈ છે. એટલે આનો આધાર રાખવો જ પડવ્યો. આ કારણથી રહી ગયેલી ખામીઓ માટે વાચક ક્ષમા કરશે એવી આશા છે.
કવિતા વાસ્તવમાં આ કવિતા માત્ર પાર્શ્વનાથતીર્થસ્થાનોનાં નામની સપ-ન-મ-લ-હ-વ-ભ-જ-બ-ર-ખ-ગ–ઘેધ–ત–ફડ-૮-છ-ક-અચદ તથા પરચૂરણ અક્ષરે, એ જ ક્રમમાં ગોઠવેલી રસ-રહિત સૂચી છે. માત્ર અંતિમ પદ્યોમાં શંખેશ્વરતીર્થના ઈતિહાસના કેટલાક ઉલ્લેખો અને ૧. જુએ મુન વિદ્યાવિજય, સૂરીશ્વર અને સમ્રાટ', શ્રી યશોવિજયજન ગ્રંથમાળા ૨. ભાગ ૧ પૃ. ૩૯૭ ૩૯૮ અને ૩ પૃ. ૮૮૫ ૮૯૦ તથા જ.સા.સ.ઇ. પિરા ૮૯૬. ૩. ડિસંબર :૯૪૫ પૃ. ૭૩
Page #26
--------------------------------------------------------------------------
________________
કવિની પ્રશસ્તિ આપવામાં આવેલ છે.
છંદની દષ્ટિએ નિશ્વલિખિત ભાગો છે:
(૧) પદ્ય ૧-૮ “આદીશ્વર વિવાહલાની દેશી', “ભાઈ ધન સુપનનું ધન જીવી તરી આ'૧
(-) ૯-૧૭ “સમેતશિખરતી ચૈત્ય પ્રવાડીની દેશી', “શાંતિ જિનેસર નમય પાય, મનવંછિત કામી'
() ૧૮૨૨ “ભમ કહ મમ કહ દેવર આણી નહી તે વાલી રે” આ દેશી
(૪) ૨૩-૩૧ કપૂર હોઈ અંતે ઉજલું રે, વલય અનોપમ ગંધ રે હિની, જેહની જેસ્યુ રંગ” આ દેશી
(પ) કર કલશ ઉપર્યુક્ત દેશીઓમાંની માત્ર પહેલી અને છેલ્લી દેશી વધારે પ્રસિદ્ધ છે.
આ કવિતાનું મહત્વ વિશેષતઃ આ ત્રણ વાતોમાં રહેલું છે. એક તો તે એક જાણીતા મુનિરાજ અને કવિની કૃતિ છે; બીજું, તે ઘણી પુરાણી છે; અને ત્રીજુ, કવિના વખતમાં અર્થાત આશરે ૩૫૦ વર્ષ પહેલાં, કેટલાં બધાં પાબિબો ઉપલબ્ધ હતાં તેનું ભાન તે કરાવે છે.
૩ “વૃદ્ધ ચિત્યવદન' પોતાને સં. ૧૬૦માં વિરચિત “કુમારપાલરાસમાં સુપ્રસિદ્ધ શ્રાવક કવિશ્રી ઋષભદાસ પૂર્વકાલીન ગુજરાતી કવિઓને ઉલ્લેખ નિગ્નલિખિત શબ્દોમાં કરે છે:--
આગિ જે મોટા કવિરાય, તાસ ચરણરજ અપભાય લાવણ્ય, લીંબે, ખીમો, ખરો, સંકલ કવિની કરતિ કરે. હંશરાજ, વાહ, દેપાલ, માલ, હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ હંસ, સમરો, સુરચંદ, શીતલવચન જિમ શારદ ચંદ.
એ કવિ મેટા બુદ્ધિ વિશાલ, તે આર્લિ હું મુરખ બાલ.”
જે કવિ ખીમાનું નામ આ પદ્યમાં આવ્યું છે તેમની હજુ સુધી ફક્ત એક જ કૃતિ, અર્થાત્ પેલી “શત્રુંજય ચિત્ય પ્રવાડી’ ઉપલબ્ધ છે કે
જે પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મસૂરિની પ્રાચીન તીર્થમાળા સંગ્રહ’, ભાગ ૧. જે. ગુ. ક. ૩ પૃ. ૧૯૮૫ (નં. ૧૪૨૨)માં આ દેશી ની વિગત કંઈક જુદી છે. ૨. જે. ગુ. ક. ૩ પૃ. ૧૮૬૫ (નં. ૩૦૫) તથા પાઠાંતર સહિત પૃ. ૨૦૮૬ (નં ૨૧) ૩. જે. ગુ. ક. ૧. પૃ. ૪૧૮ અને ૧૬૨ ૪. શ્રી યશોવિજય જેનગ્રંથમાળા, ભાવનગર,વિ. . ૧૯૦૮, પૃ. ૧૫ તથા પ્રસ્તાવ
ના પૃ. ૪૫
Page #27
--------------------------------------------------------------------------
________________
૧ માં પ્રકાશિત થઈ છે એમ સ્વ. દેસાઇના મત છે.૧ શ્રીવિજયધર્મસૂરિજીએ બતાવ્યું છે કે આ કવિતાના કર્તા ખીમેા વિ. સં. ૧૩૭૮ની પછી અને વિ. સં. ૧૬૧૯ની પહેલાં વિદ્યમાન હતા. ઉપર્યુક્ત ખીમા અને ‘જયણા ગીત'રના કર્તા ખીમ એક જ વ્યક્તિ હોય તે બનવાજોગ છે.
આ કવિ ખીમાની હમણાં જ એક ત્રીજી કૃતિ હસ્તગત થઇ હાય એમ લાગે છે. તે સિંધિયા એરિયંટલ ઇન્સ્ટિટયૂટની હસ્તલિખિત પ્રત ન ૬૫૮૪માં મળી આવેલું ૮ પદ્યોનું વૃદ્ધ ચૈત્યવન્દન' છે કે જે અહીંયાં પ્રકાશિત કરવામાં આવે છે. તેના કર્તાનું નામ પ્રેમેા’ લખેલું છે. તે શૈલી અને ભાષાની દૃષ્ટિએ ઉપર્યુક્ત ચૈત્યપ્રવાડીને અત્યંત મળતી છે. તેમાં રાણકપુરના ‘નલિની ગુલ્મ વિમાન'ને મળતું પ્રસિદ્ધ મંદિર અને તેમાંના ચતુર્મુખ ઋષભદેવના ઉલ્લેખ છે. આ બિંબની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૯૬માં થઈ હતી તેથી તેને રચનાકાલ તે પછીના જ સાબિત થાય છે.
જે આ કવિતા ખરેખર ઋષભદાસ કિવ દ્વારા ઉલ્લિખિત પ્રસિદ્ધ ખીમાની કૃતિ હોય તેા તે જરૂર કંઈક મહત્ત્વ ધરાવે છે. બાકી તે ધાર્મિક ભક્તિ-ભાવના અને વિશ્વના દષ્ટિકાથી પણ પ્રકાશિત થવા લાયક છે.
ઉપર્યુક્ત પ્રતનું એક જ પ્રાચીન દેખાવનું હું પત્ર છે કે જે પર ૪૦ સાધારણ દેવનાગરી અક્ષરાની ૧૩ અને ૧૧ લીટીઓ લખેલી છે, અક્ષરા કાળી અને વિરામા તથા બાજૂએની કિનારીની રેખાએ લાલ શાહીથી લખેલી છે. સુધારા પીળી હરિતાલથી કરેલ છે કે જેને કાળા થયેલે રંગ પ્રતની પ્રાચીનતાના સાક્ષીભૂત છે. આરભમાં “ભલે મીડું'' અને અંતમાં “તિ શ્રીવૃદ્ધચૈત્યવંન॥ સંપૂર્ણ” આ પુષ્પિકા છે. છેવટનું
પૂજ્યપાદ મુનિરાજ શ્રીજયંતવિજયજી મહારાજે આ પુસ્તિકાનું નિરીક્ષણ કર્યાં પછી વિશેષ તીર્થસ્થાનાના વિવેચન સંબન્ધીની કેટલીક બહુમૂલ્ય સૂચનાએ કીધી છે જેના ઉપથેગ કરવામાં આવ્યેા છે. વળી પરમપૂજ્ય ગુરુજી મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી મહારાજ તરફથી આ નાનકડી કૃતિનાં સંશાધન અને સંપાદનમાં જે અમૂલ્ય સલાહ અને ઉત્તેજના મળી છે તેના પ્રતાપથી જ તે પ્રકાશમાં આવવા પામી, જે એમ કહું તે ચાલે; એટલે બંને મહાત્માઓના સાદર ઉપકાર માનવા અંતરાત્મા મને પ્રેરે છે. ઉજ્જૈન, ગુડી પડવેા
વિ. સં. ૨૦૦૩ (૨૩-૩-૪૭)
શાોને કાઉઝે
૧. જે. ગુ. ક. ૧, પૃ. ૧૬૨. ૨. જે. ગુ. ૪, ૩, પૃ. ૪૯૬
૩. જે. સા. સ. ઇ. પૅરા ૬૬૫
ર્
Page #28
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથમાં ઉલ્લિખિત સાહિત્યની સૂચી
(૧) અષ્ટોત્તરી તીર્થમાજા, શ્રી મહેન્દ્રસૂરી-વ્રુત (શ્રી નિધિવક્ષાચ્છ सार्थ पंचप्रतिक्रमणसूत्राणि, प्र. सेठ हेमराज खयसिंह, सं. १९८४, पृ. ५६) (ર) આપણા કવિઓ, ખંડ ૧, કેશવરામ કાશીરામ શાસ્ત્રી કૃત, ગુજરાત વ. સાસાયટી, અમદાવાદ
(૩) આબૂ, ભાગ ૧ અને ૨, મુનિરાજ શ્રી જયંતવિજયજી મ. કૃત, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા, સં. ૧૯૯૦ અને ૧૯૯૪
(૪) ઐતિહાસિક જૈન-કાવ્યસંગ્રહ, સંપાદક અ. નાટા, ભે. નાકા,
કલકત્તા ૧૯૯૪
(૫) ઐતિહાસિક રાસસંગ્રહ, ભાગ ૧-૪, સંશાધક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ, શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર
(૬) કર્ણી (કૃષ્ણ) મુનિ, લે. પં. લાલચન્દ્ર ભ. ગાંધી, શ્રી જૈનસત્યપ્રકાશ, દીપેાત્સવ અંક, વર્ષ ૭
(૭) કંઈક શંખેશ્વર સાહિત્ય, લે. ડૉ. સી. ક્રાઉઝે, જૈનસત્યપ્રકાશ ડિસેમ્બર ૧૯૪૫ પૃ. ૭૩-૮૦
(૮) ગિરિનાર તીર્થમાલા, શ્રી રત્નસિંહ કૃત, પ્રા. તી. મા. સં. ભાગ ૧, સં. ૧૯૭૮, શ્રી યોાવિજય જૈન ગ્રંથમાલા
(૯) સુર્યાવલી શ્રીમુનિવુરૂરિ-કૃત, શ્રી યશાવિજય જૈન ગ્રંથમાલા (૧૦) ગાડી પાર્શ્વનાથ સ્તવન, શ્રી શાંતિકુશલ-કૃત, પ્રા. તી. મા. સં. (જીએ નં. ૮); ‘પ્રત’=સિંધિયા એરિયેંટલ ઇન્સ્ટિટયૂટની પ્રત નં. ૫૦૮ પ્રમાણે કે જેમાં અધિક પદ્યો વિદ્યમાન છે.
(૧૧) ચૈત્યપરિપાટી, શ્રી મહિમા-કૃત, પ્રા. તી. મા. સં. (જુએ નં. ૮) (૧૨) ઇન્વોડનુશાસનમ્, શ્રીહેમચન્દ્રાચાર્ય-ત, પ્ર. રેવાબેન श्रेष्ठिना मूलचन्द्रात्मजेन, मोहमय्यां, सन १९१२
(૧૩) જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય-સંચય, સં. શ્રીમાન જિનવિજયજી, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સં. ૧૯૮૨
(૧૪) જૈન ઐતિહાસિક રાસમાલા, ભાગ ૧, સં. શ્રી. મેાહનલાલ દલીચંદ દેશાઈ, મુંબઈ, સં. ૧૯૬૯
(૧૫) જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧-૩, શ્રી મા. દ. દેશાઈ કૃત (૧૬) જૈનતીર્થ ગાઇડ, શ્રી શાંતિવિજયજી-કૃત, અમદાવાદ, સં. ૧૯૬૭
549
Page #29
--------------------------------------------------------------------------
________________
(19) જૈન તીર્થાવલી પ્રવાસ, શા. લખમસી નેણશી સવાણી કૃત. સં. ૧૯૬૩, કચ્છ તેરાવાલા
(૧૮) જૈનતીર્થોનો ઈતિહાસ, મુનિશ્રી જ્ઞાનવિજ્યજી કૃત, ચા. આ. સિ.
(૧૯) નૈનસાત્રિ પર તાણ, છે. શ્રી નાથુરામની પ્રેમી, સન ૧૯૪૨
(૨૦) જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ છે. શ્રી મો. દ. દેશાઈ, મુંબઈ સન ૧૯૧૯
(૨૧) તીર્થમાઝા મૈત્યવન, “Ancient Jain Hymns' Scindia Oriental Series 2, . . સી. શારણે;=૨૬
(૨૨) તીર્થમાળા, શ્રીમેધ–કૃત, પ્રા. તી. મા. મું. (જુઓ નં. ૮) (૨૩) તીર્થમાળા, શ્રીશીíવજય-કૃત, પ્રા. તી. મા. સં. (જુઓ ને. ૮). (૨૪) તીર્થમાળા, શ્રી સૌભાગ્યવિજ્ય-કૃત પ્રા. તી. મા. સં. (જુઓ ને, ૮)
(૨૫) તીર્થમારા ચિત્યવન, “Ancient Jaina Hymns, Scindia Oriental Series. 2, 5. હૈ. સી. # = ૨૧
(૨૬) તેજપાલનો વિજય, લે. ૫. લાલચંદ્ર ભ. ગાંધી, શ્રી જૈન ધર્માલ્યુદય ગ્ર. મા. ૩, સં. ૧૯૯૧
(૨૭) ત્રણ પૈસઠ પાર્શ્વનામમાલા, આ ગ્રંથમાં પ્રકાશિત
(૨૮) ત્રિભુવનદીપક પ્રબંધ, શ્રી જયશેખરસૂરિ–કૃત, સં. પં. લાલચંદ્ર ભ, જૈન ધર્માલ્યુદય ગ્ર. મા.
(ર૯) દેવકુલપાટક, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ-કૃત, શ્રી યશોવિજય જે. ગ્ર.
(૩૦) નળ-દમયંતી રાસ, શ્રી નયસુન્દર--કૃત, આ. કા. મ., એ. ૬
(૩૧) પાટણ ચિય-પરિપાટી, શ્રીલલિતપ્રભસૂરિકૃત, અમદાવાદ, સં. ૧૯૮૨
(૩૨) પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવલા પા., શ્રી જૈન ધર્માલ્યુદય ગ્ર. મા, સં. ૧૯૯૧
(33) पार्श्वनाथचरित्रम् , श्री हेमविजयगणिविरचितम् , वाराणस्यां सं, १९७२
(3४) पार्श्वनाथचरित्रम् , श्रीभावदेवसूरिविनिर्मितम्, वाराणस्यां वीर सं. २४३८
(૩૫) પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી, શ્રી કલ્યાણસાગર-કૃત, પ્રા. તી. મા. સં. (જુઓ નં. ૮)
Page #30
--------------------------------------------------------------------------
________________
(૩૬) પાર્શ્વનાથનામમાલા, શ્રીમેઘવિજયકૃત, પ્ર. તી. મા. સં. (જુઓ નં. ૮)
(૩૭) પાર્શ્વનાથ સંખ્યાdવન, શ્રીરત્નકુશલ-કૃત, પ્રા. તી. મા. સં. (જુઓ . ૮)
(૩૮) પ્રવીવિજ્ઞાન, શ્રીગચરોતર-શત, ગુજરાતી ભાષાંતર, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૭૭
(૩૯) પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ ભાગ ૧, સં. શ્રી વિજયધર્મસૂરિ, શ્રી યશોવિજય જૈન ગ્ર. મા., સં. ૧૯૭૮
(४०) बृहत् चैत्यवन्दन, वाचकमूला-कृत, श्रीमद्विधिपक्षगच्छीय पांच प्रतिक्रमणसूत्र, भीमसिंह माणेक, सं. १९६१, पृ. ४१५
(૪૧) બ્રાહ્મણવાડા, લે. મુનિશ્રી જયંતવિજ્યજી, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્ર. મા, સં. ૧૯૯૧
(૪૨) મારી ક યાત્રા, લે. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્ર. મા, સં. ૧૯૯૮
(૪૩) મારી સિંધયાત્રા, લે. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, શ્રી વિજય ધર્મસૂરિ જૈન ગ્ર. મા. સન ૧૯૪૩
(૪૪) મેરી મેવાડચાત્રા, સે. મુનિરા= ત્રી વિદ્યાવિનય, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્ર. મા. સં. ૧૯૯૨ (૪૫) અતીવિહાર-
દિન, સં. મુનિરાક શ્રીચતીવિનાની, ભાગ ૧, સં. ૧૯૮૬
(૪૬) રૂપચંદકુંવર રાસ, શ્રી નયસુન્દર-કત, આ. કા. મ. મ. ૬
(४७) विविधतीर्थकल्प, श्रीजिनप्रभसूरि-कृत, सिंघी जैन ग्रंथमाला, शान्तिनिकेतन
(૪૮) વિહારદર્શન, મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી-કૃત, સં. ૧૯૮૮, શ્રી ચારિત્ર સ્મારક ગ્ર. મા.
(૪૯) વિહારવર્ણન, મુનિરાજ શ્રી જયંતવિજયજી કૃત, શ્રી યશોવિજય જૈન ગ્ર. મા, ભાવનગર સં. ૧૯૮૨
(૫૦) વૃદ્ધ ચૈત્યવંદન, શ્રી એમા-કૃત, આ ગ્રંથમાં પ્રકાશિત (૫૧) શંખેશ્વર પાર્શ્વનાથ છંદ, શ્રી નયસુન્દર-કૃત આ ગ્રંથમાં પ્રકાશિત
(પર) શંખેશ્વર મહાતીર્થ, મુનિરાજ શ્રી જયંતવિજયજી-કૃત શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્ર. મા, સં. ૧૯૯૮
(૫૩) શત્રુંજય ઉદ્ધાર રાસ, શ્રી નયસુંદરજી કૃત, આ. કા. મ. મૌ. ૬
Page #31
--------------------------------------------------------------------------
________________
(૫૪) શત્રુંજય તીર્થ-પરિપાટી, શ્રી દેવચંદ્રજી-કૃત, પ્રા. તી. મા. સં. (જુઓ નં. ૮)
(૫૫) શાશ્વત તીર્થમાળા, શ્રીમેકીર્તિ-કૃત, પ્રા. તી. મા. સં. (જુઓ નં. ૮).
(૫૬) શ્રી જોરાની તીર્થ આ તહાસ, સં. મુનિરાજ શ્રી તીજविजयजी, श्रीराजेन्द्रप्रवचन-कार्यालय सि., सं. १९८७
(૫૭) શ્રીજિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ, લે. પં. શ્રી. લાલચંદ્ર ભે. ગાંધી, લહાવટ, સં. ૧૯૩૯
(૫૮) શ્રી ભાનુમેરુજીની “ચંદનબાલા સજઝાય”, લે. ડો. સી. ક્રા, જૈન સત્યપ્રકાશ, સન ૧૯૪૭
(५८) सद्भक्त्याचैत्यवन्दन,श्रीमद्विधिपक्षगच्छीय पांच प्रतिक्रमणसूत्र (જુઓ નં. ૪૦)
(૬૦) સમેત શિખર તીર્થમાળા, શ્રી વિજયસાગરકૃત, પ્રા. તી. મા. સં. (જુઓ નં. ૮)
(૬૧) સુરસુન્દરી રામ, શ્રી નયસુન્દરજી-કૃત, આ. કે. મ., . ૩
(૬૨) સૂરીશ્વર અને સમ્રાટ, કર્તા મુનિરાજ શ્રીવિદ્યાવિજય, શ્રી યશવિજય જૈન ગ્ર. ભા, ભાવનગર, સં. ૧૯૭૯
(૬૩) સૂર્યપુર ચિત્ય પરિપાટી, શ્રી વિનયવિજય-કૃત, પ્રા. તી. મા. સં. (જુઓ નં. ૮).
(૬૪) હમ્મીરગઢ, લે. શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળા, સં. ૨૦૦૨
Page #32
--------------------------------------------------------------------------
________________
સંકેતેની સૂચી અષ્ટો =મહેન્દ્રસૂરિ કૃત “અષ્ટોત્તરી તીર્થમાલા આ. કા. મ., મૌ=આનંદ કાવ્ય મહેદધિ' (ગ્રંથમાલા) મૌક્તિક આબૂ-મુનિરાજ શ્રી જયંતવિજ્યજી-કૃત આ નામનો ગ્રંથ એ. જે. કા. સં. ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ એ. રા. સં. ઐતિહાસિક રામ સંગ્રહ ક૭યાત્રા'=મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી-કૃત બારી કચ્છયાત્રા કલ્યાણસાગર તેઓ દ્વારા વિરચિત “પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી' કેશવરામ શાસ્ત્રી તેઓ દ્વારા વિરચિત “આપણા કવિઓ, ખંડ ૧લો ગાંધી, કહે મુનિ'=૫. લાલચંદ્ર ગાંધી વિરચિત આ નામનો ગ્રંથ ગાંધી, જિનપ્રભસૂરિ= , , , ,, “શ્રી જિનપ્રભસૂરિ અને
સુલતાન મહમ્મદ' ગાંધી, “તેજપાલે’= , , , ‘તેજપાલનો વિજય ગાંધી, “પાવાગઢ= , , , ,, “પાવાગઢથી વડેદરામાં પ્રકટ
થયેલા જીરાવલ પાર્શ્વનાથ ગુર્નાવલી’=શ્રી મુનિસુન્દરસૂરિ–કૃત આ નામનો ગ્રંથ જે. એ. ગુ. કા. સં = જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય' જૈ. એ. રા. મા.=જૈન ઐતિહાસિક રાસમાળા જૈ. ગુ. ક.=જૈન ગુર્જર કવિઓ જૈન તીર્થ ગાઈડ=શ્રી શાંતિવિજયજી-કૃત આ નામનો ગ્રંથ જૈન તીર્થાવલી પ્રવાસ શા. લખમસી નેણસી સવાણી કૃત આ નામના ગ્રંથ જૈન તીર્થોન દાતિહાસ’=મુનિશ્રી જ્ઞાનવિજયજી કૃત આ નામનો ગ્રંથ જૈ. સ. પ્ર.=જૈન સત્યપ્રકાશ નામનું માસિક જે. સા. સં. ઈ.=જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છન્દાનુશાસન=શ્રીહેમચન્દ્રાચાર્ય-કૃત આ નામનો ગ્રંથ જ્ઞાનવિમલ તેઓ દ્વારા વિરચિત “તીર્થમાલા તી. ચે. તીર્થત્યવંદન’ ‘ત્રિભુવનદીપકપ્રબંધ=શ્રી જયશેખરસુરિ-કૃત આ નામને ગ્રંથ “દેવકુલ પાટક’=શ્રીવિજયધર્મસૂરિ-વિરચિત આ નામનો ગ્રંથ દેવચંદ તેઓ દ્વારા વિરચિત “શત્રુંજય તીર્થ પરિપાટી પા=પાર્વનાથ પા. છે.=શ્રીન સુન્દર-કૃત “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ પા. મા. શ્રી પ્રેમવિજય–કૃત ‘ત્રણસે પૈસઠ પાર્શ્વનામમાલા”
૩૧
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રબોધચિંતામણિ' શ્રીયશેખરસૂરિ-કૃત આ નામને ગ્રંથ પ્રા. તી. મા. સં. પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પ્રેમી શ્રી નાથુરામ પ્રેમ, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ બ્રાહ્મણવાડાં-મુનિરાજ શ્રીજયંતવિજયજી-કૃત આ નામને ગ્રંથ ભાવદેવસૂરિ તેઓ દ્વારા વિરચિત “પાર્શ્વનાથ ચરિત્ર મહિમા–તેઓ દ્વારા વિચિત “ચૈત્યપરિપાટી મૂલાવાચક મૂલા કૃત “બહત ચૈત્યવન્દન’ મેઘ તેઓ દ્વારા વિરચિત “તીર્થમાલા મેઘવિજય=તેઓ દ્વારા વિરચિત “પાર્શ્વનાથ નામમાલા” મેરકીર્તિ તેઓ દ્વારા વિરચિત “શાશ્વત તીર્થમાલા”
મેવાડયાત્રા"=મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી-કૃત “મેરી મેવાડયાત્રા” “તીન્દ્રવિહાર”-મુનિરાજ શ્રીયતીન્દ્રવિજયજી-કૃત ‘તીન્દ્રવિહાર-દિગ્દર્શન રત્નકુશલ=તેઓ દ્વારા વિરચિત “પાર્શ્વનાથ સંખ્યા સ્તવન રત્નસિંહ તેઓ દ્વારા વિરચિત “ગિરનાર તીર્થમાલા
લલિતપ્રભસૂરિ તેઓ દ્વારા વિરચિત “પાટણ ચિત્યપરિપાટી વિસાગર=તેઓ દ્વારા વિરચિત “સમેત શિખર તીર્થમાલા વિનયવિજય તેઓ દ્વારા વિરચિત “સૂર્યપુર ચિત્યપરિપાટી' વિવિ.=શ્રીજિનપ્રભસૂરિ–કૃત ‘વિવિધતીર્થકલ્પ' ‘વિહારદર્શન=મુનિરાજ શ્રીચરિત્રવિજયજી-કૃત આ નામને ગ્રંથ વિહારવર્ણન'=મુનિરાજ શ્રી જયંતવિજયજી-કૃત આ નામના ગ્રંથ ..-શ્રી મા-કૃત “વૃદ્ધ ચૈત્યવંદન' “શંખેશ્વર મહાતીર્થ =મુનિરાજ શ્રી જયંતવિજયજી-કૃત આ નામનો ગ્રંથ શાંતિકુશલતેઓ દ્વારા વિરચિત “ગાડી પાર્શ્વનાથ સ્તવન શીલવિય તેઓ દ્વારા વિરચિત “તીર્થમાલા શ્રી કેરટાજી તીર્થ કા ઇતિહાસ’=મુનિરાજ શ્રીયતીન્દ્રવિજયજી-કૃત આ નામ
નો ગ્રંથ સર્ભ=“સભકયા' ચૈત્યવંદન ‘સિધયાત્રા =મુનિરાજ શ્રીવિદ્યાવિજ્યજી કૃત ભારી સિંધયાત્રા' સૂરીશ્વર અને સમ્રા’=મુનિરાજ શ્રીવિદ્યાવિયજીકૃત આ નામને ગ્રંથ
ભાગ્યવિજય=તેઓ દ્વારા વિરચિત તીર્થમાલા ‘હમ્મીરગઢ =મુનિરાજ શ્રીજયંતવિજયજી વિરચિત આ નામને ગ્રંથ હેમવિજય તેઓ દ્વારા વિરચિત “પાર્શ્વનાથ ચરિત’ નોંધ સનના આંકડા ઉપર આવેલી ૧.૨ આદિ=બીજી ત્રીજી ઇત્યાદિ આવૃત્તિ
Page #34
--------------------------------------------------------------------------
________________
मूल ग्रंथो
Page #35
--------------------------------------------------------------------------
Page #36
--------------------------------------------------------------------------
________________
१ श्रीशद्धेश्वर-पार्श्वनाथ-छंद
श्रीनयसुन्दर-कृत (सं १६५६)
आर्या॥ वन्दे श्री शङ्खे श्वर पार्श्व सङ्कल्पकल्पतरुकल्पम् । विश्राणित-सुरतल्पं ह्यविकल्पानल्पसञ्जल्पम् ॥१॥ जल्पाम्यहमेनं मामापद्तमा श्व से न संरक्ष। भूयादत्र परत्र च नाथ त्वचरणयोः शरणम् ॥२॥ शरणं वृजिनविमुक्तं भावत्कं भक्तसार्थसंरक्तम् । अणिमादिभिरभियुक्तं दद्या मे देव दिननक्तम् ॥३॥ दिननतं भक्तजनानष्टभयेभ्योऽवतात् कृपासिन्धो । संसारजलनिधेरपि भव्यांस्तारय जगद्वन्धो ॥४॥ बन्धुस्त्वमेव जननी जनको मित्रं सखा त्वमेव पतिः । गुरुरपि दाता भ्राता त्वत्तोऽन्यः कोऽपि न त्राता ॥५॥ त्रातमी विजयं न य सुन्दर सर्वत्र शाश्वतश्च पदम् । भावद्रव्यारिमिमं वारय विश्वकवीर विभो ॥६॥ विभुतां विद्वत्संसद्यनवद्यां विद्यमान-सद्विद्यां । विद्यां सम्पत्सा दद्यास्त्वं देव देवेश ॥७॥
इत्यार्यासप्तकम् ।।
पूर्वछायु ॥ देव देव त्रिहूं भुवन तुं अवर नही कोइ ईस । स्वर्ग मृत्यु पाताल तुह यश जागतो जगदीस ।।८।।
रूपक मडयल छंद ॥ जगदीसं सखे स र पासं प्रगट प्रमाणे पूरे आसं । गुणोल्लसित शुद्ध मतिमाने जुं वाणी तूसे वरदानें ।।९।।
Page #37
--------------------------------------------------------------------------
________________
वरदाता माता जगि जाणी श्रीजिन-मुख-वासिनी वखाणी। तूठी कविजन कोडि कल्याणी सा स र स्व ती वरसति वरवाणी॥१०॥ वाणी कर वीणा रस लीणी आदि शक्ति सप्तस्वर मीणी । हंसासणि केसरिकटि झीणी बालकुंआरी पुस्तक प्रीणी ।।११।। प्रीणी सा संभारूं साची गणधर-मुख-मंडपि जाय नाची। आगम वेद पुराणे वाची वाणी दिद्ध सुधा जिम जाची ॥१२॥ जाची भाख द्राख जिम साकर वन्निसु पास परम परमेसर । भावट्ठि भंजन देव दयापर तू ठाकुर हू तोरो चाकर ।।१३।।
पूर्वछायु ॥ चाकर च म रा दि क असुर से निर्जर नाग विद्याधर, नर चक्कवे पौलो मी पति पाग ॥१४॥
रूपक अडयल छंद ॥ पागिरमें परतखि ज खि पा स ह प उ मा व इ पदकमल उपासह । छोड बंधु बंधव, भवपासह, नमो नमो संखे स र पा स ह ।।१५।। टोली नवल्ल मली अ स रा सह तान मान गावे गुण रासह । अवर देव अंतरज निरासह जिम हरि हस्तिमल्लइ निरासह ।।१६।। जेहने संग नही प्रमदा सह देव देव तेहना हूं दासह। करूं विनती थइ उदासह राखि राखि मुझ शरणि मुदा सह ।।१७।। तोथी अवर न कोइ सपराणो ताह्यरि करिजो रास पुराणो । तं जिम कहे तिम रहि वपुराणो तू अघ दहे नवीन पुराणो ।।१८।।
पूर्वछायु ॥ राणो राणि मिली सहू तुह पय पूजे पा स । तें बहु तीरथि पोहोवि तलि कि बहु नाम निवास ॥१९॥
रूपक प्रमाणिका छंद ।। निवास पास किद्धउ अनेकधा प्रसिद्धउ । समहीम नाम लीद्धउ, अनंत सुख दिद्धउ ॥२०॥
Page #38
--------------------------------------------------------------------------
________________
५
खंभा ति क्षुद्रखंडणी, अनाड नाड दंडणो । अराति जाति थंभणो, सो पासि पूजि थं भणो ॥ २१ ॥ कंसारि भी डिभंजनो, के सरियो मनरंजनो । दारिद्र मुद्र मंजनो, अजाहरू अंगंजनो ॥२२॥ जो देखी दुख धुजीउ, सु महर पास पूजिउ । घूघे सोजें अखंड, सो पास नव्व खंड उ ||२३||
भोइ दुख मोडणी, सो वेलु पास लोडणो । संसार भार छोडणो, कुकर्म जाल फोडणो ॥ २४ ॥ दक्षण देश दक्षणो, जो दुष्ट कुष्ट धक्षणो । सो अन्तरीक्ष रक्षणो, सेवंति सो विचक्षणो ||२५|| जो भोगरा पुरंदरो, विघन्न शत्र संहरो । कला रहु कलाधरो, अमी झरू अमीझरो ॥ २६॥ नमसि नव् पल्ल वो, सो पास शत्र - शल्लवो । भीमंजनो भटेवओ, श्री पर्व्व तो सुसेवउ ||२७|| खातु सुखंति पूरणो, दादो दारिद्र चूरणो । नमो आनन्द पुरणो, जो कीय लोक जुरणो ॥ २८ ॥
श्री पासजी पंचासरो, नारिंग रंग दे पुरो ।
वाड चु व्याधिवारणो को कु सुकाज कारणो ॥ २९॥
"
चारूप चित्ति आवीउ, धृत कल्लोल भावीउ । जीरा उल वधावीउ, कडी चु देखी फावीउ ॥ ३० ॥ गुडी चु राय गाइईं, वरकाण राण ध्याइहूं । गारल्लीउ आराहीई, वांछित अर्थ पाईई ॥ ३१॥ भाभो भलेस भेटीउ, कुकर्म मर्म खेटीउ । जिणंद बंद साम लो, वछोडि चेत आमलो ॥ ३२ ॥
बीबी पुरे चिंतामणी भाव भेठतां हणी । सो विजय आदिम पुरे चिंतामणि शकंद रे ||३३||
Page #39
--------------------------------------------------------------------------
________________
सुरूप सो म आदिमो चिंतामणि नमो नमो। जगत्र त्राण लाङमो से री सो पास लोड णो ॥३४॥ श्री पा स स हि स, न व फणो अंव ति, इ डरे थुणो। का सी-वासी, क र हाट को अमित्र अंगे चाटको ॥३५॥ क लि कुंड, कुर्क टे स रो, म ग सीपास, श्री पुरो। अहिच्छत्र को, ना ग द्र हो श्री मथुरो, राजग्रहो ॥३६।। जे सल्ल मे रि जाणीउ, ना गोर सो वखाणीउ। गंभी रो गिरिपुरो भणीउ दारिद्र मूलथी खणीउ ॥३७।। अशोकलोक अल व रे रावण आण सिर धरे। फलु धी ई आसा पली, सो डिल्ली इ खुला वली॥३८॥ पी रोज पुर भो य णो अमी अनंत लोयणो। श्री पास जी आरा सणो, गुडीचो गांमे चोढणो ॥३९॥ बीराजे रणथं भरे, मंडो वरो जोधपुरे । ग्वा ले र, बी का ने र को, जालु हुर, पुर हमीर को ॥४०॥ ज वा स, साग वाट को, कुक न्न, क ली कोट को। चुपट्टम ल्ल साय को, जिणंद मूलनायको ॥४१।।
पूर्वछायो॥ नायक नमो निरंजन, अंजनगिरि छबि नील । पास जिणेसर पुजीइ, ति मरी त्रिभुवन टील ॥४२॥
रूपक मुत्तीदाम छंद ।। (तुरंगम आयु समालहु कीजई इत्यादि ।) गुण टील स मीण ही, पाल विहार,
दी वे चु देव, दाहीद्रोसार। आ णी झू ऊंबर वाडी य नाम,
म हे वा-नाथ, ना को डो-स्वाम॥४३॥ मे ड ती यो पास नमो परमेस,
गोद डी उ गाले सर्व कलेस।
Page #40
--------------------------------------------------------------------------
________________
ना डोल, न डु लाइ चु देव,
रोही सुरंगि, आ बु चउ सेव॥४४॥ राण पुरि, सा द डी, कुंभ ल मे र,
दे लु ले, दुर्जन कीधा जेर । च उ खं भो स्वामी, समीधो दिट्ठ
झाडु ली उ, धार, दे वा सु विसिटु ॥४५॥ गुल वा डी उ, सो आम ले स र राण
बला जो देव, नमो ति लगा ण । थुण्यो प्रभु भी ल डी, ब ड ली माहि,
वी स ल पु रि, वंदी पो सी ने उछाहि॥४६॥ म हि सा णी उ, सत्य की, सो सिद्ध पुर,
नवसारी, सूरत, राधि न पुर । सा मी म ही म दा बा द पा र स नाथ
वंदी कर मागी महोदय साथ॥४७॥ मृग पल्ली गाम उ ना ओ पास
राज न पुरि रंगि रमिजे रास। राज नगर मांहि, आदि ठाम अनेक
वंदीजे पास जिणंद विवेक ॥४८॥
पूर्वछायु ।। करू विवेके वंदना, नाम न जाणुं छेक । नमो नमो त्रीह भुवन जे तीरथ अवर अनेक ॥४९॥
रूपक प्रमाणिका छंद ॥ अनेक ईम तूतणा तीरथ नाम छे घणा। में बुद्धिहीन बालके कहिवाइ सर्व सीद्ध के ।।५०।। ते लक्ष कोट सह मिली सो नाम; एके तूं वली। अनंत सिद्ध संकरो, सो पास श्री संखे सरो ॥५१।।
Page #41
--------------------------------------------------------------------------
________________
पूर्वछायो । संखे स र पुर पास जी प्रगटीउ परम दयाल । सेवक ने संपतिकरण, भव भावठ हर काल ।।१२।। काल अनादि अनंत तु रह्यो सदा शिव वासी ! रूप, न रेष, न राय रज, अकल एक अविनासी ।।५३।।
रूपक त्रिभंगी छंद ।। (पनमं दह रहणं अट्टहरहणं पुणवसु रहणं रस रहणं मिथ्यादि॥) अविनाशं ईशं जय जगदीश परब्रह्मेशं परमेशं असुरी-असुरेशं सुरेश्वरेशं नारीनरेशं नागेशं । मुनि-मुगति जगीशं जपइ जिनेशं लहे लील अविचल वासं सं खेस र पास पूरे आसं लील विलासं गुण वासं ।।५४।। तु विष्णु महेशं ब्रह्मगणेशं शक्ति सुरेशं सिद्धेशं भूतेशं भेशं हृषीकेशं सर्वज्ञेशं बुद्धश । योगी भोगीशं खुदा खगेशं षट्दर्शन मागे ग्रासं संखे स र पासं ० नही हास लासं खासं सासं नासं त्रास विषयासं गंगा गुण रासं रंभा भासं गावे जासं उल्हासं । मरकत मणि वासं तनु आभासं न य सुंदर तेहनो हूं दास संखे सर पास ०
॥५६॥ जस पुण्य न पापं आपो आपं विरह विलाप नहीं शापं जस सीत न तापं वन करी चापं नही आलापं संलापं । योगीसर जापं यशो दुरापं विश्वव्यापं गतमापं बालक जिम बापं निसुणी ढापं कलाकलापं कर थापं ।।५७।। संखे सर पासं०
पूर्वछायो । थाप करूं चिहु दिसी सुयश महिम महोदय वास । रसना एके अपढ नर किम कहें तुह गुण-रास ॥५८॥
Page #42
--------------------------------------------------------------------------
________________
रूपक सारसी छंद ॥ गुण-राशि मानव कवण गाइ ? गयण जो अंगुली गुणे, जल सयल सायर लहरि लेखे करी जो आपे मुणे । करि कोडि रसना, सुयश ताहारू न कहे सर्व पुरदरो, जागतु महिमा जगत्र जाणे पास तू शंखे स रो ॥५९।। कल्पांत-काले जल उलच्ये सयल सायरनुं यदा नीपन्न घणी रयणह-राशि दीठो, मान नवी थाइ तदा । तुह गुण अलेखे तिम देखे, कही न सके गणधरो जागतु .
