Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 280
________________ અનાયતન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્ત્રી સંગનો ત્યાગ-૬૫૩ અનાયતનાગદ્વાર હવે અન્નાયતનત્યાગ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે– सज्झायंपि करिज्जा, वज्जंतो जत्तओ अणाययणं । तं इत्थिमाइयं पुण, जईण समए जओ भणियं ॥ ४३३ ॥ સ્વાધ્યાયને પણ યત્નથી અનાયતનનો ત્યાગ કરવા પૂર્વક કરે. સાધુઓ માટે સ્ત્રી વગેરે અનાયતન છે. કારણ કે શાસ્ત્રમાં આ (હવે કહેવાશે તે) કહ્યું છે. વિશેષાર્થ યથોક્તગુણોથી વિશિષ્ટ પણ સ્વાધ્યાયને યત્નથી અનાયતનનો ત્યાગ કરવા પૂર્વક કરે, અનાયતનમાં સ્વાધ્યાયને ન કરે. આથી સ્વાધ્યાયદ્વાર પછી અનાયતનત્યાગ દ્વાર કહેવાય છે. જ્યાં સાધુઓ મોક્ષ માટે પ્રયત્ન કરે તે આયતન. સદ્ગુરુના ચરણોનો અગ્રભાગ વગેરે આયતન છે, અર્થાત્ સદ્ગુરુના ચરણોની પાસે રહેવું વગેરે આયતન છે. ખરાબ આયતન તે અનાયતન. સાધુઓ માટે સ્ત્રી વગેરે અનાયતન જાણવું. કારણ કે સિદ્ધાન્તમાં આ (=નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૪૩૩] સિદ્ધાન્તમાં શું કહ્યું છે તે કહે છે— विभूसा १ इत्थिसंसग्गी २, पणीयं रसभोयणं ३ । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ ४३४॥ આત્મહિતના ગવેષક (=અર્થી) પુરુષને (વસ્ત્ર આદિથી કરાતી) શરીર શોભા, સ્ત્રીનો સંગ (=સંબંધ) તથા પ્રણીત અને સ્વાદિષ્ટભોજન તાલપુટ વિષની જેમ હાનિ કરે છે. (જેમાં ઘી વગેરે કામોત્તેજક સ્નિગ્ધપદાર્થ વધારે હોય તે પ્રણીત ભોજન કહેવાય છે.) [૪૩૪] જિનવચનથી ભાવિત અને ઇન્દ્રિયજય વગેરે ગુણોથી યુક્ત મનુષ્યોને સ્ત્રીલોકનો સંગ પણ શું દોષને લાવનારો થાય છે? જેથી યત્નથી તેના ત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે, આ વિષે ગ્રંથકાર કહે છે– सिद्धंतजलहिपारं, गओऽवि विजिइंदिओऽवि सूरोऽवि । थिरचित्तोऽवि छलिज्जइ, जुवइपिसाईहिं खुद्दाहिं ॥ ४३५ ॥

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354