Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ તેનાથી તદ્દન વિપરીત ક્રમે પ્રલય છે. જે જેમાંથી આવિર્ભાવ પામે છે તે તેમાં લીન થાય છે. (વિલય પામે છે.) જેથી તે તે સ્વરૂપે તેનું અસ્તિત્વ પ્રતીત થતું નથી. સમગ્ર જગતની સૃષ્ટિ અને પ્રલયનો એકમ છે. આને અનુલોમક્રમ કહેવાય છે. આનાથી વિપરીત ક્રમને પ્રતિલોમ કહેવાય છે. ન્યાયની પરિભાષામાં પ્રતિયોગિતા કે સ્વાભાવવત્ત સંબંધ સ્વરૂપપ્રતિલોમ સામર્થ્ય સમજી શકાય. ઈત્યાદિ તેના જ્ઞાતા પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. અહીં તો શ્લોકાર્થને સમજવા માટે ઉપયોગી અંશ જ વર્ણવ્યો છે. I૧૦-૧૯ો ઉપર જણાવેલી વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરાય છેसाधिकारप्रकृतिमत्यावर्ते हि नियोगतः । पथ्येच्छेव न जिज्ञासा क्षेत्ररोगोदये भवेत् ॥१०-२०॥ પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકારવાળી પ્રકૃતિ જેમાં છે એવા કાળમાં (અર્થાત્ એવા કાળમાં વર્તતી પ્રકૃતિના કારણે નિશ્ચય કરી, કોઢરોગાદિ હોતે જીતે પથ્ય-સંબંધીની ઈચ્છાની જેમ જાણવાની (તસ્વમાર્ગને જાણવાની) ઈચ્છા થતી નથી.”- આ પ્રમાણે વિસમાં શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે અવાંતર રોગોના આધારભૂત કોઢરોગાદિ સ્વરૂપ ક્ષેત્રરોગનો જ્યારે આવિર્ભાવ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66