Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 108
________________ સુબોધ [ ] અને મર્યાદાવાળે બંધ કરો. પોતાની યેગ્યતા પ્રમાણે દરેક શ્રાવિકોએ ધંધાની કળા સંપાદન કરવી. કદી કમેગે પતિનો અભાવ થાય તે પિતાનાં બાળબચચાંને નભાવવાનો જે સ્ત્રીની ઉપર આવી પડે છે. જે સ્ત્રી પતિની હૈયાતીમાં પ્રમાદી થઈ બેસી રહી હોય અને કોઈ જાતને ધંધે શીખી ન હોય તો તેને નિર્વાહ કરવાની ભારે મુશ્કેલી થઈ પડે છે. ઘેરઘેર ભીખ માગવાને અને ધર્માદા દ્રવ્ય ખાવાનો વખત આવે છે, તેથી દરેક શ્રાવિકા ઉપયોગી ધંધો શીખવો જોઈએ. ઉઘોગી શ્રાવિકા ધંધો શીખી હાય તે તે પોતાને ઘેર બેઠા ઘરને નિર્વાહ સુખેથી કરી શકે છે. (૧૦) નવરાશને વખત કેમ ગાળો?—એ હકાર્ય વ્યવસ્થાનો દશમે પ્રકાર છે. શ્રાવકધુ પોતાના નિત્યના નિયમ પ્રમાણે ઘરનાં કામકાજ કરી પરવારે ત્યારે તેણીએ થોડા વખત ઉપયેગી ધંધે શીખવામાં અને જે તે શીખેલ હોય તે કરવામાં પસાર કરે. જ્યારે તે કામ કરતાં કંટાળો ઉપજે ત્યારે થોડી વાર તેણીએ ધર્મ તથા નીતિનાં ઉપયોગી પુસ્તકો વાંચવા અને પિતાના વિદ્વાન પતિ પાસે અભ્યાસ કરી પોતાના જ્ઞાનમાં વધારે કર. પ્રભુભક્તિનાં તથા નીતિનાં ગીત શીખવાં અને ગાવાં. સામાયિક લઈ સ્વાધ્યાય ધ્યાન કરવું અને પતિના કાર્યમાં મદદ કરવી. તે સાથે તેણીએ ખાસ ધ્યાન રાખવું કે પોતાના પતિનું મન શી રીતે રંજન થાય ? તેવા વિચારો કર્યા કરવા. જે પતિ વ્યવહારકાર્યથી કંટાળી ઘેર આવેલ હોય તે તેના મનને આરામ તથા સુખ આપવું. જે શ્રાવિકા સારી સ્થિતિમાં હોય તે તેણુએ હંમેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118