॥६०॥ दारिद्र रुद्र समुद्र माहि बाल बुडा बापडा करगरे कायर अन्न पाखे, न लहे चोपड कापडा । तुह नाम तिह घर अलवि आवी लच्छि, रहे थिर थावरा जागतु ०
॥६॥ ज्वर दाघ घण्या, सइरी-सूण्या, को ढे रोढा थइ रया, हग करण नाशा, गमी आशा, चरण पाणि गलि गया। तुह पांय वंदणि होइ तखिण रूपे जेहवो रतिवरो जागतु ०
॥२॥ कल्लोल सा य र जै ऊछाल्यां, वाहण जई अंबर अडे, माहा वायु वाते खंड थाते; नाम जु तुह मुहि चडे । तुं कुसल खेमें नवल प्रेमें आणी मेले परिकरो जागतु ०
॥६३॥ विकराल झाला अग नि-ज्वाला पनि पसरी चिहु दिशे खिन माहे बालें नयर पुर घर, नंत्र-बल नावे वसें । तुह नाम-जल उल्हवे अलवे अस्यु दावानल भरो । जागतु ०
॥६४॥ फुफई फणि, विष झाल वरसें, लोल दील लबकावतो यम-जीह कालो अतिविकरालो सयल जग बीहारतो ।
Page #43
--------------------------------------------------------------------------
________________
करि साही राखे राशिनी परि ध्यान तुह धारक नरो जागतु ०
॥६५॥ बह साथ लुटे अति अखुटे, प्राण पंथीना हरे । चो र टा झोटा धाडि धीगट गाम पुर उद्धंस करे। तस थंभ राखे पास पाखे अवर कुण करुणाकरो जागतु . न बिहे पातक तात-घातक, छल जोइ छानां थई, पाडंति बारे, विष दीवारे, मरावे आगल रही। ते शत्र थाई मित्त जेह तु करे चित्त निरंतरो जागतु ०
॥६ ॥ तिखिण दाढा न हर गाढा, सी ह जीह नीगालतुं, करि-कुंभ फोयन, पिंग लोयन, पुच्छ मुच्छ ऊलालतुं । मृग होइ मृगपति स्वामी नामें, शशक द्वीपी चीतरो जागतु.
॥६८॥ महाकाय पर्वतप्राय, सुंडा, दंड, तुंड, प्रचंड ए मदजल झरते, मुशल-दंते करे तरु शत-खंडए । क्रोधांध धाइ, तूह पसाइ सौम्य थाइ सिंधुरो जागतु ०
॥६९॥ झलकति भाला भीम भाथी, सुभट बिहु पक्ष भडे तरवार तोमर करि कटारी अंगो अंगे आथडे । तुह पाय-समरण इश्ये महारण होइ जय-लखिमी वरो जागतु ०
॥७॥ ए अष्ट महाभय दुष्ट दारुण कोडि कष्ट निवारणो ज्वर सीत, एकांतर, दु ज्व र, तृतीयज्वर उत्तारणो। वलि विषम व्याधि अनेक वारक राजयक्ष्म कठोदरो जागतु ०
|:७१॥ आखइ डीले जकड जूड्या लोह सं क ल शं जड्या दुर्मार मारे, मुखि पचारे, दुष्ट दोषी वशि पडया ।
Page #44
--------------------------------------------------------------------------
________________
1॥७२॥
॥७३॥
॥७४
तस बंध चूरे ध्यान तोरे, दीये मान नरेश्वरो जागतु . आदित्य सोम धरे प्रेम, भौम बुध बलबुद्धिकरो सुरगुरु विशेष शुक्र साथे शनि सदा संकट हरो। तुह पाय-प्रीतो राहु केतो होइ ग्रह ग ण गुणकरो जागतु ० दुर्भगा नारी सदा सुभगा होइ यश सभर्तका वली मृतापत्या नाम धारे होइ जीवितपुत्रका । तुह ध्यान वंध्या पुत्र पामें सर्व लक्षण सुंदरो जागतु ० शाकि नी, भूत, प्रेत, व्यंतर, दुष्ट भोगादिक ग्रह्या कामणे कील्या, अंग खील्या, हृदय ते छंडी रह्या । नासवे तेहना दोष सघला नाम तुह मंत्राक्षरो जागतु वछनाग, सोमल, व्याघ्रवाल, कनकतरु, शरटकशिरं, अहिफेन, अहिविष, कालकूटं, सर्व जंगम थावरं । तु परम हंसा परम मंत्रो विषम विष नासन परो जागतु .
॥७६॥ जे काचकामल, तिमिर, वाषधिबिंदु, पडल, प्रवालए, रातिध, रोग अनेक लो च न, अवर पीड करालए । ते दोष वारण, नेत्र निरमल करे तं, अलवेसरो जागतु ० एकांत यत्र पवित्र पुहवी, राज राणी, मरस घणा, गज, तुरंगम बांध्या बारि झूले, रयण कंचण नही मणा। तुह चरण तुठा तणा ए फल, भक्त पायक परिकरो जागतु ० कामिनी कमला, पुत्र सबला, विनयवंत विचक्षणा, चालंता शत्रुकार सघले, नित महाछव पुण्य तणा ।
॥७७॥
॥७८॥
Page #45
--------------------------------------------------------------------------
________________
१२
सवि लोक वशि, यश पुहुवि मंडल लहे तुय पय अनुचरो
जागतु ०
व्याकरण, ककश तर्क, आगम अतुल पट्ट्र्शण तणा, वर काव्य, नाटक, भरह, पिंगल, ग्रंथ जे वरतें घणा । श्रुत महोदधि सकल, वाणी वासि मुझ मुखि मति वरो जागतु ०
112011
118011
मोहि वहियो, कर्मि सहियो, भजी न सकं तूहनें तू दीन ऊपर, दयासागर, कृपा करि हवि मूहनें । अपराध सवि वीसारे, स्वामी, तारि मो भवसागरो जागतु ०
रूपक भुजंगप्रयात छंद ॥
( लहू सोल सादीह बत्तीस दीने इत्यादि)
पूर्वछा ॥
संखे सरपुर मंडणी खंडण खंपण खोडि । दोषी दुष्ट दुअंग मां महामानी मढ़ मोडि || ८२||
कि तुं मोडिवा क्षुद्र मंद रुद्र जाण्यो कि तूं भक्त जन पालिवा प्रेम आण्यो । कि तुं सव देवेश देवे वखाण्यो कि तूं धीर थई धम महारथ तान्यो ||८३॥ किं तू हठी शठ कमठ नो हठ उतार्यो कि तें पन्नगो जलणि जल, उगाय 1 कि तूं धरण पति सौ करिउ एक हेलां कि तें तास पत्नी करी रंग रेलां || ८४ || कि तूं नारी प्रभावती नेह लगाडयो कि त म्लेच्छपति दूरि नामई नसाड्यो । कि तू पुरी प्रसेनजित् करी खेमें कि तें कुमरी प्रभावती वरी प्रेमें || ८५ ||
116311
Page #46
--------------------------------------------------------------------------
________________
१३
कि तूं मात वामा सणुं मन राख्यो कि तें तात ने वचन वैराग्य भाख्यो । कि तूं राज्य नरकांत जाणी न लीधुं कि तें गंगाजल पाइ पवित्र कीधुं ॥ ८६ ॥ कि तू सयल संसारनं सूख छांडो के तुं वनि जइ घोर महातप मांडयो । कि तूं कमठ उपसर्ग आव्ये न भागो कि तें क्षमारस राखिवा रंगि लागो ||८७।। कि तूं धीर थइ योग महाध्यान बेठो कि तें सकल योगींद्र मन- कमल पेठो । कि तूं मन वचन काय ना योग रूधी कि तें पांच इंद्रिय तणा पंथ बंधी ||८८ || कि तूं पवन पूरी रहीउ परम ध्याने कि तूं च्यारे पखि व्यापीउ चतुर ज्ञाने । कि तूं अंतर आत्म ध्यान आणी कि तें खरी षट्चक्रनी युगति जाणी ॥ ८९ ॥
कि तूं च्यार - दल - चक्र आधार थोभी कि तें षड्-दलो लिंग, दस- दलो नाभी । कि तूं कंठे, हृदये, दलं, बार, सोलं कि तें दोइ भ्रमध्य दीठो अमोल ||९० ||
कि तूं मांइ वर्णावली दले दीधी
कि तें कमल रोलंबनी श्रेणी कीधी ।
कि तू कुंडली शक्ति सूती जगाडी
कि तें पान पीयूष पुरी पमाडी ॥ ९१ ॥
कि तू जइ वस्यो सहस्र - दल - कमल मध्ये
कि तें तृप्ति पाम्यो तही तेज ॠद्धे ।
कि तूं नाद अनहद वाजित्र रातो कि तूं पान पीयूष करी पूर्ण मातो ||१२||
Page #47
--------------------------------------------------------------------------
________________
१४
कि तूं पान पीयूष पीतां न द्रायो कि तूं कोटि रवि अधिक प्रकाश पायो । कि तूं परमहंसो जप्यो "हंस सोहं" कि तें भाव रिपु धूजवीयो मोह जोहं ॥ ९३ ॥ कि तूं इडा वर पिंगला सुषुम्ना स्युं कि तूं त्रिवेणी संगमें आय वास्युं ।
कि तु हंस ने भ्रमर एकत्र आणी कि तूं झीलीउ सुषुम्ना सबल पाणी ॥ ९४ ॥ कि तूं हंस मधुकर दोउ विमल कीधा
कि तें पंक ने पास जावा न दीधा ।
कि तें राय विवेक ने मान दीधुं की तुं तास उपकंठ बहू कटक कीधुं || ९५|| कि तुं पुत्र निवृत्तिनो अतिसुहा वीउ कि तें आपणी पुत्रीका कर ग्रहावी कि तुं पुण्य रंग पाटण राज्य थाप्यो कि तें मोह-दल भंजीवा दूउ आयो ॥९६॥
-
की तूं सत्य सीहासणे इसो बेसाय कि तुं आण - अरहंत सिरि छत्र धार्यो || कि तं शौच संयम दीय चमर बेहु कि तें पटगज तत्त्व चिंतन तेहुं ॥९७॥ कि तूं पुत्र विवेक ना गुहुर कीधां कि तें मोह - सुत साथि विलगाडि दीघां । कि तूं काम वैराग्य हाथ हणाव्यो कि तूं संवरे राग हेला जिणाव्यो || ९८ || कि
तू समरसें द्वेष निःशेष वार्यो
कि तें सम कि तें मूल मिध्यात्व मार्यो ।
कि तूं आलसो अलग किय
रुष का रे
G
कि तें हन्यु प्रमाद ज्ञान - तलारे ॥९९॥
Page #48
--------------------------------------------------------------------------
________________
कि तूं शम वि न य सरल संतोष शूरा कि तें क्रूर को धा दि सवि कीघ दूरा । कि तू शी ल सेलहत्थे म द दूरि काढ्यो कि ते वस्तु - सुविचारे चार्वा क पाड्यो ॥१००। कि तू पर परिवा द शुभध्या ने धोयु कि ते सुगुरु - उपदे शे अमरिन द्रोह्यं । कि तु रंगि ऋजुभा वि करि छद्म छेद्यो कि तूं शुद्ध आ चारे पाखंड भेद्यो ।।१०१।। कि तूं सि द्धि बुद्धि अरति रति मान गाल्यो कि तें सु गुण निर्गुण - सभा संग टाल्यो । कि तूं आ गमार्थे परिग्रह प्रणास्यो कि तूं क्रि या करि सर्व कंद ल विणास्यो ।।१०२।। कि तूं सबल संवेग लीधुं सखाइ कि तूं पोसीउ निपुण निर्वेद भाइ। कि तु सप्त तत्त्वे हरियां व्य स न साते कि तु शत्रु सेना हणी सव माते ॥१०३॥ कि तु सबल संग्राम घट मांहे कीधो कि ते मोह भड भंजिउ जगी प्रसीधो। कि तुं मुक्ति ने काजए मति मंडि कि ते चेतना चित्त थी किही न छंडी ॥१०४!। कि तू पिंड ब्रह्मांडनी पइर बूझी, कि तें वात त्रिहु भुवननी सकल सूझो । कि तू झलकतो के व ल ज्ञान पायु, कि ते तेज जग त्रिणि मांहि न पायुं ॥१०५।। कि तू सयल देवे मिली पाय वंद्यु, कि तें त्रणि गढ मांहि आव्यो आणंद्यु। कि तू रयण सीहासणे, स्वामी, सो, कि तूं छत्र सिर, चमर ढालंति जोयु ॥१०६॥
Page #49
--------------------------------------------------------------------------
________________
१६
कि तूं च्यारि मुखि क्यार परि धर्म भाख्यो, कि तें नरय पडत भव्य लोक राख्यो । कि तू संघ चतुर्विध सबल थाप्यो, कि तें मुगतिनु मार्ग तस वेगि आयो || १०७ ॥
कि तें कर्म-रज सयल साथै नीवारी,
कि ते वेग वरीउ जइ मुगति नारी । अछेदो, अभेदो, कितु आप बुधो, कि ते एक शत आठ ना मे प्रसीधो ॥ १०८ ॥
कि तूं जिनवरो, परम शंकरो, स्वामी, कि तें शरणदातार, शिव - गति - गामी । कि तुं देव-देवो, परम शक्ति धारी, कि तुं श्रोकरो, सर्व विघ्नापहारी ॥ १०९ ॥ कि तूं सर्व सिद्धि प्रदो, स्वयंसिद्धो, कि तें सर्व-काम-प्रदो, परमशुद्धो । कि तू सर्व सत्त्व- हितो, जगन्नाथो, कि ते निर्विकारो, निरामयो, नाथो ॥११०॥
कि तूं शिवो, योगी, चिदानंदरूपो,
कि ते स्फटिकसंकाश, परमस्वरूपो ।
कि तू परमार्थप्रदो, परब्रह्मो,
कि तुं लोकालोकावभासो, अजिह्मो ॥१११॥
कि तू अजो, परमेश्वरो, परमात्मा,
कि तूं शंभु विश्वेश्वरो, प्रमोदात्मा ।
कि तूं परो, परमद्युति, प्रकाशात्मा, कि तूं दिव्यतेजोमयो, ज्ञानात्मा ॥ ११२ ॥
कि तू सर्वोत्तम. श्रीनिवासो,
कि तें सर्वगो, परब्रह्मप्रकाशो |
कि तू सर्वदर्शी च सर्वज्ञ, एको, कि तूं अजर, अमरो, अनंतो, अनेको ॥११३॥
Page #50
--------------------------------------------------------------------------
________________
कि तू सर्वदेवेश, तू सर्वव्यापी, कि ते जगद्गुरु तत्त्वमूर्ति थापी। कि तूं परमेशो, कि तुं परम-भानु, कि तु परम-चन्द्रो, कि ते परमप्राणो ॥११४॥ कि तू परम अमृत-सिद्धि-प्रदाता, कि तूं सर्वात्मा, स्वयंभु, विधाता। के तुं सनातन, सदाशिव, शंभु, ईशो, कि तूं शुभ-प्रद, सर्व-क्षेत्राधीशो ॥११५।। कि तू सकलो, विकलो, शुभ-समुद्रो, कि तूं अव्ययो, त्रिदश-वृद्धो, सुरेंद्रो। कि तू निर्ममो, निरंजन, निराकारो, कि तें सर्व-सत्त्वेश्वरो, सहकारो ॥११६।। कि तू निर्विकल्पो, नरोत्तमो, पुंसो, कि तूं नित्य-धर्मो, प्रभु, परमहंसो कि तूं व्योमाकार-रूपो, अलक्ष्यो, कि तूं रूपत्रितयीमयो, ध्यानलक्ष्यो ।।११७।। कि तू परम-द्रष्टा, परामृत, प्रधानो, कि तूं अच्युतो, आद्य, शांताभिधानो। कि तू अप्रमेयो, अनाद्यो, अव्यतो, कि तुं निर्भयो, परमाक्षरो, व्यक्तो ॥११८।। कि तूं परमानंद, ब्रह्मद्वयेशो, कि तूं ॐकाराकृति, भूतेशो। कि तू मनःस्थिति प्राण आरूढ कीधी, कि तूं सर्व-देवोपमो कीर्ति लीधी ॥११९॥ कि तू सर्व तीर्थोपमो, मनो-दृश्यो, कि तूं परापर-मन-साध्यो, प्रशस्यो। कि तूं मनोध्येयोऽथ भगवान् , नित्यो, कि तूं शिव-श्री-सौख्य-दातार, सत्यो ॥१२०।।
Page #51
--------------------------------------------------------------------------
________________
१८
कि तूं वीनव्या नाम शत आटु वारू, कि तें नही, विभो, एतला नाम सारू । कि तू नाम छे सहस्र, लखि, कोडि जोडी, कि तूं किम करी वर्णवु, बुद्धि थोडी ।।१२१।। कि तु भक्तने मुक्ति दातार दीट्ठो, कि तूं सेवतां सुधा-रस पाहें मीट्ठो। कि तूं “ॐ नमो भगवते पार्श्व नाथं," "मा या, धरण, पद्मा व ती सहित” साथं ।।१२२।। कि तू "अट्टे मट्टे च क्षुद्र विघटे,” कि तुं "स्तंभ य, स्तं भय,” क्षुद्र थटे । कि तू "चूर य," दुष्ट दारिद्रय चूरं, कि तुं “पूर य,” वां छि त स्वाहा पूरं ॥१२३॥ कि तूं “न मि ऊ ण पास वि स हर" जिणं दं, कि तुं “वि स ह जिण फुलिं गं" सदानंदं । कि तू प्रण व, मा या, श्री- का र-युक्तं, कि ते नाम अहँ सुर-वंद्य जप्तं ॥१२४।। कि तू मंत्र - विधि विविध किय जपीय जाणुं कि तुं एक तूझ नाम मुख कमलि आणु । कि तू पास जि न पास जि न कही वखाणुं, कि तुं तेणे मुझ करि सफल विहाणुं ॥१२५।। कि तू विनवीउ बाल जिम बोल भाखी, कि तूं में ग्रही सहस्र-दल कमल राखी । कि तूं प्रगट था, देव, दरसन आपी, कि तूं सदा मुझ घटि रहें सर्वव्यापी ॥१२६।। कि तू माहरी आपदा वेग वारे, कि तूं दुख-सागर पड्यां, देव, तारे । कि तू भेट दइ भक्तने हीया हेजे, कि तू पास जी, कुशल कल्याण देजे ॥१२७॥
Page #52
--------------------------------------------------------------------------
________________
अथ षट्पद कवितानी ।। शुभ संपूरण आयु, काय नीरोग निरंतर, विद्या, विनय, विवेक, विमल वाणी, अविचल, वर, पूरण अर्थ, प्रताप, ध्यान निर्मल, यश उज्ज्वल, बोध-बीज, बल बुद्धि, मरण सुसमाधि, मुगति-फल, ए आस, पास प्रभु, पूरजे, कृष्ण-कटक निर्जरा करण, वली सर्व वि ज य सुंदर बिरुद सकल संघ तूह पय-सरण ॥१२८॥ आवे वर्ण अढार, पास आशा करी तोरी, संघ न लभे पार, सार गुण गावे गोरी, महके अगर, कपुर, वास, केसर, कस्तूरी, चंदन चरचे पाय, ध्याय, मन आनंद पूरी, कलि-काल मांहे आखे अणी देव एक तूं जाणीयो, महाम्लेच्छ हाथ जोडावीया, जग सघलो वशि आणीयो ॥१२९॥ आज भयो सुकयत्थ, आज परमानंद पायो, आज लहिउ परमत्थ, आज दुख दूर गमायो, आज काज सवि सीद्ध, पीध पीयूष परम रस, भेटीयो पास जि णं द, हवां निर्मल दृग् मानस, संवत सोल छ प न वे, आसो वदि नवमी नमो, नक्षत्र पुष्य मंगल दिवस पा स-छंद पूरण हवो ॥१३०॥ हवां कोडि कल्याण, जाण जाणी मन रंज्यो छंद भणी उ भगवान, भक्त भय भावदि भंज्यो, सूणी सिद्धि करि हाथ, गुणी गुण अंगे आण्यौ, प्रह उट्री प्रत्यक्ष सदा करि सफल वीहाण्यो, गंगाजल निर्मल गुण रयण थुगुं देव तारण तरण, श्री संखे स र पास, संकट-हरण, सकल संघ मंगल-करण ।। ५३१।। श्री संखे स र पास पास ध र णिं द सूहावे, पउ मा व ई बिरद जास सकल गुण गावे, कलियुग कामिक देव, हेव पुरुषोत्तम पायो, कामधेनु, घरकाम, हाथ चिंतामणि आयो, बुद्ध भानु मे रू-सेवक भणे, स्वामी मया साची करो, न य सुंदर शिष्य संपतिकरण, जयो पास संखे स्व रो ॥१३२॥
Page #53
--------------------------------------------------------------------------
________________
२. त्रणसो पांसठ पार्श्व-जिन-नाम-माला
श्री-प्रेमविजय-कृत (सं. १६५५)
ढाल
(आदीश्वर–वीवाहलानी "माई धन सुपन नु धन जीवी तोरी आज' ए देशी)
श्री सरसति, मुझ मति आपी, पूरो आस, नाम-ग्रहण करेस्युं त्रिण सि पांसठि पास । संषेधर, संतु, सीधुओ, चंद्रषेण राय, सविनो, सुषदायक, सामलो प्रणमुं पाय ॥१॥ सुषविलास, समी. जो सुषसेन, संडेरो देव, सत सतफणो, सेरीसो, सीरोडी करूं सेव । संभेरो, सवेलो, संकट हरि, सीह-पास, समीयाणी, सोवनगिर, सहसफणो पुरि आम ॥२॥ श्री सोम-चिंतामणि, सोपारो, सोवक सार, सुंडालो, साहिब, सारमंगा उदधि पार । सीसोद्यो, सांमता, सोझीत, सिंघपूरि चंग, सीघल-दीप, सुराउर, सुबुध पुजु रंग ॥३॥ पचासर, पावो, पालविहार, पुंडरीक, पातो, पदमावती, पाली, पंचनद व छेक । पारकर, पोसीनो, पंचफणो, पांचाल, पंषरूपी, पाडो, पीवीवाडो, पानोरो, वीसाल ॥४॥ नारंग, नवरंगी, नरहडो, नवपंड, नीलकंठ, नवनील, नवपलव अपंड। नगरकोट, नागद्रह, विश्वचितामणि रंग, नागफणि, नवसरि, विश्वस्वामी करू संग ।।५।। नीमोजो, नलोडो, नागीसेत चोमुख, नवनिधान, नगीनो नीमोडो दि सुष ।
Page #54
--------------------------------------------------------------------------
________________
मगसी, नि मोहन, मनसुष, मनविलास, मालव-पास तुमो, बीबीपुर, मनरंग षास ।।६।। मणधर, मंगल-दीह, महीयल, मंगलकार, मलयाचल, मंडल, मरहठ, महीय, उदार । मेहुली, मुरजाई, मदो, मथुरा होइ, मूलनायक, मरीवो, मातो, मुमुण सोइ ।।७।। मंजाउरी, मीढागिर, मंजाउद, मंडाउर, मंगाउद, मुंडेसि, मंडाहड मुगमन, मजाउर । लोडण, नि लटकण, लाषीणो, लीबोज, लषाउली, लाडिको. लाडण, लीबोटो पोज ।।८।।
ढाल (समत्य सीप्यरना चैत्य-प्रबाडनी 'शांति जिणेसर नमीय पाय,मन वंछित कामी” ए देशी)
हथनाउर, हरीज, हेम, हेमाणो, हमीर, हेमाचल, हांसोट, वली हरमज जिनधीर । वीजि-चिंतामणि, वीरसेन, विश्वभूषण, वरकाणो, वाहाली, वंछितपूरण, वसंतपुर, वाडी राणो ॥९॥ वेलोगडी, वेई, वाडी, वेणी, वाकोली,, वांकारली, वेडच्छड, वधनोर, नइ वेलाउली । वाणही, पास वेलओ, वीझेली, वीकानेर, वगडी, वेगगद्रो, वच्छेद, वरटालि फेर ॥१०।। विधनहर, वलही, वाकी, भटेउ सामि, भीडभंजन, भाभी, भोगपुरो लेउ नामि । भीमसेन, मुहड, जिन भावी को भीनमाल, भद्रेसर, भुहर, जीराउल भूआल ॥११॥ " जगमोहन, मनपंत, जंगपूरण, जगदीस, जपुज, जोधपुर, जेसलमेर-पुरि जगीस। जवन, जवानो, जापोरो, जारोड, जिसाम, जिसेहर, जाउर, जुठो पुरि कोड ॥१२॥
Page #55
--------------------------------------------------------------------------
________________
बोबडोदो, बलोलीयो, बाहडमेर जाणु, बलाजो स्फुरावीय, बिहरीय वषाणु। बलोलो, बावो, बीरोजो, बाहुली, बोहो, बाहाधरपुरण, बनथली, वीलवाणी मोहो ।।१३।। रावण, रोगहर, रंगरोल, रवितेज जाणुं, रपडी, रामो, रोडक, रणथंभ वांणु। रंगकरि नि विघनहर, रतन-भूषण गास्युं, रतनाकर, राणो, षेमकर, घेवडीयो धास्युं ॥१४!! षसषस, षीमो, परहडी, पास-पास नमीजे, षेतलवसही, षेडकर, गजगपुर प्रणमीजे। गोषास, गोमुष, गाडरी, गहुआलो, गंगाहर, गोमट, गोपावलु, घुमलीय, घीयो सुषकर ॥१५॥ घोतकलोल राज, धरणीधर, धर्मधज जिनराज, धर्मचिंतामणी थुणा मती धीणोजो आज। तिमरी, तिलगाणो, तेजलपुर, थंभण, थीर कहीय, धीणोधो, नि धालनेर, फलविधी सुष लहीय ।।१६।। फलभर, फलोधो, फरस फण, तीन फणो जाणुं, तीलो लीयो जिन तेरफणो, देलवाडि वषाणुं । डबोही, डाकर, डोडीयाल, डमरूं, डुंगरपुर, डुषषंडण, डाकी, ढढेर, डीकपुरण नमि सुर ॥१७॥
ढाल
('म म क म म करु देवर आणो अमे नही ते वाली रे' ए देशी) छत्रालो छखपूरण, छीछली, छान, छायापुर राजिजी, छावठी, छायागिर, ईडर, ईदोडो जिन गाजिजी। कोको, कलीकुंड, कनक, कठोली, कामसेरी, कोठारोजी, कणक, कंबोइ, करहडो, केश्रीसी, कलालो, कनडी दुषवारोजी ।।१८।। करकु, कमल, कुंडण, कडेसर, कुंभपुर, कामीत-पुरणजी, कापडीयो, करणपुरी, कुंकण, कोलीयो, करकटेस, दुष-चूरणजी।
Page #56
--------------------------------------------------------------------------
________________
२३
कुंजर, काकण, नि कोलीयाली, कतबपुरो दुष वारिजी, कलधरी, कल्पद्रुम, कंटसेज, कुसलपुर मन तारिजी ॥ १९ ॥ कोटी, कोरडो, किलवाड, जिन कुंकुमरोल नमीजेजी, अंतरीक, अवंती, अमीझरो, अझारो ध्याईजेजी । आस्यापूरण, आरासण, आम, आरीसो, आणंदोजी, अजोध्या, आतरी, अमीर्बुद, अहीछतो सुष-कंदोजी ||२०|| अग्यार-फणो, अभिनव, आणंदपुर, आसण, अमृतपूरोजी, अहीछटो, ऐरावण, आहलणपुर, आनीवाडो, गुणसूरोजी, चिंतामणि, चोपटल, अभिजन, चित्रोडो, चास्पोजी, चंदन, चोमुष, चेलन, चावोलो, चोरवाडो, बहुरूपोजी ||२१|| चोवीसवटो, चमीन, चंद्रपुरी, चंदोडो, चोचलीयजी, चोगुणो, चक्रवर्ती दयापुर, दादो, चंदेरी, चांपानेरइंजी, देवाली, दीपमंगल, दयाथल, देलोलीयो, दागमालोजी, दुषविहंडण, दसपुर, दिगवाडो, दोरगु, चोलरोजी ||२२||
•
टाल
[ कपूर होइ अति ऊजलं रे वलीय अनोपम गंध रे बहिनी जेहनि जेस्यु रंग ] श्रीपुर, कोटो, दुधवड रे, झंकार व वरदेव ।
स्वेत चिंतामणि, एलीयो रे, एलोलि करु सेव, हो भवीया ॥
पूजो श्री जिन पास, जेहना सकल सुरासुर दास, जेहन नाभि लील विलास, हो भवीयां, पूजो श्री जिन पास ||२३||
आवला, उडणो, ऊडीचो, टोकरि रे, टाकलो पास जिणंद । चरण पसाय जेहनि रे पन्नग हूयो धरणेंद, हो भवियां - पूजो ||२४||
यादव दल जीवाडीयो रे, अभयदेव तन दीध ।
सुपांतर तुं समरीयो रे, तेहना वंछित सीध, हो भवियां - पूजो० ||२५||
रोग, जल, जलन, विसहरा रे, नासि सपण, भूत ।
ताहरु नाम जपंतडा रे, लहीइ कलत्र वरपूत्र हो भवियां - पूजो० ||२६||
पांचसि वाहण वूडतां रे, तेइ राष्या जगदीस ।
धनदत्त सेठ तणा हुता रे, पूगी तास जगीस, हो भवियां - पूजो० ||२७||
Page #57
--------------------------------------------------------------------------
________________
नाम अनेक तुझ ठाम ठामि रे, कहता न लहुं पार । प्रणमि प्रह उठी सदा रे, धन धन तस अवतार, हो भवियां-पूजो०॥२८॥ पास जिणेसर तुम तणा रे, एणि कलिजुग आधार । सेवा लहीइ जो ताहरी रे, तो सही पाम्या पार, हो भवियां-पूजो०॥२९॥ पांडव बा ण र स चंद्र मा रे, ए संवत नु मान । आसो सुदि दसमी दिने रे, वार गुरु प्रधान, हो भवियां-पूजो०॥३०॥ त्रिभोवन तिलक त्रंबा व ती रे, जिहां श्रीथंभन पास । अ क ब र पुर माहि प्रेम वि ज य रे, रच्यु अति मन उहोलास,
हो भवियां-पूजो०॥३१॥
कलस
इति वणि सि पांसठि पास जिननी नाममाला मनोहरु, . जे भाव भणसि अनै सुणसि, तास घरि आणंद करु । तपगच्छ श्री विज य से न राजा वि मल हरी प वाचक वरु, र त्न हर्ष बंधु प्रेम बोलि पास जिनेसो भरु ॥३२॥
Page #58
--------------------------------------------------------------------------
________________
३. श्रीवृद्धचैत्यवंदन
श्री-खेमा-कृत पहला प्रणमुं प्रथम नाथ । श्री आदि जिनेसर । बीजा अजि इ जिणंद देव । वंदु परमेसर । ए श्री संभ व भवसमुद्र । तिहुअणनउ तारण । श्री अभिनंद न, सुमति नाथ । दोए दुरगति निवारण । पद्मप्रभ, श्री सुपास जिण। श्री चंद-प्रभ स्वामि । प्रहि ऊठीनइ प्रणमसिउं । नवनिध हुईं जस नामि ॥१॥ . विधिसिउ वंदउ सु विधि नाथ । शी त ल सुखदायक। श्रेयांस नइं श्री वासुपूज्य । जीवन जग नायक । वंदक विमल, अनंत, धर्म । ए अचिंत चिंतामणि । शांतिकरण श्री शांति, कुंथु । अर, मल्लि मुकुटामणि। श्री मुनिसुव्रत वंदसिउं ए। श्री न मि, ने मि कुमार । पास, वीर जिन प्रणमसिउं। जिम हुइ हर्ष अपार ॥२॥ त्रिभुवन माहे जे छइ जिन । प्रासाद शाश्वता अशाश्वता । ते सवि वंदउं वरतमान। अतीत अनागता। श्री सीमंधर विहरमान छइ । वीस तीर्थंकर । अडढीआं दीपां माहि । साधु जे महा मुनीसर । ते सवि वंदउं भगति भरे । श्री जिन सासन सार । जे अहनिसि आराहसि । ते तरसिई संसार ॥३॥ हिव श्री सेत्तु जइं सिर स्वामि, वंदउ ऊ जयंत गिरि। अष्टा पद नई स मे त सि हर। जिनवर नं दि स रि। घोघे नवषंड, कुल्पाक पास । जिन जे जग तारिं। जीवित स्वामि जुगादिदेव । वंदो सउंपारई। भरु अछि वंदउ मुणिसुवए । थंभण पुरि श्री पास । पाटि णि श्री पंचास रो । जे प्रभु पुरइ आस ॥४॥ दही उ द रि श्री शांतिनाथ । दुह दुरिअ विहंडण ! पल्ल विहार जुहारि वीर । सा चोर इ मंडण ।
Page #59
--------------------------------------------------------------------------
________________
गोडी, जीरा उलि पास । वंदुं वर का गई। फल व धि रावण नउ प्रताप । जे जगि सहु जाणई। राज ग्रि ही, वि भार गिरे। वंदउ वीर जिणंद । महुरी पास सामि नमि । पामउ परिमाणंद ॥५॥ . एकल्लमल्ल चोलेर पास । चउ-गइ निवारण। वि झोल्या छइ पास नाथ । भव-सायर तारण । मांड लिग ढि महिमा निधान । वंदु सुविहाणि । नाडो लि रा आ विहार । ते जग सहु जाणइं। नडु लाई आ नित्य वंदसु ए। जिहा छे जिणवर देव । कुंभल मे रई छई आदिनाथ । इंद्र करई जस सेव ॥६॥ नलिणि-विमाण समाण । राणपुरि वंदों घडमुखे। नवपल्ल व नई चित्र को टि । जिन वंदो शिवसुखे । मांड पि वंदउ श्री सुपास । म ग सी, नवसारी य । विजान गरी, ईड रि युगादि । व ड न गरि जुहारिय । आरास णि, अबु द सिहिरे । वंदो विमल विहारि । नाण इ नइ वली ना दिय । जीवित स्वामि जुहारि ॥७॥ सेत्रुजानी स म वडो । देव दीठो लोटा गई । वंदु बंभ ण वा डि वीर । जिणवर जे ध्याणई । अवर जि के छै गामि ठामि । ते सवि हुं जिणाले । सी रोही श्री आदि प्रमुख । वंदु त्रिहुं काले । इम तीरथ खेमो भणे ए । जे वंदई एक चंत । ते अजरामर पद लहै । पामे सुख अनंत ॥८॥
Page #60
--------------------------------------------------------------------------
________________
. (૨) ટિપની*
૧. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ છંદ ૧૪ ચમરાદિ અસુર=દક્ષિણ દિશાના અસુર કુમારો' (દેવોના ચાર નિકોમાંના ભવનપતિ નિકાયના એક વિભાગ)ના ઈન્દ્ર “ચમરી અને બીજા અસુર કુમારે; “નાગ’=નાગકુમાર (આ જ ભવનપતિ નિકાયનો એક બીજે વિભાગ); “ચકક=ચક્રવર્તી; પૌલોમીપતિ’=ઇન્દ્ર
૧૫ “જખિ પાસહ'=પાર્શ્વનામના યક્ષ
૧૬ અર્થઃ-(પદ્માવતી) અસરાઓની નવી નવી ટોળીઓ સાથે મળીને (પાર્શ્વનાથની) ગુણરાશિ તાન માનપૂર્વક ગાય છે, કે જેથી બીજા દેવો અંતઃકરણમાં નિરાશ થાય છે કારણ કે તેના ગુણોની તુલના પાર્શ્વનાથના ગુણની સાથે થઈ શકે તેમ નથી), અને હરિ (ઈ) પોતાના વાહન હસ્તિમલ (ઐરાવત હાથી) ઉપર બેસીને નિરાશ્રય (આશ્રય રહિત) થાય છે (કારણ કે એમના પરિવારની અપ્સરાઓ વગેરે પાર્શ્વનાથની પ્રશંસા કરવામાં મગ્ન થઈને એમની તરફ ધ્યાન જ નથી આપતી).
૧૭ ‘અમદા'=સ્ત્રી –
૧૮ “સપરાણ શક્તિમાન, ‘વપુ' શરીર (જુઓ “રૂપચંદ કુંવર રાસ (આ. કા. મ. ૬ પૃ. ૧૧૨ ૫.૮૯) કે જ્યાં આપણા કવિ આ શબ્દને આ જ અર્થમાં વાપરે છે), તેને રાજા આત્મા, એટલે તારો આત્મા તારા કથન પ્રમાણે રહે છે, અર્થાત તારા વશમાં છે, એટલે કે તારું આત્મદમન પૂર્ણ છે; “અઘરુ=પાપ
૨૧ ખંભાતિપાસિ...થંભણ'=ખંભાતના થંભન પાર્શ્વનાથ;“અરાતિ'= શત્રુ – - રર કંસારિ ભીડભંજનો'=કંસારીપુરના ભીડભંજન પાર્શ્વનાથ; “અજાહરૂ ઉનાના અઝારા પાર્શ્વનાથ; “અગંજન =જેની સામે ઉપદ્રવ નથી થઈ શકતો તેવા અથવા “અગિજનો' (શત્રુનાશક) –
૨૩ જેના દર્શનથી દુઃખ દૂજે, અર્થાત ભાગી જાય તેવા “મુહુર પાસ= મુહરિ પાર્શ્વનાથ (ટીટેઈ ગામમાં); “ધૂ.પાસ નવખંડઉં” ઘોઘાના નવખંડ પાર્શ્વનાથ; “સોજે'=સાંજે અથવા છાજે – - ૨૪ ડભાઈ...લોડણી =ડભોઇના લાડણ પાર્શ્વનાથ; વિલું =વેળુના, અથવા વળી.જે વ્યક્તિવાચક નામોની વધુ વિગત અનુક્રમણિકામાં આપવામાં આવશે–
૮
ક
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૫ “દક્ષણ' દક્ષ, સમર્થ “ધક્ષણો'=ધખવે છે, બાલે તેવા; “અંતરીક્ષ રક્ષણ'=અંતરિક્ષ પાર્શ્વનાથ; “સેવંતિ સે વિચક્ષણ'=જે એમની સેવા કરે છે તે બુદ્ધિમાન છે–
ર૬ ભોગરા =ભેગપુરાના; “પુરદરો'=ઈન્દ્ર, પ્રભુ; “કલારહું' =કહાર પાર્શ્વનાથ; “કલાધર'=કલાયુક્ત, અથવા કાલધર પાર્શ્વનાથ “અમીઝરુ. અમીઝરો' અમૃત ઝરતા અમીઝર, પાર્શ્વનાથ.
ર૭ “નમસિ’=નમન કરીશ; “નવ્વપલ્લ=નવપલવ પાર્શ્વનાથ; “ભીભજનો)=ભયનાશક; ભટેવઉ=ભટેવ પાર્શ્વનાથ; શ્રી પલ્વેતો'=શ્રી પર્વતના પાશ્વનાથ.—
૨૮ “ખાતું=ખાતા પાર્શ્વનાથ; “અંતિ' ખંત, તીવ્ર ઈચ્છા; “દાદો'= દાદા પાર્શ્વનાથ આનંદ પુરણો’=આનંદપુરના પાર્શ્વનાથ; જે કીય લોક જીરણ =જેણે જગત ઉપર અસર કરી છે.–
ર૯ “નારિંગ =નારિંગી પાર્શ્વનાથ; “વાડીચું =વાડીના પાર્શ્વનાથ; કો'કોકુ પાર્શ્વનાથ.–
૩૦ “ચારૂપ'=ચારૂપના પાર્શ્વનાથ; “ચિત્તિ આવી'= યાદ આવ્યો; “ધત કલ્લોલ” અને “જીરાઉલ'=આ નામોના પાર્શ્વનાથ બિ; “કડી, કડીના પાર્શ્વનાથ; 'દેખી ફાઉ=એમને જેવાથી લાભ થયો.–
૩૧ “ગુડીચુ રાય’=ગુડીચો રાજા અર્થાત મૂલ ગોડી પાર્શ્વનાથ'; “વરકાણ રાણ' વાકાણ પાર્શ્વનાથ; ગારસ્લીઉ’=ગારડીઓ યાગાડરિયો પાર્શ્વનાથ
૩૨ “ભાભો'=ભાભા પાર્શ્વનાથ; “ભલેસ' કદાચિત “ભલેરો' હશે અને તે પ્રમાણે “ભાભા'નું વિશેષણ યા તો તે “ભદ્રસ' અર્થાત ભદ્રેશ્વરનો પાર્શ્વનાથ, વા ભદ્રાવતીનો પાર્શ્વનાથ હોઈ શકે; “ખેટીઉં=ખેડ્યું, અર્થાત પાર કર્યું; “સામલો'=સામલા પાર્શ્વનાથ; “ચેત’=ચિત્તમાંથી.–
૩૩ બીબીપુરે ચિંતામણિ =બીબીપુરની ચિંતામણિ પાર્શ્વનાથ; ભાવદ્ર બેઠતાં હણ” =એમના દર્શનથી જ બધું કષ્ટ નષ્ટ થાય છે; “સ વિજય આદિમપુરે ચિંતામણિ શકંદરે’=(અમદાવાદના) સકંદર પરામાં આદિમ (મૂલ) વિજય ચિંતામણિ' પાર્શ્વનાથ બિરાજે છે –
૩૪ “સુરૂપ સોમ આદિમ ચિંતામણિ ન’=નમસ્કાર રૂપવાન આવા આદિમ ( મૂલ) “સોમ ચિંતામણિ પાર્શ્વનાથને; લાડણો =વહાલો; “સેરીસે પાસ લેણો'=સેરીસાના લાડણ પાર્શ્વનાથ.• જુએ આ ગ્રંથની બીજી કવિતા પદ્ય –
Page #62
--------------------------------------------------------------------------
________________
२९
૭૫ ‘પાસ સિંહસ નવકા’=સહસ્રકા અને નવકણા પાર્શ્વનાથ; ‘કરહાતકા’=કરહેડા (કરેડા)ના (પાર્શ્વનાથ).
૩૬ ‘અહિચ્છત્રકા’=અહિચ્છત્રના (પાર્શ્વનાથ).
૩૭ ‘ગંભીરા’=(ગાંભુનેા) ગંભીરા પાર્શ્વનાથ;‘ગિરિપુરા’=ગિરિપુર (અર્થાત ડુંગરપુર)ના પાર્શ્વનાથ.-
૭૮ ‘અશેક’=શાક પાર્શ્વનાથ યા ા શેક-રહિત-અલવરમાં શાકરહિત જનતા રાવણ પાર્શ્વનાથની આજ્ઞા શિર પર ધારણ કરે છે;’ ‘સુધીઇ આસા કલી’–કલેાધીમાં (કલેોધી પાર્શ્વનાથના દર્શનથી) આશા કલિત થઈ અથવા ‘લેાધી’ પાર્શ્વનાથ અને ‘આશાકલી' (અસાવલી) પાર્શ્વનાથ; ‘ખુલાવલી’ યા ‘ખુડાવલી' પાર્શ્વનાથ કદાચિત્ દિલ્હીના કાઈ બિંબનું નામ હશે, અથવા ‘વળી દિલ્હીમાં પણ પાર્શ્વનાથ ખુલા યાની પ્રકટ છે,’ અથવા જે ‘ખુદાવલી’ આવા મૂલ પાઠ હાય તો ‘વળી દિલ્હીમાં પાર્શ્વનાથ ‘ખુદા’ના નામથી પ્રસિદ્ધ છે, આવા અર્થ હોઇ શકે; આપણી કવિતા સં. ૧૬૫૬માં અર્થાત્ એ જમાનાની વિચિત છે જયારે શ્રી હીરવિજયસૂરિની અસરથી મેાગલ દરબાર અને રાજધાનીમાં જૈન ધર્મના પ્રભાવ પડવા લાગ્યા હતેા, એટલે દિલ્હીમાં આ નામનું પાર્શ્વનાથ બિંબ વિદ્યમાન હેાય તે બનવાોગ છે.
૩૯ પીરાજપુરમાં ‘ભાયણ પાર્શ્વનાથ'નું બિંબ હેાવાના બીજો કઇ પણ પુરાવા નથી; કદાચિત્ આ શબ્દ ‘ભોયરામાંને' અથવા આવા અર્થનું વિશેષણ હશે; ‘અમી અનંત લેયણા'=એમનાં નેત્રામાં અનંત અમૃત છે; આરાસણના ગાડીચા પાર્શ્વનાથ’ ગામમાં ચાઢણા અર્થાત્ તિલક સમાનછે.
૪૦ ‘મંડાવરા પાર્શ્વનાથ જોધપુરમાં બિરાજે છે;’ ‘બીકાનેરકા’=ખીકાનેરના પાર્શ્વનાથ; ‘પુર હમીર કા’=હમીરપુરના પાર્શ્વનાથ; ‘કા’ પ્રત્યય અહીંયાં અને આગળ ‘ચુ’ પ્રત્યયની જેમ ષષ્ઠી વિભક્તિને સૂચવે છે.
૪૨ ‘ટીલ’=તિલક.
૪૩ ‘દીવેચુ’–દીવનેા.—
૪૪ ‘નડુલાચુ’=નડુલાના; ‘આબુચઉ’=આબુના (દેવ); ‘સુરિંગ સેવ’ =આનંદથી (દેવની) સેવા કર.—
૪૫ ‘દુર્જન કીધા જૈર’=દુર્જનાને જેર (વશ) કીધા.૪૬ ‘બલાજો દેવ' અર્થાત્ બલેજા પાર્શ્વનાથ.
૪૭ ‘વદી’=બંદી, સ્તુતિ.
૫૦ મેં...કહિવાઇ સ` સીદ્ધ કે’=મારાથી બધી સીધ (વિગત) કહેવાતી હાય તે કેમ સંભવે.
Page #63
--------------------------------------------------------------------------
________________
પર “ભય ભાવક્ર હર કાલ’ =ભય ભાવટ અને મૃત્યુને હરણ કરનાર, યા મૃત્યુના ભય અને ચિંતાનું હરણ કરનાર –
૫૩ રૂ૫ ન રેખ ન રાય રજ=રેખ યા રાઈના દાણા અથવા રજકણ જેટલું પણ રૂ૫-શરીર(તીર્થકર ને સિદ્ધિમાં) રહેલું નથી, અર્થાત્ તે અરૂપી છે.
૫૫ ભેશ’=આકાશ (‘ભ')ના અધિપતિ; “પદર્શન માગે ગ્રાસ= છયે દર્શન તારાથી (જ્ઞાનરૂપી એ) પ્રાસ માંગે છે.
પ૬ લાસ=કૃત્ય, નાચવું તે; “ખાસ”=ખાએશ, ઇચ્છા; “સાસ'=સાહસ, યા ધાસ; “ભાસ’=રૂપ; “વાસં =રંગ
૫૭ “વન કરી ચાપ'=અને જેમના હાથમાં કામદેવના હાથમાં જેમ છે તેમ) ચાપ (ધનુષ) નથી; “યશો દુરાપ'=જેમને યશ દુર્લભ (અપૂર્વ) છે; ગતમાપ'=જેમનું માપ થઈ શકતું નથી; “બાલક જિમ બાપે નિસુણી ઢાપ'= જેવી રીતે કોઈ પિતા પોતાના બાળકના દાવાને સાંભળે તેવી રીતે તું મારે દવે સાંભળ), અથવા કોઈ પિતા પોતાના બાળકની વાણી) સાંભળીને જેમ તેને ધાપલાં (થાપલાં) કરે તેમ તું (મને સાંત્વન આપ); ‘કલા કલાપ કર થાપ’= તું કલા કલાપ રૂ૫ (ધારણ કરતો) સ્થાપિત થયો છે.
૫૮ “થાપ કરૂં ચિહુ દિસી સુયશ=તારા શુભ યશની સ્થાપના ચારે દિશાઓમાં કરું છું....
૫૯ “ગયણ જે અંગુલી ગુણે=જે અંગુલી વડે આકાશનું માપ બતાવે; જલ સયલ' ઇત્યાદિ=જે આખા સમુદ્રનું પાણી લહેરોના હિસાબે ગણી આપે –
૬. “નીપ'sઉત્પન્ન થએલ; “યણહ રાશિ દીઠો’રરાશિ દેખાય છે; “માન નવી થાઈ તદા ત્યારે તેનું માપ થઈ શકતું નથી; “અલેખે'= અલક્ષ, અગણિત; દેખે કહી ન સકે =જુએ છે પરંતુ કહી શકતું નથી.–
૬૧ ચોપડ કાપડો =રોટલી અને કપડાં; “તુહ નામ'= તારા નામના પ્રભાવથી; તિહઘર' તેવા ઘરમાં; “અલવિ'=હળવે, સરળતાથી; “થિર થાવરા' =સ્થિર અને સ્થાવર
૬૨ ‘જવર દાઘ ધૂણ્યા =જવરના જલનથી દૂ, પીડિત; “સરી સૂણ્યા'=સહિયારાથી રહિત, પરિવારથી છોડી દેવાયેલો; “કોઢ રોઢા' કુષ્ઠ રોગથી રૂંધેલ; “થઈ યા=જેની દશા આવી થયેલી છે તે; “ગમી આશા’=કીક થવાની આશા રહી નથી તે; “તત ખિણ =ક્ષણમાં; “રતિવર'=કામદેવ
૬ ૩ “મહા વાયુ વાતે ખંડ થાતે=જ્યારે ભયંકર આંધી વાતી હોય અને તેના જોરથી (વહાણો) તૂટવાનો ભય હાય; “નામ તુહ ઇત્યાદિ જે તારું નામ ઉચ્ચારવામાં આવે છે તે તું અપૂર્વ પ્રેમથી (ભક્તોને) સુખ શાતામાં
Page #64
--------------------------------------------------------------------------
________________
३१
આણીને પેાતાનાં સ્વજના સાથે મેળવી આપે છે.
૬૪ ‘ખિન’=ક્ષીણુ; ‘મંત્રબલ નાવે વસ’=મંત્રાળથી પણ વશ થતા નથી આવે; ‘તુહ નામ જલ’=તારા નામરૂપી જલ; ‘અલવે’=હળવે; ‘ભર’= સંપૂર્ણતાથી.
૬૫ કરિ સાહી રાખે રાશિની પરિ ધ્યાન તુ ધારક નરા’=તારું ધ્યાન ધારણ કરતા રહે તે માણસ (આવા સાપને) સાહીને, પકડીને રસીની માફક હાથમાં રાખે છે.
૬૬ ‘સાથ’=કાફલા (સાર્થ); ‘ટા’=ઝેટિંગ, ગુંડા; ‘ધીગટ’=ધીંગું અથવા ધીંગડ (ધીંગડ મલ્લમાં જેમ), મજબૂત, ‘ઉર્જાસ’=ઉધ્વસ્ત; ‘પાસ પામે ઇત્યાદિ=પાર્શ્વનાથ સિવાય ખીજે કાણુ દયાવાન.
૬૭ ‘ન બિહું પાતક’=પાપથી ન ખીએ તેવા; ‘પાતિ બારે’=બારા, અર્થાત્ ધાડા પાડે છે તેવા; ‘વિષ દીવારે’=ઝેર અપાવે છે તેવા; આગલ રહી’=પાસે રહીને; ‘તે શત્રું’ ઇત્યાદિ=(તારા ભક્તોને માટે કે) જેએ તને હમેશાં મનમાં યાદ કરે છે તેઓને માટે આવા શત્રુએ પણ મિત્રા બને છે.
૬૮ ‘તિષિણ દાઢા’=તીક્ષ્ણ દાઢ જેને હોય તેવા; ‘જીતુ’=જીભ; ‘હરિકુંભ ફાયણ'–હાથીના કુંભસ્થલ ફાડે તેવા; મૃગ હાઇ મૃગપતિ' ઇત્યાદિ= સ્વામીના નામના પ્રતાપથી આવા વાધેા હરિણ સમાન અને આવા દીપડાએ યા ચિત્તાએ સસલા સમાન થાય છે.—
૬૯ ‘કરે તરૂ શતખંડ એ’=વૃક્ષાના સા સા ટુકડા કરે તેવા; ક્રેાધાંધ ધાઇ’ક્રોધથી આંધળા જેવા બનીને દોડી આવે છે તેવા; તૂહ પસાઇ' ઇત્યાદિતારા પ્રસાદથી આવા હાથી સૌમ્ય થાય છે.—
૭૦ ‘ભાથી’=ભાયાવાલા, તુણીરવાળા; ‘તુહુ પાય' ઇત્યાદિ’=તારા પાદના સ્મરણથી (ભક્તજના)આવા મહાયુદ્ધમાં પણ જયલક્ષ્મીના વર બને છે. ૭૧ ‘એકાંતર દુર્વર’એકાંતરા નામનેા દુષ્ટ તાવ.——
૭૨ ‘ડીલે’=શરીરે; ‘જકડ ઝૂડયા'=જકડીને બાંધેલા; ‘દુર્ગાર મારે’= ભયંકર રીતે મારે; ‘દુષ્ટ દેષી વિસ પડયો’=કોઇ દુષ્ટ દેોષી માણુસ એમના વશમાં આવેલા(પ્રભુ ભક્તને માટે).~~~
૭૩ ભૌમ બુધ બલ-બુદ્ધિ કરેા’=મંગલ એમને બળ, અને બુધ મુદ્િ આપે; ‘સુરગુરૂ’=બૃહસ્પતિ; ‘તુહ પાય-પ્રીતે’=તારા ચરણા સાથે પ્રેમ રાખનાર.
૭૪ હાઇ જસ સભકા=સભર્તૃકા સ્ત્રી તરીકેના યશ પ્રાપ્ત થાય છે; ‘દુદ્ધ ધ્યાન’=તારા ધ્યાનથી. –
Page #65
--------------------------------------------------------------------------
________________
૭૫ ભોગાદિક રહ્યા'=સંકટ વગેરેથી ગ્રસ્ત.--
૭૬ કનક તરૂ’=ધતૂરો; “શરટક-શિર'=સરડાનું શિર, અહિવિષઅતવખ; મંત્રો'=મંત્રના બળથી; “નાસનપરો’=નાશ પામે છે.
૭૭ વાષધબિદુ =વાખદ; તે દોષ' ઇત્યાદિ આવી (રોગ-પ્રસ્ત) અને તું, હે દેવ-નિવારણ કરનાર, નિર્મળ કરે છે.—
૭૮ “મરસ'=મારિષ, પૂજ્ય પુ; “રયણું રત્ન; તુહ ચરણ ઇત્યાદિ =ભક્ત પરિવાર તારા ચરણોની સેવારૂપે આ ફળ પ્રાપ્ત કરે છે.—
૭૯ “પય'=પગ
૮૨ ખંડણ પંપણ ખોડિ’=બેડ ખાંપણનું ખંડન કરે તેવા; “દુખંગમાં ઇત્યાદિ મહામાની દેગા મહેનો મદ મોડી લે.–
૮૩: પદ્ય ૮થી ૧ર૭ સુધીના ફકરાઓમાં પ્રતિ લીટીના આરંભમાં વપરાયેલા “કિ તુ', “કિ તે' ઇત્યાદિ અક્ષરો કવિ શ્રીસારે પણ પિતાની “શ્રીફલવર્દી પાર્શ્વનાથ સ્તુતિ'માં વાપર્યા છે (જુઓ “શ્રી શ્રીસારવાચક વિરચિત શ્રી ફવિધેિ પાશ્વનાથ સ્તુતિ આ શીર્ષકનો મારો નિબંધ ‘જૈન સત્ય પ્રકાશ', વર્ષ ૧૧, અંક ૫, પૃ.૧૦૬); આપણી કવિતામાં તેમાં પ્રાયઃ દ્વિતીય પુરુષ એક વચનનું નામ સમજી શકાય છે; કોઈ વાર તેને “પરંતુ યા “ક તો આ અર્થ લાગુ પડે છે અને અને કોઈ જગ્યાએ તે નિરર્થક પણ છે.–
૮૪ કમઠ અને ધરણપતિ (ધરેન્દ્રો સબંધીનો પાર્શ્વનાથચરિત્રમાં વૃત્તાન્ત સુપ્રસિદ્ધ છે; સો’કરિઉ સાથે કર્યો; “એક હેલા =એક ક્ષણમાં; ‘તાસ પત્ની' ઇત્યાદિ તેની (ધરણેન્દ્રની) પત્નીએ(પદ્માવતીએ)આનંદ મા –
૮૫ કુશસ્થલ નગરીના રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતીના અનિષ્ટ વર મ્લેચ્છ રાજાને શ્રી પાર્શ્વનાથે પરાજિત કર્યો અને તે રાજકુમારી સાથે લગ્ન કર્યું હતું; આ વૃત્તાન્ત પણ પ્રસિદ્ધ છે; “નામઈ'=નામ નિશાનથી; પુરી પ્રસેનજિત કરી એમે= પ્રસેનજિતની રાજધાની નિરુપદ્રવ કીધી.–
૮૬ “ભાત વામા =પાર્શ્વનાથની માતા વામાદેવી; “રાજ નરકાંત ઇત્યાદિ રાજ્યના (અર્થાત રાજા થવાના) પરિણામે નરકની ગતિ મળે એમ જાણીને તે રાજ્ય કરવું સ્વીકૃત નથી કીધું; “પાઈ=પગથી, કારણ કે પાર્શ્વનાથના પિતાની રાજધાની કાશી હતી, તેથી ત્યાંની ગંગાનું પાણી તેમના પગના સ્પર્શથી પવિત્ર થયું.
૮૭ ‘કમઠ ઉપસર્ગ' ઇત્યાદિ જ્યારે કમઠે વિવિધ ઉપસર્ગો સજર્યા ત્યારે તું તેથી પલાયન થયો નથી. એટલે ધ્યાનભ્રષ્ટ નથી થયું, પરંતુ ક્ષમા રસ કાયમ રાખવામાં સફળ થયો.–
Page #66
--------------------------------------------------------------------------
________________
३३
૮૯ ‘પવન પૂરી’=શ્વાસ ભરીને (અર્થાત્ યાગની પરિભાષા પ્રમાણે પુરક કરીને); ‘કિ તું ચ્યારિ પષિ વ્યાપીઉ ચતરેનાને’–જ્ઞાનના ચારે પ્રકાર (અર્થાત યાગમાં માળેલા સ્કૂલ, સૂમ, કારણ અને મહાકારણ જ્ઞાન) વડે કરીને તેં ચારે પક્ષાને વ્યાપ્ત કીધા (અર્થાત્ જગતના ચારે અંતેાતે, વિશ્વને, અથવા પૃવક્ત ચારે જ્ઞાનના ચાર પ્રકારના વિષયાને, યા તે મંત્રયેગ હ્રદયેાગ લયયાગ અને રાજયોગ, આ ચારે પ્રકારના યાગના વરાગ્યના ચાર પ્રકારેને, યાને મૃદુ મધ્યમ અધિમાત્ર અને પરવૈરાગ્યને, અથવા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરીયા આ ચાર અવસ્થાએને). ‘પચ્ચક્ર’=હયાગમાં માનેલાં શરીરમાંનાં છ ચક્ર:~~
ક્ર ४
દલના કમલ સમાન ગુદાના પ્રદેશમાં
લિંગ
નાભિ
દિલ
(૧) આધાર (૨) સ્વાધિષ્ઠાન (૩) પૂરક
(૪) અનાહત (૫) વિશુદ્ધ
(૬) આજ્ઞા
""
'''
""
'.
1
૧
૧૬
.
99
.
22
""
29
99
܀ܪ
""
""
""
,
27
..
,,
બન્ને ની વચમાં
‘અમેાલ’=અમૂલ્ય.
૯૧ ‘માઇ’=માતૃકા, બારાખડી; ‘વર્ષોંવલી દલે દીધી’=ર્તે તે છ કમળરૂપી ચક્રાના પ્રતિદલ ઉપર વર્ણાક્ષરેાની શ્રેણી (હઠયોગના નિયમ પ્રમાણે) આલેખી; ‘રાલંબની શ્રેણી’=ભમરાની પંક્તિ (અર્થાત્ નીચેથી લર્જી કરીને છ ચક્રાને ભેદીને સહસ્ત્ર-દલ કમલ સુધીના સીધે રસ્તે); ‘કુંડલી શક્તિ’શરીરના નીચેના ભાગમાં સૂતેલી કુંડલિની શક્તિ, કે જેને જગાડવાની અને પીલ (અમૃત)નું પાન કરાવવાની કલ્પના પણ હયાગને અનુસાર છે.
૯૨ ‘સહસ્ત્રદલ કમલ’, અર્થાત્ છ ચક્રાની ઉપર, મસ્તકની અંદર માળેલું સ્થાન કે યાં યાગીના આત્માને પરમાત્મા સાથેના સંયેાગ યાગના અંતમ પરિણામસ્વરૂપ કલ્પિત છે; ‘તહી તેજ ઋદ્દે’=ત્યાંની ઋદ્ધિમાં અથવા ત્યાં પ્રકાશના સમૂહમાં; નાદ અનહદ વાજિંત્ર રાતો’-વાજિંત્ર દ્વારા નહિ આહત થયેલા નાદ (હઠયોગના ‘અનાહત નાદ’)માં લીન થયા; ‘પાન પીયૂષ’ ઇત્યાદિ= તું અમૃતપાન કરતાં પૂરી રીતે મસ્ત રહ્યો.-
૯૩ ‘નેદ્રાયા’= તું દ્રવ્યો નથી, દીલેા યા ચલાયમાન થયો નથી, ‘પરમહંસા’ ઇત્યાદિ=આત્મા પોતાની જાતને પરમહંસ, અર્થાત્ પરમાત્મારૂપ સમજીને=સાઽહમ' અર્થાત ‘આ (પરમાત્મા) હું જ છું.' આમ જા કરું છે; ‘ભાવિરપુ’=ત્રુ જેવા વ્યવહાર રાખનાર; ‘મેહ જો’=મેાહ નામને!
Page #67
--------------------------------------------------------------------------
________________
યોદ્ધો (“હ’ શબ્દ સંસ્કૃત દ્ધારનું પ્રાકૃત રૂપ છે; આ મોહ લડવૈયા સાથેના યુદ્ધનું વર્ણન આગળ આવશે.–
૯૪ ઈડા, પિંગલા, અને સુષુણ્ણ આ ત્રણે નાડીઓ-રૂપી ત્રિવેણીના સંગમમાં તે તારા પ્રાણને નિવાસિત કીધો' (હોગની કલ્પના પ્રમાણે સમાધિનું લક્ષણ આ જ છે); “વર=ઈષ્ટ; આય’=જીવનશક્તિ, પ્રાણ હંસ’=આત્મા; “ભ્રમર’=મન, ચિત્ત ;-યોગની ક્રિયા દ્વારા તે એકત્રિત થાય છે ; “કિ તૂ ઝીલીઉ ઇત્યાદિ તે તેને સુકૃષ્ણામાં સબળતાથી સ્થિર રાખ્યા, અર્થાત્ તું યોગની સમાધિમાં રહ્યો.— .
૯૫ “ક” =વિષયરૂપી મળ; અહીં સુધી હઠયોગની કલ્પનાઓની શ્રેણી ચાલે છે.–
હવે આગળ મેહ અને વિવેકના યુદ્ધનું વર્ણન આવે છે. તે એક અતિ પ્રાચીન રૂપક છે જે જૈન સાહિત્યમાં વારંવાર વર્ણિત છે. આપણી કવિતા શ્રીજયશેખર સૂરિના વિ. સં. ૧૪૬રમાં વિરચિત સંસ્કૃત કાવ્ય “પ્રવધનિત્તામજિક અને તેના આ જ કવિ દ્વારા કરેલ ગુજરાતી અનુવાદ ‘ત્રિભુવન દીપક પ્રબંધ'૫ ને અનુરૂપ છે. તેને સાર એ છે કે ત્રિભુવનનો રાજા હંસ (પરમહંસ, યાને પરમાત્મારૂપ આ ભા) અને તેની રાણી ચેતના છે. માયા નામની વેશ્યાને જોઈને હંસ તેણીને વશ થાય છે અને રાજ્યકાય પિતાના મંત્રી મનને સેપે છે. મન મંત્રી માયા સાથે પ્રેમ કરે છે અને પોતે રાજા બને છે. પહેલી પત્ની પ્રવૃત્તિથી મનને જે પુત્ર થાય છે તેનું નામ મેહ છે. બીજી પત્ની નિવૃત્તિથી વિકિ નામને પુત્ર થાય છે. મેહ રાજા થઈને અવિદ્યાનગરી અને વિવેક રાજા પુણ્યરંગ પાટણમાં રાજ્ય કરે છેજ્યારે કે સને રાજય છોડીને કાયાપુરીમાં રહેવું પડે છે. મેહની પત્ની દુર્મતિ અને પુત્ર કામ છે. વિવેકની પહેલી પત્ની સુમતિ અને તેણીને પુત્ર વૈરાગ્ય છે. પછી વિવેક રાજ અહતની પુત્રી સંયમશ્રીને
૧. જુઓ ટાવવાં (અઘાર-ઈ. સન ૧૯૩૩) ૪. પર—૨. ટાવવા ૪. ૯૦:–ત્યાં ચિત્ત(અતઃકરણ)ને ભગ(ભ્રમર)ની ઉપમા
આપવામાં આવે છે કે જે અનાહત નાદરૂપી મકરન્દ (પુપરસ) પીવામાં
લીન થાય છે.– 3. हठयोगप्रदीपिका ४. ३०.-४) हठयोगप्रदीपिका ४ ५०૪. ભાષાંતર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૬૫– ૫. સંપાદક છે. લાલચંદ્ર ભગવાનદાસ, શ્રી જૈન ધર્માલ્યુદય ગ્રંથમાળા ૨, સં. ૧૯૩૭.
Page #68
--------------------------------------------------------------------------
________________
પણું પરણે છે. બન્ને ભાઈઓ મોહ અને વિવેકને પારસ્પરિક મહાયુદ્ધ થવા, લાગે છે, તેમાં આખરે વિવેક અહંતની મદદથી જીતી જાય છે.--
રાય વિવેક' =વિવેક રાજા; ‘ઉપક'=પાસે કટક'=સૈન્ય.—
૯૬ “તેં નિવૃત્તિના અતિ સોહામણું પુત્ર (વિવેક) સાથે તારી પુત્રી (સંયમશ્રી)ને પરણાવી દીધી'; “રાજ થા'=તે વિવેકને રાજા તરીકે સ્થાપિત કીધો; “દુઓ આયો’ આશીર્વાદ આપ્યો.
૯૭ “સત્ય સિંહાસન’: _ત્રિભુવનદીપક પ્રબંધ પદ્ય ૧૭૫; ‘કિ તું આણ” ઈત્યાદિ તે વિવેક રાજાના મસ્તક ઉપર અહંતની આજ્ઞારૂપી છત્ર ધારણ કરાવ્યું: “સૌચ સંયમ' ઇત્યાદિ તેં શૌચ અને સંયમરૂપી બે ચામરે આપ્યાં; “તત્ત્વચિંતન પહસ્ત' ત્રિભુ. ૧૨૯માં પણ ઉલિખિત છે –
૯૮ ગુહુર=ગાહેર કીધી, મહત્ત્વ આપ્યું; “વિલગાડિ દીધા =લવા માટે વળગાડવા; તે મહિના પહેલા પુત્ર કામને વિવેકના પહેલા પુત્ર વૈરાગ્યદ્વારા પરાજિત કરાવ્યો, અને ક્ષણમાં તે રાગ (મોહના બીજા પુત્ર) ને સંવર (વિવેકના બીજા પુત્ર) દ્વારા પરાસ્ત કરાવ્યો (ત્રિભુ. ૬૪ અને ૧૬૯).–
૯૯ સમરસ’ વિવેકને, અને દ્વેષ’ મેહને ત્રીજો પુત્ર છે (ત્રિભુ. ૬૪ અને ૧૬૯); નિઃશેષ'=પૂરી રીતે; “સમકિત’ વિવેકને, અને “મિથ્યાત્વ' મોહન મુહતઉ' યાને મહંતો છે (ત્રિભુ. ૬૪ અને ૧૭૦); “આલસ્ય” મોહને ને પુકાર વિવેકને બદલવઈ' (ાતિ) યાને સેનાપતિ છે (ત્રિભુ. ૬૭ અને ૧૭૦); “જ્ઞાન” વિવેકનો અને પ્રમાદ મેહનો ‘તલાર', અર્થાત નગરરક્ષક (પ્રાકૃત ‘તલાર) છે (ત્રિભુ. ૨૯૮, ૧૩૧, ૧૪૫, ૧પર, ૧૭૨, ૨૯૮, ને ૬ ૮).
૧૦૦ “શમ, વિનય, સરલ, સંતોષ' નામના શુરવીરો દ્વારા ક્રોધ વિગેરે દૂર થાય છે (ત્રભુ. ક૭૩ અને ૩૭૪માં “ઉપશમ, વિનય, સરલ, સુખ-સંતોષ’ નામના યોદ્ધાઓ ક્રોધ વગેરેને હરાવે છે); “શીલ’ અને મદ (ઉત્પાદ) નામના પારસ્પરિક વિરુદ્ધ પક્ષના “સેલહથો (ત્રિભુ ૬૮, ૧૭૩
અને ૩૭૩માં એવું જ) છે; ‘સેલહથી યા ‘સેલહત્ય' મુનિરાજ શ્રી જયંત વિજયજી મહારાજ પ્રમાણે પ્રાચીન લેખોમાં ‘તલાટી' યા “પટવારી'ના અર્થમાં વપરાય છે અને શિરોહી રાજ્યમાં આ જ અર્થમાં પ્રસિદ્ધ સેલોથી શબ્દની સાથે સંબંધ ધરાવે છે. આધુનિક ગુજરાતીમાં તેનાં રૂપાન્તર
શેલત “લત” શેલત’ છે.–ચાર્વાકર (ત્રિભુ. ૬૬ પ્રમાણે) મહિને, અને . ૧. “અબુંદ પ્રાચીન જન લેખ સંદોહ’ લેખાંક નં. ૨ (પૃ. ૮-૯), ૪ર૬ (પૃ.૬૭), ૨૪૨
(પૃ. ૮૮), ૨૪૩ (પૃ. ૮૯); નાહરનો લેખસંગ્રહ ભાગ ૨, પૃ. ૨૫૬ –
Page #69
--------------------------------------------------------------------------
________________
३६
મોં
‘વસ્તુવિચાર’ (ત્રિભુ. ૧૬૯ પ્રમાણે) વિવેકના બાલમિત્ર છે; ત્રિભુ. ૩૬ ‘ચાર્વાક’નું નામ ‘નાસ્તિક' છે.
૧૦૧ ‘શુભધ્યાન’ દ્વારા ‘પરપરિવાદ’ ધાવામ ગયા, અર્થાત્ નષ્ટ થયે (ત્રિભુ. ૧૭૨ અને ૬૮માં આ બન્ને નામેા અલગ આવે છે); ‘ગુરુ ઉપદેશ’ અને ‘અમરિષ’ (પ્રાકૃત અતિ, સંસ્કૃત અર્થ-કદાગ્રહ, અસહિષ્ણુતા) પણ ત્યાં (૧૭ર અને ૬૭) અલગ જ ઉલ્લેખિત છે; ‘છદ્મ' (ત્રિભુ. ૬૭) મોહને પુરાહિત છે, ‘ઋજીભાવ’ વિવેકના; ‘પાખંડ’ (ત્રિભુ. ૬૯, ૧૪૪) મેહના દરબારના કિવ છે; ‘દ્રોË’=દ્રવ્યું.—
૧૦૨ ‘સિદ્ધિ' અને ‘બુદ્ધિ’ વિવેકની, અને ‘રિત’તથા ‘અરિત’ મેહની ચમરદારી જોડી છે (ત્રિભુ. ૧૭૩ અને ૬૭); ‘સુપુરૂષ સંત વિવેકની, અને ‘નિર્ગુણ સભા' માહની તરફ છે ત્રજી. ૧૭૫ અને ૬૬); ‘આગમાર્થ’ વિવેક, અને ‘સકલ-પરિગ્રહ’ મેાહના ભંડારી છે ત્રિભુ. ૧૭૪ અને ૬૯); ‘ક્રિયાકલાપ’ વિવેકને, અને ‘કલકંદલ’ માહના કાહારી છે (ત્રિભુ. ૧૭૪ અને ૬૯); આપણી કવિતાના ‘સર્વકંદલ’ના સ્થાને કદાચિત્ ‘કલિકંદલ” મૂલ પાઠ હશે, અથવા દિ ‘સર્વકંદલ’ હોય તો ‘કંદલ’ (સંસ્કૃતમાં જેમ) નિંદાના અર્થમાં સમજી શકાય છે.
૧૦૩ ‘સખાઇ’=મુખ્ય, મિત્રતા; ‘સાતે તત્ત્વ' વિવેક રા^નાં, અને સાતે વ્યસન’ મેહરાજાનાં સાતે રાજ્યાંગ છે (ત્રિભુ. ૧ ૭૪ અને ૯૫); ‘માતે’=માતું, માતેલું (અભિમાની) અથવા માત (મૃત્યુ), તે વડે કરીને.—
૧૦૪ ‘જગી પ્રસીધા’=જગપ્રસિદ્ધ; ‘મતિ મડિ’દિલ લગાવ્યું; ‘કદી ન’=બિલકુલ નહિ; ‘ચેતના’ અર્થાત્ હંમ (આત્મા)ની પટ્ટરાણી.
૧૦૫ ‘કિ તુપિંડ’ ઇત્યાદિ=પિંડ (શરીર)ને તું બ્રહ્માંડ (વિશ્વ)ને અનુરૂપ જાણ્યું; ‘પર’=પેર પ્રકાર).—
૧૦૬ ‘ત્રણ ગઢ’=સમવસરણના ત્રણે ગઢ; તે અને આગળ લિખિત રસિ ંહાસન છત્ર, ચામર, ઇત્યાદિ દેવતાએ કૃત તીર્થંકરોના અતિશયો છે; ‘સાચું’=શાભ્યા; ‘સિર’=મસ્તકની ઉપર; ‘ઢા ત’=ઢોળતા; ‘જોયું’=દેખાયા.૧૦૭ ‘ચારિ મુખિ’ચારે મુખા વડે (તીર્થંકરનું ‘ચાતુરૂપ્ય’, અર્થાત્ સમવસરણમાં ચારે દિશાઓમાંની દરેક દિશામાં એમનું એક શરીર દેખાય છે તે પણ એક દેવ-કૃત અતિશય છે); ‘પરિ’=પેર (પ્રકાર); ચ્યાર પરિ ધર્મ ભાખ્યા’તેં ‘ચાલકનામ ધમ્મ’, અર્થાત્ ‘ચાતુર્-યામ-ધર્મ’ની પ્રરૂપણા કીધી (સ્થાના સૂત્ર ૨૬૬ પ્રમાણે ભારતવર્ષના ૨૪ તીર્થંકરામાંના પહેલા અને છેલ્લા તીર્થંકરને છેાડીને, વચલા ૨૨ તીર્થંકરા પાંચ મહાવ્રતના સ્થાને માત્ર
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૭
ચાર મહાવત બનાવે છે, કારણ કે તેઓના સમયમાં ચોથું મૈથુન-વિરમણ) મહાવ્રત પાંચમાં (પરિગ્રહ વિરમણ) મહાવ્રતમાં અંતર્ગત સમજાય છે; પાશ્વબાથ ભરતવર્ષના રમા તીર્થંકર હોવાથી તેઓએ પ્રવર્તાવેલો ધર્મ “ચાતુર્યામ' જ હતો): નરર્ય'નરકમાં ‘ભવી'=ભવ્ય “રાખો =બચાવ્યો; “ચતુર્વિધ સંધ’ ચાને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા; “ગિ'=જલદી–
૧૦૮ “મુગતિ નારી”=મુક્તિ રૂપી સ્ત્રી – ૧૧. સર્વ--હિત’=બધા જીવોનું હિત કરનાર.--
૧૧૧ ‘લોકાલોકારભાસે'=જેમાં લેક અને અલેકનું જ્ઞાન છે તે; અજિલ્મો'=કપટ-રહિત.—
૧૧૪ ‘તમતિ થાપી’=તું તત્ત્વની મૂર્તિ તરીકે સ્થાપિત છે, અર્થાત તું મૂર્તિમંત તવ છે –
૧૧૬ ત્રિદશ =બધા દેવતાઓમાં શ્રેષ્ઠ૧૧૭ “રૂપત્રિયીમય'=સચ્ચિદાનંદ રૂપ–
૧૧૯ ‘કિ તૂ મન:સ્થિતિ પ્રાણ આરૂઢ કીધી'=સેં મનને સ્થિતિ, અથાત સ્થિર કીધું અને તેની સાથે પ્રાણને આરૂઢ કીધે, સ્થાપિત કીધે | ( હશોગની કલ્પના પ્રમાણે).
કિ તૂ સર્વદેવોપમાં કીર્તિ લીધી ત્રેત બધાય દેવોમાંને ઉત્તમ દેવ તરીકે વશ પ્રાત કી છે.
૧૨ ‘કિ તે નહી' ઇત્યાદિ એ તારાં બધાંય નામો (ની પૂરી સુચી) નથી એટલે તારાં ઘણાં વધારે નામો છે); “બુદ્ધ થોડી=મારી બુદ્ધિ ઓછી છે.
૧- ૨ કિ તુ ભક્તને દત્યાદિ તું ભક્તો માટે મુક્તિદાયક દેખાય છે, સેવકને તું માં અમૃત રસ પાય છે; “માયા=માયા બીજ (ઢ); “ધરણ=પાર્વ-ભક્ત નાગકુમાર ધરણેન્દ્ર, પદ્માવતી'=ધરણેન્દ્રની પટરાણી; આ પદ્ય દ્વારા “ નમો માવતે શ્રાર્થનાધાય ધરપત્રાવર્તતા ' આ મંત્રાલરો સુચિત થાય છે; આગલા પદ્ય દ્વારા સૂચિત કરેલા વધુ મત્રા ‘મકે મરે સુર વિગેરે સુદાન સુન તમય (વા) સાથે તેને જે મંત્ર બને છે તે ‘દ મટ મત્ર'ના નામથી પ્રસિદ્ધ છે. જુઓ શ્રી અજિત સિંહાચાર્યવિરચિત પાર્શ્વનાથસ્તોત્ર આદિ સાહિત્ય. આપણી કવિતામાં આ મંત્ર કેટલાક અધિક અસરો દ્વારા વધારવામાં આવ્યો છે. --
૧૨૭ “થ =થડકે છે, સ્તબ્ધ થાય છે. દાઝીપિકા ૪, ૮૯ અને ૧૦૫ ૨ જન સત્ર સન્દ્રોહ ૨ (૧૪), પૃ. ૯૦, અને પરિશિષ્ટ યંત્ર ૪૧-૪૩.
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૨૪ પ્રણવ–બીજ', અર્થાત્ , માયા-બીજ' અર્થાત હૈ; “શ્રીકાર’ -બીજ અથત ; “'="સિદ્ધચક્ર-બીજ', જિનબીજ' અથવા “અષ્ટ મહાસિદ્ધિ બીજ' આ પદ્યમાં આપેલા મન્નાલરો દ્વારા વિજિ -મત્ર' નિશ્વલિખિત આકારમાં સુચિત થાય છે તેં હ્રીં શ્રીં મરું મઝા પાસ વિસર વસ નિગ કુઢિા'; આ મંત્ર પ્રાચીન સાહિત્યમાં જાણીતું છે.૧–
૧૨૫ કિમ જપીય જાણું = જપતાં મને કેમ આવડે છે? એટલે નથી જ આવડતું; વિટાણું =વહાણું, પ્રભાત –
૧ર૬ “મહીં' તેને ગ્રહણ કરીને; “ભક્તને હીયા=ભક્તના હૃદયમાં; હેજે' =હેતથી, પ્રેમથી –
૧૨૮ ‘વર' =ઉત્તમ; “કૃષ્ણ કટક નિર્જરા કરણ =શ્રીકૃષ્ણનું સૈન્ય જરા રહિત કરનાર –આ શબ્દો દ્વારા પેલે વૃતાન્ત ઉલ્લિખિત છે કે જેને અનુસાર દ્વારિકાના અધીશ નવમા વાસુદેવ શ્રીકૃષ્ણ અને રાજગૃહીના અધીશ નવમાં પ્રતિવાસુદેવ જરાસંધના યુદ્ધમાં વઢિયાર દેશમાં જરાસંધને એક વાર પરાજય થયો હતો, અને લશ્કરના પડાવો ત્યાં પડ્યા હતા ત્યારે જરાસંધે શ્રીકૃષ્ણને સૈન્ય ઉપર જરા નામની વિદ્યા છૂટી મૂકી, જેના પરિણામે શ્રીકૃષ્ણના સૈનિકો વૃદ્ધ અને રોગી થયા; શ્રીકૃષ્ણને પિત્રાઈ ભાઈ (પાછળના રરમાં તીર્થકર) શ્રીઅરિષ્ટનેમિની સલાહથી આ ઉપદ્રવનું નિવારણ આવી રીતે થયું કે નાગકુમાર ધરણેન્દ્રના ભવનમાં સ્થાપિત પાર્ધનાથપ્રતિમા પ્રાપ્ત કરવામાં આવી અને તેનું સ્નાત્રજલ શ્રીકૃષ્ણના સૈનિકે ઉપર છાંટવામાં આવ્યું, તેથી તેઓ જરા-રહિત થયા, અને જરાસંધ પરાજિત થયો; વિજયના રથાન પર શંખપુર નામનું નગર વસાવવામાં આવ્યું અને ત્યાંના જિનમંદિરમાં પેલી ચમત્કારિક સાત ફણવાળી મૂર્તિની સ્થાપના થઈ કે જે શંખેશ્વર પાર્શ્વનાથના નામથી આજે પણ પ્રસિદ્ધ છે – | ‘વિજયસુન્દર’ શબ્દ દ્વારા લેપમાં શ્રીવિજયસુન્દર સૂરિનું નામ સૂચિત થાય છે કે જેની વિગત પ્રસ્તાવનામાં આપવામાં આવી છે.–
૧ર૯ “આવે વર્ણ અઢાર-જુએ શ્રીઅમરચન્દ્ર મુનિ અને શ્રીવિદ્યાચંદ્ર ગણિનાં શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનો કે જે પ્રમાણે ૧૮ વર્ણના લોકો આ પ્રતિમાની પૂજા-સેવા કરે; “સાર’=ઉત્તમ; “ચંદન” ઇત્યાદિ તારા ૧ જુઓ ૩વસ-સ્તોત્ર તથા શ્રચિન્તામળાપ, જૈન સ્તોત્ર-સન્તોહ ૨, પૃ.
૩૪ આદિ૨ જુઆ મુનિ જયંતવિજય, શંખેશ્વર મહાતીર્થે, સં. ૧૯૯૮, પૃ. ૧૬ આદિ – ૩ “સંખેશ્વર મહાતીર્થ', ૨, પૃ. રર૬ અને રર૭, પદ્ય રર અને ૪૦
Page #72
--------------------------------------------------------------------------
________________
ચરણને ચંદનથી ચચે છે; “ધાય =(તારું ધ્યાન કરે છે; “કલિ કાલ માટે આબે અણી દેવ એક તૂ તાણીઓ'=આ આખા કળિયુગમાં તું જ દેવા તરીકે જાણવામાં આવ્યો, અથવા કળિયુગમાં આંખે આણેલો (યાની નજર આવેલો) એક જ દેવ તરીકે તું જ જાણવામાં આવ્યો; “મહા મચ્છ હાથ જોડાવ =તારો પ્રભાવ આવે છે કે મોટા ખેચ્છને પણ તારી આગળ હાથ જોડવા પડ્યા આ ઉલ્લેખ શ્રીજિનપ્રભસૂરિના શંખપુરકલ્પના અંતિમ શબ્દો સાથે સંબન્ધ રાખતો દેખાય કે જે પ્રમાણે શંખેશ્વર પાર્વનાથ તુરષ્ક રાજાએથી પણ પૂજાતા હતા (‘તુરાચાળો વ તથ મંદિમ તિ'૧) – ૧૩૦ સુ '=સુકૃતાર્થ; “
પત્થ ”=પરમાર્થ; “હવાં'=થયાં છે; દ માનસ"=આંખ તથા મન–
૧૦૧ “હવા”= થયાં; “ભક્ત”=ભક્તને; “ણું”=સાંભળવાથી; પ્રહ'-પ્રભાતે, “વહાણા”=પ્રાત:કાલ; “ગુણરયણ”=ગુણરૂપી રન
૧૩ર શ્રી બેસર પાસ પાસ” આદિ=શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પાસે (તેમના શાસન દેવ) ધરણેન્દ્ર સુહાવે છે (શોભે છે); “જાસ”=જેના; “ભયા”=માયા, પ્રેમ, “નયસુંદર શિષ્ય સંપતિકરણ = ભાનુમેરૂન) શિષ્ય નયનસુંદરને મોક્ષરૂપી) સંપત્તિ આપનાર.
૨. ત્રણસે પિંસઠ પાર્થ-જિન-નામમાલા આ કવિતામાં પણ કેટલાક નામો સંબંધી આ વાતનો નિર્ણય નથી થઈ શકો કે તે વર્ણનાત્મક વિશેષણો છે યા વ્યકિતવાચક નામો છે.
૪ “વ છેક' =અને છેવટે.૬ ‘દિ સુષ'=સુખ આપે છે.
૧૬ “થણો મતી' દિલથી, ભાવનાપૂર્વક સ્તુતિ કરો; “થીર =સ્થિર “કહીય’=કહેવાય.
૧ દેલવાડાના તરફણા જિનને વખાણું છું કે જેણે વિશેષ યશ લીધે છે'; “નમિ સુર=દેવતાઓ નમન કરે છે.
१ विविधतीर्थकल्प (सिंघी जैन ग्रन्थमाला १०) पृ. ५२ ૨ શ્રી કુશલલાભ અને શ્રી નવિમલ આના જેવા શબ્દો વાપરે છે (“જગનાથ પાસ... જયો ... કવિ કુશલાભ સંપતિકરણ” જે. ગુ. ક. ૧. પૃ. ૨૧૬; અને
વર જિનવર, નવિમલ સંપતિક” વર્ધમાન સ્તવનના અંતમાં) કમેવાડમાંનું દેલવાડા –
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૭
૨૫ યાદવ દલ જીવાડીયા’-તેં (શ્રી કૃષ્ણ વાસુદેવના પક્ષનું) યાદવાનું સૈન્ય (કે જે જરાસંધે મેાકલેલી ‘જરા’ વિદ્યાના પ્રભાવથી વૃદ્ધ અને રાગી થયું હતું) સાજું કીધું :-શ્રીશંખેશ્વર પાર્શ્વનાથના આ ચમત્કારની વિગત ઉપર (ટિપ્પણી પદ્ય ૧૨૮માં) આપેલી છે.
‘અભયદેવ તન દીધ’તે શ્રી અભયદેવસરને (કે જે ક્રુષ્ટ રેગથી પીડિત હતા) તન (યાને સાજું શરીર આપ્યું:-આ પણ પાર્શ્વનાથના (વસ્તુતઃ થંભણ પાર્શ્વનાથને) એક ચમત્કાર છે કે જેની વિગત માટે જીએ મુનિ જયંતવિજયજી, ‘શ્રી શંખેશ્વર મહાતીર્થ’ ૧. પૃ. ૪૦.---
સુપનાંતર-સ્વપ્નમાં.~~~
૨૬ ‘નાસિ સપણે ભૂત’=સ્વપ્નની માફક નષ્ટ થાય છે.
૨૭ ‘પાંચ સિવાહણ’ ઇત્યાદિઃ–આ કાંતિનગરીવાળા ધનેશ્વર યા ધનપતિ શ્રેષ્ઠી અને સ્થંભન પાર્શ્વનાથના પ્રસિદ્ધ ચમત્કારના ઉલ્લેખ લાગે છે.-૧ ૩૦ ‘પાંડવ ૫, બાહ્ પ. રસ ૬, ચંદ્રમા ૧=સંવત્ ૧૬૫૫, તેના આસા સુદિ દશમીના દિવસે, ગુરુવારે, શ્રી પ્રેમવિજયજીએ આ કવિતા પૂર્ણ
કીધી છે.
૩૧ ‘અકબરપુર’ ખંભાતના એક પરા તરીકે પ્રાચીન સાહિત્યમાં લિખિત છે.
૩૨ ‘આણંદ કરૂ’તે આનંદકારક થાય છે; ‘ભરૂ’=રક્ષા કર. ૩. વૃદ્ ચૈત્યવન્દન
૧ ‘અણન’નાવ વગર.
૩
‘અડ઼ી દીપામાહિ’=અઢી કીપરૂપી મનુષ્યલોકમાં (જંબુદ્રીપ, ઘાતકી ખંડ નામના દ્વીપ અને પુષ્કરવર દ્વીપને આર્ધો ભાગ); ‘અહ’=અહીંયાં ‘આરાસિ’=આરાધના કરશેશ.--
ક‘નલિણિ વિમાન સમાન’-નલિની ગુવિમાન સદેશ(હુપ્રસ્તાવના). ૮ ‘સેત્રુજાની સમેવડા દેવ’=શત્રુંજયના જેવા મહાન દેવ.
1 જીઓ વિવિધતીર્થ કપ-પૃ. ૧૨ ઇત્યાદિ સત્ય. ---
Page #74
--------------------------------------------------------------------------
________________
(3) पन्तनी सूयी આ સૂચીમાં મૂળ પ્રતોમાંના પાઠો આપવામાં આવે છે, પરંતુ જગ્યાને અભાવથી ગુજરાતી મૂળની નિમ્નલિખિત વાતોની પ્રાયઃ નોંધ કરવામાં गावी नथा:
(1) तत्सम शहोना पशु ३५ो. (२) याराना नुस्वारी, (३) २५२ वर्गमा मे-से, 1-3-21, 3-1, वे ही हिना नोट,
(८) व्यं० वर्गमा स-५, स-श, 4-4, 4-1, -शु, य-1, त-य-त्य, ४.५-६, 2-3-४, ७-२७ वाहिनी गाटाणा, (५) य-श्रुति.
૧.શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ १ अ. संकल्पम् .२ अ. जल्पामा.३ अ. ब. ब्रजि; अ. सारथ; अ; दत्त्वा नो; ब. दत्वान्मे.४ अ. जनानिष्ट; सिंदौ.५ क. त्वतो.६ अ. द्रव्यारिमिदं.७ अ. नविद्या; दद्यातस्त्वं.८ अ. भवन; ब. न कोई; अ. ब. मृर्त्य; ब. जागिउ.
९ अ. गुणबुल्लसितत, ब. गुणल्लसित; अ. सुहु, ब. सरू; ब. मानं; तुसुई. दानं.
१० ब. कल्लाणी; सासरति.११ ब. जीणी; कुंमारी.१२ ब. 'जाय नाची' मा पा विद्यमान नथी; दीध.१३ अ. जासी; ब. भावठि.-. १४ अ. निज्वर, ब. निर्जिर; ब. चच्चवे.१५ ब. अडयल्ल; जगि; बंधन.
१६ ब. नवल; अछरा; अ. हस्थिमल निरा; ब.हस्तिमल्लईरा.* 211६1ो पद्यांना छे.
Page #75
--------------------------------------------------------------------------
________________
કર १७ अ. राषि २, ब. राषिवा.१८ ब. कोई; अ. सपुरांणो; ब. ताहरीइं.१९ ब. पुहुवी; किय.२० ब. श्रुष.
२२ ब. 'केसरियो मनरंजणो' २॥ ५।४ नथी; 'कंसारी भीडि= भंजनो' २0 ४ आमाणे। छ. मुड.
२३ ब. सो पास मुहुर पूजीयो; घूघे जसो; नव.२४ अ. मोडडणो; ब. 'सो वेलु पास लोडणो' २१॥ ५।४ नथी.२५ अ. दक्षणश; ब. अंतरीक; स अंतरीष्य.२६ ब. स. भोगंदरा; ब. स. विषन्न; अमीझरू अनीझरो.२७ ब. स. श्री पर्वता.२८ ब. लाक पुरणो २९ अ. नारिंग गदे.३० अ. दषि.३१ ब. आराधिई.३२ ब. भत्तुं, स. भत्तु.३३ ब. स. विजय आदिमो ३४ अ. शौरूप, ब. 'सुरूप सोम' मा पा नथी.
३५ ब. सहीनव; ब. इडरो, स. ईदरो; ब. घुसी, ब. स. अंग साटको.--
३६ ब. स. कुर्कटेस्वरो.३७ ब. नागुहुरी, स. नागुहुरि; ब. स. गंभीरपुरे षई भण्यो.
३८ ब. अणलवरे; ब. फलविधि, स. फलवधि; ब. स. आस्या; अ. खुडा..
३९ अ. गुडीचे; ब. चूटणो, स. चुतणो,४० ब. स. जालोर.
४१ ब. जवाछ, स. जवाब; अ. कुकण; ब. स. कल्ली; ब. चउपट; ब. स. साउ.
४२ ब. त्रिभुन.
Page #76
--------------------------------------------------------------------------
________________
४३ अ. दाहीउड्डु -
-
४५ ब. दुरजन, जेहर; ब. स. चोखंभु सामि, दीठ; ब. विसिठ, स. विसीठ. -
४३
४६ ब. स. आमालेसर; तमोनिलंगाण; अ. उशीने. -
४७ ब. सिद्धपउरी, स. सिद्धपउरि; ब. राधनपुउरी, स. राधनपुउरी; अ. 'पारसनाथ' मा पाठे नथी; अ. वंदी करी मागी; ब. बंद कर माग; स. बंदी कर माग. -
४८ ब. उनावई, स. उनाऊई.
५० ब. प्रमाणीक, तुम तणा; ब. स. ५१ ब. संपेश्वरो. -
५२ ब. श्री संषेसर पासजी, स. संषेसर पासजी; अ. प्रमदयाल; स. भावट्टि -
५३ अ. ब. सीव. -
५४ ब. स. रहणमित्यादि ॥ ; अ. असूरी असूरेशं, ब. अशुरी अशुरेसं; अ. सूरीसरेसं; ब. स.भां भा पाठ नथी ब. स. मति मुगति; अ. लीला. -
५५ अ. ब. ऋषीकेश. -
५६ ब. स. उल्लासं; ब. स. चासं तनु; तेहनो दासं . -
५७ ब. जस ससीत; अ. तापं न न करी; ब. तापं तन करी, स. तापं तन करि; ब. कला २ पं.
५८ ब. महि महोदय; ब. एक वर्णना कुण कहे, स. एकें वर्णतां कुण कहें -
स.
सीत. -
५९ ब. लह लेषे; ब. संषेस्वरो
६० ब. स. तदा; अ. नीय नयणि; स. नीप्पन्न घणि; ब. रयण रासि, स. रयण राशि; अ. मानव नवी; ब. स. यदा.
६१ अ. अनपाषे; ब. स. कापड चूपडा; व. नि घर; ब. स. लहे .६२ अ. दाघ दीणा दया रसीणा; ब. सदृढ . -
. सायने, अ.
षडे था; अ. प्रेमें मिले मंदिर परिकरो. - अगनि झाला. -
६३ ब.
६४ ब. स.
Page #77
--------------------------------------------------------------------------
________________
. ६५ ब. स. विष डाल; अ. स. दोल; अ. बकावतो; ब. स. अतिकरालो.
६६ ब. अति अवुटें; ब. स. धोता; ब. धिंगड, स. धींगड; ही सुधा स. छ.
६७ ब. नवि विहे; अ. ब. चारे.- . ६८ ब. तिगालतुं; अ. ब. फीचन; अ. ब. लोचन.६९ ब. थाइ तुह.७० ब. काला भीम; पक्ष रतडे; आथमें; समरण समें.७१ ब. हर शीत एकांत दुष्ट दुर्झजर तृतीय; उतारणो.७२ अ. आछील; ब. आठील; ब. डीने.७३ ब. बुद्धि बल; सुगुरुः अ. प्राय पीतो, ब. याष प्राते.
७४ अ. होइ जन्म सुपूतृका, ब. होवे जस सभर्तृका; अ. नामनि दिधुं जीवीत होइ पुत्रीका, ब. नाम धारे होवे जीवत पुत्रोका; ब. पुत्र पामे.
७५ ब. जे प्रेत; अ. मोगादिक; ब. जे ठंडी.७८ ब. नरस, तुरंग बांध्या.७९ ब. महोत्सव.८० ब. जेजे वरति, मुज मुख.८१ ब. वाह्यो, साह्यो, सामी.८२ ब. संखेश्वर.८३ ब, वर्ति दीन्ने.८४ य. कह्यो.८५ ब. कि ते तारी यरभादंती; भप्रावती.८६ अ. वइराग.८७ अ. आवे; ब. किं तुं षमासागर थई मन्न नागु - ८८ ब. सयल.८९ ब. रह्यो.९० ब. कि ते ते च्यार; कहू दये दलं बार; ब. दोय.९१ ब. वणगवली.९२ अ. ब. नृपति; अ. ब. नहीं; ब. रीद्धे; अनहद्द वाजीत्र दातुं;
Page #78
--------------------------------------------------------------------------
________________
अ. पान अमृत.
९३ अ. गन्यांन; नीद्रायो; ब. हंस मोहं.-. ९४ ब. वरा; अ. झुलीउ.-:
९५ अ. अने उ. पन्ने प्रतीमा तीन अने याथा यो म सट छ; ब. रायराय विवेक.
९६ अ. निर्वृति, ब. निवृत्ति; अ. राज; ब. दुओ.
९७ ब. सिघासने सो; अ. ब. सोच; अ. तत्त्वनाचित तेहुं । ब. तत्त्वचिता तेहुं.
९८ ब. मुहुरी कीधा; अ. सबरंग, ब. संबरें राग; हेजां जणाव्यो.
९९ अ. नीशेष, ब. निसेष; अ. स्मकीत; अ. मिथ्यात; अ. गनांन हतलारे; ब. अज्ञानलारे.
१०० अ. करी क्रोधादी; अ. सेहलथी, ब. सेलहत्थ
१०१ अ. परम पवाद; ब. सुठध्यान; सुरगुरु; अ. ब. अमरष्य; अ. छद्यम, ब. छदम; दोद्यो कि ते; अ. ब. सूध.
१०२ ब. कि तूं श्वद्धि; अ. परिग्रण १०३ अ. ब. विसन साते.१०५ ब. पईरि; अ. भवन; गन्यांन, ब. ग्यांन; त्रीण्य.१०६ ब. सिह्यासने.१०७ ब. नरग; अ भवी, ब. भवि; चतुरविध; ब. चउविहे.१०८ अ. अछैदो अबेदो. - १०९ अ. ब. सीवः ब. गत्ति; अ. वीघ्नोप्रहारी.५१० अ. सीधी; निरविकारो; ब. नीरातकनाथो.
१११ अ. सीवो, ब.सिवो; अ. स्फूटिकशंकाश; ब.स्फुटिकशंकास; ब. परमब्रह्मो; अ.भा ‘ब्रह्मो' १५६ ५छ। 'कि ते लोकउ भावो' मा पधारानी ५४ छ; ब. कि तु लोकावभासो,' ते पछी शुन्य ज्या, अने ते पछी अजिमो.
११२ अ. प्रमेस्वरो.
११३ अ. सरवदा उत्म, ब. सर्वदा उत्तम; अ. सर्वदसी; अजरा अमरो.
Page #79
--------------------------------------------------------------------------
________________
११४ ब. मूर्ति च थापी; अ. परेशानो । ब. परम इसो; अ. परोभाणो, ब. परमभाणो; अ. परप्रांणो.-.-.
११५ अ. अमृत सिधी, ब. पीयुष सिद्धि; अ. सदासीव, ब. सदासिव; अ. ब. संभु; अ.क्षेत्रप्रधीसो, ब.क्षेत्र पछीनी पा सुप्त छ.
११६ अ. ब. सहकलो; अ. निकलो, ब. निक्कलो.
११७ अ. ब. प्रमहंसो; अ. व्योम आकार, ब. व्योम आकार; अ. रूपतृतियोमयो, ब. रूपतृतीयमयो.
११८ अ. पमद्रष्टी, ब. परमद्रष्टी; ब. शांतानिद्धानो; अ. परम अक्षरो वक्तो, ब. परम अक्षरो अव्यक्तो.
११९ अ. ब्रह्मदयेशो। ब. ब्रह्मद्वयेसो; अ. ब. देवोमयी.१२० अ. ब. तीर्थोमयो; अ. मनधेयोथ; ब. सोष्य -... १२२ अ. भक्ति, ब. भुक्त; अ. मया; ब. पदामावती, सहीय -
१२३ ब. क्षुद्र घटे; कि तुं स्तंभय २ क्षुद्र घटे; अ. दारीद्र चूरं, ब. दारीद्र दूरं.
१२४ ब. मायाक्लिंकारयुक्तं; अहं सुषं दीइं जप्तं.
१२५ ब. तुज नाम; कहीने वषाण्यु; ब.मात्री २२९ निम्नसिमित छ—कि तुं तिण करी मुज सदा सफल जाणुं.
१२६ ब. वीनव्यो, अ. बालू आबोल; मही ग्रही.१२७ ब. भेटिइ भक्तने; दीजे.-. १२८ अ. कवीत षट्पद [कवीत्वानी]; ब.अथ षटपद केवित्तानी१२९ अ. पार (दास) गुण; वहके; कपुर; अ. करपुर; अषे.१३० अ.मंगल महिम पास छंद, ब.मंगल दिवस छंद पास.१३१ अ. प्रहतिक्ष्य; ब. परतष्य; ब. संषेस्वर.--
१३२ ब. संषेस्वर; अ. रूद्र, ब. विरुद; ब. कामित; अ, पुरसोतम; अ. भाणू, ब. भाणु; अ. सीध्य.
पु४ि-अ-इति श्री विविध छंदो निबंध श्री संखेस्वर पाच૧ આ શબ્દ કિનારી પર લખેલ છે. २ 'पार' ५७। 'सार' २२५६ रिताला या छ; 'सार' जिना ५२ छे. 3 'मंगल' ५छ। 'करण' रितात दा२॥ या छे.
Page #80
--------------------------------------------------------------------------
________________
नाथ प्रबंद संपूर्णम् ॥ लषितं रिष गंगारांम संवत १८३६सा वष मतो चेत वदी २ बुद्धे ॥
ब-इति श्री संपेस्वर पार्श्वनाथ मंत्रस्य सगर्भित छंद संपूर्ण लिषतं घेला मोजी चतरभज लपीकृतं श्री प्रतापदूर्ग संवति १८४४रा मृगसर वद ७ सोमे समाप्तिमगमत् श्रीरस्तु कल्याणमस्तु श्री श्री....
૨. ત્રણસો પસઠ પાર્શ્વ-જિન-નામ-માલા ३ श्री सामी चिंतामणि; उददि; सामता; सघपूरि ४ पंचन्यल व छेक; पचफणो पाली पांचाल ५ मारंग; नागेंद्रह ७ मलीयाचल ९ होसोटे; चैत्र प्रवाडी १० वधनीर; वाकानेर; करटालि ११ भटेर; तुहड जिन; भद्रेसर तुहर १३ स्करावीय; विहरीय; बाहाधरपुरषा १५ गगाहर १६ तिमरी लगाणो; घालनेर १८ दुषपूरण; थान; कणक कबोई १९ कलपद्रम २० ध्याईतेजी; अमीबंद २१ अहीछटो ऐरावण; चिंतामनि २२ चकूवृति; दागमालोलोजी २३ श्रोपर २४ पनेंग २५ सीहो भविया २७ सगीस ३१ अतिवन
३२ विमलजिसेन; अंतमा:-इति त्रणि सि पांसठि पास जिननी माला बतीसी संपूर्णःश्री
Page #81
--------------------------------------------------------------------------
________________
૩. વૃદ્ધ ચૈત્યવંદન १ बिजी; बंदं; चंद्राप्रभ २ सुविधिनाथ; प्रमसिउं ३ प्रसाद शाशता असासता; सिमंधर; अट्ठीआं; महामुनिसर ४ ऊजलगिरि; कुल्प पास; जोवत ६ चउगय; आं विहार; आं नित्य ७ निलणि; जिवत
८ देव दीठा; अंत:-इति वृद्धि चैत्यवंदन ॥संपूर्ण ॥
Page #82
--------------------------------------------------------------------------
________________
| (૩) સ્થાને અને બિબોની સૂચી અકબરપુર (ખંભાતનું એક પર્સ) પા. મા. ૩૧. અગ્યારે ફણ (પા.) પા. મા. ૨૧.
અજાહરૂ (પા.) પા. છ. ૨૨.-(દીવ પાસેના ના ગામમાં, વિ. વિ. પૃ. ૮૬માં “અજાગ્રહ”ના “નવનિધિ' પા. ઉલિખિત છે, તે આ જ હશે.)
અ ધ્યા (પા.) પા, મા. ૨૦.-(વિ. વિ. પૃ. ૨૪માં ત્યાંની “પાસ નાહવાડિયા” ઉલિખિત છે; ત્યાંની પા. મૂર્તિ સેરીસા લઈ જવામાં આવી.)
અજનગિરિ (પા.) પા. છ. ૨–(શીલવિજયજી ૧૧૯, ૭૬ પ્રમાણે આ નામનું જૈન તીર્થ કાવેરી નદી પાસે હતું; પ્રેમીજી ૨૩૪ પ્રમાણે તે મલયાચલ ઉપર કુર્ગમાં હતું, પરંતુ ત્યાંના મૂલ નાયક શાંતિનાથ અને અનંતનાથ હતા.)
અંતરિક્ષ (પા.) પા. છ. રપ, પા. મા. ૨૦-અંતરીક] (આકેલા પાસના શ્રી પુર–આધુનિક સિરપુરનું પ્રસિદ્ધ બિંબ.)
અંતરીક = અંતરિક્ષ : અભિજન (પા.) પા. મા. ૨૧.
અમીઝરે (પા.) પા. છે. ૨૬; પા. મા. ૨૦ (આ નામનાં અનેક બિબો પ્રસિદ્ધ છે.)
* અમીબુંદ (પ.) પા. મા. ૨૦. > અમૃતપૂરે (પા.) પા. મા. ૨૧. અલવર (“રાવણ પા.') પા. છ. ૩૮.- તે આજે પણ ત્યાં પૂજાય છે.) અવંતિ (પા.) પા. છે. ૩૫-(ઉજનમાં પ્રસિદ્ધ)
અશેક (પા. ૨) પ. છે. ૩૮.-(વિ. વિ. પૃ. ૮૬ પ્રમાણે તે ચંપામાં હતા.)
અષ્ટાપદ છે. ૪.
અહિચ્છત્ર (પા.) ૫. . ૩૬; પા. મા. ૨૦.-(બરેલી જિલ્લામાં રામનગર પાસે આવેલા આ પ્રાચીન પો. તા.નું નામાન્તર “શિવાપુરી', સિવાયરિ” હતું; તેને ઘણા ઉલ્લેખો મળે છે.)
અહી છ = અહિ છત્ર.
1. જે આકડાઓની પાસે “.”છાપેલું છે તે આંકડાઓ પૃથ્યના, બાકીના પદ્યના સમજવા; માત્ર પ્રા. તી. મા. સં.માંના હરેક ઉલ્લેખને પહેલો આંકડો પૃષ્ઠનો અને બીજે પવનો છે. જે નામોને પત્તાં નથી લાગ્યો તેની પાસે ની નિશાની લગાવી છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
આણંદપુર જુઓ આનંદપુર.
* આણદા (પા.) પા. મા. ૨૦.-(જુઓ અટે. ૧૦ અને મેઘવિજય ૧૫૧. ૨૨.)
આણુઝુ (પા.) પા. છે. ૪૩.-(મૂળપાઠ કદાચિત આણીધુ હશે. કે જે નામ એક પા. તી.ના નામ તરીકે રત્નકુશલ ૧૭૦. ૧૮ અને શાંતિકુશલ ૧૯૯, ૧૬માં ઉલિખિત છે.)
2 આણીધુ જુઓ આણીસૃ.
મક આતરી (પા.) પા. મા. ર૦ –(આ નામનું પાર્વતીર્થ કલ્યાણસાગર ૭૧. ૧૯ [અંતર અને શાંતિકુશલ, પ્રત ૧૦ [અંતરે)માં ઉલિખિત છે.–શ્વાલિયર પાસેનું અંતરી ?
આનંદપુર (પા.) પા. છે. ૨૮ [આનંદપૂરણો]; પા. મા. ૨૧ [આણંદપુર)-(દેવચંદ ૩૮. ૬-૮ અને મહિમા ૫૯.૧૦ પ્રમાણે તે શંત્રુજયની તળેટીમાં હતું; તે વડનગરનું નામાંતર છે.)
આનીવાડો (પા.) પા. મા. ૨૧–(મહિમા પ૯ ૧માં “આણવા ગામ ઉલિખિત છે જેમાં ૨ મંદિર હતાં; તે આ જ હશે.)
આબુ (પા.) પા. છે. ૪૪–
કે આમ (પા.) પા. મા. ૨૦.—(કદાચિત્ તે મેઘે ૫૦. ૩૦ અને મહિમા ૬૦ ૭માં ઉલિખિત આબુ પાસેનું આમથલ હશે.)
જ આમલેસર (પા.) પા. છ. ૪૬.(આ સ્થાન “આનંદવિમલસૂરિ રાસ” [એ. રા. સં. ભાગ ૩, ૧૨૪.૯૪] અને “આબુના શિલાલેખ નં. ૨૨૫ [પૃ. ૮૨]માં પણ ઉલ્લખિત છે; પૂજ્યપાદ મુનિશ્રી જયંતવિજયજી મહારાજ આ આખરી સ્થાન પર આવું અનુમાન કરે છે કે તે કદાચ અંકલેશ્વર અથવા અમલસાડ હોય.)
આરાસણે (ત્યાંના ગુડી પા’.) પા. છ. ૩૯-(પ્રાચીન કુંભારિયા તીર્થનું આ નામ પ્રસિદ્ધ છે; તે આબુ પાસે છે ત્યાં આજે પણ ગેડી પાનું મંદિર છે.)
જ આરીસો (પા.) પા. મા. ૨૦ * આવલા (પા. પા. મા. ૨૪ * આસણ (પા.) પા. મા. ૨૧
આસાફલી (પા.) પા. છ. ૩૮ (?).—(અમદાવાદ-આસાવલી [આશાપલ્લી ના પા. શાંતિકુશલ ૧૯૯. ૧૮માં અને સમતિલકસૂરિના સ્તોત્રમાં [જુઓ ગાંધી, જિનપ્રભસૂરિ પૃ. ૮૨] ઉલિખિત છે.)
Page #84
--------------------------------------------------------------------------
________________
५१
“ આહુલણપુર (ત્યાંના પા.) પા. મા. ૨૧
ઇડર (પા.) પા. છે. ૩૫
* ઇદાડા (પા.) પા. મા. ૧૮.—(કદાચ આ મેવિજય ૧૫૨.૨૫માં ઉલ્લિખિત ‘ઈ લેાર’ અને શાંતિકુશલ [પ્રત ૧૯]માં લિખિત ‘ઇંદ્રવાસ’, અર્થાત્ આધુનિક એલેરા હાય )
ઉજયંત રૃ. ચૈ. ૪ (=ઉજયંત)
ઉજ્જયંત (ગિરનારનું સુપ્રસિદ્ધ નામાંતર) જીએ ઉજયંત
* ઉડણા (પા.) પા. મા. ૨૪
* ઉડીચા (પા.) પા. મા. ૨૪
ઉનાએ (પા.) પા. છે. ૪૮.—(આ મહિમા ૬૧.૩માં લિખત તીથ, અર્થાત પાટણની પાસે આવેલું આધુનિક ઉનાવા હાય.)
ઉમરવાડી (પા.) પા. છે. ૪૩.--(રત્નકુશલ ૧૭૦.૧૭ પ્રમાણે ‘ઊંમરવાડી' એક પાર્શ્વતીર્થ છે; શાવિજય ૧૨૧. ૧૧૧માં તે જ નામ [ઉંબરવાડી આવે છે; ઉમરવાડી પાર્શ્વનાથ' આજે સુરતમાં પૂજાય છે.) એકલમલ્લ (પા.) રૃ. ચે. (આ નામનાં અનેક ત્રિમા છે.) -~* એલીયા (પા.) પા. મા. ૨૩
* અલેાલી (પા.) પા. મા. ૨૩
* ઐરાવણ (પા.) પા. મા. ૨૧.—(સરખાવેા મૂલા. ૩ અવ રાવળ) ૐસાર (ત્યાંના ‘ભીડભંજન પા.') પા. ૭. ૨૨.—(સુરીશ્વર અને સમ્રાટ' પૃ. ૨૧૪ મેટ પ્રમાણે ખંભાતથી ૧ માઈલ દૂર આવેલા કંસારીપુરમાં શ્રાવક કવિ ઋષભદાસના સમયમાં, અર્થાત્ સં. ૧૬૬૫થી ૧૬૮પના દરમ્યાન, ભીડિભંજન પા.ના મંદિરમાં ૨૨ બિબ હતાં; ખંભાતના ખારવાડાના દેરાસરમાં જે ‘કંસારી પાર્શ્વનાથ’ હમણાં છે તે કદાચ કંસારીપુરથી આવેલા હાય. ‘વિનયદેવસૂરિ રાસ,' એ. રા. સં. ૩, પૃ. ૩૧. ૨૩૬ પણ જુઓ.)
* ફંડોલી (પા.) પા. મા. ૧૮
કડી (પા.) પા. છે. ૩૦-(શીવિજય ૧૨૫.૧૫૯ ‘કડી મહિસાણ નગર સાર આદિ વીર નિ પાસકુમાર'; કડી એક પા.તી. તરીકે શાંતિકુશલ ૧૯૯.૧૩માં પણ લિખિત છે; તે આધુનિક અમદાવાદ-પંચતીર્થીમાં આવેલું કડી હાય.) પા. મા. ૧૯માં આવેલ ‘કડેસર' ત્યાંના પા. હશે
કડેસર (પા.) જીએ ‘કડી’
* કંટેસજ (પા.) પા. મા. ૧૯
Page #85
--------------------------------------------------------------------------
________________
*કતબપુરી (પા.) પા. મા. ૧૯ રકનક (પા.) પા. મા. ૧૮.-(મ. ૨ વનર'; ૭ જનપુર)
કનડી (પા.) પા. મા. ૧૮ ક ઈ (પા.) પા. મા. ૧૮—(શાંતિકુશલ ૧૯૯.૯, રત્નકુશલ ૧૦. ૧૭ અને લલિતપ્રભસૂરિ, ઢાલ ૨૨ (પૃ. ૯, કંબોઈ સિરિયાસજી') પણ આ નામનું પા. તી. બતાવે છે; ચાણસમા પાસે કંઈ ગામ છે, અને પાટણમાં ઘીમાને પાડામાં “કંબોઈયા પા.' વિદ્યમાન છે.)
* કમલ (પા.) પાં. મા. ૧૯ કરકટસ જુઓ કેટેસરે.
કરકુ (પા.) પા. મા. ૧૯ કરણપુર (પા.) પા. ભા. ૧૯ –(આ કર્ણાવતી જ હોય, કે જે અમદાવાદના પ્રાચીન નામ તરીકે પ્રસિદ્ધ છે.)
કરદાટ (પા.) પા. છે. ૩પ.—(આ ‘કરેડા પા.ના પ્રાચીન નામ તરીકે પ્રસિદ્ધ છે; ચિત્તોડ પાસે આવેલું તેનું મંદિર પિથ પુત્ર ઝાંઝણે–૭ ભૂમિવાળું શ્રીધર્મષસૂરિની આજ્ઞાથી બંધાવ્યું હતું. જુઓ જે. સા. સં. ઇ. પરા ૫૮૨.)
કલધરી (પા.) જુઓ કલાધરે.
કલાધર (પા.) પા. છ. ૨૬; પા. ભા. ૧૯ [કલધરી).--સરખાવો. મેઘવિજય ૫૪.૬૬ | કાલધરી ગામ], શિલવિજયે ૧૦૫.૫૫ [કાલધરી: આ આબુ પાસેનું આધુનિક કલાધર હાય.)
કલારહુ (પા.) પા. છ. ૨૬.—(મેઘવિજય ૧૫૦.૧૪ [કાર, રત્નકુશલ ૧૬૯, ૭ કિલ્હાર, અને જયવિજય ૧૩૩.૮ કિલ્હારો પણ નામના પા. ડી.નો ઉલ્લેખ કરે છે; જયવિજય પ્રમાણે તે ભરૂચની પાસે અથવા ભરૂચમાં જ હોવું જોઈએ.).
કલાલે (પા.) પાં. મા. ૧૮ (=કલાર?)
કલિકુંડ (પા.) પા. . ૩૬; પા. મા. ૧૮ [કલીકુંડ.—('કલિકુંડ પા.' સાહિત્યમાં પ્રસિદ્ધ છે. જુઓ વિવિ. પૃ. ૨૬, ૬૫, ૮૬, ૧૦૬ આદિ: મૂલતીર્થ હૈદરાબાદ પાસેના પ્રાચીન કલકુડમાં હતું તે સંભવ છે; દેવચંદ ૪૨.૧૫ પાલીતાણામાંને લિડ પા.ના બિંબનો ઉલ્લેખ કરે છે; બાકી તેના ઘણય ઉલ્લેખ છે.)
કલીડ જુઓ લ
કલીકોટ (પા) પા. છ. ૪૧.–શીલવિજય ૧૧૯૭૭ પણ મલબાર પાસેનું જૈન તીર્થ “કલિકર' ઉલિખિત કરે છે; જુઓ પ્રેમી ૨૩૪)
Page #86
--------------------------------------------------------------------------
________________
કલપકુમ જુઓ કલ્પકુમ.
કક૫કુમ (પા.) પા. મા. ૧૯–(વિવિ. પૃ. ૮૬ પ્રમાણે આ નામના પા. મથુરામાં હતા.)
કાકણ (પા.) પા. મા. ૧૯(આ બિહાર પ્રાંતનું આધુનિક “કાકન”, પ્રાચીન સારી હશે, કે જે ચારિત્ર-વિહાર પૃ. ૧૮૪ અને વિજયસાગર ૧૦માં પણ ઉલ્લિખિત છે.)
કાપડીયા (પા.) પા. મા. ૧૯-(આ જોધપુર સ્ટેટમાં પીપાડ પાસે આવેલ “કાપડા પા.” યા કાપરડાજીના “સ્વયંભૂ પા” હોઈ શકે. કાપરેડાના પા.નો ઉલ્લેખ મેઘવિજય ૧૫૧. ૨૧ અને મહિમા ૫૮. ૭માં પણ મળે છે.)
* કાસમેરી (પા.) પા. મા. ૧૮
કિલવાડિ (પા.) પા. મા. ૨૦
- કુકણ (પા.) પા. છે. ૪૧ પા. મા. ૧૯ કિંકણ –(જુઓ મેધ ૨૮. ૭, શીલવિજય ૧૨૧. ૧૧૦ અને ૧૨૨૧૨૧; શીલવજયજી વિશેષતઃ કંકણના પાનું નામ લે છે.)
કંકણ જુઓ કુકણ.
કુંકમરેલ (પા.) પા. મા. ૨૦. (તેનું નામ શાંતિકુશલ ૧૯૮. છે અને મેઘવિજયે ૧પ૦. ૯ પણ લે છે; મૂલ બિબ કદાચ પહેલાં નાથદ્વાર પાસેના કાંકરોલીમાં હોય કે જ્યાં લગભગ ૩૦ વર્ષ પહેલાં એક જૈન મંદિર હતું. જુઓ મુનિ વિદ્યાવિજય, મેવાડયાત્રા' પૃ. પર.).
કુંજર (પા.) પા. મા. ૧૯ (કદાચ તે અષ્ટ. ૪૧ અને ૬ ૬ અને મૂલા. ૮. રમાં ઉલિખિત કુંજરાવો સાથે સંબંધ રાખે.)
કુંડણ (પા.) પા. મા. ૧૯ (=ભપાવર ?) * કુંભપુર (પા.) પા. મ. ૧૯ ( કુંભારિયા અથવા કુંભલમેર ?)
કુંભલમેર (પા) પા. છ. ૪૫, . . ૬.-(ઇતિહાસપ્રસિદ્ધ કુંભલમેરને કિલ્લે આજે પણ મેવાડમાં ઘારાવ પાસે વિદ્યમાન છે; તેના ઘણાય ઉલ્લેખ મળે છે. જુઓ “આબુ ૨, લેખ નં. ૪૬ ૭, ૪૫, ૪૯૩ અને પૂ. પ૦૮, ૫૧૫, પરની ને ઇત્યાદિ.)
કુંભારિયા જુઓ “આરાસણ.
કુકસ (પા.) ૫. છે. ૩ ૬; પા. મ. ૧૯ [કરકસ. -(સરખા વિવિ. પૃ. ૨૬ અને ૮૬ ‘કુકુટેશ્વરે વિશ્વના [પાતીઅને પૃ. ૧૦૬; મૂલ તીથ મંદસોર પાસેનું કુકડેશ્વર હોય; ભાવદેવસૂરિ ૬. ૧૬૭ અને હેમવિજય ૫. ૨૬૬ પણ તેનું નામ લે છે; પાછળના સાહિત્યમાં ઘણો ઉલ્લેખ
Page #87
--------------------------------------------------------------------------
________________
8
મળે છે; એ કલ્યાણસાગર ૭૧. ૧૬, મેઘવિજય ૧૫૧. ૨૩, શાંતિકુશલ ૧૯૮. ૬, શીવિજય ૧૧૨. ૪૭.)
કુલ્લપાક (પા.) રૃ. ચે. ૪.—(રત્નકુરાલ ૧૬૯ ૭ ૫ણ આ પ્રસિદ્ તીર્થ ઉલ્લિખિત કરે છે.)
પાસેનું સલગઢ !)
“ કુસલપુર (પા.) પા. મા. ૧૯.—(ઝત્રુ કેશ્રીજી (પા.) જીએ કેસિરયા. કેસરિયા (પા.) પા. ૭. ૨૨ (!); પા. મા. ૧૮.---[કશ્રીજી].-(‘કેંસરીયા પા.' અનેક જગ્યાએ છે.)
કાકુ (પા.) પા. છ. ૨૯.—(વિવિ. પૃ. ૭૭. પ્રમાણે અણુહિલવાડ પાટણમાં એક ‘કાક’ નામના સંડે ‘કાકા વસહિ' નામનું મંદિર બંધાવ્યું હતું; તે નષ્ટ થયું હતું; તેમાંની પા. મૂર્તિના સ્થાને જે નવીન મૂર્તિ રાખવામાં આવી હતી, તેનું નામ ‘કાકાપાસ’ થયું; આજે પણ કાકા પા. પાટણમાં જ છે; તેના ઘણા ઉલ્લેખા મળે છે.)
* કાટી (પા.) પા. મા. ૨૦.—(કદાચ તે વિ. પૃ. ૮૬ની કાટિમ યા કેટિશિલા સિદ્ધક્ષેત્ર સાથે સંબંધ રાખે છે..)
કાટા (પા.) પા. મા. ૨૩
“ કાઠારા (પા.) પા. મા. ૧૮ કારડા (પા.) પા. મા. ૨૦.
(સિરાહી પાસેનું પ્રસિદ્ધ કાટા તીર્થં કે જે અષ્ટા. ૭૭, મૂલા. ૮. ૫ આદિ પ્રાચીન સાહિત્યમાં પણ ઉલ્લિખિત છે; જુએ ‘શ્રીકારટાજી તીર્થંકા ઇતિહાસ'.)
* કાલીયાલી (પા.) પા. મા. ૧૯
* કાલીયા (પા.) પા. મા. ૧૯
`ભાત (પા.) પા. છે. ૨૧.--જીએ ‘ભણા’, ‘કંસારિ’, ‘ત્રંબાવતી’, થંભણુપુર’.
ખરડી (પા.) પા. મા. ૧૫ [ખરહડી].—(આ આબુ પાસેનું ખરડી યા ખરાડી હોય.)
* ખસખસ (પા.) પા. મા. ૧પચ્ય ધસધસ
* ખાતુ (પા.) પા. છ. ૨૮.—(હકુશલ ૧૭૦. ૧૮ પણ ધાતા પારસનાથ’નું નામ લે છે; મૃલ નાયક મહેસાણા પાસેના ખાતે ગામના હાય.)
ખાસ (પા.) પા. મા. ૧૫અ
ખીમા (પા.) પા. મા. ૧પચ્ય
બુડાવલી (પા. ?)પા છે. ૩૮.—(ફાલના સ્ટેશન પાસેનું ખુદાલા હશે.)
Page #88
--------------------------------------------------------------------------
________________
ખેડકર (પા.) પા. મા. ૧પબ
એટલવસહી (પા.) પા. મા. ૧પબ.- (મેઘવિજય ૧૫૦. ૧૩માં પણ ખેતલવસઈ ને ઉલ્લેખ છે; પાટણમાં ખેતલવસહીને પાડો તેની યાદ કરાવે છે.)
ખેમકર (પા.) પા. મા. ૧૪ ડ ખવડીયો (પા.) પા. મા. ૧૪ ડ * ગગાહર (પ.) પા. મા. ૧૫ સ—(બીકાનેર પાસેનું ગંગાસર ?) * ગજ (પા.) પ.ભા. ૧૬ અ.– વિવિ. પૃ. ૮૬ “કુરેશ્વરે શ્વાન' !)
ગજગપુર (પા.) પા. મા. ૧પબ--(આ અષ્ટો. ૪૧ અને ૪૯ તથા મુલા. ૮. ૧ના “ચમા’ સાથે સંબંધ રાખતું હોય; આ તીર્થ અ. પ્રમાણ વાળFર પર્વત પર હતું, અને વિવિ. પૃ. ૭૮ પ્રમાણે આ ઢાળવય’ મગધમાં છોટિાિ પાસે હતું.)
ગંભીરે (પા.) પા. છ. ૩૭.(‘ગંભીરા પા.” આજે પણ પાટણ પાસેના ગાંભુ ગામમાં છે)
* ગહુઆ (પા.) પા. મા. ૧પસ
ગાડરી (પા.) પા. મા. ૧પસ; પા. છ. ૩૧ ગાલ્લીઉ—(આ દેવ ગાડરીયા પા.” તરીકે કલ્યાણસાગર ૭૦. ૩, મેઘવિજય ૧૫૦. ૧૫, શાંતિકુશલ ૧૯૯, ૧૭, જયવિમલ ૧૩૪. ૧૬, અને “ગારડીયા પા.” તરીકે રત્નકુશલ ૧૭૦. ૧પમાં ઉલિખિત છે; તે માંડલના આધુનિક “ગાદલીયા પો.” હશે)
ગારલાઉ (પ.) જુઓ “ગાડરી'
ગિરિપુર (પા.) પા. . ૩૭.—(એ રા, એ ભાગ ૧, પ્રસ્તાવના પૃ. [૩૦માં પૂજ્ય વિજયધર્મસુરીશ્વરજી બતાવે છે કે “ગિરિપુર” આ ડુંગરપુરનું નામાંતર જ છે; વિ. સં. ૧પર પમાંના એક શિલાલેખમાં પણ ત્યાંના પાન ઉલ્લેખ છે; સાહિત્યમાં તેના ઘણા ઉલ્લેખ છે)
ગુડી (પા.) પા. છે. ૩૧ [‘ગુડીચુ રાય', ૩૯ [ગુડીચો'].--(= ગોડી); જુઓ ‘પારકર” અને “ગડી')
ગુલવાડી (પા.) પા. છે. ૪૬
ગેડી (પા.) 9. . ૫.—(આ પ્રસિદ્ધ પા.નાં ઘણાં બિંબો છે; તેને ઉલેખ શીલવિજય ૧૦૩. રર [સિંધદેશમાં માં પણ છે; “ગુડીચો' અને પારકર' પણ જુઓ.
* ગોદડીઉ (પા.) પા. છે. ૪૪ ગોપાવલ (પા.) પા. મા. ૧પડ. – (જુઓ વાલેર'). ગેમર (પા.) પા. મા. ૧૫
Page #89
--------------------------------------------------------------------------
________________
ગેમુખ (પા.) પા. મા. ૧૫ડ [ગમુપો.
ગાષાસ (પા.) પા. મા. ૧૫
વાલેર (પા.) પા. છ. ૪૦.-( ગ્વાલિયર કે જ્યાંનાં બિંબ સુપ્રસિદ્ધ છે; “ગોપાવલુ' પણ જુઓ.)
ઘીયો (પા.) પા. મા. ૧પડ.-(પાટણમાં આવેલા ધીયાના પાડામાં તે આજે પણ પૂજાય છે)
ઘુમલી (પા.) પા. મા. ૧પડ.-(કાઠિયાવાડમાં આજે પણ ઘૂમલીને ખંધેિર વિદ્યમાન છે, તેમાં પ્રાચીન મંદિરોના પણ અવશેષો દેખાય છે)
ઘૂઘા (પા.) જુઓ ઘેઘા
ઘતકલેલ (પા.) પા. છે. ૩૦; પા. મા. (ઘી તકલ].-(શાંતિ કુશલ ૧૯૮. 9 સિંધના કડાના વૃતકલેલ પા. ઉલ્લેખ કરે છે; પછી તેની પ્રતિમા સુથરીમાં સ્થાપિત થઈ કે જ્યાં તે આજે પણ વિદ્યમાન છે; મેઘવિજય ૧૫૧. ૨૧, રત્નકુલ ૧૭૦. ૧, પણ તેનું નામ લે છે.)
ઘેવા (પા.) પા. છ. ૨૩ [‘ધૂ...પાસ નવખંડ'] અને . શૈ. ૪ | નવખંડ...પાસ'].-(કાઠિયાવાડમાં—પૂર્વકાલમાં સમુદ્રના કિનારે જ આવેલા-ઘોઘાને નવખંડ પા.ના ઘણા ઉલ્લેખો છે; તે આજે પણ ત્યાં પૂજાય છે)
ઘાતકલેલ જુઓ “બ્રતિકલ્લોલ”. ને ચઉખંભ (પા.) પા. છે. ૪પ - ચઉમુખ જુઓ ચેમુખ. એક ચક્રવર્તી (પા.) પા. મા. રર બ * ચંદન (પા.) પા. મા. ૨૧
ચંદેરી (પા.) પા. મા. રરબ.(આ ગવાલિયર સ્ટેટમાં લલિતપુર સ્ટેશન પાસેના ચંદેરી સાથે સંબંધ રાખતું હોય કે જ્યાં પ્રાચીન જૈન મંદિરો અને મૂતિઓના ઘણા અવશેષો મળે છે.)
ચંદ્રપુરી (પા.) પા. ભા. રર-(૦ચદ્રાવતી, અથત રાધનપુર પાસે આવેલું આધુનિક “ચંદુર” ?)
ચંદ્રપેણ (પા.) પા.મા. ૧૩-( કચ્છના રાપરમાં વિદ્યમાન “ચંદ્ર પ.”?)
ચંદ્રોડે (પા.) પા. મા. રર-(માલેગાંવ અને નાસિકની વચમાં ચાંદવડ ગામ પાસે આવેલું ચંદ્રોડા, કે જ્યાંની એક ગુફામાં એક જિ હોવાનું કહેવાય છે.)
* અમીન (પા.) પા. મા. રર .
Page #90
--------------------------------------------------------------------------
________________
ચાંપાનેર (પા.) પા. મા. ૨૨ બ-(પાવાગઢ પાસેનું સુપ્રસિદ્ધ તીર્થ કે જ્યાંના “કલ્યાણ પાર્શ્વનાથ” વડોદરામાં લાવવામાં આવ્યા છે; મૂલ સ્થાન આજે દિગંબર તીર્થ છે.)
ચારૂપ (પા.) પા. છે. ૩૦, પા. મા. ૨૧-(અણહિલવાડ પાટણ પાસેના ચારૂપમાં સામેલાજી પા.” આજે પણ પૂજાય છે; તે સ્થાન ને વિશે જુઓ “આબુ” ૨, લેખ ન. ઉપર અને પૃ. ૪૪પની નોંધ; ભાવ દેવસુરિ પણ આ સ્થાનને ઉલ્લેખ કરે છે (‘પ્રશસ્તિ'૧૭)
* ચાવલે (પા.) પા. મા. ૨૧
ચિત્રકોટ . . 9.-(મેવાડનું પ્રસિદ્ધ ચિત્રકૂટ, કે જે એક જૈન તીર્થ તરીકે પ્રાચીન સાહિત્યમાં વારંવાર ઉલિખિત છે, આધુનિક ચિત્તોડ; જુઓ શાંતિકુશલ ૧૯૯, ૧૮, કે જ્યાં તે પાર્ધ. તીર્થોની સૂચીમાં છે. અષ્ટો. ૧ [“ચિત્તઉડ” યા “મુગલગિરિ').-
ચિડે પણ જુઓ. ચિંતામણિ (પા.) ૫. છ. ૩૩; પા. મા. ૨૧ સ.-(આ નામનાં ઘણય પા. બિબો ઉલ્લિખિત છે; પ. છે. બીબીપુરનું મૂલ પા. બિંબ સૂચિત કરે છે; જુઓ “બીબીપુર”.).
* ચીચલીય (પા.) પા. મા. ૨૨ અ–(સરખાવો શાંતિકુશલા ૧૯. ૧૨ [છલીંબ, પ્રતમાં ચર્ચાલય).
ચીત્રોડા (પ.) પા. મા. ૨૧ સ.--(મેઘ ૫૫. ૭૬માં પણ તે ઉલિખિત છે, કે જે પ્રમાણે તે મેવાડમાં છે, એટલે તે ચિત્રકૂટ હાય).–જુઓ ચિત્રકુટ.
જ ચુપદમલ (પા.) પા. છ. ૪૧; પા. મા. ૨૧ સ.-[ચોપટમલિ – સરખા શલવિજય ૧૨૨. ૧૧૫.)
ચેલણ (પા.) પા. મા. ૨૧ ડ–(સરખાવો શાંતિકુશલ ૧૯૯, ૧પ, કલ્યાણસાગર છર. ૨૬, મેઘવિજય ૧૫૧. ૨૧ અને વિવિ. પૃ. ૮૧, કે જે ચારે ગ્રન્થોમાં આ બિંબ ઉલિખિત છે; બીજિનપ્રભસૂરિ પ્રમાણે આ નામની પ્રતિમા “પારેત જનપદ'ના જંગલમાં ચર્મણવતી નદી પાસે આવેલી “ઢિપુરી” (પ્રાચીન “સિંહગુહાપલ્લી”]માં હતી; આ મેવાડમાં આવેલા “ચલણું પા. નું તીર્થ હશે.)
ચાગુણ (પા.) પા. મા. ૨૨ બ. ચોપામેલ જુઓ ચુપટ્ટમલ્લ.
ચામુષ પા. મા. ૨૧ ડ (પા.); . . ૭ [ચઉમુખ)-(આ નામનાં અનેક બિબે હૈય; છે. ચ.માં રાણપુરને ઉલ્લેખ છે.)
Page #91
--------------------------------------------------------------------------
________________
" જ૮
કચેરવાડે (પા.) પા. મા. ૨૧ ૩.-(સરખાવો શાંતિકુશલ ૧૯૮.૪ અને મેઘવિજય ૧૫૦. ૧૫ ડિવાડ]). "
ચલરે જુઓ ચેલેર.
* ચેલેર (પ.) 9. ચિ. ૬ [ચાલેર પાસ]; પા. મા. ૨૨ ડોલરો પા.]–(શાંતિકુશલ પ્રત ૨૩માં ચવલેડર, કલ્યાણસાગર ૭૧. ૧૨માં એલર, અને મેઘવિજય ૧૫. ૨૧માં ચવલેમર પા. ના ઉલ્લેખો છે; આ એક જ નામનાં ભિન્ન ભિન્ન રૂપ હોય; 9. ચે. અને કલ્યાણસાગર પ્રમાણે ત્યાંના પા.નું નામ “એકલમલ” હતું.)
* ચાવીસવ (પા.) પા. મા. ૨૨ અ * છખપૂરણ (પા.) 2) પા. મા. ૧૮ એ (?) ર છત્રાલે (પા.) પો. મા, ૧૮ અ. કઃ છાન (પા.) પા. મા. ૧૮ અ (?)
* છાયા (પ.) પા. મા. ૧૮ બ [છાયોગિંર .વિવિ. પૃ. ૮૬ કહે છે કે “ટ્રિમાચઢે છાયાવાશ્વ મત્રાધાન: શ્રીકુઢિા:”; અને “
માતે છાયાપાર્શ્વનાથ, હજુ સુધી આ પત્તો લાગ્યો નથી.)
: છાયાપુર (પા.) પા. મા. ૧૮ અ.- વડેદરા પાસેનું છાણી હશે.)
છાવઠી (પા.) પા. મા. ૧૮ બ(આ પ્રાચીન કાવસ્તિ, પ્રાકૃત સાવથી, તીર્થ હશે, કે જેના અવશેષો આધુનિક સહેતડેતમાં બલરામપુર સ્ટેશન પાસે પડયા છે; જુઓ શ્રીવિજયધર્મસૂરિ મહારાજની નોંધ, પ્રા. તી. મ. સ. પૃ. [૩૬] પ્રસ્તાવના.)
# છીછલી (પા.) પા. મ. ૧૮ અ-(જુઓ મેધવિજય ૧૫૧. ૨૦: તથા છેછલી તરીકે શાંતિકુશલ ૧૯૯. ૪૨ અને કલ્યાણસાગર ૭ર. ૪રમાં: તે કદાચિત સાદડી પાસેનું શેખલી હશે.)
ક જગદીસ (પા.) પા. મા. ૧૨ એ. ક જગમોહન (પા.) પા. મો. ૧ર અ. આ જગપૂરણ (પા.) પા. મા. ૧૨ અ. ' * જગીસ (પા.) પા. મા. ૧ર બ. નક જપુંજ (પા.) પા. મા. ૧ર બ-જગપૂજ્ય ?' * જવન (પ.) પા. મા. ૧૨ સ. * જવાને (પા.) ૫. ભા. ૧૨ સે.
જવાસ (પા.) પા. છ. ૪૧.-(જુઓ શીલવિજય ૧૧૧ ૪૩ તથા આનંદવિમલસૂરિ રાસ, એ. રાસ સં. ૭, પૃ. ૧૨૪. ૯૦; આ ઉજજૈન
*
*
*
*
Page #92
--------------------------------------------------------------------------
________________
પાસે આવેલું જવાસિયા છે કે જ્યાં એક પ્રાચીન છે. મંદિર છે.)
* જાઉર (પા.) પા. મા. ૧૨ ડ.-(જુઓ શાંતિકુશલ ૧૯૯. ૧૭, કલ્યાણસાગર ૭. ૯ અને મેવ. ૫૫. ૭૬; આ છેલ્લા ઉલ્લેખ પ્રમાણે તે મેવાડમાં હોવું જોઈએ.)
* જાડ (પા.) પા. મા. ૧૨ સ.
* જાલુહુર (પા.) પા. છે. ૪૦.-(આ મારવાડમાં આવેલું પ્રાચીન જાવાલિપુર–સેવનગિરિ, આધુનિક જાલોર છે, કે જેના ઘણા ઉલ્લેખો મળે છે, જુઓ “યતીન્દ્રવિહાર” પૃ. ૧૬૯)
: જારે (પા.) પા. મા. ૧ર સ-(જુઓ મેધવિજય ૧પ. ૨૦; મેઘ. ૫૫. ૭૭ અને મહિમા. ૫૯. ૮)
* જિસમ (પા.) પા. મા. ૧ર :.
જિસેહર (પા.) પા. મા. ૧ર :.
જીરાઉલ (પા.) પા. છે. ૩૦; પા. મા. ૧૧ ડ; 9. ચ. ૫.—– (“જીરાવલા પા.” અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ છે; તે સં. ૧૧૧રમાં પાવાગઢમાં પ્રતિષ્ઠિત થયા હતા; સં. ૧૮૯૬માં તે વડોદરામાં પુનઃ પ્રતિષ્ઠિત થયા અને કલ્યાણ પા.'ના નામથી પૂજાય છે. જુઓ . લાલચન્દ્ર ભ. ગાંધી, “પાવાગઢ''; તેના ઘણા ઉલ્લેખો છે); જીરાવલી ગામ, પ્રાચીન જીરિકાપલિ, આબુ પાસે છે; ત્યાં જ સં. ૧૩૧૦માં પેથડે તે બિંબનાં દર્શન કીધાં; સં. ૧૫૨૫માં પણ તે ત્યાં જ હતું, જુઓ જૈ. સા. સં. ઈ. પૅરા પ૮૧, ૪૯૮ આદિ)
* જુઠા (પા.) પા. મા. ૧ર :.- પાટણ પાસે આવેલા ધિણોજમાં પૂજાતા “ઝટવા પા.” ?)
જેસલમેર (પા.) પા. છે. ૩૭ જેસલમેર]; પા. મા. ૧ર બ(સ. ૧૪૭૩માં શ્રીજિનવર્ધન સરિજીએ ત્યાં લક્ષ્મણવિહાર નામના પાર્થ જિનાલયની પ્રતિષ્ઠા કીધી. જુઓ જ. સા. ઇ. પંરા ૬૬૭ અને ૬૯૫. તેના અનેક ઉલ્લેખ મળે છે, દા. ત. કલ્યાણસાગર ૭૧. ૧૮, મેઘવિજય ૧પ. ૨૫, શાંતકુશલ ૧૯૯. ૧૦; ત્યાંનું બિંબ ચિંતામણિ પાનું હતું. જુઓ આ. કા. મ. પૃ. ૨૬.)
જોધપુર (પા.) પાડે છે. ૪૦; પા. મા. ૧ર બ.-સરખાવો મંડોવરો. - ઝંકારવ (પા.) પા. મા. ૨૩ અ. '
ઝાડુલીઉ (પા.) પા. છે. ૪૫.-(આ આધુનિક ઝાડલી હોય કે જે બામણવાડાની પાસે આવેલું છે અને જ્યાં એક પ્રાચીન અને વિશાલ જિન
Page #93
--------------------------------------------------------------------------
________________
મંદિર છેઃ જુઓ મુનિ જયંતવિજય, બ્રાહ્મણવાડા પૃ. 9૮ નેંધ; મેધ ૫૪. ૬૮માં જે ઝાઝઉલી ઉલ્લિખિત છે તે આનું વિકૃત રૂપ હશે.)
ટાકલે (પા.) પા. મા. ૨૪.-(આ પાટણના “ટાંકલા પા.” હોય.)
ટેકરિ (પા.) પ. ભા. ૨૪-મેઘ ૫૪. ૬૭ પણ જુઓ; કદાચ તે ડોકરિયો પા.” હોય કે જેનું બિબ પ્રભાસ પાટણમાં આજે પણ પૂજાય છે અને જે ત્યાં જ હવા સંબધી શાંતિકુશલ ૧૯૮. ૪ પણ લખે છે; મેઘવિજય ૧૫૦. ૧પ પણ જુઓ.)
ડબેહી જુઓ ડભોઈ
કઈ (પા.) પા. છે. ૨૪ [“ડભોઈ. પાસ લેણે']; પ. મા. ૧૭ સ.-(દર્ભાવતી-ડભોઈમાં તેજપાલે પાર્વજિનેશ્વર ચૈિત્ય બંધાવ્યું, જુઓ પં. લાલચન્દ્ર ગાંધી, તેજપાલ પૃ. (ર૯); ત્યાંના પા. બિબના ઘણા ઉલ્લેખ મળે છે, જેવા કે રત્નકુશલ ૧૬૯, ૭, શાંતિકુશલ ૧૯૯. ૧૫, શીલવિજય ૧૨૨. ૧૧૯;-ડભાઈ ગામ વડોદરાથી ૨૫ માઈલ દૂર છે).
* ડમરૂ (પા.) પા. મા. ૧૭ એ.
* ડાકર (પા.) પા. મા. ૧૭ સ.-(ગુજરાતના ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ વણવ તીર્થ ડાકર)
ડાકી (પા.) પા. મા. ૧૭૭ ડિલી (માંના પા.) પા. ઇ. ૩૮.-(સરખાવો શાંતિકુશલ ૧૯૯, ૧૬; આજે “ચિંતામણિ પા” દિહીમાંના ચીરા ખાનામાં વિદ્યમાન છે.)
ડુંગરપુર (પા.) પા. મા. ૧૭ સ.–-(સરખાવો મૂલા. ૮. ૧૦; “ગિરીપુર” પણ જુઓ.)
* પુષખંડણ (પા.) પા. ભા. ૧૭ ડ * ડેડીયાલ (૫. મા.) ૧૭ ડ * હેર (પા.) પા. ભા. ૧૭ ડ * ઠીકપુરણ (પા.) પા. મા. ૧૭ :
તિમરી (પા.) પા. . ૪૨; . મા. ૧૬ સ.-(આધુનિક “તાવરી પ.”, કે જે જોધપુર પાસે આવેલા તીવરી ગામમાં પૂજાય છેતેના અનેક ઉલ્લેખો સાહિત્યમાં મળે છે, જેવા કે કલ્યાણસાગર ૭૧. ૧૮ [તિમરીપુર), મેધવિજય ૧૫૧. ૧૮ [તિવરી), રત્નકુશલ ૧૭૦. ૧૯ [વરી), શાંતિકુશલ ૧૯૮. ૬ [વરી], “આનંદ વિમલસૂરિ રાસ”, એ. રા. સં. ભાગ ૭, પૃ. ૧૨૩. ૮૮ તથા પ્રસ્તાવના પૃ. ૭૪ [તિવરી], “અજિતસાગરસૂરિ રાસ”, એ. જિ. કા. સં, પૃ. ૧૮૬. 99 [તિમિર...પાસ])
*
*
*
*
*
Page #94
--------------------------------------------------------------------------
________________
* તિલગાણ (પા.) પા. છ. ૪૬. પા. મા. ૧૬ સ [“લગાણે” કે –“ત” વર્ગ ચાલવાથી-આમ સુધારવું હોય?].(તેનો પત્તો લાગ્યો નથી.)
* તીણફણે (પા.) ૫. મા. ૧૭ આ
તેજલપુર (પા.) પા. મા. ૧૬ સ.-(ગિરનારની તળેટીમાં આવેલા પ્રાચીન તેજલપુરના આસરાય વિહારના મૂલનાયક પા. હતા, તેવો ઉલ્લેખ વિવિ. ૭ પદ્ય ૩ અને પૃ. ૧૦માં પણ મળે છે; રત્નસિંહ ૩૩. ૧ પણ જુઓ: આ સ્થાનના ઈતિહાસ માટે જુઓ ૫. લાલચંદ ગાંધી, “તેજપાલ” ૧૫. પ.)
તેરફણે (પા.) પા. ભા. ૧૭ બ (દેલવાડામાં, મેવાડમાં).
બંબાવતી (ત્યાંના પા.) પા. મા. ૩૧ અ. ( ખંભાત, કે જ્યાંનાં છે. બિબે પ્રસિદ્ધ છે.)
ત્રિભુવનટીલ (પા.) પ. છે. ૪૨.-(સરખાવો અષ્ટો. ૧૦૪ [તિહુઅણગિરિ, ટીકા “ત્રિભુવન ગિરિદુર્ગ"] અને મૂલા ૮. ૨ [તિહુઅણગિરિ]: પ્રેમીજી પૃ. ૧૧૨ લખે છે કે આ નામનું જન મંદિર અરિકા દેશમાં અર્થાત કોલ્હાપુર સ્ટેટમાં આવેલા આધુનિક આજરે ગામમાં, વિ. સં. ૧૯૬રમાં વિદ્યમાન હવાનાં પ્રમાણ મળી આવ્યાં છે.)
શંભણ જુઓ થંભણે. થંભણપુર (પા.) . . ૪(=ખંભાત: ત્યાં જુઓ)
શંભણે (પા.) પા. છ. ૨૧; પા. મા. થિંભણું ૧૬ સ--(ખંભાતના આ પ્રસિદ્ધ બિબના ઇતિહાસ માટે વિવિ. જુઓ; આ પા.નાં બિબો પાછળથી ઘણું સ્થાનોમાં સ્થાપિત થયાં છે અને તેના ઉલ્લેખોનો પાર નથી; આજે તે “તંભન પા.” તરીકે પ્રસિદ્ધ છે.)
થીર (પા) પા. મા. ૧૬ સ.– (આ રાધનપુર પાસે આવેલા પ્રાચીન જૈનતીર્થ થરાદને નિર્દેશ હૈ જોઈએ; થરાદમાં આજે પણ પાર્શ્વનાથ પૂજાય છે અને આ સ્થાન “થિરપુર” [મહિમા ૫૮. ૧૦], “થિરાઉદ્ર” મેઘ ૫૪, ૬૧] વગેરે નામોથી ઉલ્લિખિત છે; તી. ઐ.માં તેનું નામ થારાપદ્રપુર છે; “યતીન્દ્રવિહાર' પૃ. ૨૨૭ પણ જુઓ.)
ક દયાથલ (પા.) પા. મા. ૨૨ સ
ક દયાપુર (પા.) પા. મા. ૨૨ સ.–(મૂલા. ૮.૫ દિયોદ', છોટી મારવાડમાં દયાપુર ગામ ?).
દસપુર (૫) પા. મા. ૨૨ : (વાલિયર ટેટનું મંદસોર કે જે એક પ્રાચીન જન કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે.)
દહીઉદરિઉ જુઓ દાહીદ્રો.
Page #95
--------------------------------------------------------------------------
________________
છે દાગ માલો (પા.) પા. મા. ૨૨ સ
દાદો (પા.) પા. છે. ૨૮; પા. મા. ૨૨ બ.-(દાદા પા.” આજે વડોદરામાં નરસિંહજીની પોળના મંદિરમાં છે; ખરી રીતે તે જીરાવલા પા.'ની પ્રાચીન મૂર્તિ છે કે જે તેની નવીન મૂર્તિની બાજુમાં રાખવામાં આવી છે; જુઓ પં. લાલચંદ્ર ગાંધી, પાવાગઢ” પૃ. ૪૦; તેને ઘણા ઉલ્લેખો છે; દેવકીપાટણ, અર્થાત્ પ્રભાસપાટણમાં પણ આ નામનું પા. બિબ હોવાનો ઉલ્લેખ મેઘવિજય ૧૫૦. ૮ માં છે.) - દહીકો પા. છ ૪૩ (પા.); 9. ચે. ૫ [દહીઉદરિઉ શ્રી શાંતિનાથ).– (આધુનિક દાહકો યે દેહીકો આબુની પાસે છે; દાહડપલિયા દાહપુરના પા.ના ઉલ્લેખે મળે છે, જુઓ ૫. લાલચંદ્ર ગાંધી, પાવાગઢ પૃ. ૭૩; ગાંધી, “જિનપ્રભસૂરિ' પૃ. ૪૩; તી. ચિ. ૧ સ.)
* દિગવાડો (પા.) પા. મા. ૨૨ ડે છે. * દીપમંગલ (પા.) પા. મા. ૨૨ સ=દીવ )
દીવ (પા.) પા. , ૪૩ [દીચુ દેવ]; પા. મા. ૨૨ સ દીપમંગલ?]– (દીવના પા.ના ઉલ્લેખ માટે જુઓ કલ્યાણસાગર ૭૦. ૪, મેઘવિજય ૧૫૦. છે, શાંતિકુશલ ૧૯૯, ૧૮, જયશેખર ગાંધી, પાવાગઢ પૃ. પર], વિજયપ્રભસૂરિ નિર્વાણ રાસ (જે. એ. ગુ. કા. સં. પૃ. ૧૮૩. ૧૭], મૂલા ૮.૯ આદિ)
* દુધવડિ (પા.) પા. મા. ર૩ અ.—(મહિમા ૫૯. ક [દૂધવડ]; શાંતિકુશલ (પ્રત ૨૪) [દૂધઓ.])
