________________
પ૮ મા આચાર્ય શ્રી ધનરત્નસૂરિ થયા કે જેમના સં. ૧૫૭૦ થી ૧૫૯૧ સુધીના પ્રતિમાલેખો મળ્યા છે. આ ધનરત્નસૂરિના ત્રણ શિષ્યો પ્રસિદ્ધિમાં આવ્યા છે. પહેલા શિષ્ય શ્રીઅમરરત્નસૂરિ પ૯ મા ગચ્છપતિ થયા. એમને માત્ર એક જ સં. ૧૬ ૦૪ને પ્રતિમાલેખ મલ્યો છે. તેમના શિષ્ય શ્રીદેવરત્નસૂરિ ૬ ૦મી પાટ પર થયા. શ્રીધનરત્નસૂરિના બીજા શિષ્ય શ્રીતેજ રત્નસૂરિ હતા કે જેમને શ્રીઅમરરત્નસૂરિએ આચાર્યપદવી આપી હતી અને જેઓ એક બીજી શાખાના ૬૮ મા અધિપતિ ગણાય છે. શ્રીનયસુન્દરની પ્રશસ્તિઓ પ્રમાણે શ્રીધનરત્નસૂરિના ત્રીજા શિષ્ય શ્રીભાવનું મેચગણિ હતા. એમને બે શિષ્યો હતા જેમાંના એક શિષ્ય આપણા કવિ નયસુન્દરના જામેય મોટા ગુરભાઈ શ્રીમાણિક્યરન અને બીજા શ્રીન સુન્દર પોતે જ હતા.
કવિ નયસુન્દરને કેટલા શિષ્યો હતા તે જ્ઞાત નથી. માત્ર એક સાવી શ્રીમતી હેમશ્રીજી પિતાના સં. ૧૬૪૪માં વિરચિત “કનકાવતી આખ્યાન'માં ભાનુમેરુ-શિષ્ય શ્રી સુન્દર વાચકને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે. ૧ આ બધી વિગત પ્રમાણે કવિની ગુરુપરમ્પ નિશ્વલિખિત છે –
૫૭ લબ્ધિસાગરસૂરિ ૫૮ ધનરત્નસૂરિ
૫૯ અમરરત્નસૂરિ [૬૦] તેજરત્ન સરિ
ભાનુમેગાણિ ! ૬ ૦ દેવરત્નસૂરિ [૬૧] દેવસુન્દરસૂરિ !
માણિક રત્ન નયસુંદર ૬૧ જયરત્નસૂરિ [૬૨] વિજયસુન્દરસૂરિ (?)
હેમશ્રીજી ૬ર ભુવનકીર્તિસૂરિ
- કવિની કૃતિઓ શ્રી સુન્દરની અત્યાર સુધી ૧૧ ગુજરાતી અને એ સંસ્કૃત કૃતિઓ ઉપલબ્ધ થઈ છે. તેમાંની આઠ કૃતિઓનો રચના સમયે તેની પ્રશસ્તિઓ દ્વારા જ્ઞાત છે. તે વિ. સં. ૧૬૩૭, ૧૬૩૮, ૧૬ ૪૦,૧૬૪૬, ૧૬૫૬, ૧૬૬ ૫, ૧૬૬૯ ૧. જે. ગુ. ક. ૧ પૃ. ૨૮૬ અને આ. કા. મ. ૬ પૃ. ૧૪ (ભૂમિકા) ૨. જુએ. જે. ગુ. ક. ૨ પૃ. ૭૪૨