________________
પ્રસગે ખૂબ જ ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ.
_૧૦-૬il.
લોક્યક્તિથી કરાયેલી ધર્મક્યિાથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છેमहत्यल्पत्वबोधेन, विपरीतफलावहा । भवाभिनन्दिनो लोकपङ्क्त्या धर्मक्रिया मता ॥१०-७॥
મહાન એવા ધર્મમાં અલ્પતાનું જ્ઞાન થવાથી (કરવાથી); ભવાભિનંદી જીવોને લોકપક્તિથી કરાતી ધર્મક્રિયા દુરંત સંસારનો અનુબંધ કરાવનારી થાય છે.”આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન કે કામધેનુ કરતાં પણ અત્યધિક માહાભ્ય ધર્મનું છે. પોતાના માહાભ્યના કારણે ધર્મે કલ્પવૃક્ષ કે ચિંતામણિ વગેરેનું માહાસ્ય રહેવા જ દીધું નથી. કારણ કે કલ્પવૃક્ષ વગેરે માંગ્યા પછી આ લોકના જ વિનર એવા ફળને આપે છે. પરંતુ ધર્મ તો શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ તેની આરાધના કરનારને માંગ્યા વિના પરમપદસ્વરૂપ મોક્ષફળ સુધીનાં ફળ આપે છે. તેથી ચિંતામણિ કે કલ્પવૃક્ષ વગેરેને ધર્મે તદ્દન જ નીચા(હીન) બનાવ્યા છે. કલ્પવૃક્ષાદિની અપેક્ષાએ અત્યધિક મહાન એવા ધર્મને અત્યંત તુચ્છ એવા કીર્તિ વગેરે આ લોકના કે પરલોકના ફળના કારણ સ્વરૂપે