દુષચરણ (પા.) પા. ભા. ૧૯ અ ! ' , દુષવિહંડણ (પા.) પા. મા. ૨૨ ડ
દેલવાડા (પા.) પા. છે. ૪૫ દિલુપા. મા. ૧૭ બ દેલવાડિ] મેવાડના પ્રસિદ્ધ પ્રાચીન જૈન તીર્થ દેલવાડા દેવકુલપાટકમાં પાર્શ્વનાથનું બિબ હોવાના ઉલેબ કલ્યાણસાગર ૭૧. ૧૦, શાંતિકુશલ ૧૯૯, ૧૪ અને મેઘવજયે ૧૫૧. ૨૦ વગેરેમાં પણ છે; પા. માં. ત્યાંના તેરફણા પા.નું નામ લે છે; દેલવાડા સંબધી શ્રોવિજયધર્મસૂરિ “દેવકુલપાટક”; “દેલોલીયો” પણ જુઓ.)
દેલુલા જુઓ દેલવાડા અને દેલોલ.
દેલોલી (પા.) પા. મા. ૨૨ સ.–(આ ખેડબ્રહ્મા પાસેનું દેલોર, યા દેરોલ હશે કે જ્યાં આજે પણ બે દિગંબર મંદિર અને એક પ્રાચીન કવેતાંબર પાર્શ્વનાથ મંદિર છે; કદાચ પા. મા. ૪પમાં ઉલ્લિખિત દેલુલા પણ આ જ હાય.)
Page #96
--------------------------------------------------------------------------
________________
६३
* દેવાલી (પા.) પા. મા. ૨૨ સ.-(ઉદેપુર પાસે ૧ ગાઉ દૂર આ નામનું ગામ છે, તે જ હશે.)
દેવાસ (પા.) પા. છ. ૪૫.-(ઇંદાર અને ઉજ્જૈન પાસેનું દેવાસ હાય.) * ઢારંગુ (પા.) પા. મા. ૨૨ ડ
ધરણીધર (પા.) પા. મા. ૧૬ અ * ધર્મચિંતામણિ (પા.) પા. મા. ૧૬ બ * ધર્મધ્વજ (પા.) પા. મા. ૧૬ અ
*
ધાર (પા.) પા. ૭. ૪૫.(આ ઇંદેર પાસે આવેલ ધાર હોય કે જેનું નામ એક જૈનતીર્થ તરીકે શીલવિજય ૧૨૨. ૧૧૫ પણ લે છે; સં. ૧૦૮૧ની પહેલાં વિદ્યમાન ધનપાલ કવિએ આ સ્થાન પ્રસિદ્ધ જૈનતીનાં નામેાની સૂચીમાં કાસ્ટિં, શ્રીમાલ, આડ, અહિલવાડ અને પાલિતાણા સાથે આપેલ છે. જુએ જૈ. સા. સં. છ. નોંધ ૩૬૨.)
* ધાલનેર (પા.) પા. મા. ૧૬ ડ
*
થીણેાજો(પા.)પા.મા.૧૬ ડ.–(મહેસાણા પાસેનું ધણાજ ગામ હશે.) ધીણેાધા (પા.) પા. મા. ૧૬ ડે
*
નગરકેટ (પા.) પા. મા. ૫ સ.-(=નાકેડ઼ા તીર્થ અથવા ‘નગર'' કે જે મારવાડમાં બાàાતરા સ્ટેશન પાસે છે કે જ્યાં “ધતકલ્લાલ પા.” પહેલાં હતા; જુઓ “ઘતકલ્લાલ” અને “નાકકાડા”,”)
નગીના (પા.) પા. મા. ૬ બ.-(લલિતપ્રભસૂરિ ઢાલ ૨૧ (પૃ.૮૮)માં પાટણ પાસેનું નગીના ગામ અને ત્યાંનું પા. દેરું ઉલ્લિખિત છે, ત્યાંના આ પા. હાય.)
નડલાઇ પા. છે. ૪૪; પા; છુ. ચૈ. .-(આ મારવાડની પંચતીર્થીમાંનું એક તીર્થ છે; તેના ધણા ઉલ્લેખેા પ્રાચીન સાહિત્યમાં મળે છે; આજે પણ ત્યાં ૧૧ દેરાસરા છે; જુએ એ. રા. સં. ભાગ ૨, પ્રસ્તાવના ૨, પૃ. ૩૧ ગાંધ.) નરહુડા (પા.) પા. મા. ૫ અ * નલેાડા (પા.) પા. મા. ૬ નવખંડઉ (પા.) પા. મા. પ * નવનિધાન (પા.) પા. મા. ૬ અ.−(તે કદાચ વિવિ. પૃ. ૮૬માં ઉલ્લિખિત અજાગૃડ, અર્થાત્ અજાહરાના “નવિધિ પા.” હશે.) * નવનીલ (પા.) પા. મા. ૫ બ.
અ.-(નાડેાલુ ?)
.—“
-‘ધાધા” પણ જુઓ.
નવપલ્લવા (પા.) પા. છ. ૨૭; પા. મા. ૫ બ[નવપલવ]; રૃ. ચે. ૭.−(“નવપલ્લવ પા.'' સૌરાષ્ટ્રના માગરેાળમાં આજે પણ પૂજાય
Page #97
--------------------------------------------------------------------------
________________
છે; તેના પુરાણા ઉલેખે મેઘવિજય ૧૫૦, ૮માં [“માંગલોર નવપલ્લવ”], કલ્યાણસાગર ૭૧. ૧૧માં, રત્નકુશલ ૧૬૯. રમાં, શાંતિકુશલ ૧૯૮. ૫માં ઈત્યાદિ ઠેકાણે મળે છે.)
નવફણે (પા.) પા. છે. ૩૫.-(રત્નકુશલ ૧૭૦. ૧૩માં પણ ઉલિખિત; તેમાં અનેક બિબ છે.)
૪ નવરંગી (પા.) પા. ભા. ૫ અ.
નવસારી (પા.) પા. છ. ૪૭; પા. મા. ૫ ડ; . . ૭-(“નવસારી પા.” આજે પણ મુંબઈ પાસેના નવસારીમાં છે; તેના ઉલ્લેખો મેઘવિજય ૧૫ર. ૨૫, રત્નકુશલ ૧૭૦. ૧૪, શલવિજયે ૧૨૧. ૧૧૧, વિનયવિજય ૧૯૪, ૧૩, મરકીર્તિ ૧૪૪. ર૦, જિનપતિસૂરિકૃત તીર્થમાલા [એ. રા. સં. ૩], આનંદવિમલસૂરિ રાસ [ઐ. રા. સં. 3, પૃ. ૧૨૪. ૯૪]માં આવેલ છે.])
નાકકડા (પા.) પા. . ૪૩–(જુઓ મેઘવિય ૧૫૧. ૧૯, મહિમા ૬૦. ૧, શાંતિકુશલ ૧૯૮. ૭; આ તીર્થનાં અપરના “નગરકેટ”, “નગર” અને “મવાનગર છે; “નગરકોટ” પણ જુઓ.)
નાગકહો (પા.) વા. . ૩૬; પા. મા. પ સ નાગેહ].-(આ આધુનિક નાગદા છે કે જે ઉદેપુર પાસે આવેલ છે, ત્યાંના પા. ના ઉલ્લેખ કલ્યાણસાગર ૭૧. ૧૧, મેઘવિજય ૧૫૧. રર, શાંતિકુશલ ૧૯૯૦ ૧૦, મેઘ ૫૫. ૭૬, શીલ વિજય ૧૧૧. ૩૬, મુનિ સુન્દરસૂરિની “ગુર્નાવલી” (૫. ૩૨) અને “પાર્વતેત્ર” અને વિવિ. પૃ. ૮૬ અને ૧૦૬ માં આવે છે; જુઓ મુનિ વિદ્યાવિજય, “મેવાધ્યાત્રા” પૃ. ૬૦.)
નાગણિ (પા.) પા.મા. પ :-(આધુનિક દગાવાડિયામાં જે ભાયણ પાસે આવેલ છે “નાગફણું પા.” છે)
નાગીત (પા.) પા.મા. ૬અ [નાગીત ચેમુખ]
નાગોર (પા.) પા.. ૩૭.—(નાગોરના પા. કલ્યાણસાગર, ૭૧. ૧૭, મેઘવિજય ૧૫૧. ૧૮, શાંતિકુશલ ૧૯૯૧૬, શીલવિજય ૧૦૮.૮૪, જિનતિલક-કૃત ચિત્યપરિપાટી [એતિ.રા.સં. ૩ પ્રસ્તાવતા પૃ. ૮-૧૧], મેરુકીર્તિ ૧૪૪.૧૯, વગેરેમાં ઉલ્લિખિત છે; ગાંધી, “કમુનિ' પણ જુઓ–“નાગોર” નાગપુરનું નામાન્તર “અહિપુર” અને ત્યાંના પા.નું નામ “નવરેખા પા.” હતું)
નાડોલ (પા.) પા.છ. ૪૪; વચ. ૬. –(આધુનિક નાડેલ, મારવાડની પચતીર્થીમાંનું એક તીર્થ; જુઓ એ.રા. સં.૨, પ્રસ્તાવતા ૨ પૃ. ૧૬ નોટ; ત્યાંને પાને ઘણું ઉલેખે છે.)
Page #98
--------------------------------------------------------------------------
________________
६५
નાણઇ રૃ.ચે. ૭.—(મેધ ૫૪.૭૦; તેનું પ્રાચીન નામ નાણુક યા નાય છે, જુએ તી.ચે. ૨, અા. ૮૯, વિવિ. પૃ.૮૬; આ જોધપુર રાજ્યમાં આવેલું આધુનિક નાણા ગામ સંભવે.) નાદિય રૃ.૨.૭. નારંગ જુએ. નારિંગ.
નારિંગ (પા.) પા.૭.૨૯; પા.મા. ૫ અ[નારંગ]. —(આ ષા. મેત્રવિજય ૧૫૦, ૧૨, રત્નકુશલ ૧૬૯.૪, શાંતિકુશલ ૧૯૮.૫, શીલવિજય ૧૨૯.૧૨૬ અને ૧૨૫. ૧૬૧, ‘વૃદ્ધિવિષય ગરાસ’ ઐ.રા.સં. ભાગ ૩ પૃ.૫૦.૧] આદિમાં ઉલ્લિખિત છે; તે આજે પણ પાટણમાં પૂજાય છે)
* નીમેાજો (પા.) પા.મા. ૬ અ
* નીમેાડો (પા.) પા.મા. ૬ બ * નીલŠડ (પા.) પા.મા. ૫ બે * પદ્મરૂપી (પા.) પા.મા. ૪ ડ
* પંચનદ (?)(પા.) પામા. ૪ બ
* પંચણા (પા.) પા.મા. ૪ સ
પંચાસરા (પા.) પા.છ. ૨૯; પા.મા. ૪ અ [પંચાસર]; રૃ.ઐ. ૪. (પાટણમાં આવેલા આ પ્રસિદ્ધ ત્રિળના તિહાસને માટે જીએ ગાંધી, “પાવાગઢ” અને જૈ.સા.સં. ૧૨. ૨૩૫, ૫૨૭ ઇત્યાદિ.
* પદમાવતી (પા.) પા.મા. ૪ અ પલ્લવિહાર નુ પાવિહાર, * પાંચાલ (પા.) પા.મા. ૪ સ * પાડો (પા.) પા. મા. ૪ * પાતારા (પા.) પા.મા. ૪ ડ
પારકર (પા.) પા.મા. ૪ સ.—સિંધના થરપારકરના જંગલમાં આદિમ ‘ગાર્ડિયા” (ગાડી” પા.)નું મંદિર છે; એક જૈનતીર્થ તરીકે આના ઉલ્લેખે મહિમા ૫૮.૮, તી.ચે.૧, અષ્ટા૮૩, વિવિ. પૃ. ૮૫ વગેરેમાં આવે છે; જુઓ ‘ગેડી'')
પાલવિહાર પા. ૭.૪૩ (પા.); પા.મા. ૪ અ (પા.); રૃ.શૈ.પ [પલ્લવિહાર].-(આ પાલનપુરમાં પલ્લવીયા પા.ના નિર્દેશેા છે કે જેના ઘણા ઉલ્લેખા મળે છે; પાલનપુર—પ્રલ્હાદનપુર વસાવ્યા પછી તેમાં “પાવિહાર” નામનું જૈન મંદિર શ્રીપ્રહ્લાદનદેવે કુમારપાલના સમયમાં કરાવ્યું હતું, જુઓ જૈ.સા.સં.છે. પરા ૫૦૧.)
Page #99
--------------------------------------------------------------------------
________________
પાલી (પા.) પા.મા. ૪ બ. (મારવાડના પાલી ગામમાં આજે પણ અનેક પા. બિબો છે; કલ્યાણસાગર ૭૧.૨૦ અને મહિમાં ૫૯.૮ માં તે ઉલ્લિખિત છે)
પા (પા.) પા.મા. ૪ અ—(રાણી સ્ટેશન પાસે એક પાવા નામનું ગામ છે કે જ્યાં એક પ્રાચીન મંદિર છે)
પીરાજપુર (પા.) પા.છ. ૩૯.(શાંતિકુશલ ૧૯૯,૧૭, વિજયસાગર ૨.૬, જયવિજય ર૩.૩, સૌભાગ્યવિજય ૭૪.૧૩ અને ૧૫માં આગરા પાસે આવેલું પીરજાબાદ ઉલિખિત છે; પીરોજપુરને એક ઉલ્લેખ મૂલા. ૮.૩માં છે, જે પીરોજપુર અને પીરોજાબાદ ભિન્ન સ્થાને હોય તો પીરાજપુર અમદાવાદનું ફિરોઝપુરનામનું પરું સંભવે.)
પીવીવાડો (પા.) પા.મા. ૪ ડ.—(મારવાડનું પીપાડ નામનું ગામ ? ત્યાં એક પા. મંદિર છે)
* પુંડરીડ (પા.) પા.મા. ૪ આ
પોસીના (પા.) પા..૪૬; પા.મા. ૪ સ.–હિમતનગર પાસેના પસીનામાં આજે પણ પ. પૂજાય છે, તેના ઉલ્લેખ કલ્યાણસાગર ૭૦.૭, શાંતિકુશલ (પ્રત ર૭), મેઘવિજય ૧૫૦.૧૬, મેધ પ૦.૨૩, શીલ વિજય ૧૦૩.૩૧માં જુઓ.)
* ફણ (પા.) પા.મા. ૧૭ અ.– મેઘવિજય ૧૫૧.૨૪માં પણ ઉલિખિત છે.)
* ફરસ (પા.) પા.મા. ૧૭ અ * ફલભર (પા.) પા.મા. ૧૭ આ ફલવધિ જુએ ફલુધી.
ફલુધી (પા.) પા.છ.૩૮; પા.મા. ૧૦ અ [ફલોધી]; .. [ફલવધિ).-(આ ફલોધી પા. મેડતા પાસે આવેલા ફલોધીમાં આજે પણ પૂજાય છે; તે સં. ૧૧૮૧માં પ્રતિષ્ઠિત થયા હતા અને વારંવાર સાહિત્યમાં ઉલિખિત છે, જુઓ એ. રા. સં. ભાગ ૭, પ્રસ્તાવના પૃ. ૬૮ નોટ, જિનપ્રભસૂરિકૃત “ફલવર્ધિપાર્શ્વનાથ સ્તોત્ર', . સા. સં. ઈ. પંરા ૩૪પ, વિવિ. પૃ. ૮૬.૧૦ અને ૧૦૫).
ફલધો જુઓ લુધી.
બડલી (પા.) ૫. છે. ૪૬.-(વડલી પા.ના ઉલ્લેખો શાંતિકુશલ ૧૯૯.૧૫ અને મેઘ ૪૯ ૧૭માં પણ આવે છે; કદાચ આ મારવાડમાં આવેલું બેડલુ ભોપાલગઢ હશે કે જ્યાંના પાર્શ્વનાથ આજે પણ પૂજાય છે;
Page #100
--------------------------------------------------------------------------
________________
અથવા તે પાટણ પાસેનું વડલી હોય કે જે લલિતપ્રભસૂરિ ઢાલ ૨૧ (પૃ. ૨૮)માં ઉલિખિત છે, યા તો ઈડર પાસેનું વડાલી હાય.)
બનથલી (પા.) પા. મા. ૧૩ ડ.—(કાઠિયાવાડમાં જૂનાગઢ પાસેનું વંથળી).
બભણવાડ 9. ચિ. ૮.—(ઈડર પાસે; જુઓ મુનિ જયંતવિજય બ્રાહ્મણવાડા’.)
બલા (પા.) પા. છે. ૪૬, પા. મા. ૧૩ બ.—(આ બોજા પા.” હોય કે જે વંથળી પાસે ચોરવાડ નજીક] આવેલા બેરેજમાં પૂજાય છે; જુઓ મુનિ જયંતવિજય, વિહાવર્ણન' પૃ. ૬૧ નં. ૩૪; સરખાવો શાંતિકુશલ ૧૯૮.૩ [બલાઈ. પા.), રત્નકુશલ ૧૭૦.૧૬ [બલજા'...પા.], મેરુ કીર્તિ ૧૪.૧૯ [બેલજિ...દીવ પાસે), મેઘવિજય ૧૫૦.૮ [બલે જ પાસ', ઉના પાસે).
બલોલીયો (પા.) પા. મા. ૧૫ અ. આ બેલે (પા.) પા. મા. ૧૩ સ.(મહેસાણા પાસેનું બલોલ ?) * બહુરૂપે (પા.) પા. મા. ૨૧ ડ.
બાવો (પા.) પા. મા. ૧૩ સ.—(સિરોહી રાજ્યમાં આવેલા નિતડામાં ‘બાવા પા.” બિરાજમાન છે.)
બાડમેર (પા.) પા. મા. ૧૩ આ.—-(વાભટ્ટ દ્વારા વસાવ્યું જેધપુરમાંનું બાડમેર, ત્યાં આજે પણ જ મંદિરના મૂલનાયક પા. છે; તેના ઉલ્લેખો કલ્યાણસાગર ૭૨.૨૭, મૂલા ૮.૫, અષ્ટો. ૮૪માં જાઓ.)
બાહાધરપુરણ (પા.) પા. મા. ૧૩ ડ–(આધુનિક બાદરપુર ખાનદેશમાં ધૂલિયા પાસે, જુઓ મુનિ જયંતવિજય, વિહારવર્ણન પૃ. ૯૪. નં. ૨૧૭.)
* બાહુલી (પા.) પા. મા. ૧૩ સ–(અમદાવાદ પાસેનું બાવલા ગામ?).
* બિહરીય (પા.) પા. મા. ૧૩ બ. બીબડેદ (પા.) પા. મા. ૧૩ અ.-(રતલામ પાસેનું બીબલોદ?)
બીબીપુર (ત્યાંના પા.) પા. છ. ૩૩ [ચિંતામણિ પા. પા. મા. ૬ ડ.–(આ અમદાવાદના એક પરા તરીકે ઉલ્લિખિત છે; ત્યાંના ‘ચિંતામણિ પાને ઉલ્લેખ દેવચંદ ૩૯.૧૮માં પણ આવેલ છે -શાંતિકુશલ ૧૯૯. ૧૬, શાલવિજય ૯૭.૧૪, “રાજસાગરસૂરિ નિર્વાણરસ’ જૈિ. ઐ. ગુ. કા. સં. પૃ. ૫૭.રર) તથા વિજયદેવસૂરિ નિર્વાણરાસ’ [. ૧૭ર.ર૦; ૧૭૩.
Page #101
--------------------------------------------------------------------------
________________
૬૮
૨૪], અને ‘વિજયસિંહસૂરિ નિર્વાણુરાસ' [પૃ. ૧૭૮.૨૧] પણ જીએ.) * બીરાજો (પા.) પા. મા. ૧૩ સ.
ખીલવાણિ (પા.) પા. મા. ૧૩.—કુક્ષ પાસેનું બડવાણિ ?
*
ત્યાંના ‘બાવન ગજા બાહુબલિ' પ્રસિદ્ધ છે.)
* એહેા (પા.) પા. મા. ૧૩ ડ,
• * ભટેર (પા.) પા. મા. ૧૧ અ.
ભટેવએ (પા.) પા. છ. ૨૭.—(ચાણસ્માના ‘ભટેવા પા.’ આજે પણ પૂજાય છે; મેવિજપ ૧૫૦.૧૩, ‘લલિતપ્રભસૂરિ ઢાલ ૨૨ (પૃ. ૯૦) ‘ભવુ શ્રીપાસ’, વૃદ્ધિવિજયગણિરાસ' [ઐ. રા. સં. ૩, પૃ. ૫૩.૯ ] અને ‘વૃદ્ધિસાગરસૂરિરાસ’ [ત્યાં ૪ પૃ. ૬૨.૪], શ્રીવિજયધર્મસૂરિજીની નેટ ત્યાં જ, પ્રસ્તાવના પૃ. ૪૮ પણ જુઓ.)
ભદ્રેસર (પા.) પા. મા. ૧૧ ડ.—(કચ્છના ભૂતપૂર્વ ‘ભદ્રાવતી’] ભદ્રેશ્વરમાં એક અતિ પ્રાચીન પા. મંદિર હતું કે જેને જીર્ણોદ્વાર જગડુશાહ દ્વારા સં. ૧૩૧૫માં થયા હતા; તેનો નાશ થયા પછી ત્યાં એક મહાવીર મંદિર કરાવવામાં આવ્યું કે જેની એક દેવકુલિકામાં ભૂતપૂર્વ પા. મંદિરની પા. પ્રતિમા સ્થાપિત છે, જીએ મુનિ વિદ્યાવિજય, ‘કચ્છયાત્રા’ પૃ. ૧૪૨ અને ‘જૈન તીર્થોના ઇતિહાસ' પૃ. ૫૦.)
ભરૂચ્ચછ દ.ચે. (મુણિ સુવએ)-(સુપ્રસિદ્ધ ભચતીર્થ) * ભલેસ (પા.) પા.છ. ૩૨.—(=ભદ્રેસર)
ભાભા (પા.) પા.૭.૩૨; મા.મા. ૧૧ બ.(આ નામનાં પા. બિંબે અનેક સ્થાનેમાં છે; દેવચંદ ૩૭.૮૧ અને શીલવિજય ૧૨૪.૧૪૧ અમદાવાદ ના ભાભાનું નામ લે છે; ત્યાંની દાસીવાડાની પે।ળમાં આજે પણ ભાભા પા. છે, મેવિજય ૧૫૦.૧૦; રત્નકુશલ ૧૬૯.૪, શાંતિકુશલ ૧૯૮. ૫ પણ જુઓ.—વૃદ્ધિવિજયગણિ રાસ,” ઐ.રા.મં. ભાગ ૩ પૃ. ૫૦૯ માં પાટણના ‘ભાભા પા.” અને લલિતપ્રભસૂરિ ઢાલ.૧૨ (પૃ.૭૮)માં ભાભાને પાડા ઉલ્લિખિત છે.)
* ભાવીકેા (પા.) પા.મા. ૧૧ સ ભીડભંજન જુએ ભાડિભંજન
ભીડિભંજન (પા.) પા.છ. ૨૨; પા.મા. ૧૧ બ [ભીડભંજન](આ નામની પ્રતિમાના ઉલ્લેખા જીએ: કલ્યાણસાગર ૭૧.૧૫, મેવિજય ૧૫૦. ૧૩, રત્નકુશલ ૧૬૯.૫, શાંતિકુશલ ૧૯૯.૧૦, શીલવિજય ૧૨૩.૧૨૬, મેધ ૧૫૦.૧૩ માં. -ગાંધી, “પાવાગઢ પૃ.૧૧૬ પ્રમાણે આ પ્રતિમા પહેલાં
Page #102
--------------------------------------------------------------------------
________________
પાવાગઢમાં હતી ત્યાંથી તેને વડોદરાના દાદા પા.ના દેરાસરમાં લાવવામાં આવી છે.)
ભીનમાલ (પા.) પા.મા. ૧૧ – જોધપુર રાજ્યમાં આવેલા ભીનમાલમાં પા. આજે પણ પૂજાય છે; પુરાણ ઉલ્લેખો માટે જુઓ મેઘ ૫૪.૬૪, મહિમા ૫૮.૧, સૌભાગ્યવિજય ૯૭.૨૨, શીલ વિજય ૧૦૩.૨૮, જ્ઞાનવિમલ ૧૩૬.૪૨, મેઘવિજય ૧૫૦.૧૬, શાંતિકુશલ ૧૯૮.૮, કલ્યાણસાગર ૭૧.૨૧; તેના ઇતિહાસ વગેરે માટે જુઓ “યતીન્દ્રવિહાર' પૃ. ૧૯૩.)
ભીભજને (પા.) પા.છ. ૨૭(કભીનમાલના “ભયભંજન પા.”? જુઓ શીલવિજય ૧૦૩.૨૮.)
ભીમસેન (પા.) પા.મા. ૧૧ સ—( કચ્છનું ભીમાસર? ત્યાં ના મૂલનાયક પા. છે; યા વીના અને ભેલસા વચ્ચે આવેલા છે. આઈ. પી. રેલવે સ્ટેશન કુલ્હારા પાસે ખાનેલા “ભીમગજા” યા ગ્વાલિયર રાજ્યમાં નટવટ પાસે ખાનેલા પ્રાચીન જૈન કેન્દ્ર ભીમપુર સાથે સંબંધ હોય.)
ભીલડી (પા.) પા.છ. ૪૬–(પાલનપુર પાસેનું લિયિા કે જ્યાં “ભીલડિયા પા.” પૂજા છે; તેનો ઉલ્લેખ શીલવજય ૧૦૩.૨૪ માં)
| મુહડ (પા.) પા.મા. ૧૧ સ.-(કચ્છનું ભદ્રેશ્વર પાસેનું ભૂવડ ગામ? ત્યાં પ્રાચીન સ્થાપત્યના અવશેષો છે; મૂલા. ૮.૩માં પણ ભુડનો ઉલ્લેખ છે.)
ભુહર (પા) પા.મા. ૧૧ ડ– (સુરત પાસેનું બુહારી?)
ભૂ લ (પા.) પા.મા. ૧૧ ડ છે. ભૂષણ (પા.) પા. મા. ૧૪ સ * ભેગપુર (પા.) પા. મા. ૧૧ બ
ભેગર (પા.) પા. છ. ર૬ (ભોગરા પુરંદરો].-=ભોગીભરૂ, રનકુશલ ૧૭૦. ૧૬ ?).
ભેણે (પા) પા. છ. ૩૯-(=ભોઆણા? કલ્યાણસાગર ૭૧. ૧૧ [“ભોઆણઈ...પાસ”]
મગસી (પા.) પા. છ. ૩૬; પા. મા. ૬ સ; 9.ચે. ૭.—(ઉજજૈન પાસેનું આ પ્રાચીન પા. તીર્થ સાહિત્યમાં અનેકવાર ઉલિખિત છે.-જુઓ કલ્યાણસાગર ૭૧. ૧૬, મેઘવિજય ૧૫૧. ૨૪, રત્નકુશલ ૧૬૯. ૪, શાંતિકુશલ ૧૯૮. ૪, સૌભાગ્યવિજય ૯૮. ૪, શલવિજય ૧૧ર. ૪૭ આદિ.)
* મજાઉ (પા.) પા. મા. ૮ – મેઘ ૫૫. ૭૬. “મજયઉર”) * મંગલકાર (પા.) પા. મા. ૭ અ.
મંગલદીહ (પા.) પા. મા. ૭ અ.—( માંગરોળ? તે મંગલપુર અને મગલોર, માંગરનાં અપર નામોથી એક પા. તીર્થ તરીકે ઉલ્લિખિત છે.–
Page #103
--------------------------------------------------------------------------
________________
જુઓ તી. એ. ૧, મેઘ ૪૯. ૧૦, મેકીર્તિ ૧૪૪. ૪૯, મેઘવિજય ૧૫૦. ૮ [ત્યાં નવપલવ પ ])
* મંગાઉદ (પા.) પા. મા. ૮ બ. જ મજાઉરી (પા.) પા. મા. ૮ અ. - મણધર (પા.) પા. મા. ૭ અ. મંડણ (પા.) પા.મા. ૭ બ -(સરખાવો મેઘવિજય ૧૫૧. ૨૨ “માંડણ')
મંડાઉ (પા.) પા. મા. ૮ અ (માંડવરા કાઠિયાવાડમાં મૂળી પાસે; અથવા=મંડેરો?)
*મડાહડ (પા.) પા.મા. બ--(સિરોહી રાજ્યનું મડાહડકંડારડ] હશે.) કમંડેસિ (પા.) પા. મા. ૮ બ.
મંડેવ (પા.) પા. છે. ૪૦ (મંડાવરો જોધપુર); પા. મા. 8 અ [મંડાઉર.—(જોધપુર રાજ્યની આ પ્રાચીન રાજધાની એક પા. તીર્થ તરીકે પ્રસિદ્ધ છે; તેના ઘણા ઉલ્લેખો મળે છે.)
મથુરા (પા.) પા. છ. ૩૬; પા. મા ૭ સ.–(મથુરા એક અતિપ્રાચીન જૈન તીર્થ હતું, તેના ઇતિહાસ માટે જુઓ વિ.વિ. પૃ. ૮૬ અને ૧૦૬. [ત્યાંના પા. “કલ્પદ્રમ”ના નામથી પ્રસિદ્ધ હતા. :-અષ્ટો. ઉ૩. અને ૧૦૩; તી. ચિ. ૨, કલ્યાણસાગર ઉર. ૨૫, રત્નકુશલ ૧૬૯, ૬, શાંતિકુશલ ૧૯૯, ૧૯, વિજયસાગર ૬. ૧૬ અને ૧૨. ૧૬, મેઘ ૫૬. ૮૭ અને ૯૮. ૨, શીલવિજય ૧૦ ૮.૫, મેરકતિ ૧૪૪. ૧૯ વગેરેમાં ઉલ્લેખ મળે છે.)
મેદો (પા.) પા. મા. ૭ –(શાંતિકુશલ ૧૯૯.૧૧ “માદ',' કલ્યાણસાગર કર.૨૩. “ભાદામે...પાસ;”મેઘવિજય ૧૫૧.૨૦ “ભાઈ; મેઘ પપ.૬૪ “ભાદડી” [પાસ]; તે મારવાડમાં સાદડી પાસે આવેલું માદા ગામ હશે જ્યાં મંદિર છે.)
- મનરંગ (પા.) પા. મા. ૬ ડ (?) * મનજણે (પા.) પા. છે. ર૨ (?) - મનવિલાસ (પા.) પા. મા. ૬ સ. કર મનર્ષત (પા.) પા. મા. ૧૨ અ. જ મનસુષ (પા.) પા. મા. ૬ સ.
મહઠ (પા.) પા. મે. છ બ.(સરખાવો શાંતિકુશલ ૧૧૯.૧૯ [મેરેડટો.-=મેરટ ?)
મરી (પા.) પા. મા. ૭ ડ. મેલીયાચલ (પા.) પા. મા. 9 બ.--(મલયાચલના પા. વિવિ, પૃ.
Page #104
--------------------------------------------------------------------------
________________
७१ ૮૬માં પણ ઉલ્લિખિત છે.)
મહિસાણીઉ (પા.) પા. છ. ૪૭.—(મહેસાણાના પા. ના અનેક ઉલ્લેખ છે; જુઓ ક૯યાણસાગર ૭૦.૬, શાંતિકુશલ ૧૯૯.૧૨, શીલવિજય ૧૨૫.૧૯).
