________________
૭૧૨-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ગ્રંથનો ઉપસંહાર - જરા, વિયોગ, દરિદ્રતા, રોગ, શોક અને રાગ વગેરે દુઃખરૂપ છે. તે દુઃખ સિદ્ધોને નથી. તેથી સિદ્ધો જ સુખી છે, રાગાંધ જીવો નહિ.
વિશેષાર્થ- જરા (=વૃદ્ધાવસ્થા)વગેરે દુઃખનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી જરા વગેરે દુઃખરૂપ છે. આવા પ્રકારનું દુઃખ સિદ્ધોને નથી. તેથી સિદ્ધો જ સુખી છે, રાગાંધ દેવ વગેરે સુખી નથી.
આ અર્થ ચરણદ્વારની અંતર્ગત વિવિરાગ આદિ દ્વારોમાં લગભગ વિચાર્યો છે. [૪૮૬] આ પ્રમાણે હોવાથી શું? એમ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેनित्थिन्नसव्वदुक्खा, जाइजरामरणबन्धणविमुक्का । अव्वाबाहं सुक्खं, अणुहुंती सासयं सिद्धा ॥ ४८७॥
સર્વ દુઃખોના પારને પામેલા તથા જન્મ-જરા-મરણ અને બંધનથી મુક્ત થયેલા સિદ્ધો અવ્યાબાધ અને શાશ્વત સુખને અનુભવે છે. [૪૮૭]
આ અનાદિ સંસારમાં અનેકવાર પણ મૃત્યુ પામેલા જીવોએ જેનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે તે પંડિતમરણને પ્રાપ્ત કર્યું નથી. આને પણ મનમાં વિચારીને અને જિનેન્દ્રના ચરણોને પામીને મરણરૂપ વેલડીને કાપનારા પંડિતમરણને આરાધો.
આ પ્રમાણે શ્રીહેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં
ભાવનાદ્વારમાં પરિજ્ઞાન રૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં પરિજ્ઞાનરૂપ પ્રતિકારનો
રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
%%%