________________
પુરુષાભિભવ થોડો નિવૃત્ત થાય છે. તેથી ગોપેન્દ્ર જે આ જણાવ્યું છે તે યુક્ત છે. આ સિવાય તેમણે જે જણાવ્યું છે તે વિષયમાં હવે પછી જણાવાશે.”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ સંસારમાં અનાદિકાળથી પ્રકૃતિથી પુરુષનો અભિભવ થતો જ આવ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારે સહેજ પણ હ્રાસ(ઘટાડો) ન થાય તો તત્ત્વની જિજ્ઞાસા પણ થતી નથી. આ પ્રમાણે આ પૂર્વે જણાવ્યું છે. તેનો નિર્ણય જે રીતે કરાય છે તે આ શ્લોકથી જણાવાય
એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે તત્ત્વમાર્ગની જિજ્ઞાસામાં પણ (અર્થાત્ તત્ત્વમાર્ગના અભ્યાસાદિમાં જ નહીં) પ્રકૃતિથી થતો પુરુષનો અભિભવ કાંઈક પણ ઓછો થાય છે. કારણ કે એકાંતે કોઈ પણ અંશે જેનું પાપ ક્ષય પામ્યું નથી; તેને વિમલ ભાવ પ્રાપ્ત થાય એ શક્ય નથી. તત્વમાર્ગની જિજ્ઞાસા સ્વરૂપ વિમલ ભાવ જે પ્રાપ્ત થયો હોય તો ત્યાં માનવું જોઈએ કે કાંઈક પુરુષાભિભવ ઓછો થયો છે. તેથી શ્લોક નં. ૧લ્માં જણાવેલી ગોપેન્દ્રની વાત બરાબર છે. એ સિવાય આત્માને એકાતે અપરિણામી માનવાથી તેનો અભિભવ, તેના અભિભવની નિવૃત્તિ વગેરે જે રીતે અનુપપન્ન થાય છે, તે બધું હવે પછીની બત્રીસીમાં જણાવાશે... અહીં તો યોગના સ્વરૂપનું નિરૂપણ કરવાનું