Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ થાય છે. તેથી તેનાથી પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિના ઉત્તરકાળમાં પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિની જેમ બીજાને પણ તે પ્રાસ કરાવવા માટે વિનિયોગ નામનો આશય ઉપયોગી બને છે. સ્વ અને પર આત્મા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ(અધ્યવસાય) સ્વરૂપ આ વિનિયોગ ભવિષ્યમાં અનેક જન્માંતરમાં સતત ઉદ્બોધ પામે છે. તેથી પરમ પ્રકૃષ્ટ ધર્મસ્થાનની(ક્ષાયિકભાવે તે તે ધર્મની) સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં વિનિયોગસ્વરૂપ આશય હેતુ બને છે. ગ્રંથકાર પરમર્ષિએ ‘યોગવિશિકા’ની ટીકામાં ખૂબ જ સ્પષ્ટપણે ‘વિનિયોગ'નું સ્વરૂપ સમજાવતી વખતે જણાવ્યું છે કે-પોતાને પ્રાપ્ત થયેલા ધર્મને બીજા આત્માઓમાં પણ સંપાદિત કરવો : તે વિનિયોગ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ઉપાય મુજબ આ વિનિયોગ કરાતો હોવાથી અનેક જન્મો સુધી તેની પરંપરા પ્રવર્તે છે. તેથી અનુક્રમે પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થવાથી તે મોક્ષની પ્રત્યે અવધ્ન કારણ બને છે. ૫૧૦-૧૫ ❀❀❀ પ્રણિધાનાદિ સામાન્ય રીતે ક્રિયાસ્વરૂપ જણાતા હોવા છતાં તે તેનાથી અભિવ્યગ્ય આશયવિશેષ સ્વરૂપ છે. એ CHICHCHHCHCHHA 3Y FCILICHICHICHI 3634646 ૩૪

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66