Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 67
________________ [ પ ] શ્રાવિકા અને તેનો શો ઉપયોગ થાય તે વિષે પણ સમજુતી આપવી. તેમજ તે પવિત્ર ઉપકરણની આશાતના ન થાય તેમ તેનાવડે રમાડવું અને આ પ્રમાણે કરવાથી આશાતના થાય,. એવી બાળકને સમજણ પાડવી. અક્ષરજ્ઞાન રંગ, આકાર અને બીજા વ્યવહારના સામાન્ય જ્ઞાનને માટે તેને ગમત સાથે જ્ઞાન થાય તેવી યેજના કરવી. બાળકને દુનિયાના પદાર્થોનું જ્ઞાન થવા માટે અને ધર્મ તથા નીતિને બંધ થવા માટે નાની નાની વાર્તાઓ કહેવી અને તેમાં જેટલું તે સમજી શકે તેટલું જ્ઞાન આપતા જવું. સંગીતવિદ્યા સર્વને ઉપગી છે અને તે બાળકને બહુ પ્રિય હોય છે, તેથી નવા નવા રાગની ટૂંકી કવિતાઓ બાળકને સંભળાવવી અને શીખવવી. વળી તે સમજી શકે તેવા દાખલાદષ્ટાંતે આપવા. જે વાર્તા બાળકની આગળ કહી હોય તે વાર્તા પાછી તે બાળક કહી બતાવે એમ કરવું. તેની આગળ બીક તથા વહેમભરેલી ભૂતપિશાચની વાત કરવી નહીં. તેવી વાત કરવાથી બાળક બીકણ અને નાહિંમતવાન થઈ જાય છે. જે વાર્તાઓ સાંભળી બાળક સ્વતંત્ર શૂરવીર, ધાર્મિક, હિંમતવાન, દયાળુ અને પરોપકારી થાય એવી વાર્તાઓ કહેવી. તે સાથે ધર્મ તથા નીતિના કલેકે, ગાથાઓ કે કવિતાએ તેને સંભળાવી યાદ રખાવવી. આ પ્રમાણે કરવાથી શ્રાવકબાળ પાંચ છ વર્ષમાં ઘણું જ્ઞાન મેળવી શકે છે. પછી સાતમે વર્ષે તેને શાળાની કેળવણીમાં જોડી દે. શાળાની કેળવણીની સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાની શેઠવણ કરવી, તેથી જેમ જેમ તેને વ્યવહારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118