________________
કારણ કે ધનથી મને કષ્ટ થાય-આવી ભાવના કોઈ પણ બુદ્ધિમાન રાખતો નથી.
યોગબિંદુ ગ્રંથમાં (શ્લોક નં. ૯૦) આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે-દાન, સન્માન અને ઉચિત સન્માષણ વગેરે અનેક પ્રકારના ઉપાય વડે; સમ્યગ્દર્શનાદિ મોક્ષના બીજના આધાન માટે લોકપક્તિ બુદ્ધિમાનોને કલ્યાણનું અવું બને છે. પરંતુ તુચ્છબુદ્ધિવાળા જીવોને લોપંક્તિના માટે કરાયેલો સદાચાર સ્વરૂપ ધર્મ અત્યંત પાપ માટે થાય છે.
તેમ જ ષોડશકપ્રકરણમાં (૪-૭) ફરમાવ્યું છે કે શુદ્ધ ઉચિત એવું જનપ્રિયત્વ; તેનાથી ધર્મની પ્રશંસાદિના કારણે બીજાધાનાદિ(પુણ્યાનુબંધી પુણ્યની પ્રામિ વગેરે) થતું હોવાથી સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફળને આપનારું થાય છે...' કહેવાનો આશય એ છે કે “યુક્તજનપ્રિયત્નએ ધર્મસિદ્ધિનું લિફ છે. અર્થ અને કામની સિદ્ધિનું કારણ બનવાના કારણે આપણે જનપ્રિય બનીએ તો એવી જનપ્રિયતા, ધર્મસિદ્ધિનું લિવું નથી. તેથી તે જનપ્રિયતા અયુક્ત છે. માત્ર ધર્મની સિદ્ધિના કારણે જનપ્રિયત્વ હોય તો તે ધર્મસિદ્ધિના લિવું સ્વરૂપ હોવાથી યુક્ત મનાય છે. આથી જ આ જનપ્રિયત્ન શુદ્ધ હોય છે. એમાં રાગાદિ દોષોનો આવિર્ભાવ હોતો નથી. આવું શુદ્ધ જનપ્રિયત્ન સ્વપરને સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફળને આપનારું બને છે. આપણો શુદ્ધધર્મ જોઈને ધર્મપ્રશંસાદિને કરવાથી બીજાને