Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 312
________________ સાધુ ધર્મ માટે અસમર્થનો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકધર્મ વિના જન્મ નિષ્ફળ-૬૮૫ તે બધા ય દાન આપીને, શીલનું સંરક્ષણ કરીને, તપ તપીને, અંતે એકમાસનું અનશન કરીને, પોતપોતાના આયુષ્યની સમાપ્તિ થતાં કાળ કરીને, જિનપૂજાના પ્રભાવથી એક સાતમા દેવલોકમાં જ સત્તર સાગરોપમ આયુષ્યવાળા અને સાથે રહેનારા દેવ થયા. ત્યાં આ પ્રમાણે વિશ્વને આનંદ ઉત્પન્ન કરનારા રૂપ-ગંધ-આકૃતિ આદિ ગુણસમૂહને પામ્યા. પછી અવધિજ્ઞાનથી પૂર્વના વૃત્તાંતને જાણીને અમને વંદન કરવા માટે અહીં આવ્યા. આયુષ્યનો ક્ષય થતાં અહીંથી Aવીને પૂર્વોક્ત પ્રમાણે સિદ્ધ થશે. આ પ્રમાણે જિનપૂજાના અનુપમ પ્રભાવને સાંભળીને અને જોઇને ચક્રવર્તી વગેરે ઘણા લોકો વિવિધ રીતે પૂજાસંબંધી અભિગ્રહો યત્નથી લે છે, પરમશ્રદ્ધાથી યુક્ત બનીને પાળે છે અને પરમફલને પામે છે. આ પ્રમાણે પૂજાફલનું દૃષ્ટાંત પૂર્ણ થયું. પ્રશ્ન- અહીં ધન નામના શેઠનો મોટો પુત્ર પુષ્પપૂજામાં ઉદાહરણ સ્વરૂપ હોવા છતાં પૂર્વે પુષ્પોમાં જ પોપટયુગલનું દૃષ્ટાંત કેમ કહ્યું? ઉત્તર– તેવા પ્રકારના વિશિષ્ટ વિવેકથી અને ધનસમૃદ્ધિ આદિ સામગ્રીથી રહિત તિર્યંચોના બોધ માટે પુષ્પોમાં પોપટ-યુગલનું દૃષ્ટાંત કહ્યું છે, અર્થાત્ વિશિષ્ટ વિવેકથી અને વિશિષ્ટ પૂજા સામગ્રીથી રહિત તિર્યંચો પણ પૂજાના પ્રભાવથી સ્વર્ગાદિ સુખને પામે છે એ જણાવવા માટે પુષ્પોમાં પોપટયુગલનું દૃષ્ટાંત કહ્યું છે. પ્રશ્ન- ગાથામાં પુષ્પપૂજામાં પોપટયુગલનું દૃષ્ટાંત સૂચવ્યું છે અને ધનનું દૃષ્ટાંત લીધું નથી. છતાં ટીકામાં પુષ્પો વિષે ધનનું ઉદાહરણ કેમ કહ્યું? ઉત્તર- પ્રસ્તુત કથાના પાત્ર આઠ બંધુઓ છે. એથી જો ધનનો ઉલ્લેખ ન કરવામાં આવે તો કથા અપૂર્ણ ગણાય. કથામાં અપૂર્ણતા ન રહે એ માટે ધનનું દૃષ્ટાંત કહ્યું છે એમ જાણવું. [૪૬૩] હવે જિને કહેલી દીક્ષાને પાળવા માટે અસમર્થ ગૃહસ્થ જો જિનપૂજા કરવી વગેરે દ્વારા શ્રાવકપણાને પણ ન આરાધે તો તે જન્મને હારી ગયો છે એમ જણાવવા માટે ગ્રંથકાર કહે છે अन्नो मोक्खम्मि जओ, नत्थि उवाओ जिणेहिं निद्दिट्ठो । तम्हा दुहओ चुक्का, चुक्का सव्वाणवि गईणं ॥ ४६४॥ તેથી વિશિષ્ટ સાધુધર્મ અને શ્રાવકધર્મ એ બે પ્રકારોથી જેઓ ભ્રષ્ટ થયા છે તેઓને ધર્મના બધા ય પ્રકારોથી ભ્રષ્ટ થયેલા જ જાણવા. કારણ કે જિનોએ વિશિષ્ટ સાધુધર્મ અને શ્રાવકધર્મ એ બે સિવાય બીજો કોઇપણ મોક્ષનો ઉપાય કહ્યો નથી. [૪૬૪] .

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354