________________ = પ્રથમ પરિચ્છેદ. અચાનક તે સિંહાસન ઉપરથી મૂચ્છિત થઈ નીચે પડ્યો. સભાની અંદર બેઠેલા સભ્યો અને સામતના શ્વાસ ઉઠી ગયા. - સૌ કે મહારાજા તરફ ધસ્યું અને તેમની મૂડ્ઝ ટાળવા જાતજાતના ઉપચાર કરવા લાગ્યા. = રાજમહેલમાં ગમગીનીનું વાતાવરણ છવાયું. સૌ કોઈના મહે ઉપર ખેદ અને ચિંતાની કાળાશ ફરી વળી ! આ બધામાં ચિત્રકાર ચિત્રસેન સૌથી જૂદે પી જતું હોય એમ લાગ્યું. આખે રાજમહેલ જ્યારે ચિંતાગ્રસ્ત હતો ત્યારે માત્ર ચિત્રસેનની આંખે ઉલ્લાસ ને આનંદમાં નાચી રહી હતી. મહારાજાની | મૂચ્છ ચિત્રસેનને સારૂ મંગળરૂપ હતી. “આ દુષ્ટ ચિત્રકારની જ આ કરામત છે. તેણે જ આપણા મહારાજાને છળ-કપટથી મૂચ્છિત કર્યા છે, માટે પહેલાં તો એને જ પકડે.” જે વખતે મહારાજાની મૂચ્છી ટાળવા વિવિધ ઉપચાર ચાલતા હતા તે વખતે મહારાજાને એક અનુચર અકસ્માત્ બેલી ઉઠ્યો. - તરત જ રાજસભાના ખૂણે-ખૂણામાંથી એ પ્રસ્તાવને ઉત્તેજન મળ્યું. સૌને ચિત્રકારના વિષયમાં શંકા ઉપજી. મહારાજા વિષે કામણું કરનાર આ ચિત્રકાર જ હવે જોઈએ એ સંબંધે કેઈને | શંકા ન રહી. ચિત્રકારને રાજ-કર્મચારીઓએ પકી, બાંધી એક ખૂણામાં - બેસારી દીધે. ન્યાય તળવાને કે શિક્ષા કરવાનો હમણા કેઈને - અવકાશ ન હતું. નાગપાશથી બંધાએલા જે ચિત્રકાર જરા પણ ઉદ્વેગ ન પામ્યો, તેમ પોતાના બચાવમાં તેણે એક શબ્દ સરખો પણ ન ઉચ્ચાર્યો. તેને પિતાને પિતાની નિર્દોષતા માટે સોએ સો ટકા ખાત્રી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust