________________
ઉપસંહાર દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્વ નામ નિર્દેશ-૭૨૧ સ્વપતિની ઉપેક્ષા કરી, અને જાતે વિધવાપણાનો સ્વીકાર કર્યો. હમણાં તે બંધુઓથી શું રક્ષણ થશે? તેથી જ સ્ત્રીઓ શાસ્ત્રમાં પણ પાશ્ચાત્ય બુદ્ધિવાળી કહેવાય છે.
આ પ્રમાણે કેવળીએ અંતરંગ પ્રકારોથી સમરરાજાનું સંવેગને કરનારું ચરિત્ર કહ્યું. એટલે અભિચંદ્રરાજા પણ ત્યાં દીક્ષા લઈને, ઉગ્ર તપશ્ચર્યા કરીને, કેવલજ્ઞાન પામીને, સત્તામાં રહેલાં કર્મોને દૂર કરીને મોક્ષમાં ગયા. [૪૯૧]
આ પ્રમાણે સમરરાજાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. तम्हा सकम्मविवरे, कजं साहंति पाणिणो सव्वे । तो तह जएज सम्मं, जह कम्मं खिज्जइ असेसं ॥ ४९२॥
તેથી બધા જીવો સ્વકર્મોનો ક્ષય થયે છતે કાર્યને સાધે છે. માટે તે રીતે સમ્યમ્ પ્રયત્ન કરવો કે જેથી સર્વકર્મોનો ક્ષય થાય. [૪૯]
વળી કયા ઉપાયથી કર્મક્ષય થાય તે કહે છેकम्मक्खए उवाओ, सुयाणुसारेण पगरणे एत्थ । लेसेण मए भणिओ, अणुट्ठियव्वो सुबुद्धीहिं ॥ ४९३॥
કર્મક્ષયનો ઉપાય મેં આ પ્રકરણમાં શ્રુતાનુસારે સંક્ષેપથી કહ્યો છે. સબુદ્ધિવાળાઓએ તે ઉપાય કરવો જોઈએ. [૪૯૩] .
વળી પરિણામ પામતું આ પ્રકરણ કોના ઉપકાર માટે થાય તે કહે છેपायं धम्मत्थीणं, मज्झत्थाणं सुनिउणबुद्धीणं । परिणमइ पगरणमिणं, न संकिलिट्ठाण जंतूणं ॥ ४९४॥
આ પ્રકરણ પ્રાયઃ કરીને ધર્માર્થી, મધ્યસ્થ, સુનિપુણ બુદ્ધિવાળા જીવોને પરિણમે છે, સંક્લિષ્ટ જીવોને પરિણમતું નથી. [૪૯૪].
હવે ગ્રંથકાર જ અન્ય પ્રકારથી પોતાના નામનો નિર્દેશ કરે છે– हेममणिचंददप्पणसूरिरिसिप्पढमवन्ननामेहिं । सिरिअभयसूरिसीसेहिं, विरइयं पगरणं इणमो ॥ ४९५॥
૧. અનર્થ થઈ ગયા પછી જેને સાચી બુદ્ધિ સૂઝે તે પાશ્ચાત્યબુદ્ધિ કહેવાય. અનર્થ થયા પહેલાં જેને સાચી બુદ્ધિ
સૂઝે તે અગમબુદ્ધિ કહેવાય. લોકમાં કહેવત છે કે “અગમબુદ્ધિ વાણિયો, પચ્છમબુદ્ધિ બ્રાહ્મણ.”