________________
જાણવાથી મહાન એવી વસ્તુમાં અલ્પતાનો બોધ કરાય છે. આ રીતે કરાયેલી ધર્મની લઘુતાપૂર્વકની ક્રિયા; દુઃખે કરીને જેનો અંત આવે એવા સુદીર્ઘ સંસારનો અનુબંધ કરનારી બને છે.
લોક્યક્તિથી કરાયેલી ધર્મક્ષિા ભવાભિનંદી જીવોને ફળ આપનારી બનતી નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ વિપરીત (અનિષ્ટ) ફળને આપનારી બને છે. આથી સમજી લેવું જોઈએ કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ મોક્ષના આશયથી કરાતી ક્યિા જ સફળ છે; એ આશયથી જુદા કોઈ આશયથી કપાતી ધર્મક્રિયા નિષ્ફળ જ નહિ, વિપરીત ફળને આપનારી છે. “લોકપતિથી કરાતી પણ ધર્મક્રિયા અંતે તો ધર્મક્યિા જ છે ને ? લોપંક્તિના કારણે, જે ફળ મળવું જોઈએ તે મળે નહિ; ઓછું મળે. પરંતુ એમાં એકાંતે લાભ છે, નુકસાન કાંઈ નથી.”... ઈત્યાદિ માન્યતા ધરાવનારાએ ઉપર જણાવેલી વાત યાદ રાખવી જોઈએ. ૧૦-શા.
જે લોકપંક્તિના કારણે ભવાભિનંદી જીવોને ધર્મક્રિયા વિપરીત ફળવાળી બને છે, તે લોક્યક્તિ કોઈ વિવેકીને શુભ પરિણામ માટે થઈ શકે છે-તે જણાવાય છેधर्मार्थं सा शुभायापि धर्मस्तु न तदर्थिनः । क्लेशोऽपीष्टो धन हे क्लेशार्थं जातु नो धनम् ॥१०-८॥