________________
જણાવાય છેभावसात्म्येऽत एवास्या भङ्गेऽपि व्यक्तमन्वयः । सुवर्णघटतुल्यां तां ब्रुवते सौगता अपि ॥१०-२४॥
“ભાવના અનુવેધથી ક્રિયામાં મોક્ષસંપાદનને અનુકૂળ એવી શક્તિ આવતી હોવાથી જ ભાવનું સામ્ય હોતે છતે, ક્રિયાનો કોઈ વાર ભંગ થાય તોપણ ભાવનો અન્વયે પ્રગટ હોય છે. આથી જ તે ભાવશુદ્ધ ક્રિયાને બૌદ્ધોએ સુવર્ણના ઘડા જેવી માની છે.”-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ચરમાવર્તકાળમાં મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ સ્વરૂપ જે ભાવ છે તેના અનુવેધથી ક્રિયા પણ મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ બને છે. તેથી ક્રિયાનું ભાવસામ્ય હોતે છતે એટલે કે, ભાવને ઉત્પન્ન કરવાની શક્તિ વડે ભાવથી વ્યાસ ક્રિયા હોતે છતે; કોઈ વાર તેવા પ્રકારના કષાયના ઉદયના કારણે(ક્લાયમોહનીયકર્મના ઉદયના કારણે) ક્રિયાનો નાશ થાય તોપણ ભાવની અનુવૃત્તિ ચાલુ જ હોય છે, તે પ્રગટ રીતે સમજી શકાય છે. કારણ કે ભાવવિશિષ્ટ કિયા સ્વરૂપ તદ્રવ્યક્તિનો અભાવ હોવા છતાં ત્યાં ભાવાનુકૂલ શક્તિનો અપગમ થતો નથી. આથી જ આવી ભાવશુદ્ધ ક્રિયાને બૌદ્ધોએ સોનાના ઘડા જેવી વર્ણવી છે. જેમ સોનાનો ઘડો ભેદતો હોય તોપણ સોનાના