Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 314
________________ વિષયસુખની ઇચ્છાવાળાએ પણ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઇએ-૬૮૭ જાળ શિકારી લોકમાં પ્રસિદ્ધ છે. જાળમાં પડેલો મૃગ શોક કરે છે. શિકારી વડે પાંજરામાં પૂરાયેલ પોપટ વગેરે પક્ષી શોક કરે છે. તેવી રીતે પુણ્યને એકઠું ન કરનાર જીવ મરણકાળે પશ્ચાત્તાપ કરે છે. [૪૬૭] વૈભવ, યૌવન અને સ્નેહ આદિ જે પદાર્થોમાં જીવો આસક્તિવાળા છે તે પદાર્થો પણ ક્ષણવારમાં નાશ પામનારા છે. તેથી પણ ધર્મમાં પ્રમાદ કરવો એ અજ્ઞાનતાનું જ સૂચન કરે છે એમ જણાવે છે– जललवचलम्मि विहवे, विजुलयाचंचलम्मि मणुयत्ते । धम्मम्मि जो विसीयइ, सो काउरिसो न सप्पुरिसो ॥ ४६८॥ વૈભવ પાણીના બિંદુની જેમ અસ્થિર છે, મનુષ્યભવ વિદ્યુલતાની જેમ ચંચળ છે. આથી જે ધર્મમાં પ્રમાદ કરે છે તે કાયરપુરુષ છે, સપુરુષ નથી. [૪૬૮] વળી જો તું વિષયવૃતિ આદિ સુખોને ઇચ્છે છે તો પણ ધર્મમાં જ ઉદ્યમ કર એમ ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે वरविसयसुहं सोहग्गसंपयं पवररूवजसकित्ती । जइ महसि जीव! निच्चं, ता धम्मे आयरं कुणसु ॥ ४६९॥ હે જીવ! જો તું શ્રેષ્ઠ વિષયસુખ, સૌભાગ્ય, સંપત્તિ, શ્રેષ્ઠ રૂપ-યશ-કીર્તિને ઇચ્છે છે તો સદા ધર્મમાં આદર કર. [૪૬૯] ધર્મ વિના પણ વાંછિતની સિદ્ધિ થશે એમ ન કહેવું. શા કારણથી તેમ ન કહેવું એ વિષે અહીં કહે છે– धम्मेण विणा परिचिंतियाई जइ हुंति कहवि एमेव ।। ता तिहुयणम्मि सयले, न होज इह दुक्खिओ कोई ॥ ४७०॥ જો ચિંતવેલાં કાર્યો ધર્મ વિના એની મેળે જ કોઇપણ રીતે થતા હોય તો અહીં સંપૂર્ણ ત્રણ ભુવનમાં કોણ દુ:ખી હોય? અર્થાત્ કોઈ દુઃખી ન હોય. [૪૭૦]. ધર્મ-અધર્મ નથી એમ ન કહેવું. કારણ કે ધર્મ-અધર્મનું કાર્ય સુખ વગેરે જોવામાં આવે છે, આ પ્રમાણે પ્રગટ કરતા ગ્રંથકાર કહે છે तुल्लेवि माणुसत्ते, जं के ईह सुहभागिणो जीवा । तं जीवा वतिरित्तं, धम्मं मोत्तुं न संभवइ ॥ ४७१॥ હે જીવો! મનુષ્યભવ સમાન હોવા છતાં અહીં જે કોઈક જ જીવો સુખના ભાગી થાય છે, તેમાં ધર્મને મૂકીને બીજું કોઈ કારણ સંભવતું નથી. [૪૭૧]

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354