Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02 Author(s): Rajendra I Nanavati Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra વેદકાલીન શુદ્ધ શુદ્ધ જાનતિ પત્રાયણને કન્યાદાનના બદલામાં બ્રહ્મવિદ્યા આપી હતી. આ જાનશ્ચિંત શૂદ્ર હતો અને રાજા હતો. ધર્મશાસ્ત્રોના મહાન વિદ્વાન ડૉ. નિરૂપણ વિદ્યાલંકાર ઋગ્વેદના સાતમા મંડળના મહાન ઋષિ વિષ્ઠ અને તેમના મંત્રદષ્ટા વંશજો શક્તિ ગૌરિવીતિ અને પરાશરનો ‘શૂદ્ર ઋષિ' તરીકે ઉલ્લેખ કરે છે. બ્રહ્મવિદ્યા પ્રામ કરનારા, મંત્રોનું દર્શન કરનારા, વેદશાખાઓના પ્રવર્તક બનેલા, અને રાજપદની સાથે સાથે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરનારા આ વિવિધ શૂદ્ર મહાત્માઓ વેદકાલીન સમાજના ઉદાર દૃષ્ટિકોણના પરિપાક રૂપે જ સંભવી શકયા હતા, એ બાબત વૈદકાળમાં શૂદ્રોના ગૌરવપૂર્ણ સામાજિક સ્થાન-માનની ઘાતક છે. ધાર્મિક સ્થિતિ : www.kobatirth.org વૈદિક સંસ્કૃતિમાં ‘શૂદ્ર'એને જ કહેવામાં આવતો હતો, જે પ્રયત્ન કરવા છતાં પણ ભણીગણી ન શકે અને મુર્ખનો મુર્ખ રહે. વૈદિક અધ્યયનના ‘પાસપોર્ટ'ના રૂપે કરવામાં આવતા ઉપનયન સંસ્કારનો પણ ધૂમ અધિકારી રહ્યો છે, એવું મેક્સમૂલરે પણ પ્રતિપાદિત કર્યું છે, યાર્વેદ વાજસનેયી સંહિતામાં આ મંત્ર છે : यथेमां वाचं कल्याणी मा वदानि जनेभ्यः । બ્રહ્મરાગયામ્યાં શૂદ્રીય વાર્યાંય ૨ સ્વાય વારાય ચૈ ।। (યજા. ૨૬/૨). ૨૩. અર્થાિત્ પ્રભુ કહે છે કે, તે મારા ભક્તો ! તમે એવો માર્ગ પકડો જેનાથી મારી આ પવિત્ર કલ્યાણી વેદવાણી મનુષ્ય માત્ર સુધી પહોંચે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, તમારા પોતાનાં અને પારકાં સુધી પહોંચે. (યા. ૨૬ ૨૦. આમ આપણે અહીં જોઈએ છીએ કે, વેદોના અધ્યયનનો અધિકાર વિશિષ્ટ રૂપે કોને આપવામાં આવ્યો છે. આના પરથી રાધાકુમુદ મુકરજીએ એવો નિષ્કર્ષ તારવ્યો છે કે, વેદોનું અધ્યયન કરવાનો બધા વર્ગના વ્યક્તિઓને સમાન અધિકાર હતો પરંતુ રામશરણ શર્માનું માનવું છે કે ‘કલ્યાણી વા'નો અર્થ ‘વેદવાણી' નથી. ગુને વૈદાધ્યયનનો અનધિકાર માનનારાઓને સ્વામી દયાનંદ સરસ્વતી" પૂછે છે કે, શું ૫રમેશ્વર શૂદ્રોનું ભલું કરવા ઈચ્છતો નથી ? શું ઈશ્વર પક્ષપાતી છે કે જે વેદોના અધ્યયન-શ્રવણના અધિકારનો શૂદ્રો માટે નિષેધ અને વિન્ને માટે વિધાન કરે ? જેમ પરમેશ્વરે પૃથ્વી, જલ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય અને અન્નાદિ પદાર્થ સર્વેના માટે સર્વ્યા છે. તેમ વેદ પણ સર્વના માટે પ્રકાશિત કર્યા છે. ૨૦. ૨૧. એજન, પૃ. ૮૬. ૨૨. ૨૪. ૨૫. Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદિક કાળના સમામિકાળે લખાયેલા મનાતા ગૃહ્યસૂત્રો પૈકીના આશ્વલાયન ગુ. સૂ. (૩૮)માં શૂદ્રોના ‘સમાવર્તન’ સંસ્કારનું વિધાન મળે છે. ‘સમાવર્તન' સંસ્કાર વેદાધ્યયનનો સમાપ્તિસૂચક સંસ્કાર હોવાથી સૂત્રકાળ અને તે પૂર્વેના વેદકાળમાં શૂદ્રોના ઉપનયન અને વેદાધ્યયનના અધિકારનું સમર્થન થાય છે. સંસ્કાર ગણપતિ" જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૨૭. ૫ For Private and Personal Use Only Ancient Indian Education, Delhi, 1960, First edition, p. 53. Shudras in Ancient India, Delhi, 1958, First edition, p. 66. વેવધિ માખ્ય ભૂમિળા, વૈ િયત્રાલય, મેર, ૧૨૮, પૃ. ૧૨. ભટ્ટ રામદાસ વિરચિત, પારસ્કર ગૃહ્યસૂત્ર પરની ટીકા, ચૌખમ્બા ગ્રંથમાળા, વારાણસી, ૧૯૪૬, પ્રથમ સંસ્કરણ, પૃ. ૬૪૨.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 131