________________
થાય છે. તેથી તેનાથી પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિના ઉત્તરકાળમાં પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિની જેમ બીજાને પણ તે પ્રાસ કરાવવા માટે વિનિયોગ નામનો આશય ઉપયોગી બને છે. સ્વ અને પર આત્મા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ(અધ્યવસાય) સ્વરૂપ આ વિનિયોગ ભવિષ્યમાં અનેક જન્માંતરમાં સતત ઉદ્બોધ પામે છે. તેથી પરમ પ્રકૃષ્ટ ધર્મસ્થાનની(ક્ષાયિકભાવે તે તે ધર્મની) સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં વિનિયોગસ્વરૂપ આશય હેતુ બને છે.
ગ્રંથકાર પરમર્ષિએ ‘યોગવિશિકા’ની ટીકામાં ખૂબ જ સ્પષ્ટપણે ‘વિનિયોગ'નું સ્વરૂપ સમજાવતી વખતે જણાવ્યું છે કે-પોતાને પ્રાપ્ત થયેલા ધર્મને બીજા આત્માઓમાં પણ સંપાદિત કરવો : તે વિનિયોગ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ઉપાય મુજબ આ વિનિયોગ કરાતો હોવાથી અનેક જન્મો સુધી તેની પરંપરા પ્રવર્તે છે. તેથી અનુક્રમે પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થવાથી તે મોક્ષની પ્રત્યે અવધ્ન કારણ બને છે.
૫૧૦-૧૫
❀❀❀ પ્રણિધાનાદિ સામાન્ય રીતે ક્રિયાસ્વરૂપ જણાતા હોવા છતાં તે તેનાથી અભિવ્યગ્ય આશયવિશેષ સ્વરૂપ છે. એ
CHICHCHHCHCHHA 3Y FCILICHICHICHI
3634646 ૩૪