જ મહીલ (પા.) પા. મા. ૭ બ. મહીયલ (પા.) પા. મા. ૭ —જુઓ મેડતા. મહરી જુઓ મુહુરી. મહેવા (પા.) પા. છે. ૪૩ (આ “નાકડા પા.” છે; ત્યાં જ જુઓ.) માંડપ વૃ. . ૭.—(માંડવગઢ)
માંડલગઢ 9. ચિ. ૬.—(જુઓ કલ્યાણસાગર ૭૧.૧૬; આ મેવાડનું માંડલગઢ હોય.)
* માતે (પા.) પા. મા. ૭ ડ.(=અમદાવાદ પાસેનું માતર? તેનું નામ મૂલા. ૮.૮ પણ આવે છે.)
માલવ (પા.) પા. મા. ૬ ડ.-=મારવાડનું માલવાડા? ત્યા પા. મૂલનાયક છે; યા કદાચ ભૂલમા પાસેના ગારસ્પરના જંગલમાં આવેલા “માલાદેવી' નામના પ્રાચીન જૈન મંદિર સાથે સંબંધ હોય.)
* મીટાગિરિ (પા.) પા. મા. ૮ અ. - મુડા મન (પા.) પા. મા. ૮ બ. * મુમુણ (પા.) પા ભા. ૭ ડ. જ મુરજાઈ (પા.) પામા. ૭ સે. * મુંડેલ (પા.) પા. મા. ૮ બ.
મુહુર (પા). પા. છ. ૨૩; 9. ચે. “મહુરી પાસ” —(વૈષ્ણવતીર્થ મહુઆ પાસેના રીટેઈ ગામમાં “મુહુરી પા.” પૂજાય છે; શાંતિકુશલ ૧૧૯. ૧૬માં પણ તેનો ઉલ્લેખ છે; “જગચિંતામણિ ચૈત્યવંદન”માં આવેલો તેને ઉલ્લેખ પ્રસિદ્ધ છે.)
મૂલનાયક (પા.) પા. મા. ૭ ડ. * મૃગપલ્લી (પા.) પા. છે. ૪૮.
મેડતીયા (પા.) પા. છ. ૪૪; પા. મા. ૭ એ. “મહીયલ' (?). (મેતામાં આજે “ચિંતામણિ” અને “વિજયચિંતામણિ પા.” છે; મેડતા અથવા મેદિનીપુર એક પા. તીર્થ તરીકે કલ્યાણસાગર ૭૧.૧૭, શાંતિકુશલ ૧૯૯.૧ર, મહિમા ૫૯.૯૧, મૂલા. ૮.૪ વગેરેમાં પણ ઉલ્લિખિત છે; જુઓ એ. રા. સં. ૩ પૃ. ૭૨ નોટ.)
* મેહલી (પા.) પા. મા. ૭ સ.
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૨
* મેહન (પા.) પા. મા. ૬ સ.-(શાંતિકુશલ, પ્રત ૨૬) * રેગકર (પા.) પા. ભા. ૧૪ સ.
ગરોલ (પા.) પા. મા. ૧૪ આ.—(મેઘવિજય ૧૫૧.૨૧). રણથંભ (પા.) જુઓ “રણથંભર”.
રણથંભર (પા.) પા. છે. ૪૦; પા. મા. ૧૪ બ “રણથંભ”. (ભારવાડના રણથંભરના “રાવણ પા.” પ્રસિદ્ધ છે; જુઓ શીલવિજય ૧૧૦. ૩૩; કલ્યાણસાગર ૭ર. ૨૫).
* રતન (પા.) પા. મા. ૧૪ સ.–(=રતનપુર? જુઓ મેઘ ૫૪. ૬૧ અને મેરુકીર્તિ ૧૪૪.૧૮ “રયણપુર”; મારવાડમાં ડીસા સ્ટેશન પાસેના પ્રાચીન રતનપુરના પા. આ હોય; ત્યાં કુમારપાલ રાજાએ એક પા. મંદિર કરાવ્યું અને હેમચંદ્રાચાર્યે પ્રતિષ્ઠા કીધી હતી. જુઓ “યતી દ્રવિહાર” પૃ. ૨૧૪; તેના અવશેષો રહ્યા નથી.)
* રતનાકર (પા.) પા. મા. ૧૪ ડ. * ૨૫ડ (પા.) પા, મા. ૧૪ બ. * રવિતેજ (પા.) પા. મા. ૧૪ અ.
રાજગૃહે પો. . ૩૬ (પા.); વૃ. ચે. “રાજચિહી".--(આ તીથ પ્રસિદ્ધ જ છે.)
રાજપ્રિહી જુઓ રાજગ્રહ.
રાજનગર (પા.) પા. છ. ૪૮.-(=અમદાવાદ, સરખા દેવચંદ ૪૦.૧૦, મહિમા ૫૭.૨, શાલવિજય ૧૨૪.૧૪૨,૧૪૭, ભાગ્યવિજય ૧૪૦. 9૬, “વિજયદેવસૂરિ રાસ”, એ. રા. સ. ભાગ ૩ પૃ. ૨૪.૧૭૭ –મેવાડમાં પણ એક પ્રાચીન જૈન તીર્થ રાજનગર નામથી પ્રસિદ્ધ છે; પરંતુ ત્યાંનું મંદિર પ્રસ્તુત કવિતાના રચનાકાલ પછી બંધાયું, જુઓ વિદ્યાવિજય, “મેવાડયાત્રા” પૃ. ૬૮.)
રાજનપુર (પા.) પા. છ. ૪૮ (રાજપુરના બદલે?).(રાજપુર અમદાવાદના એક પરા તરીકે “વિજયસિંહસૂરિનિર્વાણ રાસ” [જે. એ. ગુ. કા. સં. પૃ. ૧૭૮.૧૯], દેવચંદ ૩૯.૯ (“રાજાપુર”), જ્ઞાનવિમલ ૧૩૭. ૪૬માં ઉલ્લેખિત છે.)
રાણપુર (પા.) પા. છે. ૪૫; 9. શૈ. છ (“નલિણિ વિભાણ સમાણ રાણપુરિ વંદો ચઉમુખ').-(સાદડી પાસેનું પ્રસિદ્ધ રાણકપુર, તેના ઇતિહાસ માટે જુઓ જે. સા. સં. ઈ. પિરા ૬૬૪,૮૦૯; ગાંધી “તેજપાલ” પૃ. ૧૫; તેના ઘણા ઉલ્લેખો છે.)
Page #106
--------------------------------------------------------------------------
________________
* રાણે (પા. મા. ૧૪ ડ.
રાધનપુર (પા.) પા. છ. ૪૭–(રાધનપુર આજે પણ એક પા. તીર્થ છે; જુઓ શાંતિકુશલ ૧૯૯.૧૩, મહિમા ૫૭.૭.)
રામ (પા.) ૫. મા. ૧૪ . રાવણ (પા.) પા. મા. ૧૪ અ; વૃ, ચે. ૫; પા. છે. ૩૮ “અલવરે” -(શીલ વિજય ૧૧૦.૩૩ પ્રમાણે આ નામનાં પા. બિબે નરવર, અલવર અને રણથંભરમાં હતાં; મેઘવિજય ૧૫૧.૨૨, રત્નકુશલ ૧૬૯.૨, કલ્યાણસાગર ૭૨.૨૪, સૌભાગ્યવિજય ૯૮, દેવચંદ ૪૪.૧ પણ જુઓ.)
જ ગહર (પા.) પા. મા. ૧૪ અ. ત્ર રેડક (પા.) પા. મા. ૧૪ બ.--સિદેહીનું રાયડા ?) * લગાણે (?) જુઓ તિલગાણ.
લટકણ (પા.) પા. મા. ૮ સે.-(લલિતપ્રભસૂરિ ઢાલ ૧૨ અને ૧૫માં પૃ. ૭૮ અને ૧ પાટણમાં આવેલો “લટકણને પાટક' [પાડો] ઉલ્લિખિત છે, તેની સાથે આ પા. સંબધ રાખતા હશે.)
* લષાઉલી (પા.) પા. મા. ૮ :.
લાડણ (પા.) પા. મા. ૮૩; ૫.૦ ૩૪(?) “વાડ”.– બિકાનેર પાસેનું લાડકું?)
* લાડિકે (પા.) પા. મા. ૮ ડ–(શાંતિકુશલ, પ્રત ૨૬). * લિષીણ (પા.) પા. મા. ૮ સ લીબેજ (પા.) પા. મા. ૮ સ—(વડોદરા સ્ટેટના બિજાપુર પાસેનું
લીંબાજ?)
લીબેટ પા. મા. ૮ ડ.– વિવિ. પૃ. ૧૦૬ “
લિય”; આધુનિક લીંબડા? જુઓ મુનિ જયંતવિજય, “વિહારવણન” પૃ. ૬૧ ન. ૩૫.)
લેટાણા વૃ. ચિ. ૮-(વેરાવળ પાસેના લોટાણામાં પા. પૂજાય છે; મેઘ ૫૪.૬૭માં આ તીર્થ ઉલિખિત છે.)
લેડણે (પા.) પા. છ. ૨૪ (ડભોઈમાં); ૩૪ (સેરીસામાં); પા. મા. ૮ સ.—(ડણ અથવા લોઢણ પા. અનેક સ્થાનોમાં છે, તેના ઉલ્લેખ જુઓ કલ્યાણસાગર ૭૦,૮,મેઘવિજય ૧૫૦.૨૦, રત્નકુશલ ૧૬૯.૨, શાંતિકુશલ ૧૯૮૬; વિશેષ આરાસણના “લોડણ પા.'નો ઉલ્લેખ મેઘ ૫૦.૨પમાં આવ્યો છે, સેરીસાના “લોઢણ પા.” શ્રીલાવણ્યસમયના સં. ૧૫૬રમાં વિરચિત સ્તવનમાં [મુનિ જયંતવિજય, બ્રાહ્મણવાડા' પૃ. ૫૪ નેટ ૨૮] ઉલિખિત છે.)
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૪ વગડી (પા.) પા. મા. ૧૦ ડ.–(સરખાવો મેઘ ૫૪.૭૦.-સોઝત પાસેના બગડીમાં “મુડેવા પા.” છે.
વરદ (પા.) પા. મા. ૧૦ ડ–(ઉજજન પાસેનું બિરછડોહ હોય કે જ્યાં પા. પૂજાય છે.)
* વંચ્છિતપૂરણ (પા.) પા. મા. ૯ ડ
વડનગર 9. ચિ. ૭. . . - વડાલી (પા.) પા. મા. ૯ ડ–(ઈડર પાસેના વડાલીમાં દિગંબરનું એક “અમીઝરો પા” દેરાસર છે, તે આ જ હશે; “વડાલી પા”ના ઉલ્લેખો માટે જુઓ કલ્યાણસાગર ૭૦.૬, મેઘવિજય ૧૫૧. ૨૩, અને શાંતિકુશલ ૧૯૯૧૩માં. -
વધનેર (પા.) પા. મા. ૧૦ બ – (જુઓ કલ્યાણસાગર ૭૧.૧૭ અને મેઘ પપ૭૬ કે જે પ્રમાણે તે મેવાડમાં હોય તેમ લાગે છે.)
વરાણું (પા.) પાં. છ. ૩૧; વૃ. ચે. ૫; પા. મા. ૯ સ.-(આ પા. તીર્થ આજે પણ અતિ પ્રસિદ્ધ છે; તેના ઘણા ઉલ્લેખો પ્રાચીન સાહિત્યમાં મળે છે.)
* વરટાલિ (પા.) પા.મા. ૧૦ ડ–(ગધરા પાસેનું વડતાલ? યતીન્દ્રવિહાર' પૃ. ૫૧ પ્રમાણે ત્યાં આજે પણ એક સુંદર જૈન મંદિર છે.)
* વરદેવ (પા.) પા.મા. ૨૩
વલહી (પ.) પા.મા. ૧૧ –(આ સૌરાષ્ટ્રનું વળા, પ્રાચીન વલભિપુર સંભવે છે; જુઓ મુનિ યંતવિજય “વિહારવનપૃ. ૫૮.૧૫.)
* વસંતપુર (પા.) પા.મા. ૯ ડ * વાકી (પા.) પા.મા. ૧૧ અને
વાંકારલી (પા.) પા.મા. ૧૦ બ વાલી (પા.) પા.મા. ૧૦ આ
વાડિ (પા.) પા.છ. ર૯; પા.મા. ૯ ડ અને ૧૦ અ “વાડી” – “વાડી પા.” અનેક સ્થાનમાં પૂજાય છે; ઉલ્લેખો જુઓ કલ્યાણસાગર ૭૧.૧૯, મેઘવિજય ૧૫૧.૧૮, શાંતિકુશલ ૧૯૯. ૧૫, વૃદ્ધિવિજયગણિરાસ, એ.રા. સં.૩ પૃ. ૫૦માં; આદિમ “વાડી પા.” પાટણની નજદીકમાં આવેલા વાડી ગામના “અમીઝરા પા.” હતા એમ લલિતપ્રભસૂરિ, ઢાલ ૨૧ (પૃ.૮૭)થી જ્ઞાત થાય છે. વાડી પાર્શ્વનાથ પાટણમાં જ પૂજાય છે.)
* વાણહી (પા.) પા.મા. ૧૦ સ વાહાલી (પા.) પા.મા. ૯ ડ–(મેધ ૫૫.૭ર “વાહી;” તે સાદડી
*
*
*
Page #108
--------------------------------------------------------------------------
________________
७५
પાસેનું વાલી સંભવે છે.) વિશ્વનહર જુઓ વિઘ્નહરા.
વિઘ્નહરા (પા.) પા.મા. ૧૧ અ ‘વિધનહર”.—(આ નામના પા. ઘણાં સ્થાનેામાં છે; ઉલ્લેખા જીએ મેઘવિજય ૧૫૧.૧૯, રત્નકુશલ ૧૭૦.૧૪માં.) વિજયચિંતામણિ (પા.) પા.ઇ. ૩૩; પા.મા. ૯ સ.—મ નામના પા. અનેક સ્થાનેમાં છે; પા.છં. પ્રમાણે અમદાવાદના શકંદરા નામના પરામાં તેનું મૂલ ક્ષિંબ હતું; મેઘવિજય ૧૧.૧૫૦માં પણ આ નામ આવેલ છે; દેવચંદ ૩૯.૮માં ઉલ્લિખિત બિંબ પણ અમદાવાદના પરામાં જ હતું; ‘‘શકંદરપુર” પણ જુઓ.)
વિજાનગર રૃ.ચં. ૭—(=વિજય નગર મેવાડ–વાગડમાં કે જે પહેલાં એક મહત્ત્વનું સ્થાન હતું.)
9.
* વિઞોલ્યા (પા.) રૃ. ચૈ. ૬; પા.મા. ૧૦સ “વીઝેલી.’’--જીએ કલ્યાણસાગર ૭૨.૨૬ “વીંઝોલી”)
વિભારગિરિ રૃ.ચે. ૫ (વીર)—રાજગ્રિહી પાસેનું પ્રસિદ્ધ તીર્થ સ્થાન વૈભારગિર)
-
વિમલવિહાર નૃ.ચે. –(આબુનું) * વિધચિંતામણિ (પા.) પા.મા. ૫ સ
*
વિશ્વભૂષણ (પા.) પા.મા. ૯ સ * વિશ્વસ્વામી (પા.) પા.મા. ૫ ડ
વીકાનેર (પાછ.) પા.. ૪૦; પા.મા. ૧૦.-(બિકાનેરના પા. કલ્યાણસાગર ૭ર.૨૩, મેઘવિજય ૧૫૧.૧૮, સૌભાગ્યવિજય ૯૭.૨૩; શીવિજય ૧૦૭.૮૨, શાંતિકુલ પ્રત ૧૯માં ઉલ્લિખિત છે.)
* વીઝેલી હુએ વિઝાલ્યા વીરસેન (પા.) પા.મા. ૯ સ
વીસલપુર (પા.) પા.૭, ૪૬—(એરણુપુરા રાડ સ્ટેશન પાસેનું વીશલપુર એક પ્રાચીન જૈનતીર્થ છે; જુએ મેધ ૫૫.૭૨, જ્ઞાનવિમલ ૧૩૭, ૪૭ આદિ.) * વીસાલ (પા.) પા.મા. ૪ ડ
*
વેઇ (પા.) પા.મા. ૧૦ અ— —(શાંતિકુશલ ૧૯૯. ૧૬ ‘વેશ’— —આ
મદસારપાસે સ્થિત સુપ્રસિદ્ધ “વહી પા.” હોય)
* વેગગડો (પા.) પા.મા. ૧૦ ડ
* વેડચ્છડ (પા.) પા.મા. ૧૦ મ * વેણી (પા.) પા.મા. ૧૦ અ
Page #109
--------------------------------------------------------------------------
________________
७६
વેલએ (પા.) પા.મા. ૧૦ સ—(સૌરાષ્ટ્રના મારી પાસેનું રંગપુર
મેલા ?)
વેલાઉલી(પા.) પા.મા. ૧૦બ.—(શાંતિકુશલ ૧૯૯.૧૫ “વેલાએલિ’ પા.; સૌભાગ્યવિજય ૯૬.૧૦ “વેલાઉલ”; આ તીર્થ દેવકી પાટણ [પ્રભાસ પાટણ] પાસે આવેલું હેાવાથી તે વેરાવળ હશે; વિનીતકુશલ ૧૬૧.૨૫માં પણ ‘વેલાએલ’’ ‘દીવમંદિર પાટણ” અને “પારમંદિર”ની વચમાં ઉલ્લિખિત છે.) * વેલુ (પા.) પા.છ. ૨૪ * વેલેાગડી (પા.) પા.મા. ૧૦ (=વેલાંગરી, મેધ ૫૪.૬ ૭; સિરાહી રાજ્યમાં વેલાંગડી ગામ છે તે મંદિર પણ છે, તે જ હશે.) શકેંદ્રપુર (પા.) પા. છે. ૩૩---(અમદાવાડનું પરું; તે રાજસાગરસૂરિનિર્વાણુ રાસ, જે.ઐ.ગુ.કા.સ. ૫૭.૨૨માં પણ ઉલિખિત છે.—પ્રયાગ પાસેનું “સીકંદર” જુદું છે; ‘વિજયચિંતામણિ પણ જુઓ.)
શંખેશ્વર એ સંપ્રેસર.
શ્રીપર્વત (પા.) પા.૭. ૨૭--(આ નામનું જૈનતીર્થ વિવિ.પૃ. ૮૬માં બે વાર ઉલ્લિખિત છે, પૃ. ૧૦૬માં તેનું પ્રાકૃત નામ “સિરિપબ્વચ” આવે છે; તી.ચે. ૩નું ‘શ્રીનગ” અને સદ્ન. ૩નું “શ્રીશૈલ” આજ હશે; વિવિ. પૃ. ૮૦ પ્રમાણે વસ્તુપાલની કીર્ત્તિ દક્ષિણમાં આ સ્થાન સુધી પહેાંચી હતી, તેથી તે કાંચી પાસેને શ્રી પર્વત સંભવે છે.)
શ્રીપુર જુએ ‘શ્રીપુરા.”
શ્રીપુરા (પા.) પા. છ. ૩૬; પા.મા. ૨૭ અ.--જીએ અંતિરક્ષ.” સઉપારા જુએ “સાપારા.”
સંખેસર (પા.) પા.૭.૯,૧૫,૫૧,૫૨,૫૯ આદિ; પા.મા. ૧આદિ. (=શંખેશ્વર પા.; જુએ મુનિ જયંતવિજય, “શંખેશ્વર મહાતીથ’”) સઘપૂરિ (પા.) પા.મા. ૩ સ
*
* સંકટહર (પા.) પા.મા. ૨ સ
સંડેરા (પા) પા. મા. રઅ.—(ધાનેરાવ પાસેનું સાંડેરા ગામ) * સત (પા.) પા. મા. ૨ અ.—
સતક્ષ્ણા (પા.) પા. મા. ૨ .(સત્ફણા પા.નાં અનેક બિંયા છે; સૌભાગ્યવિજય ૯૦.૮ ‘સપ્તા મણિ’ [લિપુરમાં]; રત્નકુશલ ૧૭૦.૧૨ ‘સપતક્ણુ શ્રીપાસ' અને મેઘવિજય ૧૫૦.૯ ‘સપ્તક્ણા’ (વિમલાચલમાં) ઇત્યાદિ તેના ઉલ્લેખા મળે છે.)
સત્યકી (પા.) પા. છ. ૪૭ (અર્થાત્ ‘સત્યક પુર’=સત્યપુર=માચાર?
Page #110
--------------------------------------------------------------------------
________________
ક૭
આ સ્થાન એક પ્રાચીન તીર્થ તરીકે પ્રસિદ્ધ છે અને તેના ઘણું ઉલ્લેખ ‘જગચિંતામણિ ચૈત્યવંદન'થી લઈને મળે છે; મેઘવિજય ૧૫૦-૧૬માં ત્યાંના પા. ઉલ્લિખિત છે.)
* સંતું (પા.) પા. મ. ૧ સ.
સમી (પા.) પા. મા. ર અ.–(રાધનપુર પાસે આવેલા સમી ગામના પા.ના ઉલ્લેખો જ્ઞાનવિમલ ૧૩૪.૧૮-૨૧, મેઘવિજય ૧૫૧.૨૨, [‘સમી સહરે...સામલપાસ']; શાંતિકુશલ ૧૯૯૯; અને કલ્યાણસાગર ૭૧.૧૦માં પણ છે.)
સમીણ (પા.) પા. છ. ૪૩; પા. મા. ૨ ડ. “સમીયાણ'.–(જુઓ શાંતિકુશલ ૧૯૯૧૯ સમીયાણું [પા.].-આ સમીના ખેડા [મેવાડમાં સંભવ છે કે જે સ્થાનનું વર્ણન એક પા. તીર્થ તરીકે કવિ હેમ કરે છે [જુઓ મુનિ વિદ્યાવિજય, “મેવાધ્યાત્રા' પૃ. ૭૭] અને જ્યાં આજે પણ સમીના પા. વિદ્યમાન છે.–વિવિ. પૃ. ૧૦૬માં ઉલ્લેખિત “સમિણિ પા.” એ જ સંભવે છે.)
* સમીધ (પા.) પા. છ. ૪૫ – સમેતસિહર વૃ. ચિ. ૪–(સુપ્રસિદ્ધ સમેતશિખર તીર્થ)
સંભેરે (પા.) પા. મા. ૨ સ.(આ અજમેર પાસેનું સાંભેર સંભવે છે; જુઓ અષ્ટો. ૧૦૩ “સંભરિ', અને તેની ટીકામાં શાકંભરી નગરી.')
» સવિને (પા.) પા. મા. ૧૩(સરખાવો શાંતિકુશલ પ્રત ૨૨ સપને')
જ સવેલે (પા.) પા. મા. ૨ સ.
સહસફણે (પા.) પા. છે. ૩૫; પા. મા. ૨ ડ–(“સહસ્ત્રફણી’ પા.ના ઘણાં બિબે અને ઉલ્લેખ છે.)
સાગવાટ (પા.) પા. છ. ૪૧.—(કલ્યાણસાગર ૭૦.૮માં પણ આ પા. ઉલિખિત છે; મુનિ જયંતવિજય “આબુ ભાગ ૨ પૃ. ૬૦૮ પ્રમાણે સાંગવાડા નામનું સ્થાન ભીમાણ સ્ટેશન પાસે આબુની તળેટીમાં વિદ્યમાન છે અને તેમાં એક જૈન મંદિરના અવશેષો પણ મળે છે; એ. રાસ સં. ભાગ ૧ પ્રસ્તાવના પૃ.: ૩૨ પ્રમાણે વાગડ દેશનું સાગલપુર આ પ્રાચીન સાગવાડા છે.).
સાચાઉ 9.ચ. પ (વીર).—જુઓ સત્યકી
સાદડી (પા.) પા. છ. ૪૫.– તે પ્રાચીન સમયથી આજ સુધી એક પા. તીર્થ તરીકે પ્રસિદ્ધ છે; જુઓ કલ્યાણસાગર ૭૧.રર, મેઘવિજય ૧૫૧.
Page #111
--------------------------------------------------------------------------
________________
७८
૨૦, શાંતિકુશલ ૧૯૯.૧૧, શલવિજય ૧૬.૬૪ અને ૧૧૧.૪૪, જ્ઞાનવિમલ ૧૩૬.૪૪ આદિ.) -
* સામંતા (પા.) પા. મા. ૩ સ.—(મહેસાણુ પાસેનું સામેત્રા?)
સામલો (પા.) પા. છ. ૩૨; પા. મા. ૧ ૩.(આ નામનાં અનેક પા. બિબે છે અને તેના અનેક ઉલ્લેખ છે.)
સામી (પા.) પા. છ. ૪૭ * સાય (પા.) પા. છે. ૪૧ (="છાયા પા' ?) * સા૨ (પા.) પા. મા. ૩ અ
સારસંગ (પા.) પા. મા. ૩ બ
સાહિબ (પા.) પા. મા. ૩ બ.—(સિદ્ધપુરમાં આજે “સાહિબ પા.” યા ‘સુલતાન પા.” પૂજાય છે; જુઓ જૈનતીર્થોનો ઇતિહાસ' પૃ. ૬૭.)
સિદ્ધપુર (પા.) પા. છ. ૪૭.—(અમદાવાદથી ઉત્તર દિશામાં પ્રાચીન સિદ્ધપુર યા “શ્રીસ્થલ” છે; ત્યાંના છે. કલ્યાણસાગર ૭૦ ૬, શાંતિકુશલ ૧૯૯.૧૮, વગેરેમાં ઉલિખિત છે.)
સીઘલઘીપ (પા.) પા. મા. ૩ ડ–(સિંહલદ્વીપ એક જૈનતીર્થ તરીકે વિવિ. પૃ. ૮પમાં પણ ઉલ્લિખિત છે.)
* સીધુઓ (પા.) પા. મા. ૧ સ. સીસા જુઓ સેરીસે.
સીડી (પા.) પા. મા. ૨ બ–(સીરડી ગામ સિરોહી રાજ્યમાં આવેલું છે; ત્યાંના પ્રાચીન મંદિરના મૂલનાયક આજ પણ પા. છે; શાંતિકુશલ ૧૯૮૬માં પણ તે ઉલિખિત છે; “સીરાડીયા પો.' આજે પણ સિરોહીમાં પૂજાય છે.)
સીહી વૃ. ચે. ૮-(સુપ્રસિદ્ધ જૈનતીર્થ) * સીદ્યો (પા.) પા. મા. ૩ સ. * સીહ (પા.) પા. મા. ૨ સ
૪ સુડાલો (પા) પા. મા. ૩ બ– મેઘવિજય ૧૫૧૨૩માં પણ મુંડાલો એક પ. તીર્થ તરીકે ઉલિખિત છે.)
સુબુધ (પા.) પા. મા. ૩ ડ. - સુરાઉ (પા.) પા. મા. ૩ . - સુષદાયક (પા.) પા. મા. ૧ ડ. * સુષવિલાસ (પ.) પ. ભા. ૨ અ.
સુષ સેન (પા.) પા. મા. ર અ
Page #112
--------------------------------------------------------------------------
________________
સૂરત (પ.) પા. ૭, ૪૭.—(ત્યાંના પાના અનેક પ્રાચીન ઉલેખો મળે છે).
સેdજ છે. ચિ. ૪ અ—(શત્રુંજય, પ્રસિદ્ધ)
સેરીસ (પા.) પા. ૭.૩૪[“પાસ લેડણે”]; પા. મા. રબ[“સીરસો...] -આ પ્રાચીન પા. તીથેન વિ વિ. (પૃ. ૨૪ અને ૧૦૬)થી લઈને ઘણા ઉલ્લેખો મળે છે, ત્યાંની મૂર્તિ અયોધ્યાથી લાવવામાં આવી હતી; તીર્થની ઉત્પત્તિ સં. ૧૨ ૬૦માં દેવેન્દ્રસૂરિ દ્વારા થઈ તેના ઇતિહાસ માટે જુઓ ગાંધી, “પાવાગઢ' પૃ. ૭૧ આદિ;-વિશેષતઃ ત્યાંના “લોડણ પા”નો ઉલ્લેખ શાલવિજય ૧૨૫. ૧૫૮માં છે.-સ્થાન આધુનિક સેરિસા કલોલ પાસે છે; જુઓ જૈન તીર્થોને ઇતિહાસ” પૃ. ૪૦-૪૨.)
સેઝીત (પા.) પા. મા. ૩ સ—(જોધપુરના બગડી પાસેના સાગ્રીતના પા. શાંતિકુશલ ૧૯૯–૧૧, કલ્યાણસાગર ૭૧. ૨૦માં ઉલ્લિખિત છે; જોધપુરનું સેઝત આજે પણ પ્રસિદ્ધ છે.)
સોપારે(પા.) પા. મા. ૩ અ; 9.ચિ. ૪ [‘સપારઈ].—(આ પ્રાચીન તીર્થના અવશેષો મુંબઈથી ઉત્તર દિશામાં આવેલા નાલા સારા સ્ટેશન પાસેના સોપારા ગામમાં દેખાય છે; આ તીર્થના ઉલ્લેખો શાંતિકુશલ પ્રત ૨૨ [પા], રત્નકુશલ ૧૭૦. ૯, મેઘ ૪૮. ૭ અને ૪૯ ૧૦ [‘સામિ થંભણા, તી. ચે. ૩ તથા વિવિ. ૮૫ [ઋષભ]માં મળે છે.)
સોમચિંતામણિ (પા.) પા. છ. ૩૪; પા. મા. ૩ અ.-(આ પા.ના ઉલેખ માટે જુઓ મેઘવજય ૧૫૧. ૨૦, રત્નલેશલ ૧૭૦. ૧૭, શાંતિકુશલ પ્રત ૨૭; આજે તે ખંભાતમાં પૂજાય છે.)
રસવક (પા.) પા. મા. ૩ અ.
સેવનગિરિ (પા.) પા. મા. ડ-(સુવર્ણગિરિ યા સ્વર્ણગિરિ જાલોરના એક નામાતર તરીકે પ્રસિદ્ધ છે; જુઓ ભાવદેવસૂરિ. પાર્શ્વનાથ ચરિત પ્રશસ્તિ, તી. ચ. ૨ બ, અષ્ટો. ૮૭; ‘જાલોર' પણ જુઓ.આ નામનું એક દિગબર તીર્થ ઝાંસી સ્ટેશન પાસે પણ વિદ્યમાન છે.)
સ્વૈતચિંતામણિ (પા.) પા. મા. ૨૩ બ.
હથનાર (પા.) પા. મા. ૯ અ.–(હસ્તિનાપુર એક જૈન તીર્થ તરીકે પ્રસિદ્ધ છે, જુઓ શાંતિવિજયજી, “જૈન તીર્થ ગઇ” પૃ. ૧૮૦, અષ્ટો. ૧૦૩, મૂલા. ૮-૩, વિવિ. પૃ. ર૭, ૪૩, ૯૨, ૯૬.)
હમીરપુર (પા.) પા. છે. ૪૦; પા. મા. ૯ અ [“હમીર”]. –આ સ્થાન સિરોહી પાસે છે; ત્યાંના પા.નો ઉલ્લેખ શાંતિકુશલ ૧૯૯, ૧રમાં છે;
Page #113
--------------------------------------------------------------------------
________________
તેના ઇતિહાસ માટે જુઓ ગાંધી, “પાવાગઢ” પૃ. ૮૦, તથા મુનિરાજ શ્રી જયંતવિજયજી-કૃત “હમ્મીરગઢ”.)
* હરજ (પા.) પા. મા. બ. હરીજ (પા.) પા. મા. ૯ અ.(શખેશ્વર પાસેનું હારીજ).
હાંસોટ (પા) પા. મા. ૯ બ–(ભરૂચ જિલ્લામાં જંબુસર પાસેનું હસેટ ગામ હશે).
* હેમ (પા.) પા. મા. ૯ અ.
હેમાચલ (પા.) પા. મા. ૯ બે–-(વિવિ. પૃ. ૮૬ “હિમાર છાણાEા ત્રાધિરા: શ્રીકુરિટ”).
Page #114
--------------------------------------------------------------------------
________________ 后传