________________
અ૦૧ સૂ૦૧] શીતજ્વાધિગમસૂત્ર
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને યુગલિક મનુષ્યની જેમ સદા સાથે જ ઉત્પન્ન થાય છે, સાથે રહે છે અને નાશ પામે તો સાથે જ નાશ પામે છે. આથી જ્યારે સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યગ્દર્શન અવશ્ય હોય અને સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યજ્ઞાન અવશ્ય હોય, પણ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યફ ચારિત્ર હોય જ એવો નિયમ નથી; હોય અથવા ન પણ હોય. જ્યારે સમ્યક ચારિત્ર હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન અવશ્ય હોય.
સમ્યગુ એટલે પ્રશસ્ત અથવા સંગત. સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂત જીવાદિ પદાર્થો વિષે શ્રદ્ધા. સમ્યજ્ઞાન એટલે જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ.
સફચારિત્ર એટલે યથાર્થ જ્ઞાનપૂર્વક અસલ્કિયાથી નિવૃત્તિ અને સ&િયામાં પ્રવૃત્તિ.
પ્રશ્ન- ચારિત્રનું આ લક્ષણ સિદ્ધના જીવોમાં નહિ ઘટે.
ઉત્તર– કંઈ વાંધો નહિ. કારણ કે સિદ્ધોમાં ચારિત્ર સાધ્યરૂપ છે. જ્યારે અહીં સાધનરૂપ ચારિત્રનું વર્ણન છે. અહીં મોક્ષમાર્ગનું વર્ણન હોવાથી મોક્ષના સાધનરૂપ ચારિત્ર બતાવવું જરૂરી છે. મોક્ષના સાધનરૂપ ચારિત્ર અહીં જણાવ્યું છે તે જ છે. સિદ્ધોમાં યોગની સ્થિરતા (સ્વભાવરમણતા) રૂપ ચારિત્ર હોય છે.
પ્રશ્ન- સયોગી કેવલીમાં મોક્ષનાં ત્રણે સાધન પરિપૂર્ણ હોવા છતાં તેમનો મોક્ષ કેમ થતો નથી ?
ઉત્તર- તેમને મોક્ષ થવામાં અઘાતી કર્મનો ઉદય પ્રતિબંધક છે. કારણ સંપૂર્ણપણે હાજર હોવા છતાં જો પ્રતિબંધક વિદ્યમાન હોય તો કાર્ય ન થાય. પક્ષીમાં ઊડવાની શક્તિ છે, પણ પાંજરામાં પુરાયો હોય તો ઊડી ન શકે. તેમ અહીં સયોગી કેવલી સમ્યજ્ઞાનાદિ ત્રણે પૂર્ણ હોવા છતાં અઘાતી કર્મરૂપ પાંજરામાં પુરાયેલા હોવાથી મોક્ષમાં જઈ શકતા નથી.
મોક્ષ એટલે સર્વ કર્મોનો ક્ષય. માર્ગ એટલે સાધન.
પ્રશ્ન- અહીં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને એકસાથે ઉત્પન્ન થાય છે એમ કહ્યું, પણ તત્ત્વાર્થ ભાષ્યમાં પણ ૨ પૂર્વી નામે મનનીયમુત્તરવું,