Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 313
________________ ૬૮૬-સાધુ ધર્મ માટે અસમર્થનો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકધર્મ વિના જન્મનિષ્ફળ જો એમ છે, તેથી શું કરવું? તે કહે છેतो अवगयपरमत्थो, दुविहे धम्मम्मि होज दढचित्तो । समयम्मि जओ भणिया, दुलहा मणुयाइसामग्गी ॥ ४६५॥ તેથી તારે પરમાર્થને જાણીને સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારના ધર્મમાં દઢ ચિત્તવાળા બનવું. કારણ કે સિદ્ધાંતમાં પુસ્તક પાસ ધ ઇત્યાદિથી મનુષ્યભવ આદિ સામગ્રી દુર્લભ કહી છે. [૪૫] તે અતિદુર્લભ મનુષ્યભવને કોઈપણ રીતે પ્રાપ્ત કરીને જે ધર્મમાં પ્રમાદ કરે છે તે મરણકાળે શોક કરે છે એમ બતાવે છે– अइदुल्लहपि लद्धं, कहमवि मणुयत्तणं पमायपरो । जो न कुणइ जिणधम्मं, सो झूरइ मरणकालम्मि ॥ ४६६॥ અતિદુર્લભ મનુષ્યભવને કોઇપણ રીતે પ્રાપ્ત કરીને પ્રમાદમાં તત્પર બનેલો જે જીવ જિનધર્મ કરતો નથી તે મરણકાળે શોક કરે છે. [૪૬૬]. કેવી રીતે શોક કરે છે તે દર્ણત બતાવવા પૂર્વક કહે છેजह वारिमज्झछूढो, गयवरो मच्छउ व्व गलगहिओ । ગુરપવિશ્વ મો, સંવકુમો રદ = પવળી ૪૬૭ વારિમાં મૂકેલો ( નાખેલો) હાથી, ગલથી ગ્રહણ કરાયેલ માછલું, જાળમાં પડેલો મૃગ અને પાંજરામાં મૂકેલો પક્ષી શોક કરે છે, તેવી રીતે પુણ્યને એકઠું ન કરનાર જીવ મરણકાળે શોક=પશ્ચાત્તાપ કરે છે. વિશેષાર્થ– વિંધ્ય અટવી વગેરેમાં હાથીને બાંધવાના (=પકડવાના) ઉપાય રૂપે જે કૃત્રિમ ખાડો કરવામાં આવે તેને વારિ કહેવામાં આવે છે. તેની મધ્યમાં નાખેલ હાથી શોક= પશ્ચાત્તાપ કરે છે. ગલ એટલે વાંસના અગ્રભાગે બાંધેલા દોરાના અંતે રહેલી, પરોવેલા માંસના ટુકડાવાળી લોઢાની વક્ર ખીલી (હુકો. હુકથી ગ્રહણ કરાયેલું માછલું શોક કરે છે. ૧. જુન ઇત્યાદિ ગાથાનો ભાવ એ છે કે મનુષ્યભવ ભોજન વગેરે દશ દષ્ટાંતોથી દુર્લભ છે. આ દશ દેસંતો આ ગ્રંથમાં ત્રીજી ગાથામાં જણાવ્યાં છે. ૨. વૃત્તિ શબ્દનો દોરો અર્થ શબ્દકોષમાં જોવામાં આવ્યો નથી. આમ છતાં અહીં પ્રકરણાનુસારે વૃત્તિ શબ્દનો દોરો અર્થ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354