________________
આ કાળમાં ભવાર્ભિષ્યનો અભાવ હોય છે. નિસર્ગથી જ આ કાળમાં એવા પ્રકારની ભવની પ્રત્યે આસક્તિ હોતી નથી કે જેથી યોગમાર્ગની પ્રાપ્તિમાં અવરોધ ઊભો થાય.
યોગની પ્રાપ્તિમાં સૌથી મોટો અવરોધ જ ભવાભિધ્વનો છે. ચરમાવર્તકાલવર્તિ જીવોને ભવાભિષ્ય એવો ઉત્કટ કોટિનો હોતો નથી કે જેથી યોગમાર્ગને પ્રાપ્ત કરવાની તેમની યોગ્યતા નાશ પામે અને યોગમાર્ગની પ્રાપ્તિ થાય નહિ. સહકારીકારણસામગ્રી પ્રાપ્ત થાય એટલે ચરમાવર્ણકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિ થઈ જાય છે. આ વાતને પ્રકારતરથી નીચે જણાવ્યા મુજબ ગોપેન્દ્ર પણ જણાવી છે, જે હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૧૦-૧૮
ગોપેન્દ્ર જે જણાવ્યું છે; તે જણાવાય છેअनिवृत्ताधिकारायां प्रकृतौ सर्वथैव हि । न पुंसस्तत्त्वमार्गेऽस्मिञ्जिज्ञासापि प्रवर्त्तते ॥१०-१९॥
“સર્વ પ્રકારે જ (કોઈ પણ રીતે) અધિકારની નિવૃત્તિથી રહિત પ્રકૃતિ હોય ત્યારે આ તત્ત્વમાર્ગમાં પુરુષને જિજ્ઞાસા પણ પ્રાપ્ત થતી નથી.'-આ પ્રમાણે ઓગણીસમા
શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રતિલોમશક્તિથી અંતરલીન થયો છે પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકાર જેણીનો એવી પ્રકૃતિ હોતે છતે અર્થાત્ પુરુષનો