Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ અચરમાવર્તકાળમાં યોગનો સંભવ નથી. તેઉકાય અને વાઉકાયના જીવો મરીને મનુષ્યગતિમાં ઉત્પન્ન થતા નથી તેથી તેમને ચારિત્રની પ્રાપ્તિ ન થાય. પરંતુ આમ છતાં ચારિત્રની પ્રાપ્તિ માટે તેઓ અયોગ્ય છે : એમ જણાવ્યું છે; તે ઉપર જણાવેલી વાતના સમર્થનને સૂચવે છે. | |૧૦-૧ળી યોગની(યોગમાર્ગની) પ્રાપ્તિ માટે અચરમાવર્તકાળ અયોગ્ય છે-એ જણાવીને હવે યોગ્ય કાળને જણાવાય છેनवनीतादिकल्पस्तच्चरमावर्त्त इष्यते । अत्रैव विमलो भावो गोपेन्द्रोऽपि यदभ्यधात् ॥१०-१८॥ “તેથી યોગમાર્ગની પ્રાપ્તિ માટે માખણ, દહીં વગેરે જેવો ચરમાવર્તકાળ મનાય છે. આ કાળમાં જ નિર્મલભાવની પ્રાપ્તિ થાય છે. ગોપેન્દ્ર નામના વિદ્વાને પણ પ્રકારાતરથી તે જણાવ્યું છે.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે, વૃતાદિ પરિણામ માટે માખણ, દહીં કે દૂધ વગેરેનો પરિણામ જેમ કારણ બને છે તેમ યોગમાર્ગની પ્રાપ્તિ માટે ચરમાવર્તકાળ નવનીત(માખણ) વગેરે જેવો મનાય છે અર્થા યોગની પ્રાપ્તિ માટે શરમાવર્તકાળ કારણ બને છે. આ ચરમાવર્ત કાળમાં જ નિર્મળ એવા ભાવની પ્રાપ્તિ થાય છે. કારણ કે

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66