________________
ઉપસંહાર દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
ઉપસંહારદ્વાર
[ગ્રંથનો ઉપસંહાર-૭૧૩
હવે પ્રકરણના ઉપસંહારનો અધિકાર કહેવાય છે. તેમાં હમણાં જ કહેલા
અર્થને આશ્રયીને કહે છે—
संतेऽवि सिद्धिसुक्खे, पुव्वुत्ते दंसियम्मि य उवाए । लद्धम्मि माणुसत्ते, पत्तेऽवि जिणिंदवरधम्मे ॥ ४८८ ॥
जं अज्जवि जीवाणं, विसएस दुहासवेसु पडिबंध । तं नज्जइ गरुयाणवि, अलंघणिज्जो महामोहो ॥ ४८९ ॥
સિદ્ધિનું સુખ વિદ્યમાન હોવા છતાં, સિદ્ધિસુખની પ્રાપ્તિનો ઉપાય બતાવેલો હોવા છતાં, મનુષ્યભવ પ્રાપ્ત થયો હોવા છતાં, પૂર્વે પ્રાપ્ત નહિ થયેલ એવો જૈનધર્મ પ્રાપ્ત થવા છતાં હજી પણ જીવોને દુ:ખનું મુખ્ય કારણ એવા વિષયોમાં જે રાગ દેખાય છે તેથી જણાય છે કે મોટાઓ પણ મહામોહને ઓળંગવા પ્રાયઃ સમર્થ થતા નથી. [૪૮૮-૪૮૯]
મોહનીય વગેરે કર્મોથી હણાયેલા જીવો વિષયરાગને છોડીને ગુણોને સ્વીકારતા નથી, એટલું જ નહિ બલ્કે, કેટલાક જીવો પ્રાપ્ત થયેલા પણ વિશુદ્ધગુણોને છોડીને વિષયોમાં રમે છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે
नाऊण सुयवलेणं, करयलमुत्ताहलं व भुवणयलं ।
केऽवि निवडंति तहविहु, पिच्छसु कम्माण बलियत्तं ॥ ४९० ॥
શ્રુતના બલથી હથેળીમાં રહેલા મોતીની જેમ વિશ્વના સ્વરૂપને જાણે છે તો પણ કેટલાકો પડે છે. કર્મોના બળને જુઓ. [૪૦]
વળી બીજાઓ શું કરે છે તે કહે છે—
एक्कंपि पयं सोउं, अन्ने सिज्झति समरनिवइ व्व । संजायकम्मविवरा, जीवाण गई अहो विसमा ॥ ४९९ ॥
જેમને કર્મની લઘુતા થઇ છે તેવા બીજા જીવો એક પણ પદને સાંભળીને સમરરાજાની જેમ સિદ્ધ થાય છે. અહો! જીવોની ગતિ વિષમ છે.
વિશેષાર્થ– સમરરાજાનું દૃષ્ટાંત કહેવાય છે—