________________
આશયરહિત ક્રિયા અનર્થકારિણી છે : તે જણાવાય છે
एतैराशययोगैस्तु, विना धर्माय न क्रिया । प्रत्युत प्रत्यपायाय, लोभक्रोधक्रिया यथा ।। १०-१६॥ “આ પ્રણિધાનાદિ પાંચ આશય વિના બાહ્યકાયવ્યાપારસ્વરૂપ ક્રિયા ધર્મ માટે થતી નથી પરંતુ લોભ અને ક્રોધની ક્રિયાની જેમ અપાય માટે થાય છે.’’–આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ચરમાવર્ત્તકાળમાં જ યોગની પ્રાપ્તિ શક્ય છે. અન્ય અચરમાવર્ત્તકાળમાં એ શક્ય નથી. આમ જણાવીને તેનું જે કારણ છે તે જણાવતાં ફરમાવ્યું હતું કે અચરમાવર્તુકાળમાં જે ક્રિયાઓ થાય છે તે બધી પ્રણિધાનાદિ આશયથી રહિત હોવાથી દ્રવ્યક્રિયા(તુચ્છ ક્રિયા) સ્વરૂપ છે. તેનું કારણ આ શ્લોકથી જણાવાયું છે કે પ્રણિધાનાદિ આશયનો જેમાં સંબંધ નથી એવી ક્રિયા બાહ્ય શરીરની ક્રિયા સ્વરૂપ છે. આત્માના વિશુદ્ધ પરિણામથી રહિત એ ક્રિયા છે.
એવી ક્રિયાથી ધર્મની પ્રાપ્તિ તો થતી નથી પરંતુ તેનાથી પ્રત્યપાય થાય છે. ઈચ્છાના વિષયથી વિરુદ્ધ (તેના પ્રતિરોધક) એવા વિઘ્નને પ્રત્યપાય કહેવાય છે. ભવિષ્યકાળમાં જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે વિષયના પ્રતિપક્ષસ્વરૂપ વિઘ્નને પ્રત્યપાય કહેવાય છે. ધર્મક્રિયા પુષ્ટિ અને શુદ્ધિ માટે કરાય છે. પ્રણિધાનાદિ આશય વિના 69696969696૭૫ 333333