________________
તેનાથી તેમને કોઈ જ ફળ પ્રાપ્ત થતું ન હોવાથી તેઓ નિષ્ફળ એવી ધર્મક્રિયાઓમાં જ રક્ત હોય છે. આ જીવોને
અભિનિવેશ ઘણો હોય છે. તેથી સમર્થ ગુરુભગવંતો પણ તેમને સમજાવી શકતા નથી. દરેક વસ્તુમાં અતત્ત્વનો જ અભિનિવેશ હોવાથી વધ્ય (નિષ્ફળ) ક્રિયાઓમાં તેઓ સદ્ગત હોય છે અને જે કરીએ છીએ તે બરાબર છે-આ અધ્યવસાયથી ક્રિયાને ફળપ્રદ કરી શકતા નથી.
સુદ્રતા વગેરે લક્ષણથી જણાતા ભવાભિનંદી’ જીવો હોય છે. તેઓ કહેતા હોય છે કે “અસાર એવો પણ આ સંસાર; દહીં, દૂધ, પાણી, તાબૂલ(મુખવાસ) પુષ્પ, સારભૂત દ્રવ્ય અને સ્ત્રી વગેરેના કારણે સારવાળો જણાય’... ઈત્યાદિ વચનો દ્વારા સંસારનું અભિનંદન કરવાના સ્વભાવવાળા તેઓ હોવાથી તેમને ભવાભિનંદી કહેવાય છે. ૧૦-પા
ભવાભિનંદી જીવોનું સ્વરૂપ જણાવીને હવે લો૫ક્તિનું સ્વરૂપ જણાવાય છેलोकाराधनहेतो र्या मलिनेनान्तरात्मना । क्रियते सक्रिया साऽत्र लोकपङ्क्तिरुदाहृता ॥१०-६॥
“લોકના ચિત્તને આવર્જિત કરવા મલિન એવા ચિત્તથી જે સક્રિયા કરાય છે, તેને યોગના નિરૂપણના વિષયમાં યોગના જાણકારોએ લોકપડુક્તિ તરીકે વર્ણવી