________________
શ્લોકનો સામાન્ય અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનશાસનમાં જે યોગનું લક્ષણ છે; તેના જાણકારે; બીજા સાંખ્યાદિ દર્શનકારે જે યોગનાં લક્ષણો કહ્યાં છે, તેની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કરનાર પરમાનંદ-મોલમાં પ્રતિબદ્ધ બુદ્ધિશાળી હોવો જોઈએ. મોક્ષમાં જ જેનું ચિત્ત લાગેલું છે, તે સંસારી આત્માને પરમાનંદબદ્ધધી’ કહેવાય છે. મોક્ષનું લક્ષ્ય ન હોય એવા આત્માઓ યોગના લક્ષણની પરીક્ષા કરે અથવા ન કરે તોય તેથી કોઈ લાભ થતો નથી. મોક્ષના એક અર્થી આત્માને જ યોગનું લક્ષણ ઉપયોગી છે. સ્વપરદર્શનોમાં જણાવેલાં તે તે યોગનાં લક્ષણોની વિચારણા કરીને યોગના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરવાપૂર્વક આપણે સૌ યોગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા.
| I૧૦-૩રા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् ।
व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगलक्षणद्वात्रिंशिका॥