Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ કરાતી ધર્મક્રિયા પુષ્ટિ અને શુદ્ધિનું કારણ બનતી નથી. પરંતુ ધર્મની લઘુતા કરવાના કારણે પાપબંધ થાય છે. જેમ લોભના કારણે કરાતી ખોટાં માન-માપાં કરવાદિની લોભક્રિયા તેમ જ ક્રોધના સંગ્રામ-યુદ્ધ વગેરેની ક્રોધક્રિયાથી કોઈ લાભ તો નથી પરંતુ પ્રત્યપાય(કર્મબંધાદિ સ્વરૂપ) ઘણો થાય છે. તેમ પ્રણિધાનાદિ આશયના યોગ વિનાની ક્રિયાથી ધર્મ તો થતો નથી પરંતુ પ્રત્યપાય ઘણો જ થાય છે. આ વાતને જણાવતાં યોગબિંદુમાં ફરમાવ્યું છે કેતાત્ત્વિક રીતે; અનાભોગના કારણે કરાતી ધર્મક્રિયા અને લોકપક્તિથી ધર્મની લઘુતાને કરનારી કરાતી ધર્મક્રિયા : બંન્નેમાંથી એક પણ ધર્મક્રિયા ઉપાદેય મનાતી નથી. કારણ કે એ બંન્ને ક્રિયાઓમાં પ્રવૃત્તિ, વિઘ્નજય વગેરે આશયનો અભાવ છે. જેમ લોભક્રિયા અન ક્રોધક્રિયા લાભનું કારણ બનતી નથી. પરંતુ પ્રત્યપાયનું કારણ બને છે તેમ ધર્મક્રિયા પણ અજ્ઞાન અને ધર્મની હાનિ કરવાના કારણે સંમત બનતી નથી પરંતુ પ્રત્યપાય માટે થાય છે. ।।૧૦-૧૬॥ ❀❀❀ પ્રણિધાનાદિ આશયરહિત ક્રિયા ધર્મ માટે થતી નથી. તેથી જે સિદ્ધ થાય છે; તે જણાવાય છે तस्मादचरमावर्त्तेष्वयोगो योगवर्त्मनः । योग्यत्वेऽपि तृणादीनां घृतत्वादेस्तदा यथा ॥१०-१७॥ CHHHHHHHH 33 FHHHHHHHI ૩૬૩

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66