________________
(જીવન-વિજ્ઞાન ) આત્મા એટલે દિવ્ય જ્ઞાન, શાશ્વત આનંદ આદિ અનેક ગુણોના સમૂહરૂપ એક ચેતનમય અરૂપી પદાર્થ. બહુઆરંભ (અશુભ) અને પરિગ્રહવાળી પ્રવૃત્તિ જે કરે છે તે નિયમથી નરકમાં જાય છે. જે જીવ ધર્માત્માના દોષો જગતમાં જાહેરપણે પ્રગટ કરે છે તે સમ્યગદષ્ટિ હોતો નથી. જ્ઞાની ભગવંતોની અનુભવવાણી આ જગતમાં શ્રેય કરનાર એક ઉત્તમ વસ્તુ છે, એમ અમે જાણીએ છીએ. જે જીવ વારંવાર હું “હું કરતો હોય તે જીવ ઘણુંખરું અજ્ઞાની હોય છે. ગૃહસ્થની સાધક અવસ્થાને કથંચિત્ પરાધીન ગણવામાં આવી
રામે સમ્યક્ પ્રકારે અન્યાયનો પ્રતિકાર કર્યો છે, રાવણને માર્યો નથી.' - એમ તત્ત્વદૃષ્ટિથી જાણો. જેમાં રુચિ રહેતી નથી તેમાં ઘણું કરીને લાંબો સમય પ્રવૃત્તિ
કે સ્થિતિ ટકી શકતી નથી. • વેદાંત આત્માને નિત્ય માને છે.
બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે. વીતરાગ અથવા નિગ્રંથદર્શન આત્માને નિત્યાનિત્ય માને છે. આ દુનિયામાં એક જ શેઠ (પ્રભુ) એવા છે કે જેના શરણે જતા જીવોને તેઓ પોતાના જેવા જ બનાવે છે.
J- ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org