Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ક્યારે પણ નિર્ભય અવસ્થાનો અનુભવ થતો નથી. આવી સ્થિતિમાં મોટા ભાગે પોતાની એવી સદોષ અવસ્થાની જાણ બીજાને થાય નહિ : એ માટે પોતાના પ્રગટ દોષોને છુપાવવા માયા કરવી પડે છે. આવા માયાવી (શઠ) જીવો ભવાભિનંદી છે. આવા જીવો શઠ(લુચ્ચા) હોય છે. પોતાનું ઈષ્ટ સાધવા માટે ગમે તે વ્યક્તિને ગમે તે સમજાવી પોતાનું ધાર્યું કરાવી લેવાની જે વૃત્તિ છે તે એક જાતિની માયા-શઠતા છે. મોક્ષમાર્ગની સાધના(યોગની સાધના)માં પ્રવૃત્ત હોય તેવા જીવો માયાથી દૂર રહે છે. ભવાભિનંદી જીવો માયાથી પૂર્ણ હોય છે. દોષથી મુક્ત બનવાના બદલે દોષોને છુપાવવાનું કાર્ય ખૂબ જ ખરાબ છે, જે માયા કરાવે છે. ભવાભિનંદી જીવોનું સાતમું લક્ષણ મૂર્ખતા છે. તેનાથી યુક્ત એવા અજ્ઞ જીવો ભવાભિનંદી છે. તેમની ક્ષુદ્રતા વગેરેના કારણે તેમને જ્ઞાન મળતું નથી. તેથી જ તો તેઓ અજ્ઞ-મૂર્ખ હોય છે. દુનિયાની કોઈ પણ વસ્તુમાં મૂર્ખને કોઈ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવેલો નથી. તેવી જ રીતે અહીં પણ યોગના વિષયમાં તે અશ જીવોને કોઈ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવેલો નથી. સર્વ સિદ્ધિઓથી આત્માને સર્વથા દૂર કરવાનું કાર્ય અજ્ઞતા કરે તેથી સમજી શકાશે કે ભવાભિનંદી જીવો જે પણ થોડી-ઘણી ધર્મક્રિયાઓ લોપક્તિના આદરપૂર્વક કરે છે,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66