________________
પ્રયત્ન કર્યા વિના ચાલવાનું નથી. ૧૦-૨૮
ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છેजीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः । परिणामा विवर्तन्ते जीवस्तु न कदाचन ॥१०-२९॥
“બધાં જીવસ્થાનો ગુણસ્થાનો અને બધી માર્ગણાઓ સ્વરૂપ પરિણામો અવસ્થાવિશેષને પામે છે. પરંતુ જીવ તો ક્યારેય અવસ્થાવિશેષને(અવસ્થાતરને) ધારણ કરતો નથી.” આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સશીપચેન્દ્રિય-આ સાતના અપર્યાપ્ત અને પર્યાસ-એ બે બે ભેદની વિવક્ષાએ ચૌદ છવસ્થાનો છે. અનાદિકાળથી કર્મપરવશ એવા જીવને તે તે સ્થાનમાં રહેવાનું થતું હોવાથી તે બધાં જવસ્થાનો સ્વરૂપ પરિણામો છે. તે તે કાળે તે
સ્થાનો બદલાય છે. પરંતુ જીવમાં કોઈ જ ફેરફાર થતો નથી. જીવ તો જે છે તે જ છે.
આવી જ રીતે કર્મના ઉદયાદિના કારણે થનારાં ચૌદ ગુણસ્થાનકો પ્રસિદ્ધ છે. મિથ્યાત્વથી અયોગી સુધીનાં તે તે ગુણસ્થાનોમાં તે તે કાળે પરિવર્તન થતું આવ્યું છે. પરંતુ જીવમાં કોઈ જ પરિવર્તન આવતું નથી. સદાને માટે તેનો