________________
અનંતભાવથી તે મિથ્યાસ્વરૂપ છે. શુદ્ધનયની દષ્ટિએ તે સંયોગજ ભાવ એકમાં નહિ મનાય. ખડીની ઍતિમા છે. દિવાલની તે કોઈ પણ રીતે નથી. તેમ અહીં પણ આત્મા અને કર્મના સંયોગવિશેષે જે જે વિભાવો ઉત્પન્ન થાય છે તે બધા જ ભાવો કોઈ પણ રીતે આત્માના નથી... ઈત્યાદિ શુદ્ધનયની દષ્ટિએ સમજવું જોઈએ. ૧૦-૩ના
પરિણામો(જીવસ્થાન, ગુણસ્થાન... વગેરે)થી દ્રવ્ય વગેરેને કશિ અભેદ હોવાથી માત્ર પરિણામ સ્વરૂપ જ યોગનું પ્રતિપાદન કઈ રીતે યુક્ત છે, તે જણાવાય છેद्रव्यादेः स्यादभेदेऽपि, शुद्धभेदनयादिना ।। इत्थं व्युत्पादनं युक्तं, नयसारा हि देशना ॥१०-३१॥
“પરિણામોથી દ્રવ્ય કે ગુણને કથંચિદ્ર અભેદ હોવા છતાં માત્ર ભેદ અથવા માત્ર પર્યાયનું ગ્રહણ કરનાર નયની અપેક્ષાએ પૂર્વોક્ત રીતે નિરૂપણ યુક્ત છે. કારણ કે દેશના નયપ્રધાન હોય છે.” આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મવ્યાપાર સ્વરૂપ પરિણામોથી આત્મદ્રવ્યાદિને કથંચિ અભેદ હોવાથી પરિણામોની જેમ આત્મદ્રવ્યાદિને પણ યોગસ્વરૂપ વર્ણવવા જોઈએ. પરંતુ કેવલ ભેદનયાદિની અપેક્ષાએ કચિ અભેદને ધ્યાનમાં લીધા વિના પૂર્વે જણાવ્યા મુજબ તેવા પ્રકારના